Book Title: Vinay Saurabh
Author(s): Hiralal R Kapadia
Publisher: Vinaymandir Smarak Samiti Rander

View full book text
Previous | Next

Page 117
________________ વિનય-સૌરભ [લતા ૩૩ લતા ૩૩ઃ પાવલી-સજઝાય [? વિ. સં. ૧૭૧૮ ] આ કૃતિને પ્રારંભ દુહાની પાંચ કડીથી કરાયો છે અને અંતમાં ચાર પતિની એક કડીવાળે કલશ' છે. ઉપર્યુક્ત પ્રાસ્તાવિક દુહા પછી ઢાલ, દુહા, ઢાલ, દુહા, ઢાલ અને ૧૬“ગુટક” છે. એકંદર ૭૨ કડી છે. આ કૃતિમાં સુધસ્વામીથી માંડીને વિજયપ્રભસૂરિ સુધીની પટ્ટપરંપરા વર્ણન વાઈ છે. પહેલી ઢાલમાં કામદેવે કોશાને યુદ્ધ માટે ઉપયોગ કર્યો તેનું તેમ જ એ કામદેવને સ્થૂલભદ્ર પરાજિત કર્યો તેનું કાવ્યત્વપૂર્ણ વર્ણન ૧૨ કડીમાં કરાયું છે. આ કૃતિમાં જે સરિઓનો ઉલ્લેખ કરાયો છે તેમની વિશિષ્ટતાને કે તેમણે કોઈ ગ્રંથ રચ્યું હોય તે તેને નિર્દેશ કરાયો છે. કર્તાએ પિતાના ગુરુ કીતિવિજયગણિને પદવી પ્રદાનને અંગેનો મહત્સવ વર્ણવ્યા છે, અને હીરવિજયસૂરિએ કરેલી ધાર્મિક પ્રગતિને ચિતાર આપે છે. એમણે વિજ્યદેવસૂરિને “યુગપ્રધાન અને ગૌતમાવતાર' કહ્યા છે. એ પૂર્વે વિજયસેનસૂરિ વિષે એમણે કથન કર્યું છે. વિજયદેવસૂરિનાં વિહાર અને પ્રતિષ્ઠાની નેંધ લઈ એ સૂરિએ વિજયસિંહસૂરિને પોતાની પાટે સ્થાપ્યાને ઉલ્લેખ કરાયો છે પરંતુ એ સૂરિ સ્વર્ગે સિધાવ્યા એટલે વિજયપ્રભસૂરિને પટ્ટધર બનાવાયા. આ કૃતિમાં વિજયતિલકસૂરિ કે વિજયા. નંદસૂરિ વિષે કશું કથન નથી. - કીર્તિવિજયગણિની પૂર્વાવસ્થા–પ્રસ્તુત કૃતિ (પૃ. ૧૮૨)માં ૧ આ નામ આ કૃતિમાં તે નથી. આ કૃતિ “જૈન યુગ” (પુ. ૫, અ. ૪-૫, પૃ. ૧૫૬-૧૬)માં વિ. સં. ૧૯૮૬માં પ્રસિદ્ધ કરાઈ હતી. એ જ ઉપરથી ૫ સ. (ભાગ ૨, પૃ. ૧૭૬-૧૮૫)માં ઉધૃત કરાઈ છે. કોઈ કોઈ પંક્તિ ખંડિત છે એટલે અન્ય હાથપથી મેળવી એ પૂર્ણ કરાવી ઘટે. ૨જ, ગૂ ક. (ભા. ૧, પૃ. ૫, ટિ.)માં કહ્યું છે કે એમના નામરાશિ, અન્ય કીર્તિવિજય વિજયસિંહસૂરિના સંસારપક્ષે ભાઈ થાય છે અને એમણે વિજયસેનસૂરિ પાસે દીક્ષા લઈ વિ. સં. ૧૯૭૦માં પંડિત પદ મેળવ્યું હતું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156