Book Title: Vastupal Prashasti Sangraha
Author(s): Chandanbalashreeji
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 18
________________ १८ ૪-૩૧માં તથા બઘેલાઓનું (વાઘેલાઓનું) વર્ણન ૩૨-૩૮માં પદ્યોમાં તથા દાતા વસ્તુપાલતેજપાલનું વંશવૃક્ષ પદ્ય ૩૯-૫૧માં અને પદ્ય ૫૨-૬૨માં તેમના સુકૃત્યોની સૂચી આપવામાં આવેલ છે. પદ્ય ૬૩-૭૧માં મંદિરના મુખ્ય અધિષ્ઠાતા તથા પ્રશસ્તિના રચનાર જયસિંહના ઉપદેશથી અને પોતાના અગ્રજ વસ્તુપાલની આજ્ઞાથી તેજપાલ દ્વારા સ્વર્ણધ્વજદંડોના નિર્માણનું વર્ણન છે. અંતે ધ્વજદંડો, મંદિર અને બંને મંત્રીઓ માટે આશીર્વચન છે. આ પ્રશસ્તિના રચનાર પૂ. આ. વીરસિંહસૂરિમહારાજના શિષ્ય પૂ. આ જયસિંહસૂરિમહારાજ છે. તેમણે હમ્મીરમદમર્દનનાટકનું સર્જન કર્યું છે. તે એક ઐતિહાસિક નાટક જ છે અને વસ્તુપાલની શૌર્યકથા કહે છે. આ રીતે વસ્તુપાલ-તેજપાલ સંબંધિત આ છ પ્રશસ્તિઓ પ્રસ્તુત ગ્રંથમાં આપેલ છે. આ સિવાય મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ ગ્રંથમાં પૃ. ૩૦૩-૩૩૦ ઉપર પ્રકાશિત પૂ. મુનિપુંગવ પુણ્યવિજયજીમહારાજનો લેખ ‘પુણ્યશ્લોક મહામાત્ય વસ્તુપાલના અપ્રસિદ્ધ શિલાલેખો તથા પ્રશસ્તિલેખોનો સંગ્રહ' તેમાં બે શિલાલેખો અને દસ પ્રશસ્તિઓ આપવામાં આવેલ છે તે આ પ્રમાણે છે : પ્રશસ્તિલેખાંક ૧ :- ૩૭ પઘોની આ પ્રશસ્તિ પૂ. આ. નરેન્દ્રપ્રભસૂરિમહારાજ રચિત છે. પ્રશસ્તિલેખાંક ૨ :- ૫ પઘોની આ પ્રશસ્તિના કર્તા પૂ.આ. ઉદયપ્રભસૂરિમહારાજ છે. પ્રશસ્તિલેખાંક ૩ :- ૫૪ પદ્યોની આ પ્રશસ્તિ ગૂર્જરેશ્વરપુરોહિત સોમેશ્વરદેવે રચેલી છે. પ્રશસ્તિલેખાંક ૪ :- ૧૬ પદ્યોની આ પ્રશસ્તિ કવિ સાર્વભૌમ હરિહરપંડિત રચેલી છે. પ્રશસ્તિલેખાંક ૫ :- માત્ર ચાર કાવ્યાત્મક આ પ્રશસ્તિના રચિયતા મહામાત્ય વસ્તુપાલના પરમમિત્ર યશોવીરમંત્રી છે. પ્રશસ્તિલેખાંક ૬ :- ૧૨ પદ્યોની આ પ્રશસ્તિ લૂણસિંહના પુત્ર ઠક્કુર અરિસિંહરચિત છે. પ્રશસ્તિલેખાંક ૭ :- ૧૩ પદ્યોની આ પ્રશસ્તિ આમ નાના પંડિતના ભાઈ દોદર નામના પંડિતે રચેલ છે. પ્રશસ્તિલેખાંક ૮ :- માત્ર એક જ પદ્યમય આ પ્રશસ્તિ જગસિંહપંડિતે રચી છે. પ્રશસ્તિલેખાંક ૯ :- બે પદ્યોની આ પ્રશસ્તિ ભૃગુકચ્છનિવાસી ધ્રુવ અટકવાળા ઠક્કુર વકીલના પુત્ર ઠક્કુર વૈરસિંહે રચી છે. પ્રશસ્તિલેખાંક ૧૦ :- પાંચે પઘોની આ પ્રશસ્તિમાં એના રચનારનું નામ નથી. અંતની પુષ્પિકા ઉપરથી માંધાતૃનગરમાં આવેલા મડેશ્વર નામના શિવાલયના શિલાલેખની આ પ્રશસ્તિ છે એમ જાણી શકાય છે. આ દશ પ્રશસ્તિલેખોને પૂ. મુનિપુંગવ પુણ્યવિજયજીમહારાજ સાહેબે શ્રીલાવણ્યવિજયજી જૈનજ્ઞાનભંડાર (રાધનપુર)માંથી મળેલી ૧૫મા સૈકાની હસ્તલિખિત પ્રતિ ઉપરથી sukar-t.pm52nd proof

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 ... 269