Book Title: Triveni Snan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 3
________________ ૮૪૬ ] દર્શન અને ચિંતન જેમાં સીક્રેટીસનુ જીવન સક્ષેપ કે વિસ્તારથી આલેખાયેલું ન હેાય. મે' હિંદી આદિ ભાષાઓમાં જે જે સાક્રેટીસ વિશે વાંચ્યું કે સાંભળ્યું છે તે બધા કરતાં પ્રસ્તુત પુસ્તકમાં આલેખાયેલ સોક્રેટીસનું રેખાચિત્ર ભારે ઉડાવદાર અને વાચકને ઊપ્રેરણા આપે તેવું મને લાગ્યું છે. એના લેખકે સોક્રેટીસ વિશે એટલું બધું વાંચ્યું-વિચાયું લાગે છે કે એ રેખાચિત્રના વાકયે વારું, કડિકાએ કડિકાએ વાચક વધારે તે વધારે ઊધ્વગામી બનતા જાય છે. ગ્રીસ, એથેન્સ, સ્પાર્ટીના ઇતિહાસ ટૂંકમાં પણ મળી જાય છે. ગ્રીસનાં વિચાર, વાણી, કળા, સ્વાતંત્ર્ય આદિની સમૃદ્ધિનું ચિત્ર ઊપસી આવે છે. ઍથેન્સ અને સ્પાર્ટીના સૌંતે પરિણામે સોક્રેટીસને અંતરાત્મા કેવી રીતે જાગી ઊઠે છે અને તેની વ્યદિશા કેવી અદલાઈ જાય છે એનું અર્ મનેહર ચિત્ર આ કથામાં મળી આવે છે. કાલિય અને શાકયના સંધર્ષે અહિંસા અને નિવૈરની ભાવના વિકસાવવા જેમ મુદ્દને જગાયા, અને યુદ્ધ ભારત જગતને એક નવા જ સંદેશ મળ્યો, તેમ સીક્રેટીસના જાગેલા અંતરાત્માએ ઍથેન્સવાસીઓને અને તે દ્વારા સમગ્ર માનવજાતને એક ક્રાન્તિકારી નવા પાઠ શીખવ્યા. તે પાર્ડ એટલે સાચી સમજણ. જેને આયલા સભ્યષ્ટિ યા વિવેકખ્યાતિ કહે છે તેને જ સોક્રેટીસ સાચી સમજણું કહે છે. સોક્રેટીસની સાચી સમજણ એ પરાક્ષ સમજણુ નથી, પણ અન્તઃપ્રજ્ઞારૂપ પ્રત્યક્ષ સમજણુ છે. એટલે તેની સાથે અનિવાર્ય પણે અનુરૂપ શીલ આવે જ છે, તેથી જ સૂત્રતાંળમાં ભગવાન મહાવીરને અનુભવ નોંધાયેલ છે કે- સમ્મત્તમર તું મોળ, મોળું સમ્મતમેવ ચ' એટલે સાચી દષ્ટિ ય સાચી સમજણ એ જ · મૌન યા મુનિત્વ એટલે સદાચાર છે અને સદાચાર એ જ સાચી સમજણુ છે. બંનેના અભેદ છે. સાચા અંતર્મુખ સામાં સમજણુ અને શીલ એ ખે વચ્ચેનુ અંતર માત્ર શાબ્દિક હેાય છે, તાત્ત્વિક નહિ. આંખ ને જીભ જેવી જુદી જુદી ઇન્દ્રિયાથી ગ્રહણ થતાં રૂપ અને સ્વાદ બને જુદાં છે, એમ આપણે કહીએ છીએ. તેતેા અર્થ એ નથી કે દૂધમાં રહેલ સફેદી અને મીહાશ એ. અંતે તત્ત્વતઃ જુદાં છે. જેમ એ અને તત્ત્વતઃ એક છે, માત્ર ઇન્દ્રિયજ્ઞાનના ભેદથી વ્યવહારગત ભેદ છે તેમ જ અંદરથી ઊગેલ સાચી સમજણ અને શીલ એ બંને તાત્ત્વિક રીતે એક જ છે. સોક્રેટીસ સાચી સમજણુ ફેલાવવા માટે કાંઈ પણ કરવું ચૂકતા નહિ. એને પરિણામે એની સામે ક્રાઇસ્ટની જેમ મૃત્યુ આવ્યુ. એણે એને અમરપદ માની વધાવી લીધું. આ તેના શીલની અંતિમ કસેટી. આવી રોમાંચક, મેધક અને ઊષ્ણ પ્રેરણા આપતી સોક્રેટીસની જીવનગાથા એ પ્રસ્તુત પુસ્તકનુ' પહેલું વહેણ છે. ઃ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6