Book Title: Kavi Keshavkrut Neminath Fag
Author(s): Kanubhai V Sheth
Publisher: Z_Aspect_of_Jainology_Part_2_Pundit_Bechardas_Doshi_012016.pdf
Catalog link: https://jainqq.org/explore/230063/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ કવિ કેશવકૃત નેમિનાથ ફાગ સ`પા, કનુભાઈ ત્ર, શેઠ પ્રાસ્તાવિક પ્રાચીન – મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં વિકસેલા અનેક લઘુ કાવ્ય પ્રકારોમાં ફાગુ' કાવ્ય પ્રકાર સ્વરૂપની અને વિષયવસ્તુની અપેક્ષાએ તેાંધપાત્ર છે. વમાને લગભગ ૭૮ જેટલાં ફાગુ કાવ્યો ઉપલબ્ધ છે; જેમાંથી ૫૦ જેટલાં પ્રસિદ્ધ થયેલાં છે. અહીં એક અપ્રકાશિત – લાવણ્યરત્ન શિષ્ય કવિ કેશવકૃત – તેમિનાથ ફાગ'ને સપરિચય પ્રસ્તુત કરવામાં આવે છે. પ્રતવન અને સપાદન પદ્ધતિ પ્રસ્તુત કૃતિનું વર્ણન લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, (અમદાવાદ)ના મુનિશ્રી પુણ્ય. વિજયજી હસ્તપ્રત ગ્રંથભંડારની એક માત્ર પ્રત (ક્રમાંક (૭૯૪) પરથી કરેલ છે. પ્રથમ પૃષ્ટ પર તીર્થંકર ભગવાનનું રંગીન ચિત્ર દેરેલ છે. પ્રત્યેક પત્રનું માપ ૨૪.૭× ૧૧.૦ સે.મિ. છે, બન્ને ખાજુ ૩.૦ સે.મી.ને હાંસિયા છેઃ પત્ર ક્રમાંક પત્રની ડાબી બાજુ લખેલા છે; પાતળા કાગળની આ દેવનાગરી લિપિમાં લાલ તથા કાળી શાહી વડે લખાયેલ છે. લૈક ક્રમાંક લાલ શાહી વડે લખેલા છે. પ્રતની લેખનમિતિ દર્શાવી નથી; પણ તે લિપિ અનુસાર અનુમાને અઢારમા શતકની હાય તેમ લાગે છે. આરંભ : (કાઈ સૂચન નથી.) અંત: કૃતિશ્રી નેમિનાથ 7/સ.પૂર્ણમશ્રીતુ સૌંપાદનમાં સર્વત્ર પ્રતિ અનુસારના મૂલપાડ કાયમ રાખ્યા છે. કાવ્યના કર્તાઃ કવિ કેશવ કાવ્ય-પ્રશસ્તિ પરથી એના કર્તા વાચક લાવણ્યરત્નના શિષ્ય કેશવ હેાવાનું નિશ્ચિત છે. કૃતિની રચનાસંવત ૧૭૫૧ (ઇ. સ. ૧૬૯૫) ફાગણ સુદ તેરસના દિને પાટણમાં થઈ હાવાનું કહી શકાય. સંવત સતર એકાવન વરખ ફાગણ સુદ તેરશ હરખે રે, તે。 પાટણ સહુર સદા સુખદાઈ એ ફાગ રચ્યા વરદાઇ હૈ, ૧૦ ને વાચક લાવન્યરત્ન પસાયા, કેશવ જિનના ગુણગાયા રે, ને ભણસ્ય ગુણુસ્યું જે સાંભત્સ્ય, તેઢુના મનવંછિત ફલસ્યે રે ૧૧ ને આ કવિ વિશે આટલી માહિતી મળે છે. એમનું નામ કેશવ/ કેશવદાસ અને અપરનામ કુશલસાગર હાવાનું જાણવા મળે છે. ખરતર ગચ્છના જિનભદ્ર શાખાના સાધુકીર્તિની પરંપરામાં લાવણ્ય Page #2 -------------------------------------------------------------------------- ________________ સપા, કનુભાઈ વ્ર. શેઠ ૧૫૧ રનના શિષ્ય હેવાના ઉલ્લેખો એમની અન્ય કૃતિઓમાં મળે છે. આ કૃતિ સિવાય કેશવબાવની, માતૃકાબાવની (ઈ. સ. ૧૬૮૦) અને “વીરભાણુ ઉદયભાણ રાસ” (ઈ. સ. ૧૬ ૮૯) જેવી કૃતિઓ રચી હેવાના ઉલ્લેખ મળે છે.' નેમિનાથ ફાગઃ કાવ્ય તરીકે નેમિનાથ ફાગ” એ ૧૧૫ કડીનું ફાગુ કાવ્ય છે. વર્ષ વિષય જૈન પરંપરામાં પ્રસિદ્ધ બાવીસમાં તીર્થંકર નેમિનાથના ચરિત્રના કેટલાક પ્રસંગને આલેખવાને છે. કાવ્યારંભે કવિએ નેમિનાથના ગુણસ્તવનો નિર્દેશ કરી, શીલને મહિમા વર્ણવે છે. શીલ વડો સંસાર મ, શીલ વહઈ સિદ્ધિ, મનવાંછિત શી મિલે, અષ્ટ-સિદ્ધિ નવ-નિધ્ધિ ૨ કવિ નેમિનાથના ઇન્દ્ર ઉજવેલ જન્મ-મહત્સવના નિરૂપણમાં નેમિકુમારના દેહ-લાવણ્યનું વર્ણન માત્ર એક પંક્તિમાં સુંદર રીતે આલેખે છે : • “સમલ–વરણ સેડામણ, કાયા ધનુષ દસ” ૧૫ સ. એ જ રીતે નેમિકુમાર અને મિથાદષ્ટિ દેવના પ્રસંગને કવિ શીધ્ર – ગતિએ વર્ણવે છે. ઇન્દ્ર વિનંતી કરી એ દેવને નેમિકુમાર પાસેથી છોડાવે છે, તે ઉક્તિ ઉલ્લેખનીય છે; કેમકે તે નેમિકુમારના વ્યક્તિત્વને છતી કરે છે. અતુલી–બલ જિનવર કહ્યા, તાહરી કુણ કરે હોડ, એ મુરખ મહા દેવતા, કહે ખામૈ કર જોડિ ૧૮ સત્ર અત્રે “અતુલી બલ” નેમકુમાર અને “મુરખ મહા દેવતા'ના પરસ્પર વિરોધી નિરૂપણ દ્વારા કવિએ નેમિકુમારના વ્યક્તિત્વને વિશિષ્ટ એપ આપ્યો છે. બીજી ઢાળમાં કવિ નેમિકુમારના શૌરીપુરથી દ્વારિકા આગમનના પ્રસંગને વર્ણવે છે. રાજા ઉગ્રસેન અને માપવાસી તાપસના પ્રસંગને કવિ શીધ્ર ગતિએ કથાત્મક રીતે વર્ણવી જાય છે. તાપસને પારણા કરાવવા અંગેના પિતાના વચનનું પાલન ન કરી શકનાર ઉગ્રસેન પર ક્રોધે ભરાયેલે તાપસ “આને મારક થાઉં” એવું નિયાણું કરીને મૃત્યુ પામ્યો, તે પ્રસંગને કવિ આઠ કડીમાં સંક્ષિપ્તતાથી નિરૂપે છે, જે કવિની લાઘવ સાધવાની શક્તિનું ઘોતક છે, એમાં ક્રોધિત થયેલા તાપસની ટૂંકમાં છતાં બળકટ ઉક્તિ લક્ષપાત્ર છે. તાપસ ચિંતઈ એમ, એ રાજા મહાભૂડ, બોલ ન પાલે એ, લક્ષણ વિહેણે લુંડે.” જે તપને પરભાવ, હું હજ્ય મારક એહને, એમ નિઆણે કીધ, મરી પુત્ર ઉપને તેહને. ૩૧ આ પછી કવિ કંસના જન્મ – પ્રસંગને ટૂંકમાં વર્ણવી, એના જરાસંધની પુત્રી જયશા સાથે થયેલા લગ્ન – પ્રસંગનું નિરૂપણ કરે છે. કંસ – પત્ની છવયશા અને સાધુ અતિમુક્તના નાટયાત્મક પ્રસંગને ઉત્કટ શબ્દ દ્વારા કવિએ વાચા આપી છે. મદિરાપાનથી મત્ત થયેલી છવયશા સાધુ અતિમુક્ત પાસે અનુચિત માગણી કરતા કહે છે: ૩૦ Page #3 -------------------------------------------------------------------------- ________________ ४७ ४८ ૧૫૨ કવિ કેશવકૃત નેમિનાથ ફાગ ચું ઘરઘર મળે કાંઈ, સ્યુ કરે પરની આસ, ભેગવ સુખ–વિલાસ, પુરે મનની આસ. ૪૪ તું ભરમે ફિરે કાંઈ, હું કહું છું ગુઝ સાચે, છોડ પર વિરાગ, તન ધન યોવન રાચે. ૪૫ કામાંધ અવયશા અતિમુક્ત પર હુમલો કરે છે, તે શબ્દ-ચિત્ર પણ જુઓ: એ લીધે ખેસ, સંઘટ કરવા લાગી, લવ લવ કરતી તેહ, રહે નહી દેભાગી. ખાઈજઈ તે મીઠ, પરભવ કોણે દીઠે, દેવરને ઉપદેશ, લાગો વચન-એ મીઠો. આ સંજોગોમાં છવયશાની અનુચિત ઉક્તિ તથા વ્યવહાર જોઈને અતિમુક્ત મુનિએ એને મદ ઉતારવા પિતાના જ્ઞાનને ઉપયોગ કરી ભવિષ્યવાણું ઉચ્ચારતા કહ્યું : ગરવ-ઊતારણ કાજ, મુનિવર એહવે ભાખે, સાતમે ગરભ વિણાસ, દેવકીને કહું સામૈ. ૪૯ આવી ભવિષ્ય – ઉક્તિ સાંભળીને જીવયશાને ગર્વ ગળી ગયો. સાતમા ગર્ભમાં ઉત્પન્ન થયેલ વાસુદેવ કૃષ્ણ કંસને મારી, ઉગ્રસેનને રાજગાદી આપી, યાદો સાથે સોરઠ દેશમાં આવી ભાનુ અને ભીરક (ભાભર)ના જન્મસ્થાને દ્વારિકા નગરી વસાવીને રહ્યા. આ વિગત માત્ર બે પંક્તિમાં કવિ વર્ણવે છે. બીજી અને ત્રીજી ઢાળ વચ્ચેના માત્ર આઠ દૂહામાં કવિએ કૃષ્ણ વાસુદેવ સાથે રહેતા નેમિકુમારનું એક દિવસ અકસ્માત કૃષ્ણના શસ્ત્રાગારમાં જઈ ચડવું, ત્યાં ધનુષ્યને ટંકાર કરવો તથા પાંચજન્ય શંખ વગાડે, કૃષ્ણ અને નેમિકુમાર વચ્ચે થયેલી ભૂજાબલકટી, એમાં કૃષ્ણનું હારવું, અને એમનાં મનમાં પિતાની પદવી જવા અંગે પેઠેલ ભય, તે સમયે થયેલી “દેવવાણી' ઇત્યાદિ પ્રસંગો અતિ-સંક્ષિપ્તમાં વર્ણવ્યા છે જે કવિની કથનકલાના સામર્થ્યની દ્યોતક છે. ત્રીજી ઢાળમાં કવિએ કરેલા વસંત-વર્ણનના કેટલાક શબ્દચિત્ર નોંધનીય છે. ટહુકા કરતી કેયલ અને ગુંજારવ કરતા ભમરાઓની ભેગીઓના મન પર થતી અસર અને સર્વત્ર ખલેલ વનરાજીનું કવિએ સુરેખ ચિત્ર ઉપસાવ્યું છે. ઉચે સરલે સાદ, કેઈલ ટહુકા કરઈ વાળ, ભમર કરઈ ગુંજારવ, ભેગીના મન હર વાટ, કુકી સબ વનરાય, વસંત આવ્યાં સહી વા સવ સણગાર બનાય, મિલાં પિઉને વહી.” ૬૫ વસંતાગમને વન ક્રીડાથે વિવિધ સાજ સજીને નીકળેલ ગોપીઓનું આ ચિત્ર પણ એની સ્વાભાવિકતાને કારણે નેંધપાત્ર છે. સજિ કર સેલ-શૃંગાર, વિરાજે પદરાણી વાટ પગ નેઉર-ઝણકાર, પહિરી ઓઢી બણી વા૦ ૭૧ Page #4 -------------------------------------------------------------------------- ________________ સા, કનુભાઈ ત્ર, શે ૧૫૩ નૈમિકુમાર પરણવા પ્રત્યે ઉદાસીન છે તે અંગે ચિંતિત શિવાદેવી અને ગોપીએ વચ્ચેના સંવાદ નાટત્યાત્મક અને ચોટદાર છે. શિવાદેવી ખેલાય, ગૌપ્યાનૈ ઈમ કહે, તેમ ન પરણે કેમ, ઉદાસી કેમ રહે, વા૦ પૂછનૈ તત્કાલ, ખખર કરજ્યા તમ્હે, વા મન્નાવા વિવાહ, તેા ગુણુ જાણું અમ્હે, વા ७२ શિવાદેવીએ આપેલ આ પડકારને ઝીલી લેતી ગેાપીઓની મર્માળી ઉક્તિ— વારૂ વારૂ કહીને, સહુ ઊડી તદા, વા॰ નેમિ કુમારની વાત, રાખી મન મૈં યદા' ૭૨ વસતના આગમનથી વનમાં વિહાર કરતા જલતીરે આવેલા યાદવના સ્વરૂપ દર્શન તથા દેવર નૈમિકુમારના શીશ પર ક્રેસર-ચંદન વગેરે ઢળી ગેફ'ની માગણી કરતી ગેાપીનું કવિએ તાદૃશ ચિત્રાત્મક આલેખન ઉપસાવ્યું છે. ચંદનની રચી ખાલ, અરગજે મહુમહ્યા, વા૦ સીસ સાર`ગી પાગ, ખાંગી સિર સેાહતી, વા તિલક વિરાજે ભાલ, ચાલ મન માહતી, વા૦ કૈસર ચંદન અગર, તગર ચાવા તણા, વા ઢાલે દેવર–સીસ, ન રાખે કામણાં, વા૦ ખેલે એહુવી વાણિ ગાઢ દેસ્યા સહી, વા૦ અમ વસ પડી સ્વામિ, જાવા દેસ્યા નહીં વા સુંદર રૂપ સર્પ, સાહે યાદવ તણા, વા૦ ઈક ઈક ચઢત રૂપ, નહીં કેાઈ મણા, વા॰, લાલ ગુલામ અમીર, ઉછાલે બહુ પ, વા॰, માહે। માંહિ રમૈ, રસ રાખી ઈશુ પરે વા ૭૧ ૭૩ ૭૫ ફાગ રમતા યાદવે! અને તે સમયે વાગતાં વાજીંત્રાનું વધુ ન—એમાં આવતી રવાનુકારી શબ્દ રચના કારણે વિશેષ આસ્વાદીય બન્યું છે : ७४ માજે તાલ ક‘સાલ, ધ૫મ૫૫ ડફ કરે, વા૦ દાંદાં કરેઅ મૃદંગ ચગ મધુકર સુરૈ, વા૦ ઢોલક વાજે વીણ, વાઐ વિલ વાંસલી, વા ઈશુ પર ફાગ રમંત, ચિંતા ગઈ વાંસલી અહી દીધેલ ગાપીએ અને તેમકુમાર વચ્ચેના સંવાદ પણ મામિક છે, ७६ २० Page #5 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ ७८ કવિ કેશવકૃત નેમિનાથ ફાગ જિહાં ખેલ ગેવિંદ, ગેપી આવી તે તિહાં, વાટ લ્યા ત્યારે શેઠ, હિવે જા કિહાં,’ વાવ પાસે ઊભે નેમ, દીઠે ગોપી તિર્સ, વાટ સગલી આવી ચાલ, દેવરને ઈમ હસે વાવ ૭૭ “સાંભલ દેવર ઘેબર, સરિખે તું અછઈ, વાવ ગામમાં તાહરે જેર, કહી ન સકાય છે, વા. હિવ આવ્યા અમ હાથ, જોર યે તુમ તણું, વાર ૭૮ આ પ્રસંગે રુકમણીની વ્યંગાત્મક ઉક્તિ પણ ધ્યાન ખેંચે તેવી છે. બેલે રુકમણું નારિ, સંતા મન ઘણું, વા ૭૮ એ દેવર પૂજનીક શીલ, જિણ આદર્યો, વાટ, એ મેટા ગુણવંત, જિર્ણ મન વસ કર્યા, વાવ જંબુવંતીની ઉક્તિ પણ એમાં રહેલો કટાક્ષને કારણે લક્ષપાત્ર છે. જંબવતી કહે એમ નાર, નિરવાણી, વાટ ખરે કઠન વ્યવહાર, નાર સંવાહણ. વા. એ કાયર છે તેમ કેમ, પુરે પડે, વાવ જેડા વેડે તેણ, કહેને કિમ જુડે, વાળ વળી ગોપીઓ પણ નેમિનાથને કહે છે– ગોપી મિલ બે-ચાર, નેમી સૂરને કહેઈ, વાઇ તુમ પરણે ઈક નાર, કૃષ્ણ તે નિરવહૈ. વાવ’ ૮૦ આ મમરી ઉક્તિઓને હસી કાઢતા નેમિકુમારનું શેડા શબ્દો વડે સુંદર શબ્દ-ચિત્ર કવિએ ઉપસાવ્યું છે. ઈણ વાતે મુખ હાસ, તેમને આવીઉં, વાટ ગોપી તાલી દેઈ, વીવાહ મના વા.' ત્રીજી અને ચોથી ઢાળની મધ્યમાં આવેલા માત્ર સાત દૂહામાં કવિ બહુ જ ટૂંકાણમાં ઉગ્રસેન રાજાની પુત્રી રાજીમતી સાથે નેમિનાથને નક્કી થયેલે વિવાહ, વિવાહ અથે તેમનું જાન લઈ નિકળવું, માગમાં પશુનો આર્તનાદ સાંભળી તેમનું વૈરાગ્ય પામવું, અને પરણ્યા વગર પાછા ફરવું. ઇત્યાદિ નાટયાત્મક પ્રસંગે કવિએ લઘુતાપૂર્વક નિરૂપ્યા છે, જે કવિની રસળતી કથનકલાનું સુચક છે. ચોથી ઢાળમાં કવિ રામતીના વિરહ અને વ્યાકુળતાનું વિશદ આલેખન કરે છે. રામતી નેમિનાથને એક પ્રશ્ન કરતી કહે છે, “તેં શા માટે મારે ને તેડી નાંખ્યો ?' Page #6 -------------------------------------------------------------------------- ________________ સંપા, કનુભાઈ વ. શેઠ ૧૫૫ “ અવગુણ તે દેખનઈ, મુઝ સો ત્રાડ્યો નેહ, પ્રત પાલતાં દોહિલી રે, છેલે દાખે છે ૯૧ પ્રિ. પિતાને પ્રિય એવા નેમિનાથ વિનાની પિતાની શી દશા થશે એનું વર્ણન રાજીમતી ઉપમા વડે સચોટ રીતે વ્યક્ત કરે છે. વિણ આધારઈ વેલડી રે, જલ-વિણ મછલી જેમ પ્રિ. તુત્ર વિણ હું તિમ તિમ રહું રે, કહો હિવ કીજે કેમ? પ્રિ. ૨ વળી અકાટય દલીલ રજુ કરતા કહે છે પશુઓને પિકાર સાંભળી એના પર આપને દયા આવી અને મને નિરાધાર તથા આંખમાં આંસુ સારતી દુઃખી થતી એવી મને છોડી ચાલ્યા ગયા, એમાં આપે કેવી રીતે જીવદયા બતાવી કહેવાય? કેમકે તમે મારા જીવને તો દુઃખ આપ્યું જ છે. પસૂઅ–પુકાર સુણી કરી રે, મુઝ છોડી નિરધાર રે, પ્રિ. જીવ–દયા કહે કિહાં રહી, મુઝ આંખે આંસૂધાર ૯૩ પ્રિય વળી રામતી નેમિનાથના આચારને કાયરને આચાર ગણાવી ઉપાલંભ આપે છે તે નોંધપાત્ર છે. પ્રીત પતી પાલતાં રે, ખરે કઠન વ્યવહાર, લીધાં મૂડી જે કરે છે, એ કાયર આચાર.” ૯૪ પ્રિ. સખીઓ રાજી મતીને સમજાવતા જણુવે છે “તું નેમિકુમારને ત્યજી દે, તને એવા અન્ય સાથે પરણાવવામાં આવશે ત્યારે સખીઓને તે કહે છે મારી અને નેમિકુમાર વચ્ચેની પ્રીત તે આઠ ભવની છે. એકદમ કેમ છેડી દઉં?' આ ઉક્તિ નેમિકુમાર સાથેના ઉત્કટ અનુરાગને અભિવ્યક્ત કરે છે. આઠ ભવાની પ્રીતડી રે, નવમે દાખે છે, મે જાણે ઈમ નહીં કરે રે, નિર્મોહી નિસનેહ” ૯ પ્રિ. આ બાજુ સગાં-સ્નેહીઓ નેમિકુમારને પણ આમ કરવાદ' ન કરવા અને પરણવા માટે રથ પાછો વાળવા વિનવે છે પણ નેમિકુમાર તે સંયમ ગ્રહણ કરવા અથે દઢ છે અને ધર્મધ્યાન કરતા અંતે એમને કેવલજ્ઞાન પ્રાપ્ત થાય છે. પાંચમી ઢાલમાં કવિ ગિરનાર પર્વત પર સાધુ બનેલ નેમિનાથ અને સાધવી બનેલ રામતીને મેળાપ થાય છે તે પ્રસંગ વર્ણવે છે. એક સમયે “વર્ષ દરમ્યાન રાજીમતી પોતાના ભીંજાયેલા વસ્ત્રો એક ગુફામાં જઈને સુકવે છે તે વખતે નેમિનાથને ભાઈ રહનેમી એને આ દશા માં જોઈને ચલાયમાન થાય છે. રામતી એને ઉપદેશ આપી સાચા પથ પર લાવી એને ઉદ્ધાર કરે છે તે પ્રસંગને કવિ સંક્ષિપ્તમાં વર્ણવે છે. ભીંજાયેલા વસ્ત્રો સૂક્વતા સાધી રામતીનું સુરેખ ચિત્ર કવિએ સુંદર રવાનુસારી શબ્દ પસંદગી વડે આલેખ્યું છે. Page #7 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ કવિ કેશવકૃત નેમિનાથ ફોગ ઝિરમિર ઝિરમર વરસે મેહ, જિહાં લીજૈ કામલ દેહુ રે, ૧૦૭ ૬૦ ચીર સુકાયૈ ગુફા મૈં આવી, રહેનેમને મન ભાવી ૨ ને રાજીમતી પતિ પહેલાં મુક્તિ પામે છે અને તેમિનાથ પણુ સાતસેા વર્ષીના સંયમ પાળી અંતે મુક્તિ પામે છે. અને બન્ને મુક્તિધામ'માં મળે છે એમ કહી કવિ કાવ્યનુ સમાપન કરે છે. કાવ્યની પ્રશસ્તિમાં કાવ્યની રચના સંવત ૧૭૫ના ફાગણુ શુદ તેરસના રાજ પાટણમાં થઈ હાવાના ઉલ્લેખ મળે છે. અંતમાં કવિ પોતાના ગુરુ અને પોતાના નામના ઉલ્લેખ કરી કાવ્ય સંપૂર્ણ કરે છે. વાચક લાવન્યરત્ન પસાયા, કેશવ જિનના ગુણ ગાયારે, ને ભણુસ્યું ગુણસ્ય જે સાંભત્સ્ય, તેહના મનવંછિત ફલસ્યૌ ૨ ૧૧૫. આમ આ ફાગ સાંભળનારના ‘મનવ`તિ' ફ્ળશે એવી ભાવના પ્રગટ કરી કવિ કાવ્યનુ` સમાપન કરે છે. ૧. મેા. દે. દેસાઇ, જૈન ગૂર્જર કવિઓ-૨, મુ‘બઇ ૧૯૩૧, પૃ. ૩૫૪ અને ૧૬૬-૩૬૯; ૩, ૧૯૪૪-પૃ. ૧૩-૨૮; તથા ભારતી વૈદ્ય, મધ્યકાલીન રાસ સાહિત્ય, મુબઈ ૧૯૬૬ પૃ. ૧૨૮. Page #8 -------------------------------------------------------------------------- ________________ કવિ કેશવકૃત નેમિનાથ ફાગ નેમનાથના ગુણ સ્તવું, આણી ભાવ અપાર, બ્રાચાર ચૂડામણ, વંછિત ફલ દાતાર. સીલ વડે સંસાર મેં, સીલે લહઈ સિદ્ધિ, મનવંછિત સીલે