Page #1
--------------------------------------------------------------------------
________________
મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજા વિરચિત સાધુ સામય બત્રીશી
એક પરિશીલન
સંકલનઃ પૂ.આ.ભ.શ્રી.વિ. ચન્દ્રગુપ્ત સૂમ,
શ્રી અને જીપBશનરેનરીલિજીયાટ્રસ્ટ
Page #2
--------------------------------------------------------------------------
________________
મહામહોપાધ્યાય શ્રીમદ્યશોવિજયજી મહારાજાવિરચિત‘દ્વાત્રિંશત-દ્વાત્રિંશિષ્ઠા' પ્રકરણાન્તર્ગત
સાધુસામગ્ય - બત્રીશી
એક પરિશીલન
ゆ
પરિશીલન : પૂ. પરમશાસનપ્રભાવક પૂજ્યપાદ સ્વ.આ.ભ.શ્રી.વિ. રામચન્દ્રસૂ. મ.સા. પટ્ટાલંકાર પૂ. સ્વ. આ. ભ. શ્રી.વિ. મુક્તિચન્દ્ર સૂ. મ. સા. ના શિષ્યરત્ન પૂ. સ્વ. આ. ભ. શ્રી. વિ. અમરગુપ્ત સૂ. મ. સા. ના શિષ્યરત્ન પૂ. આ. ભ. શ્રી. વિ. ચન્દ્રગુપ્ત સૂ. મ.
: પ્રકાશન :
શ્રી અનેકાન્ત પ્રકાશન જૈન રીલિજીઅસ ટ્રસ્ટ
: સૌજન્ય : એક સગૃહસ્થ
સ્વ. શ્રીમતી છઠીબેન સિરેમલજી પદમાજી મેહતા સાંચોર (રાજ.)
C/o. ડૉ. બી. એસ. મેહતા પહેલો પારસીવાડા, મુંબઈ-૪૦૦ ૦૦૪. ફોન - ૩૮૬૨૧૧૬/૩૮૬૨૦૦૧
Page #3
--------------------------------------------------------------------------
________________
સાધુ સામર્થ્ય બત્રીશી - ૬ આવૃત્તિ - પ્રથમ : પ્રકાશન :
વિ. સં. ૨૦૧૭ નકલ - ૧૦૦૦ શ્રી અનેકાન્ત પ્રકાશન
' અષાઢ સુ. ૧૦ શનિવાર જેન રીલિજીઅસ ટ્રસ્ટ
: પ્રાપ્તિસ્થાન : શા. સૂર્યકાન્ત ચતુરલાલા રજનીકાંત એફ. વોરાં મુ. પો. મુરબાઇ (જિ. ઠાણે) ૬૫૫, સાચાપીર સ્ટ્રીટ,
પુણે કૅમ્પ, પુણે - ૪૧૧૦૦૧. મુકુંદભાઈ આર. શાહ વિજયકર કાંતિલાલ ઝવેરી ૫, નવરફ્લેટ્સ
પ્રેમવર્ધક ફલેટ્સ નવા વિકાસગૃહ માર્ગ
નવા વિકાસગૃહ માર્ગ-પાલડી પાલડી, અમદાવાદ-૭
અમદાવાદ, ૩૮૦૦૦૭ જતીનભાઇ હેમચંદ શાહ (કોમલ છાપરીયાશેરી : મહીધરપુરા
સુરત – ૩૯૫૦૦૩
: સૌજન્ય :
એક સગૃહસ્થ સ્વ. શ્રીમતી છઠીબેન સિમલજી પદમાજી મેહતા
સાંચોર (રાજ.) C/o. ડૉ. બી. એસ. મેહતા પહેલો પારસીવાડા, મુંબઈ-૪૦૦ ૦૦૪. ફોન - ૩૮૪ર૧૧૬/૩૮૬૨૦૦૧
: મુદ્રણ વ્યવસ્થા :
ડીકે પ્રિન્ટલાઈન સી-૩, સુનીતા પાર્ક, ગ્રાઉન્ડ ફ્લોર, સોડાવાલા લેન, બોરીવલી (વેસ્ટ), મુંબઈ-૯૨. ફોન : ૮૦૮૧૩૧૯.
Page #4
--------------------------------------------------------------------------
________________
अथ साधुसामग्र्यद्वात्रिंशिका प्रारभ्यते ।
પાંચમી બત્રીશીમાં શ્રી જિનપૂજાનું પ્રતિપાદન કરતાં દ્રવ્યપૂજાનું વર્ણન કર્યું. પરમાત્માની ભક્તિના એક અંગ સ્વરૂપે દ્રવ્યપૂજા કરતી વખતે તેનાથી સાધ્ય તરીકે ભાવપૂજા અભીષ્ટ હોય છે. તેથી અહીં ભાવપૂજાસ્વરૂપ સાધુસામગ્રનું વર્ણન કરાય છે. ભાવપૂજા (ભાવસ્તવ) સાધુની પૂર્ણતામાં છે. તેથી ભકિતના વર્ણન પછી હવે તેનું વર્ણન કરાય છે –
ज्ञानेन ज्ञानिभाव: स्याद् भिक्षुभावश्च भिक्षया । वैराग्येण विरक्तत्वं संयतस्य महात्मनः ॥६-१॥
શ્લોકાર્થ સ્પષ્ટ છે કે “સંયમી મહાત્માને જ્ઞાનથી જ્ઞાનીભાવ હોય છે, ભિક્ષાથી ભિક્ષુભાવ હોય છે અને વૈરાગ્યના કારણે વિરાગભાવ હોય છે. આશય એ છે કે સાધુપણાની સમગ્રતા ઘપિ અસખ્યાત પ્રકારની છે. પરંતુ તે સામર્થ્યનું અહીં ત્રણ પ્રકારે વર્ણન કરવાનું છે. જ્ઞાન, ભિક્ષા અને વૈરાગ્ય : આ ત્રણના કારણે પૂ. સાધુભગવંતોની સમગ્રતા અહીં વર્ણવાય છે. જ્ઞાન, ભિક્ષા અને વૈરાગ્યના કારણે સાધુભગવંતો ચારિત્રની પૂર્ણતાને પામવા સમર્થ બને છે. એક રીતે વિચારીએ તો જ્ઞાન, ભિક્ષા અને વૈરાગ્ય હોય તો બીજી એવી કોઈ વસ્તુ નથી કે જેને લઈને સાધુસમગ્રતામાં ન્યૂનતા જણાય અને જ્ઞાન, ભિક્ષા તેમ જ વૈરાગ્ય ન હોય તો એવી બીજી કોઈ વસ્તુ નથી કે જેને લઈને સાધુસમગ્રતા જણાય. તેથી જ્ઞાન, ભિક્ષા અને વૈરાગ્યની અપેક્ષાએ સાધુસમગ્રતાનું વર્ણન કરવાનું આ બત્રીશીથી ઉદ્દિષ્ટ છે. આમ પણ સાધુસામગ્રના અસંખ્ય પ્રકારોને વર્ણવવાનું
GEEIFIEDDIN DGET| BANSIDE) DINEEDINEEDEDGE file/d/0B/S૧e/N7c/
od/QBUS
Page #5
--------------------------------------------------------------------------
________________
અશક્ય જ છે. તેથી તે ભેદોને એક બીજામાં સમાવીને તેના કેટલાક ભેદોનું જ નિરૂપણ અહીં શક્ય બન્યું છે જેના પરિશીલનથી સાધુસમગ્રતાનો સારી રીતે પરિચય કરી શકાશે. II૬-૧ાા
- જ્ઞાન, ભિક્ષા અને વૈરાગ્ય : આ ત્રણની વિચારણામાં પ્રથમ જ્ઞાનનું નિરૂપણ કરાય છે –
विषयप्रतिभासाख्यं तथाऽऽत्मपरिणामवत् । तत्त्वसंवेदनं चेति त्रिधा ज्ञानं प्रकीर्तितम् ॥६-२॥
‘વિષયપ્રતિભાસ, આત્મપરિણતિમત્ અને તત્ત્વસંવેદન : આ પ્રમાણે ત્રણ પ્રકારે જ્ઞાન કહેવાયું છે. આ પ્રમાણે બીજા શ્લોકનો અર્થ છે. એનો આશય એ છે કે જે જ્ઞાનમાં માત્ર વિષયનો જ પ્રતિભાસ થાય છે તે જ્ઞાનને વિષયપ્રતિભાસ’ નામનું જ્ઞાન કહેવાય છે. સામાન્ય રીતે જ્ઞાનમાત્રમાં તે તે વિષયનો પ્રતિભાસ થતો હોય છે. પરંતુ તે તે વિષયોને શાસ્ત્ર જે રીતે હેય, ઉપાદેય અને ઉપેક્ષણીય વગેરે સ્વરૂપે વર્ણવેલા છે; તે રીતે તેના હેત્વ, ઉપાદેયત્વ અને ઉપેક્ષણીયત્વ વગેરે ધર્મોના સંબંધના પ્રતિભાસ વિના માત્ર વિષયનો જ પ્રતિભાસ જે જ્ઞાનમાં થાય છે, તે જ્ઞાનને વિષયપ્રતિભાસ' નામનું જ્ઞાન કહેવાય
છે.
આનાથી અર્થ-લાભ થશે અને આનાથી અનર્થ-ગેરલાભ થશે. ઈત્યાદિ સ્વરૂપનો પ્રતિભાસાત્મક આત્માનો પોતાનો જે પરિણામ છે, તે પરિણામવાળું જે જ્ઞાન છે તેને “આત્મપરિણતિમ જ્ઞાન કહેવાય છે. અનુષ્ઠાનવિશેષથી જે પ્રાપ્ત કરી શકાય છે તે પરિણતિવિશેષ સ્વરૂપ આત્માનો પરિણામ જેમાં છે એ જ્ઞાનને આત્મપરિણતિમ જ્ઞાન કહેવાય છે. આવી વ્યાખ્યા કરાય તો તેનો અર્થ એ થાય
G]S|D]EF\ EIFE DE
V EDEESEEDS BEED HOM/US/NONS
Page #6
--------------------------------------------------------------------------
________________
છે કે સમ્યત્વની પ્રાપ્તિથી પ્રયોજ્ય (નારી) વસ્તુની વિષયતાવાળા (વસ્તુના પ્રતિભાસવાળા) જ્ઞાનને આત્મપરિણતિમ જ્ઞાન કહેવાય છે. આશય એ છે કે આત્મપરિણતિમ જ્ઞાન વખતે વિષયના પ્રતિભાસની સાથે વિષયના હેત્વાદિ (છોડવાયોગ્ય વગેરે) ધર્મોનો પણ પ્રતિભાસ થાય છે. તેનાથી પ્રવૃત્તિ કે નિવૃત્તિનો પરિણામ થતો ન હોવા છતાં શ્રદ્ધાના પરિણામ તો વિદ્યમાન હોય છે, જે ધર્મશ્રવણાદિ અનુષ્ઠાનથી પ્રાપ્ત થાય છે અને નિવૃત્તિ કે પ્રવૃત્તિ દ્વારા ભવિષ્યમાં ચારિત્રસ્વરૂપે પરિણમાવાય છે. આ સ્વરૂપે વસ્તુને વિષય બનાવનારા આ જ્ઞાનને આત્મપરિણતિમદ્ જ્ઞાન કહેવાય છે. એ સમ્યકત્વની પ્રામિથી થાય છે. સ્થૂલ શબ્દોથી આ વાતને સમજવી હોય તો એટલું જ કહેવાનું છે કે સમ્યકત્વના લાભથી થતા હેયોપાદેયાદિના વિવેક્યુત જ્ઞાનને આત્મપરિણતિમ જ્ઞાન કહેવાય છે.
તત્વ એટલે પરમાર્થ તેનું સમ્યક પ્રવૃત્તિ વગેરેની સાથે વેદન જે જ્ઞાનમાં થાય છે તેને “તત્ત્વસંવેદન’ જ્ઞાન કહેવાય છે. આત્મપરિણતિમદ્ જ્ઞાનનું સ્વરૂપ સમજાય તો તત્ત્વસંવેદનજ્ઞાનનું સ્વરૂપ ખૂબ જ સ્પષ્ટપણે સમજી શકાશે. સમ્યત્વની પ્રાપ્તિ થવાથી શ્રદ્ધાના બળે જેમ હેયત્વાદિના વિવેકપૂર્વકનું જ્ઞાન થાય છે તેમ અહીં ચારિત્રના પરિણામના કારણે સર્વસાવયોગની નિવૃત્તિ અને નિરવદ્ય પ્રવૃત્તિ વગેરેથી ઉપહિત (સંબદ્ધ); વસ્તુના પરમાર્થનું જ્ઞાન થાય છે અથ શ્રદ્ધા અને કરવાના પરિણામથી ઉપહિત તત્ત્વનું સંવેદન આ જ્ઞાનમાં હોય છે.
સમ્યફ પ્રવૃજ્યાદિથી ઉપહિત એવું વિષયસંવેદન મિથ્યાજ્ઞાનસ્થળે પણ હોય છે. તેથી અહીં તત્ત્વ પદનો નિવેશ કર્યો છે.
GEISIT IN DIFFEDITEN D|DF\ TET EDITED fb/hom/NMMS/NON 3 fill br] BETWEOS
Page #7
--------------------------------------------------------------------------
________________
મિથ્યાજ્ઞાન તત્ત્વવિષયક ન હોવાથી તેનું ગ્રહણ નહિ થાય. આશય એ છે કે સ્વાવાદ શૈલીએ કથંચિ નિત્યાનિત્યસ્વાદિ અનંતધર્માત્મક વસ્તુ છે. વસ્તુના એક અંશને લઈને જ્યારે એકાંતે નિત્યતાદિનો તે તે વસ્તુમાં પ્રતિભાસ થાય છે ત્યારે નિત્યત્વાદિ ધર્મથી ઈતર અનિત્યત્વાદિ ધર્મનો નિષેધ થાય છે. આ રીતે ઈતરાંશના નિષેધ સાથેના(સમનિયત) સ્વજ્ઞાનના વિષયભૂત સ્વને તત્ત્વ મનાતું નથી. મિથ્યાજ્ઞાન એ રીતે તત્ત્વસંવેદનવાળું હોતું નથી પરંતુ ઈતરાંશનિષેધાવચ્છિન્ન(સમનિયત)વિષયના સંવેદનવાળું હોય છે. તેથી તત્ત્વ પદના નિવેશથી તેનું ગ્રહણ થતું નથી.. ઈત્યાદિ સ્વયં સમજી લેવું. અથવા ભણાવનાર પાસેથી બરાબર સમજી લેવું જોઈએ.
આવી જ રીતે સભ્ય પદનું ઉપાદાન ન કરે તો અવિરત સમ્યગ્દષ્ટિના જ્ઞાનને પણ તત્ત્વસંવેદનસ્વરૂપ માનવાનો પ્રસંગ આવશે. કારણ કે તેનું જ્ઞાન સ્યાદ્વાદમુદ્રાએ તાત્ત્વિક હોય છે અને પ્રવૃજ્યાદિથી ઉપહિત પણ હોય છે. પરંતુ તે સમ્યક પ્રવૃજ્યાદિથી ઉપહિત હોતું નથી. તેથી સભ્ય પદના ઉપાદાનથી; અવિરતસમ્યગ્દષ્ટિના જ્ઞાનનું ગ્રહણ નહિ થાય. અવિરતસમ્યગ્દષ્ટિ આત્માઓને સમ્યગ્દર્શન હોવાથી જ્ઞાન હોય છે. વિરતિ ન હોવાથી તેની અપેક્ષાએ અજ્ઞાન હોય છે. મિથ્યાત્વીઓને તો અજ્ઞાન જ હોય છે અને પૂ. સાધુભગવંતોને સમ્યગ્દર્શન અને વિરતિ હોવાથી જ્ઞાન જ હોય છે. આથી સમજી શકાશે કે મિથ્યાત્વીની પ્રવૃત્તિ અજ્ઞાન-પ્રયોજ્ય છે. અવિરત સમ્યગ્દષ્ટિની પ્રવૃત્તિ જ્ઞાન અને અજ્ઞાન પ્રયોજ્ય છે અને પૂ. સાધુભગવંતોની પ્રવૃત્તિ જ્ઞાનપ્રયોજ્ય છે અર્થાત્ પ્રતિભાસ ઉપર જણાવ્યા મુજબ ત્રણ પ્રકારના છે. મિથ્યાત્વીને થનાર પ્રતિભાસ,
' SિMSMSMSMSMSMS
DિEDDIDED DIEDGE MSOdc/GTB/Sil
Page #8
--------------------------------------------------------------------------
________________
અવિરતસમ્યગ્દષ્ટિને થનાર પ્રતિભાસ અને સર્વવિરતિધર મહાત્માને થનાર પ્રતિભાસ. એ ત્રણમાં અનુક્રમે અજ્ઞાનત્વ, જ્ઞાનાજ્ઞાનત્વ અને જ્ઞાનત્વ રહેલું છે. અને તે તે અજ્ઞાનત્વાદિથી પ્રયોજ્ય તે તે આત્માની પ્રવૃત્તિ છે. જ્ઞાન–પ્રયોજ્ય પ્રવૃજ્યાદિને સમ્યફ મનાય છે. જ્ઞાનાજ્ઞાનત્વાદિથી પ્રયોજ્ય પ્રવૃત્તિને સમ્યફ તરીકે મનાતી નથી. તેથી સર્ષ પદોપાદનથી અવિરતસમ્યગ્દષ્ટિના જ્ઞાનને તત્ત્વસંવેદન માનવાનો પ્રસંગ નહીં આવે.
યદ્યપિ આ રીતે પદના ઉપાદાનથી અવિરત સમ્યગ્દષ્ટિના જ્ઞાનની નિવૃત્તિ જેમ થાય છે તેમ મિથ્યાજ્ઞાનની નિવૃત્તિ પણ થઈ શકે છે. પરંતુ મુખ્ય પદથી જે અર્થ ગ્રાહ્ય છે તે અર્થનું પરિચાયક તર્વ પદ છે.... ઈત્યાદિ અધ્યાપક પાસેથી સમજી લેવું. ઉપર જણાવ્યા મુજબ ત્રણ પ્રકારનું જ્ઞાન કહેવાયું છે. શ્રી અટક પ્રકરણના નવમા અટકમાં તે કહ્યું છે કે-“વિષય પ્રતિભાસ, આત્મપરિણતિમ અને તત્ત્વસંવેદન : આ ત્રણ પ્રકારના જ્ઞાનને મહર્ષિઓએ કહ્યું છે.” I૬-રા
ઉપર્યુક્ત ત્રણ પ્રકારનાં જ્ઞાનમાંના પ્રથમ જ્ઞાનના સ્વરૂપાદિને જણાવાય છે –
आद्यं मिथ्यादृशां मुग्धरत्नादिप्रतिभासवत् । अज्ञानावरणापायाद् ग्राह्यत्वाद्यविनिश्चयम् ॥६-३॥
મતિ-અજ્ઞાનાદિઆવરણ સ્વરૂપ કર્મના અપાય-વિરામથી થનારું અને હેયસ્વાદિના નિશ્ચયને નહિ કરનારું એવું મુગ્ધ જીવોને રત્નાદિમાં થનારા પ્રતિભાસજેવું પહેલું ‘વિષયપ્રતિભાસ’ જ્ઞાન; મિથ્યાદૃષ્ટિઓને જ હોય છે આ પ્રમાણે ત્રીજા શ્લોકનો અર્થ છે.
FEDEDDED DIEND|D
Page #9
--------------------------------------------------------------------------
________________
એનો આશય એ છે કે મુગ્ધ, બાળકો વગેરેને રત્ન, વિષ કે કાંટા વગેરેનો જે પ્રતિભાસ થાય છે, તે સમયે તેમને હેય-ઉપાદેયનો જેમ વિવેક હોતો નથી તેમ અહીં મિથ્યાષ્ટિઓને પણ તે તે વિષયનો પ્રતિભાસ હેયોપાદેયતાના વિવેક વગરનો જ હોય છે. શ્રી અટકપ્રકરણમાં એ મુજબ જણાવ્યું છે.
આવું પણ વિવેકશૂન્ય જ્ઞાન તેમને અજ્ઞાનાવરણકર્મના ક્ષયોપશમથી પ્રાપ્ત થાય છે. સામાન્ય રીતે આત્માનો ગુણ જ્ઞાન જ છે. પરંતુ મિથ્યાત્વના ઉદયને લઈને તેને જ્ઞાન નથી માનતા પણ અજ્ઞાનરૂપ માને છે. તેના આવરણ સ્વરૂપ જ્ઞાનાવરણીય કર્મને પણ અજ્ઞાનાવરણીય કર્મ કહેવાય છે. એ અજ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી (મન્ટરસવાળાં દળિયાના ઉદયથી) આ વિષય પ્રતિભાસજ્ઞાન થતું હોય છે. જ્ઞાનીવU/પીવું... આ પદથી અટકપ્રકરણમાં એ પ્રમાણે જણાવ્યું છે.
