Book Title: Vividh Vishay Vicharmala Part 03
Author(s): Ratnatrayvijay
Publisher: Ranjanvijay Jain Pustakalay

View full book text
Previous | Next

Page 204
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ પરગામ પ્રત્યે ચાલતાં અડધો પાણીનો ઘડો સામો મળે તો અડધો લાભ થાય. ૩૪ પરગામ પ્રત્યે ચાલતાં બે બે ઘડા ભરેલા સામા મળે તો તે ઇચ્છિત વસ્તુને આપનારા થાય તેમાં પણ તે બને જો પુરૂષને મસ્તકે રહેલા હોય તો તમામ પ્રકારની સિદ્ધિના કારણ ભૂત થાય છે. ૩૫ પરગામ પ્રત્યે ચાલતાં ગણેશ (તેતર) ડાબી બાજુ બોલે તો કુશલતા જણાવે, જમણી બાજુ બોલે તોલાભદેખાડે તથા કન્યાના વરને શોધવા જાતાં જમણી બાજુ બોલે તો વર મળે, પણ સર્વથા પ્રકારે ડાબુ બાડુ બોલે તો સારો, ડાબો બોલીને જમણો બોલે તો ફલ પ્રાપ્ત થાય, રાત્રિએ બોલે તો દેશ ભંગ થાય, બપોરે તેતર બોલે તો ભય શમી જાય, એક સ્થાનકે રહીને સર્વખુણે બોલે તો ભય ઉત્પન્ન થાય. ગણેશ ડાબી બાજુ કુશલતા સૂચવે, ડાબા ઉપર જમણો વાહન મેળવે, ગામમાં પ્રવેશ કરતાં જમણો બોલે તો ઉત્તમ છે તથા રોગીને વિષે ગણેશ ડાબો હોયતોરોગીને સમાધિ થાય. ૩૬ પરગામ પ્રત્યંચાલતાં દુર્ગા (કાળીચકલી) ડાબી બાજુ શબ્દ કરે તો ઉત્તમ તથા કુશલતા કહે ડાબીબાજુથી શબ્દોને કરતી જમણી બાજુ જાય તો પણ કુશળ બીજીવાર જાય તો કાર્ય સિદ્ધ થાય, ત્રીજીવાર દુર્ગા જમણી બાજુ જાય તો લાભના લોભ સહિત રાજય મેળવે, સુખકારી કલ્યાણકારી હોય, જમણી બાજુથી ડાબી બાજુ જાય તો દુઃખદાયી થાય, દુર્ગા શબ્દ કરતી નીચી જાય તો નીચલાભ સૂચવે, પરગામ જતાં પાણીના સ્થાનકે બેઠેલી દુર્ગા બોલે તો ચિંતા ઉત્પન્ન થાય, અને પ્રાસાદ તથા વૃક્ષ ઉપર બેઠેલી બોલે તો ઉત્તમ લાભ સૂચવે. રસ્તામાં સાથે ચાલે, આગળ ચાલે, વચ્ચે ચાલે તો આગળ ઉપરલાભ થાય, તથા સુકા લાકડા ઉપર તથા સુકાયેલા વૃક્ષઉપર બેઠેલી બોલે તો હાનિ થાય, તથા રોગીને અર્થે જોતા જો બેઠી હોય ત્યાંથી ઉંચી ૧૯૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230