મિલે, અષ્ટ સિદ્ધિ નવ નિદ્ધિ. છતી ઋદ્ધિ જિણ પરિહરિ, છેડી રાજુલ નારિ મહાપુરુષ તે જાણીયઈ, નામ થકી નિસ્તાર. સૂરજિ ઊગ્યાં મહુરથી, સીલવંતના નામ, સહૂ ઊઠી સમરણ કરે, તિણથી સીજઈ કામ. ઢાલ પહેલી ઝબુકડાની સોરીપુર સેહામ, સમુદ્રવિજે કરે રાજ, સનેહી સાંભલે. સિવાદેવી રાણી તહેનઈ, પતિ–ભગતી ઘણલાજ, ૫ સને. કાત્તિક વદિ બારસ દિન, ચવણ થયે શ્રીમ, સ. અપરાજિતની સ્થિત કહી, બત્રીસ સાગરોપમ ૬ સને. ચઉદ સુપન રાણી લક્ષ્ય, મનમૈ હરખ ન માય, સ. જાય રાજાનૈ ઈમ કહે, એને મ્યું ફલ થાઈ. ૭ સને. સમુદ્રવિજૈ કહે સુણ પ્રિયા, પુત્ર હચૈ સિરદાર, સ. શ્રાવણ સુદિ પાંચમી, જનમ્ય નેમિકુમાર ૮ સને. સિઠિ ઈંદ્ર મિલી કરી, છપનકુમારી આય, સ. જનમ-મહોત્સવ સુર કરઈ, મેર-શિખર ન્ડવરાય. ૯ સ. એ વિધ સહુ જિનવર તણી, “જીતકલપ” કહેવાય, સ. ઈક કેડિ દેવ સેવે સદા, પૂજે પ્રભુના પાય. ૧૦ સ. સાંમલ–વરણ સોહામણું, કાયા ધનુષ દશ જોણું, મુખ-છબિ ઓપમ શશિ જિસી, સકલ-કલા-ગુણ–ખાણ ૧૧ સ. એક દિવસ બાલક સમૈ, પાલણે પિડ્યા નેમ, સ. ઈદ્ર પ્રસંસા ઈમ કરે, સહુ સાંભલ સુર જેમ. ૧૨ સ. બાલક–વિ છે નેમજી, તે પણ છે બલવંત, સ. મિથ્યા-દષ્ટિ દેવતા, વાત ન માની તંત ૧૩ સ. Page #9 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ છેતરવાને કાજ, સ. અસહુમાન સૂર આવીઆ, તેમ પેઢયા જિષ્ણુ પાલનૈ, તે અપર્યા તજિ લાજ ૧૪ સ. સવા લાખ જોજન લગે, લે ઊડયો આકાસ, સં. નૈમકુમર અવષે જાણ્યા, મનમાં રહ્યા વમાસિ૧૫ સ. નેમ-વિચારે મનમે, વાંકે વાંકા હાર્ટ, સ. અંગૂઠા સુ' ચાંપીયા, ધરતી મૈ ગયા સાંઇ ૧૬ સ. સા ોજન ઊડા સહી, દુઃખ પામ્યા અસમાન, છોડાવ્યુ ઇદ્ર આવી, સ્વામી એ અગન્યાન ૧૭ સ. અતુલી-ખલ જિનવર કહ્યા, તાહરી કુણુ કરે હાડ, એ મુરખ-મહા દેવતા, કહે ખામે કર જોડિ ૧૮ સ. પહિલી ઢાલ વડેલી થઈ, ઝબૂકડાની એહ, સ. કેશવ નેમના ગુણુ કહું, સાંભલિજયા ધરી તેહુ ૧૯ સ. हूडा જોવન–વઈ આવ્યે જિસૈ, રૂપ તણા ભંડાર, યાદવ–કુલ સિર—સેહરા, શ્રી શ્રીનેમકુમાર સારીપુરથી દ્વારિકા, યાદવ આવ્યે કેમ, સૂલ થકી અધિકાર સહુ, પલણું ભાષ્યો જેમ મથુરા નગરીના ધણી, ઉગ્રસેન રાજન, ભાર્યા તેહની ધારિણી, જીવન-પ્રાણ સમાન એક દિન રેવાડી ચઢયો, રાજા શ્રીઉગ્રસેન, દીઠા એક તાપસ તિસૌ, તપ કરતા સુધ તેણુ, ઢાલ મીજી રામચંદ્ર કે વાગ, એ દેશી રાજા બેલે એમ, સુણ હા તાપસ વાણી, તું તપીઉ અસમાન, વાણી અમીય સમાણી માસ પૂરવ હવૈ જામ, તાપસ કહૈ તડુત્ત, કવિ કેશવકૃત નેમિનાથ ફાગ રાજ-કાજના કામ, તપસી બીજા માસ, એક સઐ રાજાન, ઉચે તરત સકાલ, પારણેા અમ ઘર કરજ્યા, રાજન તુમ્હે મ વીસરજ્યે રાજા મન આવી, પચખ્યા કાધ ચઢાવી. તપસ્વી આવ્યા ચીત, મતમૈ આણી ભીત, ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ २७ Page #10 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ ૨૮ પ૦ ૩૧ ૨૨ ૩૩ ૩૪ સપા, હનુભાઈ વ્ર, શેઠ તપસ્વીને પગ લાગ, ખમ એ અપરાધ, અમ ઘર કરજો સ્વામિ, પારણે સુખ્ય સમાધ વલિ વિકેમ (2) રાજાન, તાપસ ખબર ન લીધી, ત્રીજે પચ માસ, દેહનઈ વેદના કીધી. તાપસ ચિંતઈ એમ, એ રાજા મહા ભૂંડ, બેલ ન પાલે એહ, લક્ષણ વિહૂણે લુંડ જે તપને પરભાવ, હું હું મારક એહને, એમ નિઆણો કીધ, મરી પુત્ર ઊપને તેને હૂદે મંસની હું, તે પણિ પૂરણ કીધી, ચિતઈ એમ ઈણે પુત્ર, કુબધ જિ દીધી કાંસની પિકી કીધ, હાથ નામાંકિત મુદ્રા, યમુનાસૈ દીધી વાહિ, પ્રણામ કરી અતિ મુદ્રા વહતી પટી તેહ, સૌરીપુર મૈ આઈ, સુભદ્ર વણિક ગ્રહી તામ, સુત દીઠે સુખ-દાઈ નામ કંસ તિણ દીધ, પરં વેઢને મૂલ, જે તે ભાખઈ એમ, છઈ સૂલીને ફૂલ ડોસીને ધરિ સીહ, કનઈ કિમ કરી છાજઈ, તિમ કમ હાણિજિહાં તિહાં લાઈ વસુદેવને કીધે