મિથ્યાદૃષ્ટિઓને જ થનારું આ વિષય પ્રતિભાસજ્ઞાન; “તધેયત્વીદ્યવેદ્ર' આ પદથી શ્રી અષ્ટક પ્રકરણમાં જણાવ્યા મુજબ ઉપાદેયત્વ અને હેયત્વ વગેરેના નિર્ણયને કરાવતું નથી. યદ્યપિ મિથ્યાષ્ટિઓને પણ ઘટાદિના જ્ઞાનથી ઘટાદિની ગ્રાહ્યતા(ઉપાદેયતા)દિનો નિશ્ચય થાય છે પરંતુ સ્વવિષયતા જ્યાં જ્યાં છે ત્યાં ત્યાં ગ્રાહ્યતાદિનો નિર્ણય થતો નથી અર્થાત્ વિષયપ્રતિભાસજ્ઞાનમાત્રમાં ગ્રાહ્યતાદિનો નિર્ણય થતો નથી. કારણ કે સ્વસંવેદ્ય એવું વિષયપ્રતિભાસ જે જ્ઞાન છે તે સ્વયં અગ્રાહ્ય-હેય હોવા છતાં તેનો નિર્ણય તેનાથી (વિષયપ્રતિભાસજ્ઞાનથી) થતો નથી. કોઈ એક વિષયપ્રતિભાસજ્ઞાનથી તેવો નિર્ણય થાય તો પણ તેની વિવક્ષા કરાતી નથી. સકલ વિષયપ્રતિભાસજ્ઞાનથી ગ્રાહ્યતાદિનો નિર્ણય થતો નથી: આ વસ્તુને જણાવવા શ્લોકનું છેલ્લું પદ છે. IIક-શા
EDID
]D]|DF\E
SEEDEDGEI EID SED
Page #10
--------------------------------------------------------------------------
________________
આત્મપરિણતિમદ્ જ્ઞાનનું સ્વરૂપ વગેરે જણાવાય છે - भिन्नग्रन्थे द्वितीयन्तु ज्ञानावरणभेदजम् ।
श्रद्धावत् प्रतिबन्धेऽपि कर्मणा सुखदुःखयुक् ॥६-४॥ “જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન થયેલું; પ્રતિબન્ધ (અવરોધ) હોવા છતાં શ્રદ્ધાવાળું અને પૂર્વકર્મના યોગે સુખદુ:ખથી યુક્ત એવું બીજું આત્મપરિણતિમદ્ જ્ઞાન સમ્યદૃષ્ટિ આત્માઓને હોય છે.'' આ પ્રમાણે ચોથા શ્લોકનો અર્થ છે. એનો આશય એ છે કે; રાગ-દ્વેષની તીવ્ર પરિણતિ સ્વરૂપ ગ્રન્થિનો ભેદ જેણે કરી લીધો છે-એવા ભિન્નગ્રન્થિક સમ્યગ્દષ્ટિ આત્માઓને બીજું આત્મપરિણતિમદ્ જ્ઞાન હોય છે, જે જ્ઞાનાવરણીયકર્મના ભેદથી (ક્ષયોપશમથી) થતું હોય છે. એ પ્રમાણે અટકપ્રકરણમાં જણાવ્યું છે કે એ આત્મપરિણતિમજ્ઞાન; જ્ઞાનાવરણીયકર્મના હ્રાસ(ક્ષયોપશમ)થી ઉત્પન્ન થાય છે. એ જ્ઞાન શ્રદ્ધાવાળું હોય છે. વસ્તુના ગુણ અને દોષના પરિજ્ઞાનપૂર્વકની ચારિત્ર ગ્રહણ કરવાની ઈચ્છાને શ્રદ્ધા કહેવાય છે. સમ્યગ્દષ્ટિ આત્માને સંસારની અસારતાનું અને મોક્ષની પરમાર્થતાનું જ્ઞાન હોવાથી સંસારથી મુક્ત બની મોક્ષને પ્રાપ્ત કરવા માટે એકમાત્ર ચારિત્ર ગ્રહણ કરવાની ઈચ્છા હોય-એ સમજી શકાય છે. એવી ઈચ્છાસ્વરૂપ જ અહીં શ્રદ્ધા છે. એ શ્રદ્ધાથી પૂર્ણ એવું બીજું જ્ઞાન છે. ચારિત્રમોહનીયકર્મના ઉદયથી ચારિત્ર ગ્રહણ કરવામાં અન્તરાય (પ્રતિબન્ધ-વિઘ્ન) હોવા છતાં સમ્યગ્દર્શનના પ્રભાવે ચારિત્રની ઈચ્છાસ્વરૂપ શ્રદ્ધા હોવામાં કોઈ જ બાધ નથી. પૂર્વકાળમાં બાંધેલા કર્મના કારણે આત્મપરિણતિમદ્ જ્ઞાન
{IFIED
VOLAR ADVARVARD
Page #11
--------------------------------------------------------------------------
________________
સુખદુઃખથી સમ્બધ હોય છે. શ્રી અષ્ટપ્રકરણમાં આ અંગે જણાવ્યું છે કે “નીચે પડવા વગેરેમાં પરતત્વ એવા માણસને તેના સંબન્ધમાં દોષ અને ગુણનો નિર્ણય હોવા છતાં જેમ પડવા વગેરેનું બને છે તેમ સમ્યગ્દષ્ટિ આત્માને વિષયકષાયાદિની પરિણતિ અને તેના વિપાક વગેરેનું સંશય વિનાનું નિર્ણયાત્મક જ્ઞાન હોવા છતાં પૂર્વબદ્ધ કર્મની પરવશતાથી અનર્ધાદિની પ્રાપ્તિથી યુક્ત એવું એ જ્ઞાન આત્મપરિણતિમદ્ મનાય છે. અહીં શ્લોકમાં સુષ પદ અને પદ અનુક્રમે અર્થ અને અનર્થને સમજાવનારાં છે. કહેવાનો આશય એ છે કે જે કોઈ પણ માણસ પડવા વગેરેમાં પરવશ હોય ત્યારે ત્યારે તે તે ક્રિયાથી કોઈ પણ રીતે તે અટકી શકતો નથી. પડવા વગેરેના કારણે શું થવાનું છે તેનો તેને ચોકકસ જ નિર્ણય હોય છે. તેમાં તેને સંશય, વિપર્યય કે અનધ્યવસાય જેવું કશું જ હોતું નથી. છતાં પરંતન્નતાના કારણે દુઃખાદિની પ્રાપ્તિ થઈને જ રહે છે. બસ ! આવું જ અહીં સમ્યગ્દષ્ટિ આત્માઓ માટે બને છે. તેમને સંસારની અસારતાનો અને વિષયકષાયાદિની ભયંકરતાનો ચોક્કસ જ ખ્યાલ હોવાથી એક ક્ષણ માટે પણ તેમને સંસારમાં રહેવાનું મન નહિ હોવા છતાં ભૂતકાળનાં કર્મોની પરતત્રતાદિના કારણે અનર્યાદિને પ્રાપ્ત કરવા જ પડે છે. આમ છતાં તેમની શ્રદ્ધા અને જ્ઞાનની પરિણતિમાં કોઈ જ ફરક પડતો નથી. કર્મની પરત–તાનો જેને અનુભવ છે, તેને એ સમજાવવાની આવશ્યક્તા નથી. રોજિંદા વ્યવહારમાં કંઇકેટલીય એવી પ્રવૃત્તિઓ છે કે જે પરતન્નતાથી થતી હોય છે. તેથી સમ્યગ્દષ્ટિ આત્માઓને જે કાંઈ પણ કરવું પડે છે તે પ્રાય: કર્મપરવશતાથી કરવું પડે છે... ઈત્યાદિ ઉપયોગપૂર્વક વિચારવું જોઈએ. //૬ -જા
DિFDF\ SFDF\DDEDIT
, EDUTDF\ EIDI DID
SUCCUMSTICS
Page #12
--------------------------------------------------------------------------
________________
ત્રીજા તત્ત્વસંવેદન’ જ્ઞાનનું સ્વરૂપ વગેરે જણાવાય છેस्वस्थवृत्तेस्तृतीयन्तु सज्ज्ञानावरणव्ययात् । साधोर्विरत्यवच्छिन्नमविघ्नेन फलप्रदम् ॥६-५॥
“અનાકુલવૃત્તિવાળા સાધુમહાત્માને સાનાવરણીયકર્મના વ્યયથી (ક્ષયોપશમથી) પ્રગટ થતું વિરતિથી યુક્ત અને વિના વિને ફળને આપનારું ત્રીજું ‘તત્ત્વસંવેદન’ જ્ઞાન હોય છે.”-આ પ્રમાણે પાંચમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય સ્પષ્ટ છે કે મન, વચન અને કાયાની પ્રવૃત્તિ, અનાકુલ છે જેમની એવા સાધુભગવન્તને આ ત્રીજું તત્ત્વસંવેદનજ્ઞાન હોય છે. ગૃહસ્થોની પ્રવૃત્તિ સ્વસ્થ નથી હોતી. અનેક જાતની ઉપાધિથી ગૃહસ્થોને સ્વસ્થ રહેવાનું શક્ય બનતું નથી. તેથી તેમને તત્ત્વસંવેદન હોતું નથી. કારણ કે એ જ્ઞાન વિરતિથી યુક્ત હોય છે. સન્ની પ્રવૃત્તિ અને અસહ્ની નિવૃત્તિ સ્વરૂપ વિરતિ પૂ. સાધુભગવન્તોને જ હોય છે. ગૃહસ્થોને એનો સંભવ નથી. વિના વિને ફળનું પ્રદાન તત્ત્વસંવેદનજ્ઞાન કરે છે. આ વાત નવમા અષ્ટકમાં જણાવતાં કહ્યું છે કે “સ્વસ્થવૃત્તિવાળા પ્રશાન્ત અવસ્થાને પામેલા સાધુમહાત્માને હેત્વાદિ ધર્મોનો નિશ્ચય કરાવનારું અને શક્તિ અનુસાર સારી રીતે વિરતિ આદિ ફળને આપનારું જે જ્ઞાન છે, તે તત્ત્વસંવેદન છે.'
આ સર્વવિરતિફળને આપનારું તત્ત્વસંવેદનાત્મક જ્ઞાન સજ્ઞાનાવરણીયકર્મના વ્યયના કારણે પ્રગટ થાય છે. વિરતિ વગેરે
સ્વરૂપ ફળને આપનારું જ્ઞાન સજ્ઞાન છે. તે તેના આવરણભૂત કર્મના ક્ષયોપશમથી પ્રગટ થાય એ સ્પષ્ટ છે. ત્રણ જ્ઞાનના નિરૂપણમાં મતિજ્ઞાનાદિની અવસ્થા ત્રણનો વિભાગ યાદ રાખવો જોઈએ. જે જ્ઞાન
f] FEBDUDDIN
D
EENDEDIDEDITED
Page #13
--------------------------------------------------------------------------
________________
વિષયપ્રતિભાસ સ્વરૂપ છે તે અજ્ઞાન છે. જે જ્ઞાન આત્મપરિણતિમ છે તે જ્ઞાન છે અને જે જ્ઞાન તત્ત્વસંવેદનસ્વરૂપ છે, તે સજ્ઞાન છે, જે સજ્ઞાનાવરણના અપાય(અપગમયોપશમ)થી પ્રાદુર્ભત થાય છે-એમ અટક પ્રકરણના નવમા અટકમાં જણાવ્યું છે. -પા
ઉપર જણાવેલાં ત્રણ જ્ઞાનોનાં લિો જણાવાય છે - निष्कम्पा च सकम्पा च प्रवृत्तिः पापकर्मणि । निरवद्या च सेत्याहु लिङ्गान्यत्र यथाक्रमम् ॥६-६॥
“પાપકાર્યને વિશે દૃઢ પ્રવૃત્તિ અને અદૃઢ પ્રવૃત્તિ તેમ જ નિરવધ પ્રવૃત્તિ આ અનુમે વિષયપ્રતિભાસ, આત્મપરિણતિમ અને તત્ત્વસંવેદન જ્ઞાનનાં લિડ્યો છે' - આ પ્રમાણે છઠ્ઠા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે મિથ્યાત્વગુણસ્થાનકે વિષયપ્રતિભાસ જ્ઞાન વખતે પાપના વિષયમાં નિષ્કર્મી પ્રવૃત્તિ હોય છે. પાપ કરતી વખતે સહેજ પણ કંપ-દયાદિનો પરિણામ હોતો નથી. શ્રી વીતરાગપરમાત્માની (દેવની) આજ્ઞા શું છે? ગુરુજનો શું કહે છે? આનું પરિણામ ક્યું આવશે? પરલોકાદિમાં આથી શું થશે ?....વગેરે પ્રકારની વિચારણાથી શૂન્ય એવી નિરપેક્ષપણે ઢતાથી પાપપ્રવૃત્તિ થતી હોય ત્યારે ત્યાં વિષયપ્રતિભાસજ્ઞાનનો આવિર્ભાવ સમજવો.
આત્મપરિણતિમ જ્ઞાન વખતે પાપની પ્રવૃત્તિ કંપવાળી હોય છે. શ્રી વીતરાગપરમાત્માની આજ્ઞા વગેરેની વિચારણાના કારણે સાપેક્ષપણે શિથિલ (અદૃઢ) પ્રવૃત્તિ બને છે. સમ્યગ્દર્શનના પ્રભાવે પાપની પ્રવૃત્તિમાં પણ પાપનો બન્ધ અલ્પ (નહિવત) થાય છે અને સ અનુબન્ધ પડે છે. આવા સ્થાને આત્મપરિણતિમ જ્ઞાનનો આવિર્ભાવ સમજવો.
‘તત્ત્વસંવેદન’ જ્ઞાન તો વિરતિથી યુક્ત હોવાથી નિરવદ્ય
GિDDDDDDD;\ OfdSiddD]SS
JUDGDF\ BFDF\ EIFEND / / / / / / / //
Page #14
--------------------------------------------------------------------------
________________
પ્રવૃત્તિ જ ત્યાં હોય છે. પાપની પ્રવૃત્તિ હોતી જ નથી. મોક્ષમાર્ગની શુદ્ધ (અતિચારરહિત) આરાધના અને ભવમાર્ગની અનારાધનાથી જણાતું તત્ત્વસંવેદનશાન છે. શ્રી વીતરાગપરમાત્માએ ઉપદેશેલા સર્વવિરતિધર્મનો જેમને પરિચય છે, તેઓ નિરવદ્યપ્રવૃત્તિ અને સાવધની નિવૃત્તિને સારી રીતે સમજી શકે છે. આવા સ્થળે જ તત્ત્વસંવેદનજ્ઞાનનો પ્રાદુર્ભાવ હોય છે. બીજે એનો સંભવ નથી. શ્રી અટકપ્રકરણમાં આ વાતને જણાવતાં ફરમાવ્યું છે કે 'નિરપેક્ષ પ્રવૃત્તિ વગેરે જેનું લિંગ છે, તે વિષયપ્રતિભાસજ્ઞાન છે. તેવા પ્રકારની સલેશથી રહિત પ્રવૃત્તિ વગેરે જેનું લિગ્ન છે, તે આત્મપરિણતિમદ્ જ્ઞાન છે અને ન્યાધ્યમોક્ષમાર્ગાદિને વિશે શુદ્ધ વૃત્તિ વગેરેથી જણાતું તત્ત્વસંવેદનશાન છે.'...૬-૬
ઉપર જણાવેલાં નિષ્કર્મી-પાપપ્રવૃત્તિ વગેરે લિોનો ક્યાં ઉપયોગ છે-આવી શંકાનું સમાધાન કરાય છે -
जातिभेदानुमानाय व्यक्तिनां वेदनात् स्वतः । तेन कर्मान्तरात् कार्यभेदेऽप्येतद् भिदाऽक्षता ॥६-७॥
અજ્ઞાન, જ્ઞાન અને સજ્ઞાન : આ ત્રણનું જ્ઞાન તેના લિગ્રાદિની અપેક્ષા વિના જ થતું હોવાથી એ ત્રણની અંદર રહેલી અજ્ઞાનત્વ, જ્ઞાનત્વ અને સજ્ઞાનત્ય સ્વરૂપ જે જાતિવિશેષ છે, તેના અનુમાન માટે ઉપર જણાવેલાં લિગો છે. તેથી ર્માન્તરને લઈને કાર્યભેદ(વિશેષ)ની સિદ્ધિ થવા છતાં અજ્ઞાનાદિનો ભેદ અક્ષત જ છે.”- આ પ્રમાણે સાતમા શ્લોકનો અર્થ છે.
કહેવાનું તાત્પર્ય એ છે કે સામાન્યથી પ્રવૃત્તિમાત્રની પ્રત્યે જ્ઞાન કારણ હોવાથી ઉપર જણાવેલાં અજ્ઞાનાદિસ્થળે જ્ઞાન સામાન્ય તે
//d/g/bg/bgB/S૧૧GSQSQSQSQSQSQSQS
Page #15
--------------------------------------------------------------------------
________________
સિદ્ધ જ હોવાથી અજ્ઞાનાદિ જ્ઞાનસામાન્ય સ્વરૂપે જ્ઞાત છે.પરન્તુ નિષ્કપાપપ્રવૃત્તિ, સકમ્પપાપપ્રવૃત્તિ અને નિરવધ પ્રવૃત્તિ વિશેષના કારણ સ્વરૂપ જ્ઞાનમાં જે અજ્ઞાનત્વ, જ્ઞાનત્વ અને સદ્નાનત્વ સ્વરૂપ ધર્મવિશેષ છે તેના જ્ઞાન માટે તે તે પ્રવૃત્તિ વગેરે સ્વરૂપ લિગોની ઉપયોગિતા છે. અજ્ઞાનાદિ સ્વરૂપ જ્ઞાનમાં કોઈ પણ જાતિવિશેષ ન હોય તો તે પ્રવૃત્તિવિશેષ(નિષ્કપ પાપપ્રવૃત્તિવિશેષાદિ)નું કારણ નહિ બને. એ પ્રવૃત્તિવિશેષના જનક (કારણ) તરીકે જ્ઞાનવિશેષને જે ધર્મના લીધે મનાય છે, તે તે અજ્ઞાનત્વ વગેરે ધર્મો અહીં જનકતાવચ્છેદક તરીકે મનાય છે. અજ્ઞાનાદિમાં રહેલી જનકતાના અવચ્છેદક તરીકે અજ્ઞાનત્વ વગેરેને મનાય છે. તેનું અનુમાન કરવા માટે નિષ્કમ્પપાપપ્રવૃત્તિ વગેરે લિગો ઉપયોગી બને છે. [નિમ્પपापप्रवृत्तिनिष्ठजन्यतानिरूपितजनकता ( अज्ञाननिष्ठ - जनकता); વ્હિન્નિધાંચ્છિન્ના બનતાવાત્...આ અનુમાનથી અજ્ઞાનત્વ સિદ્ધ થાય છે. આવી જ રીતે તે તે અનુમાનથી જ્ઞાનત્વાદિ પણ સિદ્ધ થાય છે.] આથી સમજી શકાશે કે જ્ઞાનસામાન્યથી પ્રવૃત્તિસામાન્ય જન્ય હોવા છતાં પ્રવૃત્તિવિશેષ તો જ્ઞાનવિશેષથી જ જન્ય છે. જેને લઈને જ્ઞાનમાં વિશેષતા મનાય છે તે અજ્ઞાનત્વ વગેરે ધર્મો છે અને તેના અનુમાપક નિષ્કપાપપ્રવૃત્તિ વગેરે લિગો છે.
યદ્યપિ પ્રવૃત્તિસામાન્યની પ્રત્યે જ્ઞાનસામાન્ય કારણ હોવા છતાં મિથ્યાત્વમોહનીયકર્મના ઉદય વગેરેના કારણે જ્ઞાનસામાન્યથી પણ પ્રવૃત્તિવિશેષ થઈ શકે છે. તેથી જ્ઞાનમાં અજ્ઞાનત્વાદિસ્વરૂપ વિશેષ માનવાની આવશ્યકતા નથી. પરન્તુ આ રીતે મિથ્યાત્વમોહનીય
TO BE' Stud
૧૨
DO
ED
GPSC/GP/
Page #16
--------------------------------------------------------------------------
________________
કે ચારિત્રમોહનીય કર્મના ઉદયની કે ક્ષયોપશમની અવસ્થામાં અવસ્થિત કર્માન્તરથી સાવધ કે નિરવધ પ્રવૃત્તિ સ્વરૂપ કાર્યવિશેષની ઉત્પત્તિ થવા છતાં અજ્ઞાનાદિવિશેષ સિદ્ધ જ છે. કારણ કે પ્રવૃત્તિસામાન્યની પ્રત્યે જ્ઞાનસામાન્ય કારણ હોવાથી જ્ઞાનની વિચિત્રતા(વિશેષતા)થી જ પ્રવૃત્તિમાં વૈચિત્ર્ય સિદ્ધ થશે. તેથી પ્રવૃત્તિની વિશેષતાના કારણે અજ્ઞાનાદિવિશેષ અક્ષત છે.
