Book Title: Tattva Chintan ane Samyag Darshan
Author(s): Suresh Shah
Publisher: Suresh Shah

View full book text
Previous | Next

Page 59
________________ ૫) સમાધાન - સશુરુ ઉવાચ જેમ શુભાશુભ કર્મપદ, જાણ્યાં સફળ પ્રમાણ; તેમ નિવૃત્તિ સફળતા, માટે મોક્ષ સુજાણ. વીત્યો કાળ અનંત તે, કર્મ શુભાશુભ ભાવ; તેહ શુભાશુભ છેદતાં, ઊપજે મોક્ષ સ્વભાવ. દેહાદિક સંયોગનો, આત્યંતિક વિયોગ; સિદ્ધ મોક્ષ શાશ્વત પદે, નિજ અનંત સુખભોગ. ૬) શંકા - શિષ્ય ઉવાચ હોય કદાપિ મોક્ષપદ, નહિ અવરોધ ઉપાય; કર્મો કાળ અનંતનાં, શાથી છેદ્યાં જાય? અથવા મત દર્શન ઘણાં, કહે ઉપાય અનેક, તેમાં મત સાચો કયો, બને ન એહ વિવેક. કઈ જાતિમાં મોક્ષ છે, કયા વેષમાં મોક્ષ? એનો નિશ્ચય ના બને, ઘણા ભેદ એ દોષ. તેથી એમ જણાય છે, મળે ન મોક્ષ ઉપાય; જીવાદિ જાગ્યા તણો, શો ઉપકાર જ થાય? પાંચે ઉત્તરથી થયું, સમાધાન સર્વાગ; સમજું મોક્ષ ઉપાય તો, ઉદય ઉદય સદ્ભાગ્ય ૫૮ તત્ત્વચિંતન અને સમ્યગદર્શન

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74