ભેટ, કંસ રહે તસ પાસે, હિવ સુણજ અધિકાર, આગે કહું ઉલાફેંક જરાસિંધુ ભૂપાલ, રાજગૃહીને રાજ, પ્રતિવાસુદેવ કહાય, કટક સમદલ તાજ પુત્રી છે જસુ એક, જીવજસા ઈણ નામ કુલ-ક્ષયકારક તેહ, વર પ્રાપત થઈ તમે યાદવ ઉતકટ જાણ, કંસને તે પરણાવી. મથુરાને દીધ રાજ, ન મટે કઈઈ ભાવી. પુરવ–પૈર સંભારિ, કાષ્ટ-પંજર પિતા ઘા, લઘુ-ભ્રાતા મત્તા, દીખ લેઈ નઈ ચાલે વસુદેવ કંસને પ્રીત, દેવકી જીવજસાને, ખેલે બોલે રંગ, સહ કે સ્વાર્થ-વસાન ૩૫ ३७ ૩૮ ૩૯ ૪૨ Page #11 -------------------------------------------------------------------------- ________________ કવિ કેશવકૃત નેમિનાથ ફાગ એક દિવસ અણગાર, એમનો તિહાં આયે, જીવજસા કહે એમ, દેવર તું મન ભાય ચું ઘરઘર માગે કાંઈ, સ્યુ કરે પરની આસ, ભેગવ સુખ-વિલાસ, પુરે મનની આસ. તું ભર ફિરે કાંઈ, હું કહું છું તુઝ સાચે, છેડ પર વિરાગ, તન ધન યવન રચે. ૪૫ ઈહાં કિણ જેને દુઃખ, તે પણિ આગલિ દુખીઆ, ઈહાં જેહને હાઈ સુખ, તે વલિ આગલિ સુખીઆ. ૪૬ ઓઘે લીધે બસ, સંઘટો કરવા લાગી, લવ લવ કરતી તેહ, રહે નહી દોભાગી. ખાઈ જઈ તે મીઠ, પરભવ કોણે દીઠે, દેવરને ઉપદેશ, લાગે વચન--અંગીઠો. ગરવ-ઊતારણ કાજ, મુનિવર એહવે ભાખે, સાતમ ગરમ વિણાસ, દેવકીનૈ કહું સાખે. તબ બીન્હી મન માંહિ, ગરબ સહુ ખૂબ ગલીલ, અમો અણગાર, કહિને પાછે વલીએ. સાતમ ગરમ વિણાસ, કંસને માર ઉથાપી, કૃષ્ણ તણી થઈ જિત, ઉગ્રસેન રાજ્ય આપી. સહુ યાદવ મિલી વેગ, સોરઠ દેસે આયા, તિહાં કિણ કીધ વિશ્રામ, ભાનુ ભીરુક જિહાં જાયા. પર ઇહ છઈ બહુ વિસ્તાર, વિસ્તારી નઈ કહિ, બીજી ઢાલ રસાલ, કેશવ રૂડી કહિ. ૫૩ ૫૪ દ્વારિક નગરી અતિ ભલી, કોણ કરઈ તસુ હડિ, સુખે સમાધઈ તિહાં વસ, યાદવની કુલ કેડિ રાજ કરઈ શ્રીકૃષ્ણજી, વાસુદેવ કહિવાય, નમકુમાર મહિમા નિલે, કીરત સબલ કહાય. આયુધ–સાલા એકદા, આયાં તિહાં શ્રીમ, ધનુષ ચઢાયે રંગ સુ, મન ઘર અધિકે પ્રેમ. પપ પ૬ Page #12 -------------------------------------------------------------------------- ________________ સરૂપા, કનુભાઈ ત્ર. શેઠ ૨૧ પૂર્યો સંખ સુહામણા, માધવ મન મૈં ચિંતવે, ધન-ગરજા–રવ જેમ, જોરાવર છે તેમ. કૃષ્ણે નરેસર ચિંતવૈ, એ ભુજ-ખલ વાદ કરું હવઈ, માં ગ્રહી જન્મ તેમજી, ખપ ખીજી ઐસી રહ્યો, મે સુ· બલવંત. જિમ પૂગે મન-ખત. ન વલે તે તિલ માત્ર, હવ સી કરવી વાત. મ્હારી પદવી એ સહી, લેસ્યું તેમકુમાર, દેવ તણી વાણી થઈ, મ કરસુ દુઃખ લગાર. એહુને ખપ નહી રાજ્યની, એ માટે બ્રહ્મચાર, તબ મન માહે હરખી, નારાયણ તિણુવાર. આંખલી અમ મકાયણું, અગર અખાડ અનાર, નાગ પુનાગ અશેષ, ખજૂરી કરમદા વા૦ નારંગી નવરંગના,રંગી ફૂલ સદા વા૦ કરણા બહુ પરે વા૦ વિરાજૈ ઇણુ પરે વા ૫૭ ૫૮ હાલ ત્રીજી મારુજીની દ્વિવ આયા માસ વસંત, ફૂલી વનરાયજી, જયાહુ છુ, મહેકે પરમલ–પૂર, સુગંધ સુહાયજી વા॰, તરવર વૃક્ષ અનેક, ફૂલ્યા ફલ્યા સહી વા॰, માંજરીયાં સહકાર, લુંમ લુંખી રહી વા॰ દાડમ દ્રાખ બીજોરા, ટ્વીસૈ અતિ ઘણા, વા, રાયણ લીઅ અપાર, કુંદની નહી મા, વા, જાઈ જૂઈ દમણેા, મઉ મહુમહૈ વા, પરમલ પાડેલ ફૂલ, માલતી હુડહૈ વા૦ ૫૯ ૬૧ દર ૬૩ ૬૪ ઉર્ચે સરલે સાદ, ફાઇલ ટહુકા કરઈ, વા૦ ભમર કરઇ ગુજારવ, ભાગીના મન હરે, વા ફુલી સખ વનરાય, વસંત આવ્યાં સહી, વા સત્ર સગાર બનાય, મિલાં પિશને વહી. વા૦ ૬૫ ૧૬૧ Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ જેહવા જેના રૂપ, તે સાહે સખ વનરાય, એહવા માસ વસંત, દેખી વનપાલક તતકાલ, વિ કેશવકૃત નમિનાથ ફાગ પ્રગટૌ કરે, વા॰ વસંત મુઝરો કરે, વા॰ મન ગડુગડુચો, વા જાય હરિનીે કહ્યો, વા૦ ૬૬ ખેલે। સ્વામી ફાગ, રાગ ધરિને સહી, વા અવસર વારેવાર, અહે