Book Title: Updeshprasad Part 2
Author(s): Vijaylakshmisuri, 
Publisher: Jain Book Depo Ahmedabad

View full book text
Previous | Next

Page 200
________________ વ્યાખ્યાન ૧૨૫] ચાયનીતિયુક્ત દ્રવ્ય-ઉપાર્જન ૧૯૧ તેને કરવી; કારણ કે જે જેવું કરે તેને તેવું કરવું જોઈએ.” તે સાંભળી રાજાએ પોતાની ગાડી મંગાવી અને પુત્રને બોલાવી કહ્યું કે, “હે પુત્ર! તું અહીં સૂઈ જા.તે વિનીત પુત્ર તત્કાળ સૂઈ ગયો. રાજાએ સેવકોને કહ્યું કે, “આ કુમારની ઉપરથી ગાડી વેગ વડે પસાર કરો.” કોઈ તેમ કરી શક્યું નહીં. ઊલટા સર્વ રાજાને વારવા લાગ્યા. તે છતાં રાજા તેમનું નહીં માનીને પોતે ગાડી ઉપર બેસી પુત્રના ચરણ ઉપરથી લેવામાં ગાડીને પસાર કરવા જતા હતા, તેવામાં દેવીએ પ્રગટ થઈ રાજાની ઉપર પુષ્પવૃષ્ટિ કરી અને ગાય કે વત્સ કાંઈ જોવામાં આવ્યું નહીં. દેવી બોલી–હે રાજન! મેં તારી પરીક્ષા કરવા માટે આ બધી રચના કરી હતી. પ્રાણપ્રિય એવા એકના એક પુત્રથી પણ તને ન્યાય વહાલો છે એમ સિદ્ધ થયું છે, માટે ઘન્ય છે તને, તું નિર્વિને રાજ્ય કર.” આ પ્રમાણે ન્યાય સંબંધી દૃષ્ટાંત મનમાં ઘારણ કરીને ગૃહસ્થ એટલે શ્રાવકે ન્યાયવૃત્તિ છોડવી નહીં. શુદ્ધ વ્યાપાર વડે દ્રવ્યની વૃદ્ધિ કરવી. તે શુદ્ધ વ્યાપારમાં આ ચાર નિયમ પાળવા ૧ યથાર્થ બોલવું. ૨ વંચના (ઠગવા) વગરની ક્રિયા કરવી. ૩ અપાયનું પ્રકાશ ન કરવું (ચાડી ન ખાવી). ૪ સદ્ભાવ (મૈત્રીભાવ) રાખવો. તેમાં જે પ્રથમ “યથાર્થ બોલવું” તે આ પ્રમાણે–“ઘર્મ તથા અધર્મને જાણનારા ભાવશ્રેષ્ઠ પુરુષો બીજા ઠગાય તેવું ન બોલે; હમેશાં સત્ય અને મઘુર વચન જ બોલે. તેમાં પણ ઘર્મને પીડા કરે તેવું તો કદી પણ બોલે જ નહીં.” કમળશ્રેષ્ઠી વગેરેની જેમ. બીજો પ્રકાર ‘અવંચિકા ક્રિયા એટલે જેથી બીજાને વ્યસન-દુઃખ થાય તેવા હેતુવાળી મન, વચન અને કાયાના વ્યાપારરૂપ ચેષ્ટા ન કરવી. જેમ કે, “જે શુદ્ધ ઘર્મનો અર્થી હોય તે પ્રતિરૂપ વિધિવડે તેમજ ખોટાં ત્રાજવાં, કાટલાં વગેરેથી ઓછું વધતું દેવા લેવા વડે બીજાને છેતરે નહીં.” ત્રીજો પ્રકાર “અપાય પ્રકાશ કરવો નહીંએટલે જે અશુદ્ધ વ્યાપાર કરવાથી ભાવી અનર્થ થાય; જેવા કે, રાજદંડ થાય અને નરકમાં પડવું પડે વગેરે. તેવા અશુદ્ધ વ્યાપારનો પ્રકાશ કરવો નહીં, અર્થાત્ તેવી કોઈની ચાડી ખાઈને પોતાના ઘનને વઘારવું નહીં. ચોથો પ્રકાર “મૈત્રીપણાનો ભાવ રાખવો” એટલે સારા મિત્રની જેમ નિષ્કપટપણે વર્તવું. દંભથી કોઈને છેતરવા નહીં. એવી રીતે ન વર્તતાં જે પ્રાણી ગાયના જેવા મુખવાળી અને વાઘના જેવા આચરણવાળી વૃત્તિથી વ્યવહાર કરે છે તે કોઈનો વિશ્વાસપાત્ર થતો નથી અને પાપનું ભાજન થાય છે. આ પ્રમાણે જાણીને શુદ્ધવૃત્તિથી દ્રવ્યની વૃદ્ધિ કરવી. ગૃહસ્થોને દરેક કાર્યની સિદ્ધિ દ્રવ્યથી થાય છે, પરંતુ ઘનવૃદ્ધિ માટે ઘર્મહાનિ થવી ન જોઈએ. માટે ઘર્મથી અવિરુદ્ધ વ્યાપાર વડે વૈભવની વૃદ્ધિ કરવી. એ સર્વનો ભાવાર્થ છે. “દેશ, જાતિ અને કુળના ઘર્મનો નાશ કરનાર કુબુદ્ધિને છોડી દેવાથી જ નીતિમાં તત્પર થવાય છે અને તેવા નીતિવાનપણાથી જ ઉત્તમ ઉપાસક (શ્રાવક) શુભ સંપત્તિને અને વ્યાપારની શુદ્ધિને પ્રાપ્ત કરે છે.” + વેચવાની વસ્તુમાં ભળી શકે તેવી ઓછી કિંમતની વસ્તુ ભેળવવી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234