યદ્યપિ અજ્ઞાનાદિની કોઈ વિશેષતા નથી. જ્ઞાન સામાન્ય એક હોવા છતાં ચારિત્રમોહનીયાદિ કર્મના ઉદય વગેરેના કારણે નિરવદ્ય પ્રવૃત્તિ વગેરે સ્વરૂપ વિશેષ પ્રવૃત્તિ થતી નથી અર્ધા જ્ઞાન સામાન્યથી જ થનારી તે તે પ્રવૃત્તિની પ્રત્યે કર્માન્તર પ્રતિબન્ધક બને છે. તેથી જ્ઞાનવિશેષ માનવાની આવશ્યકતા નથી; પરન્તુ કાર્યના કારણની વિશેષતાનો નાશ ન કરે તો કર્માન્તરને પ્રતિબન્ધક માનવાનું પણ શક્ય નથી. એ પ્રતિબન્ધત્વના નિર્વાહ માટે પણ અજ્ઞાનાદિવિશેષ માન્યા વિના ચાલે એવું નથી.
વસ્તુત: કાર્યનો સ્વભાવવિશેષ માને તો કારણનો સ્વભાવવિશેષ પણ તેના પ્રયોજક તરીકે માનવો જ જોઈએ. અન્યથા એ પ્રમાણે ન માને તો હેવન્તરનું સમવધાન પણ કશું જ નહીં કરે. આશય એ છે કે એક જ કારણ કારણાન્તરના સમવધાનમાં ભિન્ન ભિન્ન સ્વભાવે તે તે કાર્યની પ્રત્યે કારણ બને છે. કારણનો સ્વભાવ એક જ હોય છે કારણાન્તરના સમવધાનમાં પણ તે બીજું કાર્ય નહીં કરે... ઈત્યાદિ અન્યત્ર વિચિત છે. જિજ્ઞાસુઓએ અધ્યાપક પાસેથી સમજી લેવું જોઈએ. પ્રકૃતાર્યાનુકૂલ કારણવિઘટકને પ્રતિબન્ધક ન માને અને કારણભૂત અભાવ જેનો (કર્માન્તરનો) છે તેને પ્રતિબન્ધક
DિDDDDDDED પd SMSEL
DEDDDDDDDD / / / / / // / /
Page #17
--------------------------------------------------------------------------
________________
માને તો ઉપર જણાવ્યા મુજબ અજ્ઞાનાદિવિશેષ માનવાની આવશ્યકતા નથી - આ પ્રમાણેના થનનું નિરાકરણ કરવા વસ્તુત: ...ઈત્યાદિ 2-4 $9. 118-1911
ઉપર જણાવેલાં ત્રણ જ્ઞાનમાંથી જે જ્ઞાનના કારણે સાધુની સમગ્રતા થાય છે તે જણાવાય છે –
योगादेवान्त्यबोधस्य साधुः सामग्र्यमश्नुते । अन्यथाकर्षगामी स्यात् पतितो वा न संशयः ॥ ६-८ ॥
શ્લોકાર્થ સ્પષ્ટ છે. કહેવાનો આશય એ છે કે વિષયપ્રતિભાસાદિ ત્રણ પ્રકારનાં જ્ઞાનમાં જે છેલ્લું તત્ત્વસંવેદનસ્વરૂપ જ્ઞાન છે; તેના સંસ્કાર સ્વરૂપ સંબન્ધથી જ સાધુમહાત્મા પૂર્ણતાને પ્રાપ્ત કરે છે. અન્યથા તત્ત્વજ્ઞાનના સંસ્કાર ન હોય પરન્તુ યોગશિક્તની અનુવૃત્તિ (ફરીથી યોગને પ્રાપ્ત કરવાની યોગ્યતા સ્વરૂપ શક્તિ જળવાઈ હોય) વિદ્યમાન હોય તો સાધુ આકર્ષને પ્રાપ્ત કરે છે. અર્થાત્ શકા, કાંક્ષા વગેરે અતિચારોના કારણે પૂર્ણતા પામે અને ગુમાવે, પામે અને ગુઢ્ઢાવે આવું થયા જ કરે. યોગશક્તિની અનુવર્તના ચાલતી ન હોય તો સાધુનું અવશ્ય પતન જ થાય છે, એમાં કોઈ જ સંદેહ નથી. આવા પ્રસંગે બાહ્યસાધુવેષાદિ લિઙ્ગ પૂર્ણતાનું કારણ બનતું નથી. યોગ્યતા પડી હોય તો કોઈ વાર બાલિગો ઉપકારક બને. પરન્તુ તેવા પ્રકારની યોગ્યતા જ ન હોય તો બાલિગો કોઈ પણ રીતે ઉપયોગી બનતાં નથી.
આથી સમજી શકાશે કે તત્ત્વસંવેદન જ પૂ. સાધુમહાત્માની પૂર્ણતામાં કારણ છે. વિષયપ્રતિભાસ અને આત્મપરિણતિમદ્ જ્ઞાન પૂર્ણતાનાં કારણ નથી. આ રીતે પૂ. સાધુભગવન્તોની સમગ્રતાના અફ્ળભૂત જ્ઞાનનું નિરૂપણ પૂર્ણ થયું. ॥૬-૮॥
૧૪
DEEPE
00
Page #18
--------------------------------------------------------------------------
________________
હવે ક્રમપ્રાપ્ત ભિક્ષાનું વર્ણન કરાય છે - त्रिधा भिक्षापि तत्राद्या सर्वसम्पत्करी मता । द्वितीया पौरुषघ्नी स्याद् वृत्तिभिक्षा तथान्तिमा ॥६-९॥
જ્ઞાનની જેમ ભિક્ષા પણ ત્રણ પ્રકારની છે. એમાં ‘સર્વસમ્પત્કરી’ ભિક્ષા પહેલી છે. બીજી ભિક્ષા પૌરુષની છે અને છેલ્લી ત્રીજી ભિક્ષા વૃત્તિભિક્ષા છે.”- આ પ્રમાણે નવમા શ્લોકનો અર્થ સ્પષ્ટ છે. આ લોકસંબધી સંપત્તિથી માંડીને મોક્ષ સુધીની સર્વ સંપત્તિને કરવાના સ્વભાવવાળી ભિક્ષાને સર્વસમ્પત્કરી ભિક્ષા કહેવાય છે. ધર્મ અને મોક્ષ સ્વરૂપે પુરુષાર્થને હણનારી ભિક્ષાને પૌરુષની ભિક્ષા કહેવાય છે. અને આજીવિકા ચલાવવા માટેની ભિક્ષાને વૃત્તિભિક્ષા કહેવાય છે. યાખ્યા(યાચના)વિશેષ સ્વરૂપ ભિક્ષા છે. આ ત્રણ પ્રકારની ભિક્ષામાંની સર્વસમ્પત્કરી ભિક્ષા જ આત્માને ગુણસમૃદ્ધ જ નહિ ગુણથી પૂર્ણ બનાવનારી છે. છેલ્લી બે ભિક્ષા આત્માને ગુણથી દરિદ્ર બનાવે છે. I૬-૯
પ્રથમ સર્વસંપન્કરી ભિક્ષાનું નિરૂપણ કરાય છે – सदानारम्भहेतु र्या सा भिक्षा प्रथमा स्मृता । एकबाले द्रव्यमुनौ सदाऽनारम्भिता तु न ॥६-१०॥
સદા અમારંભનું જે કારણ બને છે તે ભિક્ષાને પ્રથમસર્વસમ્પત્કરી ભિક્ષા કહેવાય છે. એક રીતે બાલ એવા દ્રવ્યમુનિમાં સદા અનારશ્મિતા (અનારંભ) હોતી નથી.”- આ પ્રમાણે દશમાં શ્લોકનો અક્ષરાર્થ છે.”
કહેવાનો આશય એ છે કે સદા અમારંભના કારણભૂત ભિક્ષાને સર્વસમ્પત્કરી ભિક્ષા કહેવાય છે. હણવું, રાંધવું અને ખરીદવું...વગેરેને
DDDDDDDED
Page #19
--------------------------------------------------------------------------
________________
આરંભ કહેવાય છે. તેના અભાવને અનારંભ કહેવાય છે. જે ભિક્ષા ગ્રહણ કરતી વખતે ભિક્ષાપ્રદાતા ગૃહસ્થ ભિક્ષા ગ્રહણ કરનાર માટે એવો આરંભ ક્ય ન હોય તે ભિક્ષાને ગ્રહણ કરવાથી આરંભનો પરિહાર થાય છે. પોતાના શરીરને સંયમપાલનાદિ માટે, એ રીતે ભિક્ષા-ગ્રહણ દ્વારા ધારણ કરવાનું શક્ય બને છે. તેથી સદા અમારંભનું કારણ ભિક્ષા બને છે. સામાયિક કે પૌષધાદિ અવસ્થામાં ક્વચિ આરંભનો પરિહાર કરનારા ગૃહસ્થો પણ હોવાથી તેમની ભિક્ષાનો વ્યવચ્છેદ કરવા માટે અહીં સા પદનું ગ્રહણ છે. સદાનારંભિતા પૂ. સાધુભગવન્તોમાં છે, ગૃહસ્થોમાં નથી. ભિક્ષાથી જ સદાનારર્ભિત્વ સદ્ગત બને છે. અન્યથા ભિક્ષા ગ્રહણ કરવામાં આવે નહિ તો આરંભ ક્ય વિના ચાલે એવું ન હોવાથી આરશ્મિત્વનો જ પ્રસંગ આવશે. આ રીતે આરંભના પરિહાર વડે ભિક્ષા ગ્રહણ કરાય છે તેથી તેમાં (ભિક્ષામાં) સદાકારશ્મની હેતુતા સ્પષ્ટ છે.
અથવા “મોક્ષની સાધનામાં કારણભૂત એવા સાધુના શરીરની ધારણા માટે શ્રી જિનેશ્વરદેવોએ અહો અસાવદ્ય એવી ભિક્ષા સાધુભગવન્તોને ઉપદેશી છે.'... ઈત્યાદિ રીતે સદાઅનારંભ સ્વરૂપ ગુણના અનુસ્મરણથી જણાતા પરિણામવિશેષથી થયેલી યતના વડે સદાઅનારંભની હેતુ; ભિક્ષા બને છે. આવી યતના ન હોય તો ખરેખર જ એ ભિક્ષા સર્વસમ્પત્કરી નહિ બને. યતનાપૂર્વક ગ્રહણ કરાયેલી એ ભિક્ષા સદાનારંભના પરિણામને સુરક્ષિત રાખે છે. અન્યથા પરિણામની નિર્ધસતાને લઈને પૌરુષની ભિક્ષા થશે.
તાદૃશ ભિક્ષાથી સાધ્ય એવી સદાનારંભિતા એક રીતે બાલ અને દ્રવ્યમુનિ સ્વરૂપ સંવિપાક્ષિકોમાં મનાતી નથી. તેમનામાં
GિDDDDDDDD SONGS DGSSONGS
DEEDEDED]D]\ SONGSOGOOGS
Page #20
--------------------------------------------------------------------------
________________
૪
આચારહીનતા હોવાથી એક પ્રકારની બાલતા છે. પરન્તુ પ્રરૂપણાની દૃષ્ટિએ હીનતા ન હોવાથી બીજી બાલતા નથી. તેમ જ ભવિષ્યમાં તેઓને (ભાવસાધુપણાની પ્રાપ્તિ થવાની હોવાથી) ભાવના કારણભૂત દ્રવ્યમુનિપણું હોવાથી તેઓ દ્રવ્યમુનિ છે. જેમ એક બાલ એવા દ્રવ્યમુનિસ્વરૂપ સંવિગ્નપાક્ષિક આત્માઓને સદાઅનારંભિતાનો નિષેધ છે તેમ અગિયારમી પ્રતિમાને વહન કરનાર શ્રાવકને પણ પ્રતિમાકાળ દરમ્યાન અનારંભત્વ હોવાથી સદાનારંભકત્વનો નિષેધ છે : એ ઉપલક્ષણથી સમજવું.
આ રીતે શ્રાવકને સદાઅનારમ્ભિતા ન હોય તો તેની ભિક્ષાને કેવી માનવી : આવી શંકાના સમાધાન માટે જો એમ કહી દેવાય કે સર્વસમ્પત્કરીકલ્પ (સર્વસમ્પત્કરીજેવી) એ ભિક્ષા છે તો તેથી નિસ્તાર નહિ થાય. કારણ કે એ રીતે ઉપચારથી સર્વસમ્મત્ઝરી ભિક્ષાનો વ્યવહાર સગત થાય તોપણ એ પૌરુષઘ્નીભિક્ષા નથી અને વૃત્તિભિક્ષા નથી : આવો વ્યવહાર ઉપપન્ન થતો નથી. આથી સમજી શકાશે કે શ્રાવકને કેવી ભિક્ષા માનવી : આ શક્કાના સમાધાન માટે નીચે જણાવ્યા મુજબ માનવું જોઈએ.
શ્રી અષ્ટપ્રકરણમાં જણાવ્યું છે કે ધ્યાનાદિથી યુક્ત, ગુર્વાજ્ઞામાં વ્યવસ્થિત અને સદા અનારંભી જે સાધુ છે તેને સર્વસંપત્કરી ભિક્ષા હોય છે. અહીં થોડો વિચાર કરીએ તો સમજાશે કે શ્રી જિનકલ્પિકાદિ મહાત્માઓની ભિક્ષા સર્વસંપત્ઝરી હોય છે. બાહ્યદૃષ્ટિએ ગુર્વાજ્ઞામાં વ્યવસ્થિત ન હોવા છતાં ફળને આશ્રયીને તેઓશ્રી ગુર્વાજ્ઞામાં વ્યવસ્થિત જ છે તેથી પૂજ્યપાદ આ.ભ.શ્રી. હરિભદ્રસૂ. મહારાજાએ સદા અનારસ્જિત્વ અને ગુર્વાજ્ઞાવ્યવસ્થિતત્વનું જે ઉપાદાન કર્યું છે તે
જ
DDD CLAR
CEL ૧૭
CITED
םםם
Page #21
--------------------------------------------------------------------------
________________
સમ્ભવાભિપ્રાયથી કર્યું છે. તેથી બાહ્યદૃષ્ટિએ ગુર્વાશામાં વ્યવસ્થિત ન હોવા છતાં, ગુર્વાશામાં વ્યવસ્થિતત્વનું જે ફળ છે તે મળતું હોય તો તેની અપેક્ષાએ ત્યાં ગુર્વાશાવ્યવસ્થિતત્વ જેમ મનાય છે તેમ સદાઅનામ્બિન્ધ ન હોવા છતાં તેનું ફળ મળી જતું હોવાથી પ્રતિમાપન શ્રાવકને તેની અપેક્ષાએ સદાનારંભિત્વ માનવામાં આવે છે. તેથી પ્રતિમાધારી શ્રાવકની ભિક્ષા પણ સર્વસત્કરી છે. આ રીતે ફળને આશ્રયીને સંભવાભિપ્રાયે નિશ્મિત્વ વગેરેનો નિવેશ ન માનીએ તો સર્વસત્કરી ભિક્ષાનું લક્ષણ તેનું અનુગમક નહીં બને. કારણ કે સાધુની ભિક્ષાને તે સ્વરૂપે તે જણાવશે પરંતુ શ્રાવકની ભિક્ષાને તે સ્વરૂપે તે જણાવશે નહિ. લક્ષણ લક્ષ્યના અનુગમ માટે છે. તેથી લક્ષણથી અનનગમની આપત્તિ ન આવે એ માટે ઉપર જણાવ્યા મુજબ સતાનામિત્વ પદનો નિવેશ સંભવાભિપ્રાય છે : એ માનવું જોઈએ.
અથવા દ્રવ્યસર્વસમ્પત્કરી ભિક્ષાને છોડીને ભાવસર્વસંપન્કરી ભિક્ષાનું આ લક્ષણ છે : એમ માનવું જોઈએ. આ પ્રમાણે માનવાથી શ્રાવકની ભિક્ષા વગેરે દ્રવ્યભિક્ષા હોવાથી તેમાં લક્ષણ જાય નહિ તો ય કોઈ દોષ નથી. તેમ જ આ શ્લોકમાંનું ઉત્તરાર્ધ પણ સંગત થશે... ઈત્યાદિ તે તે ગ્રન્થાનુસાર વિચારવું. ૬-૧ના
બીજી પૌરુષની' ભિક્ષાનું સ્વરૂપ વર્ણવાય છે – दीक्षाविरोधिनी भिक्षा पौरुषघ्नी प्रकीर्तिता । धर्मलाघवमेव स्यात् तया पीनस्य जीवतः ॥६-११॥
“શ્લોકાર્થ સ્પષ્ટ છે કે દીક્ષાની વિરોધિની (પ્રતિબન્ધ કરનારી) એવી ભિક્ષાને પૌરુષદની’ ભિક્ષા કહેવાય છે. પુર માણસ આવી
DિDEDDDEDDIED AND DEF\ D\BIDDED ØNNOUNCEg/fdS૧૮ds/idbblog/SOS
Page #22
--------------------------------------------------------------------------
________________
ભિક્ષાથી જીવનનિર્વાહ કરે તો તેનાથી ધર્મની લઘુતા જ થવાની છે.'’- કહેવાનો આશય એ છે કે જે ભિક્ષાના કારણે ચારિત્રમોહનીય કર્મ બંધાય છે તે ભિક્ષાને પૌરુષની ભિક્ષા કહેવાય છે. પુષ્ટ શરીરવાળા એવી ભિક્ષાથી પોતાના જીવનનો નિર્વાહ કરે તો તેથી ધર્મની લઘુતા જ થતી હોય છે.
મહાવ્રતોને ગ્રહણ કર્યા પછી પૃથ્વીકાયાદિ જીવોનો વધાદિઆરંભ કરીને અને શુદ્ધભિક્ષાને ગ્રહણ કરનારની નિન્દા કરીને ભિક્ષાને ગ્રહણ કરનારા; ધર્મની લઘુતા જ કરે છે. આવી જ રીતે ગૃહસ્થો પણ સદા અનારંભના કારણે વિહિત એવી ભિક્ષા માટે પોતાની જાતને યોગ્ય માની મોહથી ભિક્ષા વડે જીવનનિર્વાહ કરે તો ‘આ કેવા અનુચિત કરનારા શ્રાવકો છે’... ઈત્યાદિ રીતે શાસનની નિંદા કરાવવા દ્વારા ધર્મની લઘુતા જ કરાવનારા બને છે; જે, સ્વ અને પર ઉભય માટે અનર્થનું કારણ બને છે.
એ વાતને જણાવતાં શ્રી અષ્ટકપ્રકરણમાં જણાવ્યું છે કે પ્રવ્રજ્યાને ગ્રહણ કર્યા પછી જે તેના વિરોધ વડે વર્તે છે એવા અસનો આરંભ કરનારાની ભિક્ષા ‘પૌરુષની ભિક્ષા' કહેવાય છે. દીનતાથી ભિક્ષા વડે પેટ પૂરું કરનારો એવો પુષ્ટ, મૂઢ અને ધર્મની લઘુતાને કરનારો પુરુષાર્થને હણવાનું જ માત્ર કામ કરે છે. પ્રતિમાપન્નશ્રાવકની ભિક્ષા દીક્ષાવિરોધિની ન હોવાથી તે ભિક્ષામાં આ ભિક્ષાનું લક્ષણ સમન્વિત થતું ન હોવાથી તેમાં અતિવ્યાપ્તિ આવતી નથી. જેનું લક્ષણ કરાય છે તેના સિવાય બીજે પણ લક્ષણ સમન્વય થાય તો તે લક્ષણ અતિવ્યાપ્તિ દોષથી દુષ્ટ મનાય છે. એવું અહીં બનતું નથી. ।।૬-૧૧
હવે ત્રીજી વૃત્તિભિક્ષાનું સ્વરૂપ વર્ણવાય છે
EEEEEEEEE
[D[
૧૯
TET GEOG
Page #23
--------------------------------------------------------------------------
________________
क्रियान्तरासमर्थत्वप्रयुक्ता वृत्तिसंज्ञिका । दीनान्धादिष्वियं सिद्धपुत्रादिष्वपि केषुचित् ॥६-१२॥
ભિક્ષા સિવાયની અન્ય ક્રિયા કરવાનું સામર્થ્ય ન હોવાના કારણે જે ભિક્ષા ગ્રહણ કરાય છે તેને ‘વૃત્તિ'નામની ભિક્ષા કહેવાય છે. દીન, અબ્ધ વગેરેને આ ભિક્ષા હોય છે. તેમ જ કેટલાક સિદ્ધપુત્રાદિને પણ આ ભિક્ષા હોય છે.' - આ પ્રમાણે બારમા
શ્લોકનો અર્થ છે. એનો ભાવાર્થ સ્પષ્ટ છે કે ભિક્ષા ગ્રહણ કરવા સિવાય બીજો કોઈ ઉપાય ન હોવાથી જ વૃત્તિભિક્ષા થતી હોય છે. મોહથી અથવા ચારિત્રની શુદ્ધિની ઈચ્છાથી આ ભિક્ષા ગ્રહણ કરાતી નથી.
