Book Title: Vyakhyan Sahitya Sangraha Part 02
Author(s): Vinayvijay
Publisher: Devji Damji Sheth

View full book text
Previous | Next

Page 624
________________ ૫૮૬ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ– ભાગ ૨ જે. આવાં પુસ્તકોના કર્તાને સ્વધર્મનિષ્ઠ શ્રાવક કે શ્રાવિકા અગર જૈનેતર પ્રજા જે તન, મન, ને ધનથી મદદ આપે તે જ્ઞાનદાનના વધારાની સાથે આત્મકલ્યાણ અવશ્ય થાય તેમ છે. આ પુસ્તકથી સંસ્કૃત વિદ્યા નહિ જાણનારાઓને અપૂર્વ લાભ મળે છે માટે આવી સોનેરી તક ચૂકવાથી હાથમાં આવેલ અમૃતને ઢોળી નાખ્યા બરાબર છે તે આ નિમિત્તે સ્થપાયેલ “વ્યાખ્યાન સાહિત્યપ્રકાશક” મંડળને ભલામણ કરવામાં આવે છે કે આવાં પુસ્તકની વૃદ્ધિ કરવામાં સંપત્તિ અને સમયને સદુપયોગ કરે. મેરારજી માધવજી મહેતા, સંસ્કૃત પાઠશાળાના શાસ્ત્રી, નવાનગર. વિદ્યારસિક જૈનમુનિશ્રી વિનયવિજયજી મહારાજે અનેક શાસ્ત્રનું અવલોકન કરી સંગૃહીત કરેલ અને વાક્યોના ગુર્જર ગિરામાં અનુવાદ સાથે રચેલે “વ્યારા સાહિત્યસંગ્રહ” ગ્રંથ સર્વ જનસમુદાયને અને તેમાં પણ જેનધર્માભિમાની વર્ગને વિશેષથી ઘણો ઉપયોગી થઈ શકે એવો છે. કારણકે એ ગ્રંથના પહેલા ભાગના સર્વ વિષયો મેં વાંચેલા છે તેથી હું કહી શકું છું કે આ ગ્રંથ કલ્યાણની ઇચછાવાળા મનુષ્ય અવશ્ય પોતાની પાસે રાખી પ્રતિદિન વાંચવો જોઈએ મુખદ્વારા દેવામાં આવતા ઉપદેશ કરતાં ગ્રંથરચનાદ્વારા દેવામાં આવતો ઉપદેશ અપરિમિત કાળ સુધી અસંખ્ય મનુષ્યોને સન્માર્ગપ્રદર્શક હોવાથી ઉત્કૃષ્ટ છે, આવાં શ્રેષ્ઠ સાધનોને બતાવનાર પુસ્તકોના રચવા વિગેરેમાં તન, મન અને ધનથી સહાયતા આપનાર મનુષ્ય સર્વ લેકોના ઉપકાર કરનાર કહી શકાય છે. ઉપરાય જતાં વિમૂતા:// શાસ્ત્રી પોપટલાલ અંબાશંકર, જામનગર, गोलकजननीमयूरवाहिनीसरस्वत्या दासानुदासस्य नम्रनिवेदनं पूज्यमुनिश्रीविनयिविनयविजयं प्रति । अयं ग्रन्थो मयाक्षरशोऽवलोकितः । तस्मिन् स्थित श्लोकगुर्जरकवितादृष्टान्तामृतनिष्णातं मे मनः प्रभु प्रति धावति तत इदं मयोक्तम् ।

Loading...

Page Navigation
1 ... 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646