Book Title: Vividh Vishay Vicharmala Part 03
Author(s): Ratnatrayvijay
Publisher: Ranjanvijay Jain Pustakalay

View full book text
Previous | Next

Page 209
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ બૃહસ્પતિનું ઘર હોય છે તેથી તે તરફ છીંક થાય તો સર્વ કાર્યની સિદ્ધિ થાય છે. ૩૬ ગુરૂવારે નૈરૂતખુણે શુકનું ઘર હોય છે તેથી તે તરફ છીંક થાય તો સુખની વાત સાંભળે. ૩૭ ગુરૂવારે પશ્ચિમ દિશાને વિષે શનિશ્વરનું ઘર હોય છે, તેથી તે તરફ છીંક થાય તો કાર્યની હાનિ થાય. ૩૮ ગુરૂવારે વાયવ્યખુણે રાહુનું ઘર હોય છે તેથી તે તરફ છીંક થાય તો શત્રુ તરફથી ભય ઉત્પન્ન થાય. ૩૯ ગુરૂવારે ઉત્તર દિશાને વિષે સૂર્યનું ઘર હોય છે તેથી તે તરફ છીંક થાય તો મરણ ઉત્પન્ન થાય. ૪૦ ગુરૂવારે ઇશાનખૂણે ચંદ્રમાનું ઘર હોય છે તેથી તે તરફ છીંક થાય તો કાર્યની સિદ્ધિ થાય. ૪૧ શુક્રવારે પૂર્વ દિશાને વિષે ચંદ્રમાનું ઘર હોય છે તેથી તે તરફ છીંક થાયતો નિશ્ચય સંપદા મેળવે. ૪૨ શુક્રવારે અગ્નિકુણે મંગળનું ઘર હોય છે તેથી તે તરફ છીંક થાય તો બીજા ગામથી સગા સંબંધીની વાત સંભળાય. ૪૨ શુક્રવારે દક્ષિણ દિશાને વિષે બુધનું ઘર હોય છે તેથી તે તરફ છીંક થાય તો ભાઈ બાંધવનો મેળાપ થાય. ૪૪ શુક્રવારે નૈરૂતખુણે બૃહસ્પતિનું ઘર હોય છે તેથી તેતરફ છીંક થાય તો લાભ થાય. ૪૫ શુક્રવારે પશ્ચિમ દિશાને વિષે શુક્રનું ઘર હોય છે, તેથી તે તરફ છીંક થાય તો સર્વ કાર્યની સિદ્ધિ થાય છે. ૪૬ શુક્રવારે વાયવ્યખુણે શનિશ્વરનું ઘર હોય છે તેથી તે તરફ છીંક થાય તો કલેશ ઉત્પન્ન થાય છે. ૪૭ શુક્રવારે ઉત્તર દિશાને વિષે રાહુનું ઘર હોય છે તેથી તે તરફ છીંક થાય તો શત્રુનો ભય થાય છે. ૪૮ શુક્રવારે ઇશાનખૂણે સૂર્યનું ઘર હોય છે તેથી તે તરફ છીંક થાય તો કાર્યની હાનિ થાય છે. ૪૯ શનિવારે પૂર્વ દિશાને વિષે સૂર્યનું ઘર હોય છે તેથી તે તરફ છીંક થાય તો કાર્યની હાનિ થાય છે. ૫૦ શનિવારે અગ્નિખુણે ચંદ્રમાનું ઘર હોય છે તેથી તે તરફ છીંક થાય તો સંપદા M૧૯૬) ૧૯૬ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230