શ્રી અષ્ટપ્રકરણમાં આ ત્રીજી ભિક્ષાનું વર્ણન કરતી વખતે જણાવ્યું છે કે જેઓ અન્ય ક્રિયા કરવા માટે અસમર્થ છે, તેવા નિર્ધન, અબ્ધ અને પશુ વગેરે લોકો પોતાના જીવનનિર્વાહ માટે ભિક્ષાએ ફરે છે, તે ભિક્ષાને વૃત્તિભિક્ષા કહેવાય છે.” “આવા જીવો માટે આ ભિક્ષા, પૌરુષની ભિક્ષાની જેમ અત્યન્ત દુર નથી. કારણ કે એ ભિક્ષા અનુકમ્પાનું નિમિત્ત હોવાથી આ લોકો ધર્મની લઘુતાને કરનારા હોતા નથી.” તેમ જ આવી ભિક્ષા કેટલાક સિધપુત્ર અને સારૂપિકને પણ હોય છે. દીન, અબ્ધ, પશુ કે દરિદ્ર વગેરે જીવોમાં સિદ્ધપુવાદિની ગણના હોવાથી સિધપુત્રાદ્રિધ્વપિ’ - આ પ્રમાણે શ્લોકમાં તેમનું સ્વતન્ત્ર ઉપાદાન કર્યું છે.
આગમમાં દીક્ષા છોડી દીધેલા તરીકે તેમનું વર્ણન છે. ચારિત્ર છોડી દેવાના તેમના પરિણામને જોઈને ગુર્નાદિકે ઘણી હિતશિક્ષા આપવા છતાં જેઓ સંયમના પરિણામમાં પાછા ફરતા નથી, તેઓ
Page #24
--------------------------------------------------------------------------
________________
સારૂપિક કે સિદ્ધપુત્ર તરીકે થોડા કાળ માટે રહે. સારૂપિક તેને કહેવાય છે કે જે શિરોમુંડન કરાવે છે. રજોહરણ રાખતા નથી. તુંબડું લઈને ભિક્ષાએ જાય છે અને પત્ની રાખતા નથી. સિદ્ધપુત્ર તેને કહેવાય છે. કે જે વાળ રાખે છે. ભિક્ષાએ જાય અથવા ન જાય. વરાટકોથી વેટલિકા કરે. અથવા લાકડી ધારણ કરે. શ્લોકમાં વિત્ આ પદથી એવા જ સિદ્ધપુત્રાદિ ગ્રહણ કરાય છે કે જેઓએ દીક્ષા છોડી દીધી છે અને બીજી કોઈ ભિક્ષાન્ય) ક્યિા કરવા સમર્થ ન હોય. પરન્તુ જેઓ અત્યન્ત અવધભીરુ છે અને મોક્ષની તીવ્ર અભિલાષાના કારણે પ્રવ્રજ્યામાં ચિત્ત જેમનું પ્રતિબદ્ધ છે, તેમને પ્રથમ સર્વસમ્પત્કરી જ ભિક્ષા હોય છે. આવા આત્માઓને છોડીને બીજા અસઆરંભીને પૌરુષની જ ભિક્ષા હોય છે.
ઉપર જણાવ્યા મુજબ સિદ્ધપુત્રાદિને કઈ ભિક્ષા હોય છે. તે સ્પષ્ટપણે સમજી શકાય છે. છતાં પણ અષ્ટક પ્રકરણની વૃત્તિને કરનારાએ આ વિષયમાં એમ જણાવ્યું છે કે તત્ત્વ તો કેવલીભગવન્તો જાણે છે. તે આ સંશયને જણાવવા માટે નથી જણાવ્યું. પરન્તુ દીક્ષાને છોડી જનારા આત્માઓનો ચોક્કસ ક્યો ભાવ છે- તે જાણી શકાતો નથી – એ જણાવવા માટે છે.... ઈત્યાદિ ઉપયોગપૂર્વક વિચારવું.
૬-૧રા ઉપર જણાવેલી ત્રણ ભિક્ષામાંથી જે ભિક્ષાને લઈને સાધુ ભગવન્તો પૂર્ણતાને પામે છે; તે જણાવાય છે –
अन्याबाधेन सामग्र्यं मुख्यया भिक्षयालिवत् । गृह्णत: पिण्डमकृतमकारितमकल्पितम् ॥६-१३॥ અકૃત, અકારિત અને અકલ્પિત પિડને; દાતા વગેરેને
SDSDSD SFDF\ BFDF\D GGGGGGGGS
G/GNESSONGS
Page #25
--------------------------------------------------------------------------
________________
તકલીફ ન પડે એ રીતે ભમરાની જેમ સર્વસમ્પત્કરી ભિક્ષા વડે ગ્રહણ કરનાર પૂ.સાધુમહાત્માને સામર્થ્ય પ્રાપ્ત થાય છે.”- આ પ્રમાણે તેરમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે પૂ. સાધુભગવન્તોને સર્વસમ્પત્યરી પ્રથમભિક્ષા હોય છે. એ ભિક્ષા વડે જે પિંડગ્રહણ તેઓશ્રી કરે છે તે વખતે પોતાને છોડીને અન્ય કોઈને (દાતા વગેરેને) પણ બાધા થાય નહિ એ રીતે ભમરાની જેમ ગ્રહણ કરે છે. ભમરો પુષ્પને કિલામણા ન થાય- એ રીતે તેમાંથી રસને ગ્રહણ કરે છે. તેમ સાધુ ભગવન્તો પણ દાતા વગેરેને બાધા ન થાય એ રીતે પિંડગ્રહણ કરે છે.
એ પિંડ કૃત, કારિત કે કલ્પિત ન હોય તો જ ગ્રહણ કરે છે. પૂ. સાધુમહાત્મા માટે બનાવેલા, બનાવરાવેલા અને કલ્પેલા પિંડને અનુક્રમે કૃત, કારિત અને કલ્પિત કહેવાય છે. કાપવાથી, રાંધવાથી અને ખરીદવાથી પિડ બને છે. જાતે કાપવા વગેરેથી કૃત પિંડ બને છે. બીજા દ્વારા એમ કરાવવાથી કારિત પિંડ બને છે અને વહોરાવવાની ભાવનાથી ગૃહસ્થો જે બનાવે તે કલ્પિત પિંડ કહેવાય છે. હનન (કાપવું-હણવું) વગેરે દ્વારા જે પિંડ કૃતાદિ નથી; તેવા નકોટિપરિશુદ્ધ પિડને પૂ. સાધુમહાત્મા ભિક્ષા દ્વારા ગ્રહણ કરે છે. તેથી જ પૂ. સાધુભગવન્તો પૂર્ણતાને પ્રાપ્ત કરે છે.
શ્લોકમાં મિક્ષયાતિવત્ અહીં ભ્રમરની જેમ આ પ્રમાણે જણાવેલું હોવાથી ભિક્ષા માટે નહિ ફરવાનો નિષેધ થાય છે અર્થાત્ ભિક્ષા માટે ફરવું જોઈએ, પરંતુ ગૃહસ્થો પાસે મંગાવવી નહિ અથવા તો સામેથી લઈ આવેલી ભિક્ષાને ગ્રહણ ન કરવી – એ પ્રમાણે સૂચવ્યું છે. કારણ કે સામેથી લાવેલી ભિક્ષા ગ્રહણ કરવાથી અભ્યાહત દોષનો પ્રસંગ આવે છે. યદ્યપિ સાધુઓને વંદન માટે આવતા ગ્રહો
DિID]]\ ]]\ B] DE DEPED PI Dિ DIED G////b/gs૨૨ dddddddd
Page #26
--------------------------------------------------------------------------
________________
પિડ લઈ આવે તો આ અભ્યાહત દોષનો પ્રસંગ નહીં આવે. કારણ કે ગૃહસ્થોનું આગમન વંદન માટે છે. સાધુ માટે પિંડ લઈ આવવાનું તો પ્રાસંગિક છે; પરન્તુ આ રીતે અભ્યાહતદોષનો પ્રસંગ નિવારી શકાય તોય માલાપહત વગેરે દોષનું નિવારણ શક્ય નહીં બને. કારણ કે વાહનમાંથી નીચે સામાન ઉતારવાદિના કારણે અને સાધુઓને વહોરાવવા માટે મૂકી રાખવાના કારણે માલાપહત અને સ્થાપના વગેરે દોષોનો પ્રસંગ આવવાનો જ. ૬-૧૩ | તેરમા શ્લોકમાં મન્વિતમ્ આ પદથી સર્વસમ્પત્યરીભિક્ષામાં ગૃહસ્થ સંકલ્પ પણ ન ક્ય હોય (સાધુને વહોરાવવાનો સંકલ્પ પણ ન કર્યો હોય) એવા પિંડને ગ્રહણ કરવાનું જણાવ્યું છે. પરંતુ એવો પિંડ મળી શકશે નહિ એવી શંકા કરનારના આશયને જણાવાય છે
नन्वेवं सद्गृहस्थानां गृहे भिक्षा न युज्यते । अनात्मम्भरयो यत्नं स्वपरार्थं हि कुर्वते ॥६-१४।।
આ રીતે સંકલ્પિત પિંડ પણ ગ્રહણ કરવા માટે યોગ્ય ન હોય તે સારા ગૃહસ્થોના ઘરે ભિક્ષા માટે સાધુભગવન્તોએ જવું યોગ્ય નથી. કારણ કે તેઓ પોતાનું જ પેટ ભરનારા નથી હોતા. રાંધવા વગેરેના વિષયમાં પોતાના અને બીજાના માટે તેઓ પ્રયત્ન કરતા હોય છે.” - આ પ્રમાણે ચૌદમા શ્લોકનો અક્ષરાર્થ છે.
કહેવાનો આશય સ્પષ્ટ છે કે હનન, પચન અને કયણ (ખરીદવું) દ્વારા પિંડ બનાવતી વખતે સાધુઓને આપવાનો જેમાં સંકલ્પ ન હોય એવો જ પિંડ ગ્રહણ કરવાનો હોય તો સારા બ્રાહ્મણ વગેરે સગૃહસ્થોનાં ઘરોમાં સાધુઓને ભિક્ષા લેવાનું જ યોગ્ય નહિ બને. કારણ કે તે સગ્રુહસ્થો રાંધવા વગેરેની પ્રવૃત્તિમાં સ્વ અને પર
GEEEEEEEEEEEEEE, NEET, EDIS|DF\ BFDIF]\P
Page #27
--------------------------------------------------------------------------
________________
માટે પ્રયત્ન કરતા હોય છે. ભિક્ષાચરોને આપવાનો સંકલ્પ ગૃહસ્થો ન કરે તો તેના સગૃહસ્થપણાનો ભંગ થવાનો પ્રસંગ આવે છે. કારણ કે દેવતા, માતા-પિતા અને અતિથિ વગેરેને આપ્યા પછી તેમ જ ભરણ કરવા યોગ્ય એવા પરિજનોનું પોષણ ક્ય પછી જે બાકી રહે તેનું ભોજન કરવાનો ગૃહસ્થોનો ધર્મ છે. યદ્યપિ એ ગૃહસ્થધર્મનું પાલન, દાન દેતાં પૂર્વે સંકલ્પ ન કરે અને દાનના અવસરે દાન કરે તોપણ શક્ય બને છે તેથી અસંકલ્પિત પિંડનું પ્રદાન ગૃહસ્થો કરી શકે છે; પરન્તુ એ શક્ય નહિ બને. કારણ કે આવા વખતે દાન આપવા માટે ગૃહસ્થ પાસે પિંડ જ નહિ રહે. દેવતાદિને આપવાના સંકલ્પથી તો પિંડ એ પ્રમાણમાં બનાવાય છે અને તેથી જ તો તે પ્રમાણે આપી શકાય છે. અન્યથા આપવાનું જ શક્ય નહિ બને. આથી સમજી શકાશે કે સંકલ્પિત પિંડને ગ્રહણ કરવાનો નિષેધ કરાય તો સગ્રુહસ્થોને ત્યાં ભિક્ષા માટે જવાનું પૂ. સાધુમહાત્માઓ માટે યોગ્ય નહિ ગણાય -આ પ્રમાણે આ શ્લોકથી શંકાકારના આશયને જણાવ્યો છે. ૬ -૧૪ll
ઉપર જણાવેલી શંકાના સમાધાન માટે એમ કહેવામાં આવે કે સંકલ્પવિશેષથી રહિત એવા પિંડને ગ્રહણ કરવામાં બાધ નથી. માત્ર યતિને ઉદ્દેશીને સંકલ્પવાળો પિંડ ગ્રહણ ન કરવો. આ પ્રમાણેનું સમાધાન યુક્ત નથી એમ જણાવવાપૂર્વક શંકાનું સમર્થન કરાય છે
सङ्कल्पभेदविरहो विषयो यावदर्थिकम् । पुण्यार्थिकं च वदता दुष्टमत्र हि दुर्वचः ॥६-१५॥
બધા અર્થીઓ અને પુણ્યના ઉદ્દેશથી બનાવેલા પિડને દુર (અગ્રાહ્ય) કહેનારા વડે એમ કહેવાય કે, “અહીં અસંકલ્પિત પિંડ એટલે સક્કલ્પવિશેષના અભાવવાળો પિંડ; તો તે દુટ વચન છે.” -
DDDDDDDD; SUBBIGBOSONGS૧ ૮
E BE BE DEPTDFDIFFદિ
G/ / G//SCST/ST/
Page #28
--------------------------------------------------------------------------
________________
આ પ્રમાણે શ્લોકાર્થ છે. કહેવાનો આશય એ છે કે ‘અસંકલ્પિત પિંડ પૂજ્ય સાધુભગવન્તોએ ગ્રહણ કરવો જોઈએ.' આવા વિધાનની સામે શંકાકારે ઉપર જણાવ્યા મુજબ શંકા કરી કે એવું હોય તો સારા બ્રાહ્મણાદિનાં ઘરોમાં ભિક્ષા માટે જવાનું સાધુઓ માટે યોગ્ય નહિ મનાય. આ શંકાનું સમાધાન કરવા માટે એમ જણાવવામાં આવે કે સારા બ્રાહ્મણાદિ સગૃહસ્થો સામાન્યથી બધા જ ભિક્ષાચરોને ઉદ્દેશીને પિંડ બનાવતા હોય છે. અથવા તો સામાન્યથી પુણ્યપ્રાપ્તિ માટે યાચકાદિને આપવાના પણ ઉદ્દેશથી પિંડ બનાવતા હોય છે. તેથી સંકલ્પસામાન્યથી રહિત પિંડ સદ્દગૃહસ્થોનાં ઘરે ન હોય એ સમજી શકાય છે. તેથી જ અસંતિઃ વિન્ડો યતે પ્રાંા: અહીં અસંકલ્પિતનો અર્થ સંકલ્પવિશેષથી રહિત એવો કરવો જોઈએ. એ સંકલ્પવિશેષ અહીં માત્ર યતિના વિષયમાં સમજવો. માત્ર યતિને જ આપવાનો સકલ્પ જ્યાં ન હોય તે સ્થળે અસકલ્પિત પિંડ હોય છે. જ્યાં માત્ર યતિને જ (બધાને નહિ) આપવાનો સફ્કલ્પ હોય ત્યાં સક્કલ્પિત પિંડ સમજવો. સાધુને આપવાની ઈચ્છા સ્વરૂપ સંકલ્પમાં સાધુ-યતિ સપ્રદાન કહેવાય છે. (જેને આપવાનું હોય તેને સમ્પ્રદાન કહેવાય છે.) યતિ છે સમ્પ્રદાન જેનું એવા દાનની ઈચ્છા સ્વરૂપ સડકલ્પવિશેષનો વિરહ જ્યાં છે, તે અસડકલ્પિત પિંડ કહેવાય છે. આવો પિંડ સદ્દગૃહસ્થોનાં ઘરોમાં હોઈ શકે છે. તેથી કોઈ દોષ નથી. આ પ્રમાણે યદ્યપિ સમાધાન કરી શકાય છે.
પરન્તુ તે યોગ્ય નથી. કારણ કે ઉપર જણાવ્યા મુજબ સકલ અર્થીઓને ઉદ્દેશીને અને પુણ્યની પ્રાપ્તિને ઉદ્દેશીને બનાવેલ પિંડ ગ્રાહ્ય બની શકે છે, માત્ર યતિઓને ઉદ્દેશીને બનાવેલો પિંડ ગ્રાહય
OPE
૨૫
BEL L ALL L OR 7]
Page #29
--------------------------------------------------------------------------
________________
બને નહિ. પણ આવું કહેવાથી શ્રી દશવૈકાલિકાદિ સૂત્રમાં જણાવેલી વાતનો વિરોધ આવશે. ત્યાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે ‘અશન,પાન, ખાદિમ કે સ્વાદિમ બધા અર્થીઓને કે પુણ્યપ્રાપ્તિ માટે આપવાના ઈરાદે બનાવેલ છે– એવું જાણવા કે સાંભળવા મળે તો એવા યાવદર્થિક કે પુણ્યાર્થિક પિંડને આપનારને કહેવું કે તે અશનાદિ સંયતોને માટે અકલ્પ્ય છે. તેથી મને તે લેવાનું યોગ્ય નથી.’ આ પ્રમાણેના વચનથી એ સ્પષ્ટ છે કે દાતાએ યાવદર્શિકાદિ પિંડ બનાવેલ હોય તોપણ તે અગ્રાહ્ય છે. અહીં જણાવ્યા મુજબ માત્ર યતિને ઉદ્દેશીને બનાવેલ પિંડ અગ્રાહ્ય હોય અને યાવદર્થિક કે પુણ્યાર્થિક પિંડ અગ્રાહ્ય ન હોય તો તેવા પિંડમાં ગ્રાહયત્વનો પ્રસંગ આવશે, જે શ્રી દશવૈકાલિક સૂત્રને અનુસરનારું નથી. આથી ‘‘સંન્ત્યિતઃ વિન્ડો યતે પ્રાિ: '' અહીં સફ૫વિશેષના અભાવને અસલ્પિત પદ સમજાવે છે.’’– આ વચન દુષ્ટ છે.
ઉપર જણાવેલી વાતને જણાવતાં શ્રી અષ્ટકપ્રકરણમાં જણાવ્યું છે કે – ‘વિશેષસ્વરૂપે સાધુઓનું સકલ્પન જેમાં છે તે પિંડ દુષ્ટ છે : એમ કહીને શંકાનો પરિહાર કરવાનું પણ યાવદર્થિક પિંડને દુષ્ટ માનનાર માટે યોગ્ય નથી અથવા તો યાવદર્થિક અને પુણ્યાર્થિક પિંડનો વિષય કહેવો જોઈએ. એટલે કે ચોક્કસ રીતે અમુક અર્થીને આશ્રયીને બનાવેલ પિંડ પરિહરણીય છે. ઇત્યાદિ સ્પષ્ટ રીતે કહેવું જોઈએ. અન્યથા જે વસ્તુનો સંભવ નથી એને જણાવવાના કારણે આપ્ત પુરુષોને અનાપ્ત માનવાનો પ્રસંગ આવશે.’...ઈત્યાદિ અષ્ટપ્રકરણથી સમજી લેવું જોઈએ. ॥૬-૧૫
ઉપર્યુક્ત શંકાનું સમાધાન કરાય છે -
EE
RECE
૨૬]
םםםםם
Page #30
--------------------------------------------------------------------------
________________
उच्यते विषयोऽत्रायं भिन्ने देये स्वभोग्यतः । सङ्कल्पनं क्रियाकाले दुष्टं पुष्टमियत्तया ॥६-१६॥
“યાવદર્થિક અને પુણ્યાર્થિક પિંડનો વિષય કહેવાય છે. રાંધતી વખતે પોતાને વાપરવા માટેના ભાત વગેરે કરતાં વધારાના દાન માટેના ભાત વગેરેમાં, “આટલા કુટુંબ માટે અને આટલા અર્થીઓ અને પુણ્ય માટે આ રીતે વિષયના વિભાગથી યુક્ત જે સંકલ્પ છે, તેનાથી યુક્ત પિંડ છે.” આ પ્રમાણે સોળમા શ્લોકનો અક્ષરાર્થ છે.
એનો આશય સમજી શકાય છે કે રાંધતી વખતે જ પોતાના વપરાશ કરતાં વધારે પ્રમાણમાં રાંધવા લીધેલા પિંડમાં ઉપર જણાવ્યા મુજબ વિષયવિભાગ કરીને જે પિંડ તૈયાર થયો હોય તે ભાવર્થિક અને પુણ્યાર્થિક પિંડના નિષેધનો વિષય સમજવો. એ વાતને જણાવતાં અષ્ટક પ્રકરણમાં ફરમાવ્યું છે કે પોતાના માટે ઉપયોગમાં લેવાના ઓદનાદિ(ભાત વગેરે)થી જુદા દાન માટેના વધારાના ભાત વગેરેમાં રાંધતી વખતે, ‘આટલું કુટુંબ માટે અને આટલું સકલ અથ કે પુષ્ય માટે આ પ્રમાણે સક્કલ્પ કરવો તે દુષ્ટ છે. આ યાવર્થિક અને પુણ્યાર્થિક પિંડના વિષય છે. આથી સમજી શકાશે કે શ્રી દશવૈકાલિકસૂત્રમાં જણાવ્યા મુજબના એ નિષેધ પણ પિંડેવિશેષને આશ્રયીને છે. સત્તરમા શ્લોકથી આ વાત સ્પષ્ટ થશે. ૬ -૧૬
ઉપર જણાવેલો યાવર્થિક અને પુણ્યાર્થિક પિંડ અગ્રાહ્ય છે, તેનાથી બીજે પિંડ ગ્રાહ્ય છે. વાવર્થિક વગેરે પિંડ સર્વ સામાન્ય રીતે દુષ્ટ નથી પરંતુ ઉપર જણાવ્યા મુજબ રાંધતી વખતે જે વિષયવિભાગથી યુક્ત પિંડ છે તે દુર છે -એ આ પૂર્વે જણાવ્યું છે. હવે જે પિંડ દુર – અગ્રાહ્ય નથી તે જણાવાય છે –
DDDDDDD; Dિ
Page #31
--------------------------------------------------------------------------
________________
स्वोचिते तु तदारम्भे निष्ठिते नाविशुद्धिमत् । तदर्थकृतिनिष्ठाभ्यां चतुर्भङ्ग्यां द्वयोर्ग्रहात् ॥६-१७।।
“પોતાના માટે ઉચિત એવો આરંભ કરાયે છતે અને સમાપ્ત કરાવે છતે તેવો સંકલ્પ અવિશુદ્ધ નથી. કારણ કે સાધુ માટે આરંભ અને સમાપ્તિ એ બે પદના કારણે થનારા ચાર ભાગમાં બે ભાગે પિંડ ગ્રહણ કરી શકાય છે. આ પ્રમાણે સત્તરમા શ્લોકનો અર્થ છે.