આવૈ નહી, વા ખખર કરાવી કૃષ્ણ, દ્વારિકા ઐ સહી, વા Rsિવૈ ખેલી ફાળ, વસંત સહૂ આા વહી વા૦ ૭૧ ખ્યાલી દેખણુ ખ્યાલ, સહૂ તતપર થયા, વા મિલી દસે દસાર, હીઆમૈ ગડગઢયા, વા૦ સાલ સહસ કર જોડી, ગેાપી વીનવૈ, વા॰ આળ્યે અવસર એહુ, ફાગ ખેલે હવે. વા૦ ૬૮ મુરાર ચાલ્યા ત‰, વા૦ હઠ કરને જખૈ, વા૦ સાથે થયા, વા॰ મન મૈ હરખ અપાર, તેમને સાથે લીધ, અલભદ્રને મહુસૈન, તેઉ છેલ છખીલા પુરુષ, ભાગી ભમર સુજાણ, જાદવની કુલ કોડ, રાધા રકમણુ નારિ, સત્યભામા વડી, વા૦ સુંદર સાલ હજાર, આવી મિલી તિણુ ઘડી, વા૦ ૭૦ સજિ કર સેલ-શ્રંગાર, વિરાજૈ પટ્ટરાણી, વા પગ ને ર-અણુકાર, પઢુિરી એઢી મણી, વા૦ શિવાદેવી ખેલાય, ગાપ્યાને ઇમ કહે, વા તેમ ન પરણે કેમ, ઉદાસી કિમ રહે. વા૦ પૃષ્ઠને તતકાલ, ખબર કરજ્યા તુમ્હે, વા મન્નાવા વિવાહ, તે ગુણુ જાણું અમ્હે, વા વારુ વારું કહિને, સહુ ઊઠી તદ્યા, વા૦ નેમકુમરની વાત, રાખી મનમે યદા. વા૦ સહુ આવ્યા જલ-તીર, નીરસ્યું સુચ થયા, વા૦ અરગજે મહમહુચા, વા, ખાંગી સિર સાહતી, વા૦ તિલક વિરાજૈ ભાલ, ચાલ મન માહુતી વા૦ ૭૩ ચંદનની રચી ખેાલ, સીસ સારંગી પાગ, સહૂ જોવા ગયા, વા॰ ૬૯ રસીલા મિલ સહૂ, વા૦ મીલી છે જિહાં મહુ, વા ૭૧ ७२ Page #14 -------------------------------------------------------------------------- ________________ સંપા, કનુભાઈ વ. શેઠ કેસર ચંદન અગર, તગર જેવા તણા, વાવ ઢલૈ દેવર–સીસ, ન રાખે કામણ, વાવ બેલે એવી વાણિ, ગોઠ દે સહી, વાળ અમ વસ પડીઆ સ્વામિ, જાવા દેયાં નહીં. વા૦ ૭૪ સુંદર રૂપ સરૂપ, સેહે યાદવ તણા, વાવ ઈક ઈક ચઢતે રૂપ, નહી ઠઈ મણા, વાવ લાલ ગુલાબ અબીર, ઉછાલે બહુ પર, વાટ માહમાંહિ રમે, રસ રાખી ઈણ પરે. વા૦ ૭૫ બાજે તાલ કંસાલ, ધપમપ૫ ડફ કરે, વાહ દે દે કરિઅ મૃદંગ, ચંગ મધુકર સુરે, વાટ ઢોલક વાજૈ વીણ, વાજૈ બલિ વાંસલી, વાટ ઈણ પર ફાગ રમત, ચિંતા ગઈ વાંસલી. વા. ૭૬ જિહુ ખેલે ગેવિંદ, ગેપી આવી તે તિહું, વાટ લ્યા ત્યારે ગોઠ, હિ જા કિહાં, વાવ પાસે ઊભે નેમ, દીઠો ગોપી તિસ, વાવ, સગલી આવી ચાલ, દેવરને ઈમ હસે. વા. સાંભલ દેવર ઘેવર, સરિખે તું અછઈ, વાવ ગામમાં તારો જેર, કહી ન સકાય છે, વા. હિવ આવ્યા અમ હાથ, જેર એ તુમ તણું, વાળ બોલે રૂકમણુ નારિ, સંતા મત ઘણું, વા૦ ૭૮ એ દેવર પૂજનીક, શીલ જિણ આદર્યો, વાળ એ માટે ગુણવંત, જિર્ણ મન વસ કર્યો, વાવ જંબવતી કહે એમ નાર, નિરવાણી, વાટ ખરે કઠન વ્યવહાર, નાર સંવાહણી. વા. ૭૯ એ કાયર છે તેમ કેમ, પૂરે પડ, વાઇ જેડાડે તેણ, કહો ને કિમ જુડે, વાળ ગેપી મિલ બાર, નમીસરને કહઈ, વાળ તમે પરણે ઈક નાર, કૃષ્ણ તે નિરવહે. વાવ ૮૦ Page #15 -------------------------------------------------------------------------- ________________ કવિ કેશવકૃત નેમિનાથ ફાગ ઈણ વાતે મુખ હાસ, તેમને આવી, વાળ ગેપી તાલી દેઈ, વિવાહ મનાવીયે, વાવ ફાગ રમીને સહ, ઘર અપણે આવીયા, વાવ નેમ વિવાહની વાત, સાલિ મન ભાવીયા. વા૦ ૮૧ એ ત્રીજી ઢાલ રસાલ, કહી કેશવ સહી, વાવ શિવાદેવી સાંભલિ વાત, હૈયા મૈ ગહગહી. વા૮૨ ઉગ્રસેન રાજન-સુતા, રાજમતી તસુ નામ, નેમ-વિવાહ મિલ્ય તિહાં, યાદવ હરખ્યા તા. ૮૩ અતિ આડંબર જાન સજિ, પરણુણ ચાલ્યા નેમ, રથ ઉપર બેઠા થકા, સારથીને કહૈ એમ. એ મંદિર ધવલિત સુઘટ, કહેને એ છે ગેહ, તબ સારથી હસનૈ કહૈ, તુમ સુસરને એહ. આગળ જાતાં પિખીલ, એ સુપાટકને ઘાટ, કિણ કારણ એ બાપડા, આઠંદ કરે ઉચાટ. સારથી કહૈ તુમ ગૌરવૈ, એ સહુ જીવ–સંહાર, તિણ એ સહુએ જીવડા, આઠંદ કરે પુકાર. નેમ વિચારે મનમે, ધિગ ધિ એ સંસાર, પરણેવા મુઝ આખડી, પરહર ચા નારિ. રથ પાઇ વાલ કરી, મન વૈરાગ વિચાર, કૃષ્ણાદિક સહૂએ કહ્યો, મ કરે એહ વિચાર. ઢાલ ચોથી નાંહને નાહલે રાજુલ સાંજલિ વાતડી રે, કરવા લાગી દુઃખ, પિયુડે સ્યુ કર્યો રે વિણ અપરાધે મુઝ તજી રે, કીધી કેમ કુરખ પ્રિ. ૯૦ એ અવગુણ તે દેખનઈ રે, મુઝ સૌ ગેડ નેહ, પ્રિ પ્રત પાલતાં દહિલી રે, છેલે દાખે છે. પ્રિ. ૯૧ વિણ આધારઈ વેલડી રે, જલ-વિણ મછલી જેમ, પ્રિન્ટ તુત્ર વિણ હું તિમકિમ રહું રે, કહો ડિવ કીજૈ કેમ. પ્રિ. ૯૩ Page #16 -------------------------------------------------------------------------- ________________ સંપાકનુભાઈ , શેઠ પસૂઅ-પુકાર સુણી કરી રે, મુઝ છોડી નિરધાર રે, પ્રિ. જીવ–દયા કહો કિડાં રહી, મુઝ આંખે આંસૂત્રધાર. પ્રિ. ૯૩ પ્રીત પતી પાલતાં રે, ખરે કઠન વ્યવહાર, પ્રિ લીધાં મૂકી જે કરે છે, એ કાયર આચાર, પ્રિ. ૯૪ આસા પુરે મહારી રે, જેમ ટલે ઊવાટ, પ્રિત મહિર કરી પાછા વલે રે, ગોરી જો વાટ. પ્રિ. ૯૫ નમતા સું સહુ કો નમે રે, એમ કહે સહુ કેઈ, પ્રિન્ટ કીડી પર કટકી કિસી રે, નાહ વિચારી જે ઈ. પ્રિ. ૯૬ સખી સહેલી ઈમ કહૈ રે, જાવા દે તું નેમ, પ્રિ અવર ભલે પરણવિસ્યાં રે, તેનું બાંધે પ્રેમ. પ્રિ. ૯૭ રાજુલ કહે સખી પ્રતિ રે, એ સી કહે છે વાત, પ્રિ. હું મોહી ઈણ દેખને રે, ભેદી સાતે ધાત. પ્રિ. ૯૮ આઠ ભવાની પ્રીતડી રે, નવમે દાખે છે, પ્રિ. મે જાણે ઈમ નહી કરે રે, નિર્મોહી નિસનેહ પ્રિ. ૯ મોટુવસે જે માનવી રે, બેલે આલ–પંપાલ, પ્રિ. મોહ જીપ ભવીયણ તુહે, કહે કેશવ એથી ઢાલ પ્રિ૧૦૦ દુહા સેર નેમ ભણી સમઝાય, સગા-સણુજા સહુ મિલી, એ કરવાદ કહાય, રથ ફરી પાછો વલે. નેમ કહે છે એમ, હારે પરણે નહી, દુખ-બંધણુ છે પ્રેમ, હું દીખ્યા લેટું સહી. શ્રાવણ સુદિની છઠિ, નેમ સંયમ આદર્યો, દૂર-કરણ કર્મ અઠ, ધરમ ધ્યાન સુધે ધરે પાસે કેવલનાણુ, આસૂની અમાસ, ઉતકૃષ્ટ ગુણઠાણ, વંદું હું શ્રીને મને. ઢાલ પાંચમી આ અણુરા જોગી શ્રીનેમીસરના ગુણ ગાવે, તેહ મનવંછિત સુખ પાવૈ રે, નેમ બ્રાચારી, ૧. અત્રે ત્રીજા ચરણ તરીકે હસ્તપ્રતમાં વધારાની પંકિત નીચે મુજબ મળે છે – “ધિગ ધિગ મોહની રે Page #17 -------------------------------------------------------------------------- ________________ 166 કવિ કેશવકૃત નેમિનાથ ફાગ વિહાર કરતા ગિરનાર આયા, તીરથ દેખી સુખ પાયા રે, 105 ને. સડસ પુરબ સે દીક્ષા લીધી, જિણ ઉત્તમ કરણ કીધી રે, ને રાજુલ મન વૈરાગ મેં આયે, તિણ અથિર સંસારને જાણે રે, 106 ને. પ્રભુ પાસે લીધી જિણ દીક્ષા, વિધિ સુપાલી ગુરુ-શિખ્યા રે, ને ઝિમિર ઝિરમર વરસે મેહ, જિહાં ભજે કેમલ દેહ રે. 107 ને ચીર સુકાવૈ ગુફા મૈ આવી, તબ રહનેમને મન ભાવી રે, ને ચિત ચૂકે રહનેમ જિવાર, રાજુલ ઉપદેશ દે તારે રે. 108 ને. સીલવતી એ રાજુલ રાણી, સોલ સતી માહિ વખાણી રે, ને પિઉ–પહિલી તે પહતી મુગત, મુઝ બહિની દેખું જગતૈ રે. 109 ને. મુઝન પ્રીતમ પહિલી છોડી, જિણ મેખ-વધૂ સે પ્રીત જડી રે, ને તિયું કારણ પહિતી હું જાઉં, તિડાં મનવંછિત સુખ પાઉ રે. 110 ને જિણ ભરમા વાલંભ મેરે, તેહને રૂપ છે અધિકેરે રે, ને એ તે ઈહાં કિણ કવિ ચતુરાઈ, શિવ-પદવી રાજુલ પાઈ રે. 111 ને. વરસ સાતસૈ સંજમ પાથે, જિણ આપણે કુલ ઉત્પાલ્યા રે, ને સહસ વરસને પાલી આપ, એ ધાતી-કરમ ખપાઈ રે. 112 ને. રાજલ નેમ મુગત મિલીયા, દુખ-દેહગ સગલા ટલીઆ, ને પાપ થકી જેહના મન વલીયા, તે પામે નિત રંગરલી રે. 113 ને. સંવર સતર એકાવન વર, ફાગુણ કૃદિ તેરસ હરએ રે, ને પાટણ સહર સદા સુખદાઈ, એ ફાગ રચે વરદાઈ રે. 114 ને વાચક લાવન્યરત્ન પસાયા, કેશવ જિનના ગુણ ગાયા રે, ને ભણસ્ય ગુણ જે સાંભી , તેમના મનવંછિત ફલી રે. 115 ને. ઇતિશ્રી નેમિનાથ ફાગ સંપૂર્ણમ્ શ્રીરસ્તુ