________________
૫) સમાધાન - સશુરુ ઉવાચ જેમ શુભાશુભ કર્મપદ, જાણ્યાં સફળ પ્રમાણ; તેમ નિવૃત્તિ સફળતા, માટે મોક્ષ સુજાણ.
વીત્યો કાળ અનંત તે, કર્મ શુભાશુભ ભાવ; તેહ શુભાશુભ છેદતાં, ઊપજે મોક્ષ સ્વભાવ.
દેહાદિક સંયોગનો, આત્યંતિક વિયોગ; સિદ્ધ મોક્ષ શાશ્વત પદે, નિજ અનંત સુખભોગ.
૬) શંકા - શિષ્ય ઉવાચ હોય કદાપિ મોક્ષપદ, નહિ અવરોધ ઉપાય; કર્મો કાળ અનંતનાં, શાથી છેદ્યાં જાય?
અથવા મત દર્શન ઘણાં, કહે ઉપાય અનેક, તેમાં મત સાચો કયો, બને ન એહ વિવેક.
કઈ જાતિમાં મોક્ષ છે, કયા વેષમાં મોક્ષ? એનો નિશ્ચય ના બને, ઘણા ભેદ એ દોષ.
તેથી એમ જણાય છે, મળે ન મોક્ષ ઉપાય; જીવાદિ જાગ્યા તણો, શો ઉપકાર જ થાય?
પાંચે ઉત્તરથી થયું, સમાધાન સર્વાગ; સમજું મોક્ષ ઉપાય તો, ઉદય ઉદય સદ્ભાગ્ય
૫૮
તત્ત્વચિંતન અને સમ્યગદર્શન