આશય એ છે કે, ગૃહસ્થ પોતાના શરીર અને કુટુંબાદિ માટે રાંધવાની ક્રિયાનો આરંભ કરેલો અને છેલ્લું બળતણ નાંખવાદિની કિયા વડે ભાત વગેરે રંધાઈ જાય. આ રીતે પોતાના અને પોતાના કુટુંબાદિ માટે શરૂ કરીને પૂર્ણ કરેલી રાંધવા વગેરેની ક્રિયા વડે પિંડ તૈયાર થયે છતે પોતાના અને પોતાના કુટુંબ માટેના પિંડથી અતિરિક્ત પિંડ ન હોવાથી ગૃહસ્થ એ વખતે સંકલ્પ કરે છે કે આ અમારા માટે ખાવાનું તૈયાર થઈ ગયું છે. આમાંથી મુનિભગવન્તોને સુપાત્રદાન આપી પોતાના આત્માને કૃતાર્થ કરું' –આવો સંકલ્પ અવિશુદ્ધ નથી અર્થ આવો પિંડ સંકલ્પિત મનાતો નથી. કારણ કે સાધુ માટે આરંભ અને સાધુ માટે નિષ્ઠા (સમાપ્તિ); આ બે પદોથી થતા ચાર ભાગમાં બે ભાગા શુદ્ધ હોવાથી તે સંબન્ધી પિંડ ગ્રાહ્ય બને છે. સાધુ માટે આરંભ અને સાધુ માટે નિષ્ઠા. બીજા માટે આભ અને સાધુ માટે નિષ્ઠા. સાધુ માટે આરંભ અને બીજા માટે નિષ્ઠા. તેમ જ બીજા માટે આરંભ અને બીજા માટે નિષ્ઠા-આ ચાર ભાંગામાં છેલ્લા બે ભાગા શુદ્ધ માનેલા છે. આ પ્રમાણે અન્યત્ર પણ કહ્યું છે કે “સાધુ માટે કરેલું(આરંભેલું) અને સાધુ માટે નિષ્ઠિત( પૂર્ણ કરેલું). - આવી રીતે ચાર ભાગા થાય. એમાંથી છેલ્લા બે શુદ્ધ છે.”
Gિ DIUIDE USES DEPTC
Page #32
--------------------------------------------------------------------------
________________
આવી રીતે પોતાના માટે થઈ ગયેલા પિંડને સાધુભગવન્તોને આપવાનો સંકલ્પ કરવામાં કોઈ દોષ નથી. એ પરિણામ પૃથ્વીકાયાદિના વધાદિનો નથી, પરન્તુ દાતાનો એ શુભપરિણામ છે. પોતાના માટે બનાવેલા પિંડમાંથી આ રીતે પૂ.સાધુભગવન્તોને આપીને પોતાના આત્માને કૃતાર્થ બનાવવાનો સંકલ્પ; પૃથ્વીકાયાદિના આરંભનો પ્રયોજક ન હોવા છતાં જો દુષ્ટ મનાય તો પૂ. સાધુમહાત્માને વંદનાદિ કરવાનો સંકલ્પ પણ દુષ્ટ મનાશે. તેથી આવા પ્રકારના સંકલ્પને પણ દુષ્ટ માનવાનું સાવ જ તુચ્છ છે. આ વાતને જણાવતાં અષ્ટકપ્રકરણમાં ફરમાવ્યું છે કે પોતાને ઉચિત એવો રાંધવા વગેરેનો આરંભ કરાયે છતે; તૈયાર થયેલા પિંડમાંથી પૂ. સાધુભગવન્તોને આપીને પોતાના આત્માને હું કૃતાર્થ કરીશ-આવા પ્રકારનો સંકલ્પ કોઈ કરે તો તે શુભ ભાવ સ્વરૂપ હોવાથી, અન્ય મુનિવંદનાદિયોગની જેમ દુષ્ટ નથી... ઈત્યાદિ અષ્ટકપ્રકરણથી સમજી લેવું જોઈએ. ॥૬-૧૭ના
ઉપર જણાવ્યા મુજબ અસકલ્પિત જ પિંડ સાધુઓએ ગ્રહણ કરવાનો હોય તો, સર્વથા ન મળે એવું ન હોય તોપણ બહુધા એ નહિ મળે અને તેથી આવી અસંભવી વસ્તુનો ઉપદેશ આપવાથી આપ્તની અનાપ્તતા થશે...ઈત્યાદિ શંકાના સમાધાન માટે જણાવાય છે -
प्राय एवमलाभः स्यादिति चेद् बहुधाप्ययम् । सम्भवत्यत एवोक्तो यतिधर्मोऽतिदुष्करः ||६ - १८ ॥ ‘આ પ્રમાણે અસદ્કલ્પિત પિંડ ગ્રહણ કરવાનો હોય તો પ્રાય: એ મળશે જ નહિ-આ શકાના સમાધાનમાં કહેવાનું એ છે કે ઘણી રીતે એવો પિંડ મળી શકે છે. જોકે એ પિંડ મેળવવાનું દુષ્કર તો
DEEEEEEEEE
૨૯
EEEEEEEEE
םםם םםםם
Page #33
--------------------------------------------------------------------------
________________
છે. પરતુ તેથી જ તો સાધુધર્મને અત્યન્ત દુષ્કર વર્ણવ્યો છે.” -આ પ્રમાણે અઢારમા શ્લોકનો અક્ષરાર્થ છે. - કહેવાનો આશય એ છે કે પોતાના માટે રાંધવાદિનો આરંભ કરીને તૈયાર થયેલા પિંડમાંથી પૂ. સાધુભગવન્તોને દાન આપવાનો સંકલ્પ કરવાનું દુષ્ટ ન પણ હોય તોપણ એવો સક્કલ્પિત પિંડ લગભગ ન મળે. કારણ કે આટલા વિવેકી અને ઉપયોગવાળા દાતાઓ કવચિત જ મળે. પૂ. સાધુભગવન્તોના આચારનું પરિજ્ઞાન, વિશિષ્ટ
ઔદાર્ય, વિવેક અને પ્રાસંગિક ઉપયોગ વગેરેના યોગે એવો સંકલ્પ ઉદ્ભવે. બાકી તો રાંધવા વગેરેની શરૂઆત કરતાં પૂર્વે જ યાવર્થિકાદિને ઉદ્દેશીને સંકલ્પ કરાતો હોય છે. તેથી વિવક્ષિત પિંડ અલભ્ય બનશે. આ પ્રમાણે શક્કાકારનો આશય છે. પરંતુ એ બરાબર નથી. કારણ કે આમ તો શંક્તિ કે પ્રક્ષિત વગેરે દોષોથી રહિત પિંડ પણ પ્રાયઃ વિચિત જ મળે છે. તેથી કાંઈ દુષ્ટ પિંડ થોડો લેવાય? આધાકર્માદિ દોષની શંકા જેમાં હોય તેને શક્િતપિંડ કહેવાય છે. અને મધ વગેરે (અભક્ષ્યાદિ) દ્રવ્યના સ્પર્શથી યુક્ત પિડને પ્રક્ષિતપિંડ કહેવાય છે. શંક્તિાદિ અનેક રીતે પિંડ અલભ્ય બને છે. તેથી દોષથી યુત પિંડ લેવાનું વિધાન ન કરાય.
શ્લોમાનું વ૬થા આ પદ કામ અને આમ બન્ને સાથે જોડી શકાય છે. અલાભની સાથે તેનો અન્વય કરીને સમાધાન જણાવ્યું. હવે રામ ની સાથે તેનો અન્વય કરીને સમાધાન જણાવાય છે અથવા ઈત્યાદિ ગ્રન્થથી. તેનો આશય એ છે કે અસંકલ્પિત પિંડ જ ગ્રહણ કરવાનું વિધાન કરાય તો તેનો લાભ નહિ થાય : એવી શકાના સમાધાનમાં ગ્રન્થકાર પરમર્ષિ ફરમાવે છે કે ઘણી રીતે એ
GિDDEDDIRUDDED
Page #34
--------------------------------------------------------------------------
________________
સંકલ્પ વિનાનો પિંડ પ્રાપ્ત થઈ શકે છે. કારણ કે પૂ.સાધુભગવન્તોને કે બીજા કોઈ અર્થીજનોને આપવાની ભાવના વિના ઘણા લોકો રાંધવાદિનો આરંભ કરતા હોય છે તેમ જ જે દેશમાં કે કાળમાં ભિલુકો ભિક્ષા માટે ફરતા જ નથી, એવા દેશમાં કે કાળમાં તે તે ગૃહસ્થો પોતાના માટે રાંધવાદિનો આરંભ કરતા હોય છે. એ બધાએ બનાવેલો પિંડ અસંકલ્પિત છે. તેથી ઘણી રીતે અસંકલ્પિત પિંડ પ્રાપ્ત થઈ શકે છે.
યદ્યપિ આ રીતે અસંકલ્પિત પિંડને પ્રાપ્ત કરવાનું અત્યન્ત દુષ્કર છે અને તેથી આવી દુષ્કરચર્યાનો ઉપદેશ કરનારા આપ્તની આપ્તતા રહેતી નથી. પરંતુ ખરેખર તો આવો નિરવઘ ભિક્ષાનો માર્ગ બતાવવાના કારણે જ આપ્તપુરુષની આપ્તતા સુરક્ષિત છે. આપ્ત પુરુષોએ યતિધર્મને અત્યન્ત દુષ્કર તરીકે વર્ણવ્યો છે. અત્યન્ત દુર્લભ એવા મોક્ષની પ્રત્યે અત્યન્ત દુષ્કર જ એવો ધર્મ કારણ છે. કાર્યને અનુરૂપ જ કારણ હોય છે અને આવા અનુરૂપ કાર્યકારણભાવના પ્રણેતા ચોક્કસ જ આપ્ત પુરુષ છે. તેથી તેઓશ્રીમાં અનાખતા માનવાનો પ્રસંગ આવતો નથી. //૬-૧૮ના
મન, વચન અને કાયાથી શુદ્ધ એવા સાધુભગવન્તો સંકલ્પિત પિંડ ગ્રહણ કરે તો ક્યો દોષ છે : આ શક્કાનું સમાધાન કરાય છેसङ्कल्पितस्य गृहिणा त्रिधाशुद्धिमतो ग्रहे । को दोष इति चेज्ज्ञाते प्रसङ्गात् पापवृद्धितः ॥६-१९॥
ગૃહસ્થ યતિઓને માટે સંકલ્પિત કરેલો પિડ, મન, વચન અને કાયાની શુદ્ધિવાળા એવા પૂ.સાધુભગવન્તો ગ્રહણ કરે તો એમાં કયો દોષ છે? (અર્થાત્ કોઈ દોષ નથી. કારણ કે પૂ. સાધુભગવન્તોએ
EDGUÉ ADDEDGE
Page #35
--------------------------------------------------------------------------
________________
:
કોઈ પણ જાતનો આરંભ કરેલો નથી.) -આવી કોઈ શંકા કરે તો એના સમાધાનમાં એ દોષ-જાણવો કે પોતાના માટે સંકલ્પિત છે : એ જાણવા છતાં એવા પિંડને પૂ. સાધુભગવન્તો ગ્રહણ કરે તો ગૃહસ્થો ફરી વાર એવી પ્રવૃત્તિ કરે અને તેથી પાપની વૃદ્ધિ થાય.’” -આ પ્રમાણે ઓગણીસમા શ્લોકનો અર્થ છે.
કહેવાનો આશય એ છે કે સાધુભગવન્તોને આપવાની ઈચ્છાથી સલ્પ જેમાં કરાયો છે એવા પિંડને ગૃહસ્થ જ્યારે આપે ત્યારે મન, વચન અને કાયાની ત્રણ પ્રકારની શુદ્ધિથી શુદ્ધ એવા સાધુભગવન્તો, એ પિંડને ગ્રહણ કરે તો એમાં કોઈ દોષ નથી. કારણ કે એમાં પૂ. સાધુભગવન્તોની સર્વથા આરંભના ત્યાગની પ્રતિજ્ઞામાં સહેજ પણ વ્યાઘાત (વિરોધ-ભંગ) થતો નથી. આ પ્રમાણે શંકા કરનારનું કહેવું છે. પરંતુ તે યોગ્ય નથી. કારણ કે “મારા માટે આ પિંડ કરેલો છે.’ આ પ્રમાણે ખબર હોવા છતાં તે ગ્રહણ કરવામાં આવે તો ગૃહસ્થો ફરી વાર યતિઓને ઉદ્દેશીને પિંડ બનાવવાની પ્રવૃતિ કરે અને તેથી પાપની વૃદ્ધિ થાય. ગૃહસ્થો આ રીતે પૂ. સાધુભગવન્તોને ઉદ્દેશીને (નિમિત્તે) પાપ કરે તે ઉચિત નથી. પૂ. સાધુમહાત્માના ખ્યાલમાં એ આવે તો અવશ્ય તેનો પરિહાર કરવો જોઈએ. એટલે કે પોતાના (સાધુના) નિમિત્તે કોઈ પાપ ના કરે : એનો ઉપયોગ રાખવો જોઈએ. તેથી પોતાના માટે(સાધુઓ માટે) સંકલ્પિત પિંડ છે : એ જાણ્યા પછી એ ગ્રહણ કરવાનું પૂ. સાધુભગવન્તોને ઉચિત નથી. ।।૬-૧૯।। ઉપર જણાવ્યા મુજબ સંકલ્પિત પિંડ ગ્રહણ કરવાની પ્રવૃત્તિ દુષ્ટ હોવા છતાં ગૃહસ્થની એવી પ્રવૃત્તિથી પિંડ ગ્રહણ કરવાની પ્રવૃત્તિનો ત્યાગ ન કરાય તો શું થાય : એ જણાવાય છે –
CEEEE DU
૩૨
CEICE] [C]
Page #36
--------------------------------------------------------------------------
________________
यत्यर्थं गृहिणश्चेष्टा प्राण्यारंभप्रयोजिका । यतेस्तवर्जनोपायहीना सामग्र्यघातिनी ॥६- २०।। શ્લોકાર્થ સ્પષ્ટ છે. કહેવાનો આશય એ છે કે પૂ. સાધુભગવન્તોને ઉદ્દેશીને રાંધવા વગેરેની પૂર્ણ કરાતી ક્રિયા ગૃહસ્થો માટે જીવના આરંભની પ્રયોજક છે. આવી આરંભની ક્રિયાનો ત્યાગ કરે : એ માટે આધાકર્મિકાદિ દોષથી દુષ્ટ એવા પિંડને બનાવનારાં કુળોમાં (દાતાઓનાં ઘરોમાં) ગોચરી જવાનું પૂ. સાધુભગવન્તોએ ત્યજવું જોઈએ. સાધુઓ માટે કરાતા આરંભનું ગૃહસ્થોને પરિવર્જન કરાવવા માટેનો એ એક ઉપાય છે. એ ઉપાયને કરે નહિ અને તેવા પ્રકારના સંકલ્પિત પિંડને સાધુમહાત્મા ગ્રહણ કરે તો ઉપાયથી રહિત એ પ્રાણીવધાદિની પ્રયોજક ક્રિયા સાધુની સમગ્રતાનો ઘાત કરનારી છે. ગુણશ્રેણીને સાધુની સમગ્રતા કહેવાય છે. અસંખ્યાત સંયમના અધ્યવસાયોનાં સ્થાનો જેમાં સમાવિષ્ટ છે એવી એ ગુણશ્રેણીનો ઘાત કરનારી પ્રાણીઓના આરંભની પ્રયોજક એવી ગૃહસ્થની એ ચેષ્ટા છે. એવા ગૃહસ્થનાં ઘરોમાં ભિક્ષા માટે જવાનું સાધુઓ માટે ઉચિત નથી..... ઈત્યાદિ ચોક્કસ રીતે સમજી લેવું.
જ્ઞાનેન...ઈત્યાદિ પ્રથમ શ્લોકના પૂર્વાર્ધનું નિરૂપણ આ શ્લોક સુધીના વીસ શ્લોકોથી પૂર્ણ થયું. તત્ત્વસંવેદનાત્મક જ્ઞાન અને સર્વસમ્પત્કરી ભિક્ષા - આ બેના કારણે સાધુસમગ્રતાની પ્રાપ્તિ થાય છે. સંયમજીવનની સાધનામાં એ બન્નેનું જે મહત્ત્વ છે, તે ખૂબ જ સ્પષ્ટ રીતે સમજી લેવું જોઈએ. વિષયપ્રતિભાસ અને આત્મપરિણતિમજ્ઞાન સાધુસમગ્રતાનાં કારણ બનતાં નથી. માત્ર તત્ત્વસંવેદનજ્ઞાન જ સાધુની સમગ્રતાનું કારણ બને છે. આ પૂર્વે જણાવેલાં ત્રણેય
[EE EEE EEEE [] ]]
૩૩
I/C DEDI
Page #37
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનના સ્વરૂપનો વિચાર કરીએ તો સમજાશે કે વિષયપ્રતિભાસ જ્ઞાનને પ્રાપ્ત કરવાનું પણ કેટલું અઘરું છે. ઉત્કટ કોટિની જિજ્ઞાસા વિના એ શક્ય નહિ બને. તાત્વિક જિજ્ઞાસાની પ્રાપ્તિ પણ ખરેખર જ કઠિન છે. અપ્રશસ્ત(સંસારસંબન્ધી) માર્ગમાં જિજ્ઞાસા અવિરત ચાલ્યા કરે છે. પરંતુ પ્રશસ્ત(મોસંબન્ધી) માર્ગમાં એવી જિજ્ઞાસા પણ જ્યાં ન હોય ત્યાં તત્ત્વસંવેદનજ્ઞાનની અપેક્ષા કઈ રીતે રખાય ?
બસ! આવી જ સ્થિતિ ભિક્ષાના વિષયમાં છે. પૌરુષની અને વૃત્તિભિક્ષા સાધુસમગ્રતાનું કારણ ન જ બને – એ સારી રીતે સમજી શકાય છે. સર્વસમ્પત્યરી' ભિક્ષા જ સાધુસમગ્રતાનું કારણ બની શકે છે. પણ એનો ખ્યાલ હોવા છતાં એ ભિક્ષાને ગ્રહણ કરવા માટે મનને કેળવવાનું ખૂબ જ ક્યૂરું છે. ઈન્દ્રિયો અને શરીર પ્રત્યેનો પ્રબળ રાગ અને વિષયની આસક્તિ સર્વસમ્મત્કરી ભિક્ષાને ગ્રહણ કરવામાં મુખ્ય અવરોધો છે. સંયમની સાધના માટે શરીર હતું. એના બદલે શરીર માટે સંયમની સાધના થવાથી સર્વસમ્પત્કરી ભિક્ષાનો જ છેદ થઈ ગયો અને પૌરુષદની કે વૃત્તિભિક્ષા જેવી ભિક્ષા થવા લાગી હોય - એવું લાગ્યા કરે છે. અપૂર્ણને પૂર્ણ બનાવનારી ભિક્ષા ગ્રહણ કરવાના બદલે અપૂર્ણને શૂન્ય બનાવે એવી ભિક્ષા ગ્રહણ કરાય તો પરિણામ શું આવે : એની કલ્પના પણ ભયંકર છે. ગમે તે રીતે તત્ત્વસંવેદનાત્મજ્ઞાન અને સર્વસમ્પત્કરી ભિક્ષાને પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કર્યા વિના ચાલે એવું નથી-એ વીશ શ્લોકોનો પરમાર્થ છે.
