Book Title: Upadhyaya Padni Mahatta
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Vijyanandsuri_Swargarohan_Shatabdi_Granth_012023.pdf

View full book text
Previous | Next

Page 8
________________ ઉપાધ્યાય ભગવંતનાં લક્ષણો દર્શાવતાં, વિશેષાવશ્યક ભાષ્યમાં નીચેની ગાથાઓમાં કહ્યું છે : नाम ठवणा दविए भावे चउव्विहो उवज्झायो। दव्वे लोईवसिप्पा धम्मे तह अन्नतित्थीया। (નામ ઉપાધ્યાય, સ્થાપના ઉપાધ્યાય, દ્રવ્ય ઉપાધ્યાય અને ભાવ ઉપાધ્યાય એમ ચાર પ્રકારે ઉપાધ્યાય કહ્યા છે. લૌકિક શિલ્પાદિનો ઉપદેશ કરનાર તથા પોતાના ધર્મનો ઉપદેશ કરનાર અન્ય તીર્થિઓ (અન્યદર્શનીઓ) તે દ્રવ્ય ઉપાધ્યાય કહેવાય છે.) वारसंगो जिणक्कखाणे सज्झायो कहिउँ बुहे। जम्हा तं उवइसंति उवज्झाया नेण वुच्चंति ।। (દ્વાદશાંગરૂપ સ્વાધ્યાય જિનેશ્વર ભગવાને કહ્યો છે. એનો સ્વાધ્યાય શિષ્યોને ઉપદેશે છે તેથી તેઓ (ભાવ) ઉપાધ્યાય કહેવાય છે.) उत्ति उवओगकरणे झत्ति य ज्झाणस्म होई निदेसे। एएण होइ उज्झा जेसो अच्णो वि पज्जाओ । (૩ શબ્દ ઉપયોગ કરવાના અર્થમાં તથા ફી શબ્દ ધ્યાનના નિર્દેશમાં છે. એટલે ૩ન્સ શબ્દનો અર્થ ઉપયોગપૂર્વક ધ્યાન કરનાર એવો થાય છે. ઉપાધ્યાય શબ્દના આવા પણ બીજા પર્યાય છે.) उवगम्य जओऽहोयई जं चोवगयमज्झयाविति। जं चोवायज्झाया हियस्स तो ते उवज्झाया। (જેની પાસે જઈને ભણાય અથવા જે પોતાની પાસે આવેલાને ભણાવે, તેમ જ જે હિતનો ઉપાય ચિંતવનાર હોય તેને ઉપાધ્યાય કહેવામાં આવે છે.) आयारदेसणाओ आयारिया, विणयणादुवज्झाया। अत्थ पदायगा वा गुरवो सुत्तस्सुवज्झाया। (આચારનો ઉપદેશ કરવાથી આચાર્ય અને અન્યને ભણાવવાથી ઉપાધ્યાય કહેવાય. વળી, અર્થપ્રદાયક તે ભગવંત આચાર્ય અને સૂત્રપ્રદાયક તે ઉપાધ્યાય કહેવાય.) પંચાધ્યાયી માં ઉપાધ્યાયનાં લક્ષણો બતાવતાં કહ્યું છે : उपाध्यायाः समाधीयान् वादी स्याद्वादकोविदः । वाग्मी वाग्ब्रह्मसर्वज्ञः सिद्धान्तागमपारगः। कविर्जत्यग्रसूत्राणां शब्दाथैः सिध्धसाधनात् । गमकोऽर्थस्य माधुर्ये धुर्यो वक्तृत्ववर्त्मनाम् । ૧૪૮ શ્રી વિજયાનંદસૂરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19