Book Title: Uttaradhyayan Sutram Part 02 Author(s): Vajrasenvijay, Bhagyeshvijay Publisher: Bhadrankar Prakashan View full book textPage 6
________________ ૫ (૧૪) ઈષુકારીય :- ૫૩ ગાથાના આ અધ્યયનમાં ઈષુકાર નગરના ૬ જીવોનાં દીક્ષાનું વૈરાગ્ય ઉત્પન્ન કરે તેવું વર્ણન છે. દાર્શનિક વિષયો પર સંવાદ પણ છે. -- (૧૫) સભિક્ષુ ઃ- વેશ ધારણ કરવા માત્રથી સાધુ નથી થવાતું, માટે સાધુનું વ્યક્તિત્ત્વ કેવું હોવું જોઈએ તે – ૧૬ ગાથાના આ અધ્યયનમાં બતાવ્યું છે અને દરેક ગાથાના અંતમાં ‘સભિક્ષુ’ પદ મૂકેલ છે. (૧૬) બ્રહ્મચર્ય સમાધિ :- ગદ્ય-પદ્યાત્મક આ અધ્યયનમાં જીવનની ઉન્નતિ માટે મહત્ત્વની વાત બતાવી છે બ્રહ્મચર્યની....! બ્રહ્મચર્યની મહત્તા-તેનાથી થતા અમૂલ્ય લાભો અને બ્રહ્મચર્યની રક્ષા માટે કરવામાં આવતી વાડોની વાતો જણાવી છે. (૧૭) પાપશ્રમણીય :- સાધુત્વથી, સાધુનાં આચારોથી જે ભ્રષ્ટ થાય તે પાપશ્રમણ કહેવાય છે. કેટલી કેટલી રીતે પાપશ્રમણીયતા પ્રગટે તેનું વર્ણન આ અધ્યયનની ૨૧ ગાથામાં આપ્યું છે. (૧૮) સંજય ઃ- રાજર્ષિ સંજયનું જીવનચરિત્ર ૫૪ ગાથામાં આલેખ્યું છે. સાથે સાથે પ્રસંગવશ ઘણા રાજાઓએ દીક્ષા લીધી તેનું વર્ણન છે. (૧૯) મૃગાપુત્રીય ઃ- મૃગાપુત્રની વૈરાગ્યોત્પાદિકા કથા ૯૯ ગાથામાં કંડારવામાં આવી છે. પોતાનાં માતા-પિતા સાથે થયેલ સંવાદ પણ સુંદર છે. સાધુનાં આચારનું કથન કરી પ્રસંગોપાત નારકીય કષ્ટોનું વર્ણન આપવામાં આવ્યું છે. મૃગચર્માનાં દૃષ્ટાંતથી ભિક્ષાચર્યાનું વર્ણન છે. (૨૦) મહાનિર્પ્રન્થીય :- અનાથી મુનિ અને રાજા શ્રેણિકની વચ્ચે સનાથ અને અનાથવિષયક સંવાદ રોચક છે. મહાનિર્પ્રન્થનો અર્થ સર્વવિરત સાધુ કરેલ છે. (૨૧) સમુદ્રપાલીય :- ૨૪ પદ્યાત્મક આ અધ્યયનમાં સમુદ્રપાલની કથાનું વર્ણન કરી સુંદર બોધ ફરમાવેલ છે. (૨૨) રથનેમીય :- ૫૧ ગાથાનાં આ અધ્યયનમાં મહત્ત્વપૂર્ણ વાત બતાવી છે. શ્રી રથનેમિજીને ઉત્પથમાંથી પથ પર લાવવા શ્રી રાજીમતીએ કરેલ ઉદ્બોધન અત્યંત હૃદયસ્પર્શી છે-પ્રસંગોપાત પ્રભુ શ્રી અરિષ્ટનેમિ, કૃષ્ણ આદિનું જીવન ચરિત્ર છે. (૨૩) કેશિગૌતમીય :- ૮૯ ગાથાનાં આ અધ્યયનમાં ભગવાન્ પાર્શ્વનાથના સંતાનીય કેશી સ્વામીજી અને પ્રભુવીરના શિષ્ય પ્રથમ ગણધર શ્રી ગૌતમ સ્વામીજી વચ્ચે થયેલ ધર્મવિષયક સંવાદ છે. સર્ચલ-અચેલ, ચાર મહાવ્રત-પાંચ મહાવ્રત આદિ વિષયો બાબત પ્રકાશ-પાડ્યો છે. (૨૪) પ્રવચન માતા :- ૨૭ ગાથામાં ચારિત્ર જીવનનો ઉછેર જે માતાઓના ખોળે થાય છે તે અષ્ટ પ્રવચન માતાનું વર્ણન છે. (૨૫) યજ્ઞીય :- ૪૫ ગાથાના આ અધ્યયનમાં જયઘોષમુનિ મહારાજ યજ્ઞ મંડપમાં બ્રાહ્મણોની સાથે સંવાદ કરતાં સાચો બ્રાહ્મણ કોણ ? તેનું સ્વરૂપ શું ? આધ્યાત્મિક યજ્ઞ કોને કહેવાય ? વિગેરે વસ્તુ પર પ્રકાશ પાથરે છે.Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 326