________________
તેઓ એકાંત વર્ણન કરે છે તેને જેને પોતાની શુદ્ધ દષ્ટિએ પિતાની સાથે અપેક્ષા લઈ મેળવવા ચાહે તે મેળવી શકે છે અને તેને લઈને તેને જૈન કહીએ તે ખોટું નથી. માટેજ જેનની પુષ્ટિને ખાતર આ ગ્રંથમાં જેનેતર ગ્રં. થનાં લખાણને પણ અવકાશ આપેલ છે તે સંબંધી શ્રીનંદિસૂત્રમાં ફરમાન છે કે
"समदिठिपरिगहि याणिमिच्छास्ताणि समसूताणि" એટલે કે સમ્યફદષ્ટિએ ગ્રહણ કરેલ મિથ્યાસૂત્ર સમ્યક સૂત્ર કહેવાય છે. આ પણ એક અપેક્ષા જ કહેવાય. શ્રીહરિભદ્રસૂરિ મહારાજનું વચન છે કે “બાયત્તિ પરમયા એટલે કે પરસમયે જયવંત છે આ પણ અપેક્ષા જ કહેવાય. શ્રીહરિભદ્રસૂરિ મહારાજના ચગદષ્ટિ સમુચ્ચય આદિ કેટલાક ગ્રંપ જેને. તરના ગ્રંથોથી ભરપૂર વાસિત જોવામાં આવે છે પણ તે જકની બલિહારી જુદા જ પ્રકારની છે, તે તે વર્ણનને જેનદષ્ટિએ સાર્થક કરી બતાવેલ છે. તેને વીજ રીતે હંસચંચૂ સમદષ્ટિ પુરૂષ ગુણ ગ્રહણ કરશે તો તેને જરા પણ ભિન્નતા કે વિપરીતતા ભાસવા સંભવ નથી. પણ કાણી હાથણની માફક એકજ તરફ દષ્ટિ રાખશે તેને વિપરીત કે અનુચિત ભાસે તેમાં જકનો કે બીજા કોઈને દોષ ન ગણાય એ સુએ પતે વિચારી લેવાનું છે, તેમ છતાં અલ્પજ્ઞ છઘસ્થતાને લઈ અનુચિત કે સૂત્રવિરૂદ્ધાચરણ થયું હોય તેને માટે ખરા અંતઃકરણથી મિચ્છામિ દુક્કડ દઉછું અને જે કંઈ ઉપકારી તે ભૂલને મારી જાણમાં લાવશે તે હું તેમને મેટે ઉપકૃત થઇશ તેમજ દ્વિતીયાવૃત્તિમાં તે ભૂલને સુધારે કરતી વખતે તે ઉપકારીનું નામ પણ સાથે યાદીમાં લાવીશ.
વિનયવિજ્ય.