//૬-૨ના જ્ઞાનેન’ આ પ્રથમ શ્લોકના ઉત્તરાર્ધનું વર્ણન શરૂ કરાય
છે
GET DIF DFDHD DિDED TEIN LTD DIGITAL Oscribe To SL38/c/SGSSSB/H/S
Page #38
--------------------------------------------------------------------------
________________
वैराग्यं च स्मृतं दुःखमोहज्ञानान्वितं त्रिधा । आर्त्तध्यानाख्यमाद्यं स्याद्यथाशक्त्यप्रवृत्तितः ॥६- २१॥
‘દુઃખાન્વિત, મોહાન્વિત અને જ્ઞાનાન્વિત : આ ત્રણ પ્રકારે વૈરાગ્યને ત્રણ રીતે વર્ણવ્યો છે. એમાં પ્રથમ દુ:ખાન્વિત (દુ:ખગર્ભિત) વૈરાગ્ય આર્દ્રધ્યાન સ્વરૂપ છે. કારણ કે અહીં શક્તિ અનુસાર પણ ધર્મમાં પ્રવૃત્તિ હોતી નથી.’- આ પ્રમાણે એકવીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય એ છે કે દુ:ખાન્વિત, મોહાન્વિત અને જ્ઞાનાન્વિત ભેદથી વૈરાગ્ય ત્રણ પ્રકારનો છે. રાગનો અભાવ; સામાન્યથી વૈરાગ્ય છે. રાગની માત્રાની અપેક્ષાએ રાગના અસંખ્ય ભેદો છે. તે તે રાગના અભાવે અનુક્રમે વૈરાગ્યની પ્રાપ્તિ થતી હોય છે. રાગની જેમ જ વૈરાગ્યના પણ અસંખ્ય પ્રકાર છે. પરન્તુ એ બધાને ઉપર જણાવેલા ત્રણ ભેદોમાં સમાવીને અહીં માત્ર ત્રણ પ્રકારોનું વર્ણન કરવાનું ઈષ્ટ છે.
શ્લોકના પૂર્વાર્ધમાં એ ત્રણ ભેદોના નામ જણાવીને ઉત્તરાર્ધથી પ્રથમ દુ:ખાન્વિત (દુ:ખગર્ભિત) વૈરાગ્યનું સ્વરૂપ વર્ણવ્યું છે. આર્દ્રધ્યાન સ્વરૂપ દુ:ખગર્ભિત વૈરાગ્ય છે. ઈષ્ટના સંયોગની ચિન્તા અને અનિષ્ટના વિયોગની ચિન્તા તેમ જ રોગની ચિન્તા અને નિયાણા(નિદાન)ની ચિન્તા સ્વરૂપ આર્દ્રધ્યાન ચાર પ્રકારનાં છે. સંસારમાં પાપના યોગે પ્રાપ્ત થયેલા દુ:ખસ્વરૂપ અનિષ્ટના યોગે તેના વિયોગ માટે સતત ચિન્તનાદિ કરવાના કારણે આવા જીવો સંસારનાં સુખોથી પણ દૂર રહે છે. જેનાથી દૂર રહેવાનું છે તેની પ્રત્યે રાગ ન હોય એ સમજી શકાય છે. આ રીતે સુખ પ્રત્યે રાગનો અભાવ થવાથી તે વૈરાગ્ય છે અને દુ:ખના નિમિત્તથી તે થયો હોવાથી દુ:ખગર્ભિત હોય છે.
આવા આત્માઓ સુખથી દૂર રહેતા હોવા છતાં મુક્તિના
DECEDEDE DDDDD
B
૩૫
TEEEEE uddUQUO
Page #39
--------------------------------------------------------------------------
________________
ઉપાયભૂત સમ્યજ્ઞાનાદિને વિશે પોતાની શક્તિ અનુસાર પ્રવૃત્તિ કરતા નથી. તાત્ત્વિક રીતે સુખની અસારતાદિના પરિજ્ઞાનથી જ વૈરાગ્ય થયો હોય તો શ્રદ્ધાતિશયને લઈને શક્તિ ઉપરાન્ત પણ મુક્તિના ઉપાયોમાં પ્રવૃત્તિ થતી હોય છે. તેથી જ્યાં શક્તિ અનુસાર પણ પ્રવૃત્તિ જણાતી ન હોય ત્યાં તાત્ત્વિક વૈરાગ્ય હોતો નથી. તેથી શક્તિ અનુસાર પ્રવૃત્તિના અભાવના કારણે આ વૈરાગ્ય દુઃખાન્વિત છે. સંસારનો અહીં ભય ન હોવાથી અને માત્ર દુઃખનો જ ભય હોવાથી તે આર્તધ્યાન સ્વરૂપ છે – એ સ્પષ્ટ છે. II૬-૨૧
પૂર્વ(૨૧મા)શ્લોકના ઉત્તરાર્ધથી શરૂ કરેલ પ્રથમ દુઃખગર્ભિત વૈરાગ્યનું જ સ્વરૂપ જણાવાય છે –
अनिच्छा ह्यत्र संसारे स्वेष्टालाभादनुत्कटा । नैर्गुण्यदृष्टिजं द्वेषं विना चित्ताङ्गखेदकृत् ॥६-२२॥
“પોતાના ઈષ્ટની પ્રાપ્તિ ન થવાથી દુઃખગર્ભિત વૈરાગ્ય વખતે સંસાર પ્રત્યે અનુત્કટ અનિચ્છા હોય છે. સંસારની નિર્ગુણતાના જ્ઞાનથી તેની પ્રત્યે ઉત્પન્ન થનાર દ્વેષ વિના એ અનિચ્છા મન અને શરીરને ખેદ કરનારી બને છે.”- આ પ્રમાણે બાવીશમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે દુઃખાન્વિત વૈરાગ્ય હોતે છતે સંસાર અર્થાત્ વિષયસુખની પ્રત્યે ઈચ્છા રહેતી નથી. ઈચ્છાના અભાવ સ્વરૂપ આત્મપરિણતિને અહીં અનિચ્છા તરીકે વર્ણવી છે અને સંસારને વિષયસુખ સ્વરૂપે વર્ણવ્યો છે. સામાન્ય રીતે પણ વિચારવાથી સમજી શકાશે કે વિષયજન્ય સુખોનું અસ્તિત્વ જ આ સંસારમાં હોત નહિ તો આ સંસારની ઈચ્છા જ થાત નહિ. સંસારની ઈચ્છા વિષયસુખની ઇચ્છાને લઈને છે. વિષયસુખની ઉચ્છા ન હોય તો સંસારની ઈચ્છા ન હોય, તેમાં અનિચ્છા હોય એ સ્પષ્ટ છે. આ રીતે
Page #40
--------------------------------------------------------------------------
________________
ઈચ્છાના વિષય સ્વરૂપે બંને સમાન છે.
દુ:ખગર્ભિત વૈરાગ્ય હોવાથી સંસાર પ્રત્યે અનિચ્છા તો થાય. પરન્તુ તે ઉક્ટ કોટિની હોતી નથી. ઈચ્છાના અભાવ સ્વરૂપ એ આત્મપરિણતિને (અનિચ્છાને) ઉત્કટ બનાવવાનું કામ, નૈગુણ્યદૃષ્ટિથી ઉત્પન્ન થનારા દ્વેષથી થાય છે. સંસારસુખમાં(સંસારમાં) બલવદ્ એવા અનિષ્ટની સાધનતાનું જે પ્રતિસન્ધાન (અનુસન્ધાન-સ્મરણાત્મક જ્ઞાનવિશેષ) છે; તેને નિર્ગુણ્યદૃષ્ટિ' કહેવાય છે. આવી દૃષ્ટિના કારણે; તેના (નૈગૃષ્ણદૃષ્ટિના) વિષય ઉપર દ્વેષ જાગે છે. આવા પ્રકારના દ્વેષ વિના વિષયસુખની ઈચ્છાનો અભાવ ઉત્કટ નહિ બને. વિષયજન્ય સુખની અનિચ્છા; પ્રથમ વૈરાગ્ય વખતે સંસારની નિર્ગુણતાના જ્ઞાનના અભાવે ઉત્કટ નથી : એ સ્પષ્ટ છે. તેથી જ આ દુ:ખગર્ભિત વૈરાગ્યના સ્થાને સંસાર પ્રત્યેની અનિચ્છા; મન અને શરીરને ખેદનું કારણ બને છે. એનાથી કોઈ વિશેષ લાભ થતો નથી.
દુ:ખગર્ભિતવૈરાગ્યસ્થળે આમ તો સંસારના વિષયમાં અનિચ્છા-ઈચ્છાનો વિચ્છેદ(વિનાશ) થવાનું કોઈ કારણ નથી. પરંતુ ઈચ્છાનો વિચ્છેદ બે પ્રકારે થાય છે. ઈષ્ટ વસ્તુ મને મળી શકે એમ નથી.'-આવા પ્રકારના અલભ્યવિષયત્વના જ્ઞાનના કારણે ઈચ્છાનો વિચ્છેદ થાય છે તેમ જ વસ્તુ પ્રત્યે દ્વેષ થવાના કારણે પણ તે વસ્તુની ઈચ્છાનો વિનાશ થાય છે. આ બેમાં પહેલો ઈચ્છાવિચ્છેદ દુઃખનું જ કારણ બને છે; કારણ કે ઈષ્ટપ્રાપ્તિના અભાવનું અહીં જ્ઞાન છે. ઈષ્ટ ન મળે એટલે દુઃખ થાય એ સમજી શકાય છે. બીજો દુઃખવિચ્છેદ એવો દુ:ખજનક નથી. કારણ કે તે હેપના કારણે થયો છે. પની વિદ્યમાનતામાં તે વસ્તુની ઈચ્છા ન હોવાથી ઈટાપ્રાપ્તિનો સંભવ જ નથી. જેથી દુઃખ થવાનો પણ સંભવ નથી. સંસારની નિર્ગુણતાનું જ્ઞાન
| (ES INDI DIFE DE ESS ONLINE DIIG DEBITDIED
Page #41
--------------------------------------------------------------------------
________________
થવાથી જેને સંસાર પ્રત્યે દ્વેષ થયો છે, તે આત્માને કોઈ વાર ઇષ્ટ ન મળે તોપણ એમ જ થાય કે ‘સારું થયું ! તે ન મળ્યું ! અન્યથા રાગ થવાનો પ્રસંગ આવત’... આ વિચારથી દુ:ખ થતું નથી. ૬-૨૨॥ બીજા મોહાન્વિત વૈરાગ્યનું નિરૂપણ કરાય છે एकान्तात्मग्रहोद्भूतभवनैर्गुण्यदर्शनात् । शान्तस्यापि द्वितीयं सज्ज्वरानुद्भवसन्निभम् ॥ ६-२३ ॥ ‘“પ્રશમવન્તને પણ; એકાન્તે આત્માદિને નિત્ય કે અનિત્ય માનનારના દર્શનનું જ્ઞાન થવાથી ઉત્પન્ન થયેલા ભવની નિર્ગુણતાના દર્શનથી, તાવ આવવા પૂર્વેની અવસ્થા જેવો બીજો મોહાન્વિત વૈરાગ્ય હોય છે.'' - આ પ્રમાણે ત્રેવીશમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે આ વિશ્વના સકલ પદાર્થોનું સ્વરૂપ સમજાવતી વખતે કેટલાક દર્શનકારોએ સર્વથા અસદ્ અને વિનશ્વર સ્વરૂપે તેમ જ સર્વથા સદ્ અને અવિનશ્વર સ્વરૂપે પદાર્થોનું વર્ણન કર્યું છે. એ મુજબ આત્માને પણ સર્વથા અસદ્ અને વિનશ્વર અથવા સર્વથા સદ્ અને અવિનશ્વર (ફૂટસ્થનિત્ય-સહેજ પણ પરિવર્તન નહિ પામનાર) સ્વરૂપે તેઓ વર્ણવે છે. એ એકાન્તદર્શનકારોનાં શાસ્ત્રોના અભ્યાસાદિથી જે ભવની નિર્ગુણતાનું દર્શન થાય છે તેને લઈને શાન્ત માણસને પણ જે વૈરાગ્ય થાય છે, તે બીજો મોહગર્ભિત વૈરાગ્ય કહેવાય છે.
આશય એ છે કે સામાન્ય રીતે શાસ્ત્રના અભ્યાસથી જે વૈરાગ્ય થાય તે તો જ્ઞાનગર્ભિત હોવો જોઈએ. પરન્તુ એકાન્તદર્શનના પરિચયથી જે થાય જ્ઞાન છે તે વાસ્તવિક ન હોવાથી ખરી રીતે તો અજ્ઞાનવિશેષ સ્વરૂપ તે જ્ઞાન છે. તેથી તેનાથી ઉદ્ભૂત વૈરાગ્યને
HTT
Hub/DDDDDD
૩૮
CEEDED DTD/07/D/DOE
Page #42
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનગર્ભિત સ્વરૂપે વર્ણવ્યો નથી. વૈરાગ્ય પરમપદની પ્રાપ્તિના કારણ તરીકે અભીષ્ટ છે. આત્માને એકાતે અનિત્ય કે નિત્ય માની લેવામાં આવે તો કોઈ પણ રીતે આત્માને પરમપદની પ્રાપ્તિ થઈ શકે નહિ. સર્વથા વિનષ્ટને કે અપરિવર્તનશીલને કોઈ પણ વસ્તુની પ્રાપ્તિ થઈ શકે નહિ-એ સ્પષ્ટ છે. આથી સમજી શકાશે કે જેનું ફળ જ નથી એવા વૈરાગ્યને મોદ્ગર્ભિત માનવા સિવાય બીજો કોઈ જ ઉપાય નથી.
આ મોગર્ભિત વૈરાગ્ય શાન્ત આત્માને પણ હોય છે. ક્રોધાદિ કષાયો જેના શાન્ત થયા છે તે પ્રશવન્ત આત્માને શાન્ત કહેવાય છે. પોતાને ઈષ્ટ એવા એકાન્તદર્શનના પરિચયથી ભવનિર્ગુણતાનું દર્શન થવાથી તે આત્માઓ ક્યાયાદિને શાન્ત કરી વૈરાગ્યથી વાસિત બને છે. પરન્તુ દિન-પ્રતિદિન એકાન્તદર્શનના અતિપરિચય મિથ્યાત્વાદિ ગાઢ બને છે અને તેથી ક્ષાયોની શાન્તાવસ્થાનું કોઈ ફળ મળતું નથી. તે દૃષ્ટિએ આ આત્માઓ લોકની દૃષ્ટિએ જ પ્રશમવન્ત દેખાય છે. જ્ઞાનીઓની દૃષ્ટિએ તો એ અવસ્થા તાત્ત્વિક હોતી નથી.
મોગર્ભિત વૈરાગ્યનું સ્વરૂપ સમજાવવા શ્લોકના છેલ્લા પદથી દૃષ્ટાન્ત જણાવ્યું છે. શરીરમાં તાવ આવ્યો ન હોય પરંતુ તે આવવાની શક્યતા પૂર્ણપણે હોય અર્થાત્ શક્તિસ્વરૂપે તાવ શરીરમાં હોય તેનો વર્તમાનમાં ઉભવ (ઉદય) ન હોય અર્થ તાવ આવવાનો પૂર્વકાળ હોય ત્યારે વર્તમાનમાં સારું હોવા છતાં ભવિષ્યમાં જેમ અપાય છે, એવી જ રીતે મોહગર્ભિત વૈરાગ્ય પણ ભવિષ્યમાં અપાયનું જ પ્રદાન કરવામાં નિમિત્ત બનશે. સંસાર પ્રત્યે દ્વેષ થવાથી ઉત્પન્ન થયેલો વૈરાગ્ય ઉત્કટ હોવા છતાં પણ મિથ્યાજ્ઞાનના સંસ્કારોનો નાશ થયો ન હોવાથી વર્તમાન વૈરાગ્ય અપાય અને પ્રતિપાતના
GEEEEEEEEEEEEE
E
|DF\DF DF\ D]DF, PGD
Page #43
--------------------------------------------------------------------------
________________
સામર્થ્યથી યુક્ત છે. તેથી તે ભવિષ્યમાં અપાયકર બને અને તે નાશ પણ પામે. શરીરમાં તાવ આવ્યો નથી પરન્તુ અંદર પડી રહ્યો હોય તો ગમે ત્યારે તે આવશે. તેથી વર્તમાન આરોગ્ય; જેમ ભવિષ્યસમ્બન્ધી રોગશક્તિથી સમન્વિત હોવાથી સારું નથી, તે રીતે મોહગર્ભિત વૈરાગ્ય પણ અપાય અને પ્રતિપાત શક્તિથી સમન્વિત હોવાથી તે સારો નથી.... ઈત્યાદિ સારી રીતે વિચારવું જોઈએ. ॥૬-૨૩ા
હવે જ્ઞાનાન્વિત વૈરાગ્યનું નિરૂપણ કરાય છે - स्याद्वादविद्यया ज्ञात्वा बद्धानां कष्टमङ्गिनाम् । तृतीयं भवभीभाजां मोक्षोपायप्रवृत्तिमत् ॥६- २४॥ ‘‘કર્મથી બન્ધાયેલા જીવોનાં કષ્ટોને સ્યાદ્વાદવિદ્યાથી જાણીને સંસારથી ભયભીત થયેલા આત્માઓને; મોક્ષના ઉપાયની પ્રવૃત્તિથી યુક્ત એવો ત્રીજો જ્ઞાનગર્ભિત વૈરાગ્ય હોય છે.''- આ પ્રમાણે ચોવીસમા શ્લોકનો અક્ષરાર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે આ દુ:ખમય સંસારમાં દુ:ખથી સંત્રસ્ત જીવોની અવસ્થાને અને તેની કારણભૂત કર્મબદ્ધતાને જોઈને અને સ્યાદ્વાદવિદ્યાથી જાણીને જેમને ભવનો ભય પેદા થાય છે, એવા આત્માઓને જ્ઞાનગર્ભિત વૈરાગ્ય હોય છે. સર્વનયોના સમુદાય સ્વરૂપ વચનોને સ્યાદ્વાદ કહેવાય છે. એના પરિજ્ઞાનથી કર્મબદ્ધ જીવોના દુ:ખને જાણવાથી સંસારનો ભય ઉત્પન્ન થાય છે.
કર્મબદ્ધ જીવોના દુ:ખનું સ્વરૂપ, તેનું કારણ અને તેના વિપાક વગેરેનું વાસ્તવિક જ્ઞાન સ્યાદ્વાદસ્વરૂપ વચનથી થાય છે. એ પરમતારક વચનોનું પરિજ્ઞાન ન હોય તો જીવોની કર્મબદ્ધતાદિનું યથાર્થ રીતે જ્ઞાન ન થાય અને તેથી જ્ઞાનગર્ભિત વૈરાગ્ય નહિ થાય. સંસારનું કારણ, સંસારનું સ્વરૂપ અને તેનું ફળ : આ બધાનું વાસ્તવિક
ન
४०
DDDDDDDDD \_// ]
Page #44
--------------------------------------------------------------------------
________________
જ્ઞાન; જ્ઞાનાન્વિત વૈરાગ્યનું કારણ બને-એ સ્પષ્ટ છે.
