Book Title: Abhidhan Vyutpatti Prakriya Kosh Part 02
Author(s): Purnachandravijay, Munichandravijay, Divyaratnavijay, Mahabodhivijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
પ્રકાશકીય નિવેદન આ
.
ગFA
જી
શાસનરત્ન, કલિકાલસર્વજ્ઞ આચાર્ય ભગવંત શ્રી હેમચંદ્રસૂરિમહારાજાએ વિશાળ સાહિત્યનું સર્જન કર્યું છે. તેમાં વ્યાકરણ-કેશ વગેરેને પણ સમાવેશ થાય છે. “અભિધાન ચિંતામણિ” નામના તેમના લેકબધ્ધ કેશના આધારે મુનિ ચતુર્કે “”કારાદિ ક્રમે શબ્દો ગેઠવી પ્રસ્તુત સંસ્કૃત કોશ તૈયાર કર્યો છે. જેનું નામ છે
“અભિધાન વ્યુત્પત્તિ પ્રક્રિયા કેશ”
આ કેશને પ્રથમ ભાગ ગત વર્ષે તેયાર થઈ ગયે હતે. બીજો ભાગ આ વર્ષે તૈયાર થયું છે. બે ભાગ એક સાથે જ પ્રકાશન કરી સર્વત્ર મોકલવા એ હિસાબે પ્રથમ ભાગનું પ્રકાશન અમે બાકી રાખેલ હવે બંને ભાગ ને અમે સાથે પ્રકાશિત કરીએ છીએ.
પ્રસ્તુત કેશના સંકલક છે અધ્યાત્મવેગી પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજ્ય કલાપૂર્ણ સૂરીશ્વરજી મહારાજાનાં ત્રણ શિષ્ય પ્રશિષ્ય મુનિ શ્રી પૂર્ણ ચંદ્ર વિજયજી મ. મુનિ શ્રી મુનિચંદ્રવિજયજી મ. મુનિ શ્રી દિવ્યરત્ન વિજયજી મ. તથા પ.પૂ. વર્ધમાન તપેનિધિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય ભુવનભાનુ સૂરીશ્વરજી મહારાજાના પ્રશિષ્ય પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજ્ય હેમચંદ્રસૂરિ મ.સા.ના પ્રશિષ્ય પ.પૂ. મુનિરાજ શ્રી મહાબોધિવિજ્યજી. આ ચારે મુનિભગવંતોએ વર્ષો ને પરિશ્રમ કરી સંઘ ઉપર મહાન ઉપકાર કર્યો છે. અનેક પુણ્યાત્માઓને આ ગ્રંથ સ્વાધ્યાયમાં તથા સંશોધનમાં સહાયક બનશે.
આવા મહાન સંઘઉપયોગી ગ્રંથને તૈયાર કરી આપવા માટે આ ચારે મુનિપંગવેને અમે ખૂબ ખૂબ ઉપકાર માનીએ છીએ. ભવિષ્યમાં પણ શ્રુતભક્તિના વિશાળ કાર્યો આ મહાત્માઓ દ્વારા થાય એવી અપેક્ષા રાખીએ છીએ.
વૈરાગ્યદેશનાદક્ષ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ગવિજય હેમચન્દ્રસૂરિ મ.ની શુભ પ્રેરણાથી પ્રસ્તુત કેશગ્રંથને જ્ઞાનખાતામાંથી સંપૂર્ણ લાભ લેનાર શ્રી નવાડીસા સંધને આ સ્થળે ઉપકાર માનવે અસ્થાને નહિ ગણાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org