આ રીતે કર્મથી બન્ધાયેલા પ્રાણીમાત્રના કષ્ટને સ્યાદ્વાદ વિદ્યાથી જાણીને એ દુ:ખને તેઓ સંસારમૂલક જાણે છે. તેથી તેમને દુ:ખની પ્રત્યે નહિ પરન્તુ સંસારની પ્રત્યે ભય થાય છે. તેથી જ તેમનો વૈરાગ્ય; મોક્ષના ઉપાયભૂત જ્ઞાન, દર્શન અને ચારિત્રના સામ્રાજ્યને વિશે પ્રવૃત્તિમ ્ હોય છે. તેમની મન-વચન-કાયાની પ્રકૃષ્ટ વૃત્તિઓ રત્નત્રયીના સામ્રાજ્યમાં પ્રયુક્ત હોય છે. અને આવી પ્રવૃત્તિથી આચ્છાદિત તેમનો વૈરાગ્ય હોય છે. સંસારથી ભયભીત થવાના કારણે સંસારથી નિર્વિર્ણ બની એકમાત્ર મોક્ષના ઉપાયોનું આસેવન તેઓ સતત કરતા હોય છે. સંસારની નિર્ગુણતાનું જ્ઞાન વૈરાગ્ય દ્વારા સંસારથી મુક્ત કરાવનારું બને છે. મોક્ષના ઉપાયભૂત રત્નત્રયીના પ્રકૃષ્ટ આચરણથી યુક્ત જ્ઞાનગર્ભિત વૈરાગ્ય હોય છે. જ્ઞાન અને આચરણએ બંન્નેનો સંવાદ જ આ જ્ઞાનગર્ભિત વૈરાગ્યમાં શરૂ થાય છે. અત્યાર સુધી જ્ઞાન અને આચરણનો કોઈ મેળ જ બેસતો ન હતો. એ મેળ બેસાડવાનું કાર્ય જ્ઞાનગર્ભિત વૈરાગ્ય દ્વારા થાય છે. ૬-૨૪ ઉપર જણાવેલા ત્રણ વૈરાગ્યમાંથી જે વૈરાગ્યના કારણે સાધુની સમગ્રતા થાય છે-તે જણાવાય છે –
सामग्र्यं स्यादनेनैव द्वयोस्तु स्वोपमर्दतः ।
अत्राङ्गत्वं कदाचित्स्याद् गुणवत्पारतन्त्र्यतः ॥६-२५।। ‘‘આ જ્ઞાનાન્વિત વૈરાગ્યથી જ પૂ.સાધુભગવન્તોની સમગ્રતા પૂર્ણ થાય છે. દુ:ખાન્વિત અને મોહાન્વિત વૈરાગ્ય તો કોઈ વાર પોતાના વિનાશ દ્વારા ગુણવાન પુરુષોની આજ્ઞાનું પારતત્ર્ય કેળવવાથી જ્ઞાનાન્વિત વૈરાગ્યના અંગ બને છે.’'આ પ્રમાણે પચીસમા શ્લોકનો સામાન્ય અર્થ છે. કહેવાનો આશય એ છે કે પૂ.સાધુમહાત્માઓનું
CEEDEEEEEE GOOGLED/
૪૧
[C] typte EEC
Page #45
--------------------------------------------------------------------------
________________
સામગ્ર દુઃખના ઉચ્છદ સ્વરૂપ છે, જે કર્મમાત્રના ઉચ્છેદથી થઈ શકે છે. સકલ કર્મના ક્ષય સ્વરૂપ મોક્ષની પ્રાપ્તિ વિના સાધુભગવન્તોની સમગ્રતા સિદ્ધ નહીં થાય. જ્ઞાનાન્વિત વૈરાગ્યના જ કારણે સર્વથા દુઃખોનો ઉચ્છેદ થાય છે. કારણ કે જ્ઞાનસહિત વૈરાગ્ય અપાયશક્તિનો પ્રતિબંધ કરે છે. તેથી ભવિષ્યમાં કોઈ અપાય થતો ન હોવાથી દુઃખોનો સર્વથા ઉચ્છેદ થઈ જાય છે. કમિક દુઃખોનો ઉચ્છેદ થતો હોય તોપણ ભવિષ્યમાં જો અપાયની પ્રાપ્તિ થયા જ કરે તો સર્વથા એ દુઃખોચ્છેદ ન જ થાય - એ સમજી શકાય છે. જ્ઞાનસહિત વૈરાગ્ય
સ્થળે એવું બનતું નથી. જ્ઞાનના કારણે અપાયની શક્તિ જ પ્રતિબદ્ધ થાય છે અને તેથી વૈરાગ્ય વિના પ્રતિબંધે દુઃખોનો ઉચ્છેદ કરી શકે છે. જ્ઞાનથી રહિત એવા બંને વૈરાગ્યમાં એ શક્ય થતું નથી. ત્યાં અપાયની શક્તિનો પ્રતિબન્ધ થતો નથી.
કોઈ વાર શુભનો ઉદય થાય તો એ દશામાં ગુણવાન પુરુષોની આજ્ઞાને આધીન બની મોક્ષના ઉપાયમાં પ્રવૃત્તિ કરાય તો દુઃખગર્ભિત કે મોહગર્ભિત વૈરાગ્ય પોતાના નાશ દ્વારા જ્ઞાનગર્ભિત વૈરાગ્યમાં પરિણમે છે. આ રીતે એ બને, જ્ઞાનાન્વેિતવૈરાગ્યમાં ઉપકારક અંગ બને છે. જોકે એ બંને વૈરાગ્ય જ્ઞાનસહિત નથી પરંતુ ગુણવાનજ્ઞાનીનું પારતન્ય, એના ફળને આશ્રયીને જ્ઞાનસહિત બને છે. જ્ઞાનની જેમ જ જ્ઞાનીભગવન્તનું પારતન્ય પણ અપાયશક્તિનો પ્રતિબન્ધ કરે છે. તેથી જ્ઞાન અને જ્ઞાનીના પારતન્યમાં એ દૃષ્ટિએ ભેદ નથી. આથી સમજી શકાશે કે પૂ.સાધુમહાત્માઓને તેમની સમગ્રતા-પૂર્ણતાની પ્રાપ્તિ માટે જ્ઞાન જેટલું જ મહત્ત્વ જ્ઞાનીના પારતવ્યમાં છે. જ્ઞાનના અભાવે કોઈ વાર દુઃખ કે મોહથી અન્વિત
]િD]D]D]D]D]DDED G//bg/SUBMS
STDF\ D]S|DFD]DDED /EdSİNS/EdSMS
Page #46
--------------------------------------------------------------------------
________________
એવો પણ વૈરાગ્ય થયો હોય; તોપણ જ્ઞાનીની આજ્ઞાને વશ બની પ્રવૃત્તિ કરવાથી સાધુસમગ્રતાને પ્રાપ્ત કરી શકાય છે. આવું સમજ્યા પછી પણ જ્ઞાનીઓની પરમતારક આજ્ઞાને આધીન બનવાનું લગભગ ગમતું નથી. સર્વથા દુ:ખોનો ઉચ્છેદ કરવા માટે પ્રયત્નશીલ બનેલા આત્માઓ બીજી કોઈ પ્રવૃત્તિ કરે અથવા ન કરે તોપણ ગુણવત્પારતન્ત્ય કેળવે નહિ તો તેમનો પ્રયત્ન સફળ નહિ બને. સ્વતન્ત્રપણે વર્તવાની વૃત્તિ દિવસે દિવસે વ્યાપક બનતી જાય છે. આવી સ્થિતિમાં ગુણવત્સારતત્ર્યની અનિવાર્યતા અને આવશ્યકતા સમજાવવાનું પણ લગભગ શક્ય નથી. જ્ઞાનરહિત એવા પણ વૈરાગ્યને જ્ઞાનગર્ભિત બનાવવાનું કાર્ય; ગુણવત્સારતત્ર્ય કરે છે : એ મુમુક્ષુ આત્માઓએ કોઈ પણ રીતે ભૂલવું ના જોઈએ. ॥૬-૨૫।।
ગુણવત્ત્પારતન્ત્ય વિના પણ ભાવની શુદ્ધિથી વૈરાગ્યને સફળ બનાવી શકાય છે. તેથી ઉપર જણાવ્યા મુજબ ગુણવત્પારતત્ર્યની આવશ્યકતા નથી- આ પ્રમાણે કહેનારાની વાત બરાબર નથી, તે જણાવાય છે
भावशुद्धिरपि न्याय्या न मार्गाननुसारिणी । अप्रज्ञाप्यस्य बालस्य विनैतत्स्वाग्रहात्मिका ॥६-२६॥
“ગુણવત્ એવા ગુરુજનોના પારતન્ત્ય વિન અપ્રજ્ઞાપનીય એવા અજ્ઞાનીની પોતાના આગ્રહસ્વરૂપ ભાવશુદ્ધિ પણ માર્ગાનુસારિણી ન હોવાથી ઉચિત નથી.’’- આ પ્રમાણે છવ્વીશમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે પાંચ મહાવ્રતો સ્વરૂપ યમ; તેમ જ શૌચ,
સન્તોપ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વરધ્યાન સ્વરૂપ પાંચ નિયમ અને
આસન વગેરે યોગનાં અંગોની સાધના વડે મનની સફ્ફલેશ(રાગ
GALL ODDS D DA
CELL/Et ૪૩
真正DDDDD
Page #47
--------------------------------------------------------------------------
________________
દ્રષ)રહિત અવસ્થાને ભાવશુદ્ધિ કહેવાય છે. ગીતાર્થમહાત્માઓના ઉપદેશનું અવધારણ કરવાની જેનામાં યોગ્યતા નથી તેને અપ્રજ્ઞાપ્ય (અપ્રજ્ઞાપનીય) કહેવાય છે. શાસ્ત્ર પ્રત્યેની શ્રદ્ધા કરતાં પણ અધિક એવી પોતાની કલ્પનાના અભિનિવેશને સ્વાગ્રહ કહેવાય છે. અને વિશિષ્ટ ગુણસ્થાનકને પ્રાપ્ત કરાવવામાં તત્પર એવો જીવનો સ્વાભાવિક જે પરિણામ છે તેને માર્ગ કહેવાય છે. આથી સમજી શકાશે કે જે ભાવશુદ્ધિ માર્ગોનુસારિણી હોય, પ્રજ્ઞાપનીયની હોય અને સ્વાગ્રહથી શૂન્ય હોય તે જ જાણ્ય-ઉચિત છે.
ગુણવત્ત ગુરુદેવશ્રીનું પારત જેઓ સ્વીકારતા નથી, તેમની શાન્તપરિણતિ માર્ગને અનુસરનારી હોતી નથી. તેઓ પોતાની જાતને પરમગીતાર્થ માનતા હોવાથી બીજા કોઈ પણ ગીતાર્થ મહાત્માઓનો પરમતારક ઉપદેશ ઝીલવાની યોગ્યતાથી રહિત હોય છે અને શાસ્ત્ર પ્રત્યે શ્રદ્ધા રાખવાના બદલે પોતાની પ્રતિકલ્પના ઉપર તેમને વધારે વિશ્વાસ હોવાથી દરેક વસ્તુના વિષયમાં તેમને ચિકાર આગ્રહ હોય છે. આવા બાલ જીવોની (અજ્ઞાનીઓની) ભાવશુદ્ધિ ન્યાય્ય મનાતી નથી. કારણ કે તેઓ ગુણવત્ત ગુરુદેવશ્રીની પરમતારક આજ્ઞાને આધીન નથી.
જામ્ય કોટિની ભાવશુદ્ધિનું વર્ણન કરતાં શ્રી અષ્ટપ્રકરણમાં ફરમાવ્યું છે કે-“આ ભાવની શુદ્ધિ પણ (મનની અસલિશ્યમાનતા પણ) મોક્ષમાર્ગના અનુસરણના સ્વભાવવાળી હોવી જોઈએ, આગમના અર્થના ઉપદેશ સ્વરૂપ પ્રજ્ઞાપના જેમાં અત્યન્ત પ્રિય છે એવી હોવી જોઈએ અને શાસ્ત્રપ્રતિપાદિત અર્થથી વિલક્ષણ એવો જે સ્વાભિમત અર્થ; તેના અભિનિવેશથી રહિત હોવી જોઈએ.’ભાવશુદ્ધિમાં
SUNDDEDDDDD GS/NT | SUBS/BOOy9dB/6/7/
Page #48
--------------------------------------------------------------------------
________________
સ્વાગ્રહથી રહિતપણું કેમ હોવું જોઈએ, તે જણાવતાં ત્યાં ફરમાવ્યું છે કે “રાગ, દ્વેષ અને મોહ (અજ્ઞાન): આ ત્રણ, ભાવની મલિનતાના (આત્મપરિણતિની અશુદ્ધતાનાં) કારણ છે. તેના ઉત્કર્ષ(ઉપચય)થી ભાવની મલિનતાનો (સ્વાગ્રહાદિસ્વરૂપ ભાવમલિનતાનો) જે ખરેખર તો ઉપચય થાય છે.”અને તેથી “રાગાદિના ઉત્કર્ષથી સ્વાગ્રહાદિસ્વરૂપ ભાવમાલિન્ય ઉત્કટ થયે છતે ભાવની શુદ્ધિ બોલવા પૂરતી જ રહે છે. પોતાની બુદ્ધિની કલ્પના સ્વરૂપ શિલ્પીથી નિર્માણ પામેલું અર્થવદ્ નહિ બને.”.... ઈત્યાદિ અષ્ટપ્રકરણથી જાણી લેવું જોઈએ.
//૬-૨દા ગુણવત્યારતન્મનું કાર્ય જણાવીને તેનું સમર્થન કરાય છેमोहानुत्कर्षकृच्चैतदत एवापि शास्त्रवित् । क्षमाश्रमणहस्तेनेत्याह सर्वेषु कर्मसु ॥६-२७॥
મોહના અપકર્ષને કરનારું આ ગુણવત્યારતન્ય છે. આથી જ શાસ્ત્રના જાણકાર પણ સર્વકાર્યમાં ‘ક્ષમાશ્રમણના હાથે' - આ પ્રમાણે જણાવે છે.”- આ પ્રમાણે સત્તાવીસમા શ્લોકનો અક્ષરાર્થ છે. એનું તાત્પર્ય એ છે કે, ગુણવદ્ એવા જ્ઞાનીગુરુભગવન્તની પરમતારક આજ્ઞામાં રહેવાથી મોહનો અપકર્ષ (મિક હાસ) થાય છે. શાસ્ત્રની શ્રદ્ધા કરતાં પણ પોતાની બુદ્ધિકલ્પનાને શ્રેષ્ઠ માનવા સ્વરૂપ જે સ્વાગ્રહ છે તેનું કારણ મોહ-અજ્ઞાન છે. આવો મોહ ગુણવત્યારતન્યના કારણે થતો નથી. અને ભૂતકાળમાં થયેલા એ મોહનો ધીરે ધીરે ગુણવગુરુભગવન્તની આજ્ઞાની આધીનતાને કારણે અપકર્ષ થાય છે.
એ વાતને જણાવતાં અષ્ટપ્રકરણમાં ફરમાવ્યું છે કે “મોહ
CT US cod/obb/S૪૧
//d/g/BOEMS
Page #49
--------------------------------------------------------------------------
________________
તેમ જ રાગદ્વેષની ઉદ્રિતતાના અભાવે ફક્યારે પણ સ્વાગ્રહ થતો નથી. મોહની(મોહાદિની) ઉદ્રિતતા(ઉત્કર્ષ)ના અભાવનું સાધન ગુણવત્પારતન્ય છે.” ગુણવત્પારતન્ય મોહના અનુર્ષને કરનારું હોવાથી જ આગમના જાણકાર પણ દીક્ષા પ્રદાન અને સૂત્રસંબન્ધી ઉદ્દેશ, સમુદ્દેશ તથા અનુજ્ઞા વગેરે સ્વરૂપ કાર્યપ્રસંગે (દીક્ષા પ્રદાનાદિ) ક્ષમાશ્રમણોના(પૂર્વકાળના પરમર્ષિઓના) હસ્તે હું આવું છું. સ્વતંત્રપણે નહિ, આ પ્રમાણે કહે છે. કારણ કે એ પ્રમાણે બોલવા વડે ભાવથી ગુરુપારતન્યની પ્રાપ્તિ થાય છે અને તેનાથી મોહનો અપકર્ષ થવાથી અતિચારની શુદ્ધિ થાય છે.
કહેવાનો આશય એ છે કે આગમના જ્ઞાતા એવા ગીતાર્થ મહાત્માઓ પણ; શ્રી વીતરાગપરમાત્માની આજ્ઞા મુજબ દીક્ષા પ્રદાન કે સૂત્રના ઉદ્દેશાદિ કાર્ય કરવાના પ્રસંગે દરેક કાર્યમાં, આ હું નથી કરતો પરંતુ ક્ષમાશ્રમણોના હસ્તે કરાય છે-એમ બોલતા હોય છે. એનાથી ગુણવપુરુષોનું પારતન્ય ભાવથી પ્રાપ્ત થાય છે અને તેથી તે તે મહાન કાર્યો કરતી વખતે કાર્ય કરનાર મહાત્માઓને અહંકારાદિ દોષો ઉદ્દભવતા નથી, જેથી ગુણવત્યારત... આ રીતે અતિચારનું શોધક બને છે. અષ્ટપ્રકરણમાં પણ એ પ્રમાણે કર્યું છે કે
ગુણવત્પારતન્ય મોહના અનુત્કર્ષને કરનારું હોવાથી જ આગમના જાણકાર પણ દીક્ષા પ્રદાનાદિ દરેક કાર્યપ્રસંગે ‘ક્ષમાશ્રમણોના હાથે આ પ્રમાણે અવશ્ય બોલે છે. આથી સમજી શકાશે કે આગમના જાણકાર પણ મોહના છાસ માટે ભાવથી ગુરુષારતન્યનો સ્વીકાર કરે છે. ગુરુપારત વિના ભાવની શુદ્ધિ કોઈ પણ રીતે શક્ય નથી. ગમે તેટલી કપાયની પરિણતિ મંદ હોય અને ગમે તેટલી આગમની
EDIT DISDF\ BFDGENEFITS OF DIG BIG IN E
Page #50
--------------------------------------------------------------------------
________________
વિશારદતા હોય પરંતુ ગુણવ-ગુરુપારતન્ય વિના એ ભાવવિશુદ્ધિનું કારણ નહીં બને. પરમશ્રદ્ધા, અસાધારણ વિદ્વત્તા અને અપ્રમત્ત સંયમસાધનાદિ ગુણો પણ ગુણવદ્-ગુરુભગવન્તના પારતત્ર્ય વિના ગુણાભાસ સ્વરૂપે જ પરિણમતા હોય છે. એ ગુણોને વાસ્તવિક બનાવવા માટે ગુણવત્યારતન્ય વિના બીજો કોઈ જ ઉપાય નથી. જે ગુણની ખરેખર જ આવશ્યક્તા છે તેની વધુ પડતી ઉપેક્ષા કરવાના કારણે આજે ખૂબ જ વિષમ સ્થિતિ સર્જાઇ છે. વહેલામાં વહેલી તકે આ સ્થિતિમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન નહીં કરાય તો ભવિષ્યમાં કેવી પરિસ્થિતિ સર્જાશે તે કહી શકાય એવું નથી. I૬-રણા
ગુણવત્યારતન્યનો કોણ સ્વીકાર કરે છે અને કોણ સ્વીકારતું નથી- તે જણાવાય છે –
यस्तु नान्यगुणान् वेद नवा स्वगुणदोषवित् । स एवैतन्नाद्रियते न त्वासन्नमहोदयः ॥६-२८॥
શ્લોકાર્થ સ્પષ્ટ છે. કહેવાનો આશય એ છે કે – જે બીજાના ગુણોને જાણતો નથી તેમ જ પોતાના ગુણ અને દોષને જાણતો નથી તે જ ગુણવત્પારતનો સ્વીકાર કરતો નથી. કારણ કે એવો આત્મા લગભગ બીજાના દોષો જોવામાં તત્પર હોય છે અને પોતાના દોષો હોવા છતાં અને ગુણો ન હોવા છતાં દોષને જોતો નથી અને ગુણને જોયા કરે છે. આવા લોકો ગુણવતું પારતન્ય રાખી ન શકે. કારણ કે તેમને એનું કોઈ જ પ્રયોજન નથી.
પોતાના ગુણદોષને જોયા પછી ગુણની રક્ષા અને દોષનો વિગમ વગેરે માટે ગુણવદ્ગુરુજનોના પારવ્યની અપેક્ષા હોય છે. સામા માણસના ગુણ પણ તેના પારતવ્યના સ્વીકાર માટે જોવાના
IિNDI ENDEDS|\
VEDINDIGENDINES|EFEND ///hd/g/S4977777777
Page #51
--------------------------------------------------------------------------
________________
છે. પરંતુ જેને બીજાના ગુણો જણાતા નથી અને પોતાના પણ ગુણદોષો જણાતા નથી એવા આત્માને ગુણવત્પાતત્યનો વિચાર કરવાનો અવકાશ જ રહેતો નથી. બીજાના ગુણો તરફ દૃષ્ટિ જાય અને પોતાના ગુણદોષનું ભાન થાય તો ગુણવત્યારતન્યનો થોડો પણ વિચાર કરી શકાય. ગુણની લાલચ લાગે અને દોષો પ્રત્યે નફરત જાગે
ત્યારે ગુણવત્યારતત્ર્ય માટે કહેવું નહિ પડે, સ્વાભાવિક જ તે ત્યારે પ્રાપ્ત થયેલું હશે.
આ રીતે શ્લોકના પ્રથમ ત્રણ પાદથી ગુણવત્પારતવ્યનો આદર કોણ કરતો નથી એ જણાવીને ચોથા પાદથી શ્લોકમાં, ગુણવત્યારતવ્યનો આદર કોણ કરે છે તે જણાવ્યું છે. નજીકના 'કાળમાં જેને મહોદય-મોક્ષની પ્રાપ્તિ થવાની છે એવા આત્માઓ ગુણવત્યારતવ્યનો આદર કરતા નથી એવું નથી અર્થાત્ તેઓ તેનો આદર કરે છે. મોક્ષની પ્રાપ્તિ નજીકમાં હોવાથી એવા આત્માઓની યોગ્યતા શ્રેષ્ઠ કક્ષાની હોય છે. સ્વભાવસિદ્ધ કર્મલઘુતાને લઈને એ આત્માઓને ગુણની પ્રાપ્તિ અને દોષની નિવૃત્તિ ખૂબ જ સરળતાથી થતી હોય છે. ૬-૨૮,
ગુણવદ્ ગુરુજનોના પારતવ્યથી જે ફળ પ્રાપ્ત થાય છે, તે જણાવાય છે -
गुणवबहुमानाद् यः कुर्यात् प्रवचनोन्नतिम् । अन्येषां दर्शनोत्पत्तेस्तस्य स्यादुन्नति: परा ॥६-२९॥
ગુણવદ્ ગુરુજનો પ્રત્યે બહુમાન રાખવાથી જે પ્રવચનની ઉન્નતિ-પ્રભાવનાને કરે છે તેને અને બીજાને તેનાથી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે. તેથી તે શ્રેષ્ઠ કોટિની ઉન્નતિને પામે છે.”- આ
GિDF,DF\ 5|DF\SqDE
N ISSED DIED, GિloggggggS૪ ://
ggglf
Page #52
--------------------------------------------------------------------------
________________
પ્રમાણે ઓગણત્રીસમા શ્લોકનો અક્ષરાર્થ છે. એનો આશય એ છે કે ગુણવત્પારતન્યના કારણે પોતાની ગુણહીનતાનો અને દોષપૂર્ણતાનો
ખ્યાલ આવે છે. તેની સાથે ગુણવદ્ ગુરુજનોની ગુણવત્તાનો પણ પરિચય થાય છે. તેથી ગુણવદ્ ગુરુજનોની પ્રત્યે બહુમાન પ્રગટે છે. એ બહુમાનને લઈને ગુણવદ્ ગુરુજનોની સાથેનો વિનય અને વિવેકાદિ પૂર્ણ આપણો વ્યવહાર જોઈને જોનારાને એમ થાય છે કે “કેટલું અદ્ભુત છે આ જૈન શાસન ! જ્યાં આવું બહુમાન કરાય છે.......... આવા પ્રકારની ઘણા લોકો દ્વારા શ્રી વીતરાગપરમાત્માના પરમતારક પ્રવચનની પ્રશંસા થવાથી જ્ઞાનાદિગુણોથી ગુણવદ્ ગુરુજનોના બહુમાનથી પ્રવચનની ઉન્નતિ-પ્રભાવના થાય છે. આ રીતની બહુજનશ્લાઘા સ્વરૂપ પ્રવચનોન્નતિના કારણે પોતાને અને બીજાને શ્રી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે અને તેથી પ્રવચનની ઉન્નતિ કરનારની શ્રેષ્ઠ કોટિની શ્રી તીર્થકરપણું વગેરે પ્રાપ્ત કરવા સ્વરૂપ ઉન્નતિ થાય છે અર્થાત્ એ રીતે પ્રવચનની ઉન્નતિ કરનારને શ્રી તીર્થકરપદની કે શ્રી ગણધરપદ વગેરેની પ્રાપ્તિ થાય છે. કારણ કે કાર્ય, કારણને અનુરૂપ જ થતું હોય છે. જેવું કારણ હોય તેવું કાર્ય થાય. પ્રવચનની ઉન્નતિ અહીં કારણ છે, તેથી તેને અનુરૂપ શ્રેષ્ઠ કોટિની ઉન્નતિ સ્વરૂપ કાર્યની પ્રાપ્તિ થાય-એ સમજી શકાય છે.
આ વાતને જણાવતાં શ્રી અટકપ્રકરણમાં જણાવ્યું છે કે જે પોતાની શક્તિ અનુસાર શાસનની ઉન્નતિ-પ્રભાવના માટે પ્રયત્ન કરે છે તે પણ બીજાને સમ્યગ્દર્શનની પ્રત્યે કારણ બનીને તે અનુત્તર સમ્યગ્દર્શનને જ પ્રાપ્ત કરે છે. જે સમ્યગ્દર્શનતીવ્ર સંકલેશથી રહિત છે; પ્રશમ, સંવેગ અને નિર્વેદાદિ ગુણોથી યુક્ત હોય છે; સર્વ સુખોનું
F\ EIFENDINDIGENEF\ E
, NE DIF\ EID-DINDIGENDED
Page #53
--------------------------------------------------------------------------
________________
નિમિત્ત અને મોક્ષના સુખને આપનારું છે.
શ્રી વીતરાગપરમાત્માના પરમતારક શાસનનું મૂળ સમ્યગ્દર્શન છે. એ શાસનની પ્રભાવના બીજાને સમ્યક્ત્વની પ્રાપ્તિ કરાવવાથી થાય છે અને તેથી પોતાને અનુત્તર કોટિનું તે સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય છે. તેની અનુત્તરતાને જણાવવા માટે અહીં ચાર વસ્તુઓ જણાવી છે. અનન્તાનુબી(અનન્તસંસારનું કારણ બનનાર)ના કષાયોનો જે ઉદય છે, એને અહીં તીવ્રસંક્લેશ તરીકે વર્ણવ્યો છે. એવો તીવ્રસંકલેશ જ્યાં ક્ષય પામ્યો છે; એવું સમ્યગ્દર્શન અનુત્તર છે. પ્રશમ, સંવેગ, નિર્વેદ, અનુકમ્પા અને આસ્તિય સ્વરૂપ લિંગોને અહીં ગુણો તરીકે વર્ણવ્યાં છે. અપરાધીને વિશે પણ ચિત્તથી પ્રતિકૂળ ચિન્તન ન કરવા સ્વરૂપ પ્રશમ છે. મોક્ષ પ્રત્યેનો તીવ્ર અભિલાષ સંવેગ છે. પુણ્યના યોગે સુખમય જણાતા પણ સંસારથી મુક્ત થવાની તીવ્ર ઈચ્છાને નિર્વેદ કહેવાય છે. દીન, દુ:ખી અને ધર્મહીન જીવોની પ્રત્યે દ્રવ્યદયા અને ભાવદયા સ્વરૂપ અનુકમ્પા બે પ્રકારની છે અને શ્રી વીતરાગપરમાત્માનું વચન અસત્ય હોય જ નહિ એવા દૃઢ વિશ્વાસ સ્વરૂપ આસ્તિક્ય છે. આ પ્રશમાદિ ગુણોથી અન્વિત સમ્યગ્દર્શન અનુત્તર છે. પ્રશમાદિ પાંચ ગુણોની જેમ; શ્રી જિનવચનમાં કુશલતા, પ્રભાવના, આયતનસેવના, સ્થિરતા અને ભક્તિ : આ પાંચ ગુણોથી યુક્ત સમ્યગ્દર્શન અનુત્તર કોટિનું હોય છે. સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થવાથી નરક અને તિર્યંચ્ચ ગતિનાં દ્વાર તો બંધ થાય છે, તેથી દેવતા અને મનુષ્ય સંબન્ધી સર્વ સુખોનું નિમિત્ત સમ્યગ્દર્શન બને છે અને પરંપરાએ તે સિદ્ધિના સુખને આપે છે. તેથી સમ્યગ્દર્શનની અનુત્તરતા સિદ્ધિસુખાવહત્વ સ્વરૂપ છે. ૬-૨૯॥
AR AR ALL ALL R ૫૦
[7]
EEEEEE
L/C
DODO
D]
Page #54
--------------------------------------------------------------------------
________________
ઉપર જણાવ્યા મુજબ ગુણવત્યારતવ્ય દ્વારા ગુણવદ્ધહુમાનને પ્રાપ્ત કરનાર આત્માને જે પ્રાપ્ત થાય છે, તેથી તદ્દન વિપરીત રીતે ગુણવદ્ ગુરુજનોની નિન્દાદિ દ્વારા ગુણવન્તોની પ્રત્યે જેઓ બહુમાન રાખતા નથી, તેમને જે મળે છે તે જણાવાય છે –
यस्तु शासनमालिन्येऽनाभोगेनापि वर्तते । बध्नाति स तु मिथ्यात्वं महानर्थनिबन्धनम् ॥६-३०॥
અજ્ઞાનથી પણ જે જીવ શાસનની મલિનતામાં પ્રવર્તે છે; તે મહાન અનર્થના કારણભૂત મિથ્યાત્વનો બન્ધ કરે છે.' આ પ્રમાણે ત્રીશમા શ્લોકનો અર્થ છે. એનો આશય ખૂબ જ સ્પષ્ટ છે કે લોકમાં વિરુધ એવી ગુણવદ્ ગુરુજનોની નિંદા વગેરે દ્વારા પ્રવચનનો ઉપઘાત કરવા સ્વરૂપ શાસનની મલિનતામાં અજ્ઞાનથી પણ જે પ્રવૃત્તિ કરે છે, ત્યારે તે મહાન અનર્થને કરનારું મિથ્યાત્વ-કર્મ બાળે છે. કારણ કે શ્રી વીતરાગપરમાત્માના પરમતારક શાસનની મલિનતા કરાવવાના અવસરે જ મિથ્યાત્વમોહનીયકર્મનો ઉદય થવાથી, દુઃખે કરી જેનો અન્ત આવી શકે એવા સંસારરવરૂપ વનમાં પરિભ્રમણના કારણભૂત મિથ્યાત્વમોહનીયર્મનો બન્ધ થાય છે. ગુણવાન પુરુષોની નિન્દા એ લોકવિરુદ્ધ કૃત્ય છે. એનાથી લોકો એમ વિચારે છે કે આ તે કેવું શાસન છે ? અહીં તો ગુણવાનની પણ નિન્દા કરાય છે' - આ રીતે પ્રવચનનો ઉપવાસ થવાથી શાસનની મલિનતા કરાવાય છે અને તેથી મિથ્યાત્વનો બન્ધ થાય છે.
શ્રી અષ્ટપ્રકરણમાં એ અર્થને વર્ણવતાં ફરમાવ્યું છે કેઅજ્ઞાનથી પણ જે સાધુમહાત્મા વગેરે શાસનની મલિનતા સ્વરૂપ
GDF\ EI, DIN DINESE DE P
ANEET BE DEE DEENDS D
Page #55
--------------------------------------------------------------------------
________________
પ્રવચનનો ઉપઘાત થાય એવું કાર્ય કરે છે; તે સાધુમહાત્મા વગેરે બીજાને ચોક્કસ જ મિથ્યાત્વમોહનીયકર્મના બન્ધનું કારણ બને છે; તેથી તે પોતે પણ એ મિથ્યાત્વમોહનીયકર્મનો જ સારી રીતે બન્ધ કરે છે. જે સર્વ અનર્થને કરનારું, ભયંકર દારુણવિપાકવાળું અને લાંબા કાળ સુધીના સંસારનું કારણ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે, છકાય જીવોની પ્રત્યે દયાના પરિણામવાળા પૂ. સાધુભગવન્તો વગેરે અજ્ઞાનથી પણ લોકવિરુદ્ધ આચરણથી આહાર-નીહારાદિના વિષયમાં પ્રવચનનો ઉપઘાત કરે તો તે પાતાને અને બીજાને દુર્લભબોધિ બનાવે છે. ગુણવદ્ ગુરુજનોની નિન્દાદિ સ્વરૂપ દુષ્ટ આચરણથી તેઓ પ્રવચનની હીલના કરાવે છે. જેથી બીજા જીવોને મિથ્યાત્વના બન્ધનું તે કારણ બને છે. તેમ જ બીજા જીવોને પ્રવચનમાં મિથ્યાત્વની બુદ્ધિ થાય છે. એટલે કે પ્રવચનના ઉપઘાતક કૃત્યથી બીજા જીવોને પ્રવચન જ મિથ્યા ભાસે છે આ રીતે બન્ને પ્રકારે પ્રવચનનો ઉપઘાત બીજા જીવોના મિથ્યાત્વનું કારણ બને છે. તેને લઈને પ્રવચનનો ઉપઘાત કરનારને મહાન અનર્થના કારણભૂત એવા મિથ્યાત્વનો જ નિકાચિત બન્ધ થાય છે. કોઈ શુભકર્મનો બન્ધ થતો નથી. તેમ જ મિથ્યાત્વનો સામાન્ય બન્ધ પણ થતો નથી.
૪
શાસનમાલિન્ગનિષેધાટકના બીજા શ્લોકમાં ‘મિથ્યાત્વ’નું સ્વરૂપ વર્ણવતાં ફરમાવ્યું છે કે તે સંસારનું પરમકારણ છે. વિપાકને આશ્રયીને દારુણ છે, ભયંકર છે અને સઘળાય વિઘ્નોનું કારણ છે. આવું મિથ્યાત્વ; ઉપર જણાવ્યા મુજબ પ્રવચનની હીલના થાય એવા કૃત્યથી બન્ધાય છે. પૂ. સાધુભગવન્તાદિએ આથી સતત
RECEDED ODO DO DODO DE DEDD
૫૨
DDDD EDULEGG/]
Page #56
--------------------------------------------------------------------------
________________
ઉપયોગ રાખવો જોઈએ કે જેથી અજ્ઞાનપણે પ્રવચનની હીલનામાં નિમિત્ત બની ના જવાય. જેટલો ભય અશાતા, અન્તરાય અને અપયશાદિ કર્મનો છે, એટલો ભય મિથ્યાત્વનો લાગે તો શાસનની મલિનતા કરવાથી આત્માને દૂર કરી શકાય. કેટલીક વાર અજ્ઞાન અને કદાગ્રહના કારણે શાસનની મલિનતા આપણાથી થઈ જતી હોય છે. ત્યારે પણ આપણને તો એમ જ લાગતું હોય છે કે આપણે વિશિષ્ટ કોટિની આરાધના કરીએ છીએ. એમાં આપણું અજ્ઞાન અને આપણો કદાગ્રહ કામ કરતો હોય છે. આવી સ્થિતિમાં ગુણવદ્ ગુરુજનોનું પારત ખૂબ જ ઉપયોગી બને છે. ભાવશુદ્ધિ માટે એના વિના બીજો કોઈ જ ઉપાય નથી....ઈત્યાદિ શાન્ત અને સ્થિર ચિત્તે વિચારવું. ૬-૩ળા
મહાન અનર્થના મૂળમાં જે શાસનનું માલિન્ય છે તેનું કારણ જણાવાય છે -
स्वेच्छाचारे च बालानां मालिन्यं मार्गबाधया । गुणानां तेन सामग्र्यं गुणवत्पारतन्त्र्यतः ॥६-३१॥
“બાલજીવોનો સ્વેચ્છાચાર પ્રવર્તે ત્યારે માર્ગનો બાધ થવાથી શાસનનું માલિન્ય થાય છે. તેથી ગુણવત્પારતન્યના કારણે ગુણોની પૂર્ણતા થાય છે.”- આ પ્રમાણે એકત્રીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે બાલ જીવો અજ્ઞાની હોય છે. અજ્ઞાનના કારણે પોતાના હિતાહિતના પરમાર્થથી તેઓ અનભિજ્ઞ હોય છે. પોતાને જે ઉચિત લાગે અને પોતાને જે ગમે તે પ્રમાણે તેઓ કરતા હોય છે. આવા બાલજીવોનો સ્વેચ્છાચાર જ્યારે પ્રવર્તતો હોય છે ત્યારે તે
|િDF\SqDDDDED
FDF\ BFDDF\D DDD
Page #57
--------------------------------------------------------------------------
________________
જોનારાને એમ થાય કે ‘જૈનોનો માર્ગ(મોક્ષમાર્ગ) પ્રધાન પુરુષ (પ્રવર્તક-નાયક) વિનાનો છે.’- આવા પ્રકારના લોકપ્રવાદના કારણે મોક્ષમાર્ગની(શાસનની) મલિનતા થાય છે, જે સ્વ-પરને મિથ્યાત્વનું કારણ બને છે.
આ રીતે જનપ્રવાદસ્વરૂપ માર્ગબાધાના કારણે શાસનની મલિનતા થતી હોવાથી ગુણવત્સારતત્ર્યથી જ ગુણની સમગ્રતા થાય છે. શ્રી વીતરાગપરમાત્માનાં પરમતારક વચનોને અનુસરી રત્નત્રયીની આરાધનાનો જેઓએ પ્રારંભ કર્યો છે; એ આત્માઓની ઈચ્છા; જ્ઞાનાદિગુણોને પૂર્ણ કરવાની હોય એ સમજી શકાય છે. એ ઈચ્છાને છોડીને બીજી કોઈ પણ ઈચ્છા સાધુપણામાં સારી નથી. અનાદિ કાળથી અપૂર્ણ તો છીએ. પરન્તુ પૂર્ણ બનવા માટેની આરાધનાનો આરંભ કર્યા પછી પૂર્ણ બનવામાં જે જે અવરોધો છે-એને ખૂબ જ પ્રયત્નપૂર્વક સમજી લેવા જોઈએ. આમ જોઈએ તો સાધુની સમગ્રતા અનેક પ્રકારની હોવાથી તેના સાધક અને અવરોધક અનેક છે. પરન્તુ એ બધાને એકમાં સમાવીને આ શ્લોકમાં તેનું વર્ણન કરવામાં આવ્યું છે. સ્વેચ્છાચાર સાધુની સમગ્રતાનો અવરોધક છે અને ગુણવત્પારતત્ર્ય સાધુની સમગ્રતાનું સાધક છે. એ બે તરફ દૃષ્ટિ સ્થિર થઈ જાય તો મુનિજીવનમાં ક્યારેય લક્ષ્યવિમુખ થવાનો પ્રસંગ નહિ આવે. બધી જ અવદશાનું મૂળ સ્વેચ્છાચાર(સ્વચ્છન્નતા) છે અને બધી જ ઉચ્ચદશાનું મૂળ ગુણવત્ત્પારતત્ર્ય છે – એમાં કોઈ સંદેહ નથી. સદેહ એટલો જ છે કે ખરેખર જ સાધુસમગ્રતા આપણને જોઈએ છે ? આ પ્રશ્નનો જવાબ આપી શકાય એવો નથી. એનો જવાબ અનુકૂળ
-
EEEEEE GL/DE
૫૪
Page #58
--------------------------------------------------------------------------
________________
આવે નહિ ત્યાં સુધી સ્વેચ્છાચાર બન્ધ નહિ થાય અને ગુણવત્પારતન્ય કેળવાશે નહિ, જે ભાવશુદ્ધિ માટે પરમ આવશ્યક છે. ન્યાય્ય કોટિની જ ભાવશુદ્ધિ વૈરાગ્યને પણ સફળ બનાવે છે.... ઈત્યાદિ ભણાવનાર પાસેથી સ્પષ્ટ રીતે સમજી લેવું જોઈએ. ૬-૩૧॥
પ્રકરણાર્થનું સમાપન કરતાં સાધુસામર્થ્યના ફળને જણાવાય
છે -
॥૬-ફેરા
इत्थं विज्ञाय मतिमान् यतिर्गीतार्थसङ्गकृत् । त्रिधा शुद्ध्याचरन् धर्म परमानन्दमश्नुते ॥६- ३२ ॥ “ગુણોની સમગ્રતા ગુણવદ્ ગુરુજનોના પારતજ્ન્મથી જ થાય છે - એમ જાણીને બુદ્ધિમાન અને ગીતાર્થ ગુરુભગવન્તનો સફ્ળ કરનાર એવા પૂ.સાધુભગવન્ત જ્ઞાન, ભિક્ષા અને વૈરાગ્ય - આ ત્રણ પ્રકારે શુદ્ધિથી ધર્મને આચરતા પરમાનન્દને પ્રાપ્ત કરે છે.’’- આ પ્રમાણે છેલ્લા બત્રીશમા શ્લોકનો સામાન્ય અર્થ છે.
-
એનો આશય સ્પષ્ટ છે કે ગુણની સમગ્રતા, ગુણવત્પારતન્ત્યથી જ પ્રાપ્ત થાય છે – એ જાણીને બુદ્ધિમાન પૂ. સાધુમહાત્મા પોતાની બુદ્ધિનો ઉપયોગ ગુણવત્સારતત્ર્ય પ્રાપ્ત કરવામાં કરે છે. પોતાની બુદ્ધિથી રત્નત્રયીની સાધના નહિ કરતાં શ્રી ગીતાર્થ ગુરુભગવન્તની પરમતારક આજ્ઞાની આધીનતાથી જ તેઓ રત્નત્રયીની સાધના કરે છે. બુદ્ધિમાનની બુદ્ધિમત્તા ખરી રીતે એમાં જ સમાય છે. પોતે બુદ્ધિમાન હોવા છતાં ગુણવ-જ્ઞાનીઓને આધીન બની રહેવાથી પોતાની બુદ્ધિમત્તા જણાય છે. તેથી જ પૂ.ગીતાર્થ ગુરુભગવન્તનો તેઓ તે રીતે સડગ કરે છે.
DDIE DO ddddddddddddddg
appDDDD ૫૫ CUDDDDDD
Page #59
--------------------------------------------------------------------------
________________
એ સત્સર્ગના અપ્રતિમ સામર્થ્યથી જ્ઞાન(તત્ત્વસંવેદનાત્મક) ભિક્ષા(સર્વસમ્પત્કરી) અને વૈરાગ્ય(જ્ઞાનાન્વિત) : આ ત્રણ પ્રકારની શુદ્ધિ વડે અર્થ વિશુદ્ધ જ્ઞાનાદિ ત્રણ વડે સંયમધર્મને આચરતા પૂ. સાધુભગવન્તો પરમાનંદસ્વરૂપ મોક્ષને પ્રાપ્ત કરે છે. મોક્ષપ્રાપ્તિનું એ એકમાત્ર સાધન છે. સાધુસમગ્ર વિના મોક્ષની પ્રાપ્તિ શક્ય નથી. અને આ બત્રીસીમાં વર્ણવેલા સાધુસામગ્રને પ્રાપ્ત કરી આપણા આત્માને પરમાનન્દનું પાત્ર બનાવવા પ્રયત્નશીલ બની રહીએ એ જ એકની એક સદા માટેની શુભાભિલાષા...૬-૩રા
છે રૂતિ સાથુલામ-દત્રિશિT I.
अनल्पानतिविस्तारमनल्पानतिमेधसाम् । व्याख्यातमुपकाराय चन्द्रगुप्तेन धीमता ।।
D]D]D]D]D]D]D]B
STD1D1D1D1D1D1DED
Page #60
--------------------------------------------------------------------------
_