Book Title: Suvas 1941 03 Pustak 03 Ank 10
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 19
________________ ભારતવર્ષનાં પ્રાચીન સ`સ્થાનાજાવા સુમાત્રા કિશારલાલ આલિયા જોશી અમેરિકા ખંડ ક્રિસ્ટાફર કાલંબસે નહીં, પણ પ્રાચીન આર્યલેાકાએ શેાધી કાઢી ત્યાં રાજ્ય સ્થાપ્યું હતું, એ સમજાવવાના પ્રયાસેા આજે ગતિમાન બન્યા છે; પણ એક વખત એવા હતા કે દુનિયાના સદેશે।પર આ સંસ્કૃતિના વિજયધ્વજ ક્રૂરકતા હતા, એમાં હવે કાંઇ શંકા રહી નથી. હિંદુસ્તાનનાં પ્રાચીન સંસ્થાન નવા અને સુમાત્રા પણ એમાંથી મુક્ત નથી જ. હાલની ભૌગાલિક સ્થિતિ પ્રમાણે તેજાનાના દ્વિપા કે જે મલયદ્વિપકલ્પની દક્ષિણે આવેલા છે, તેમાં જાવા, સુમાત્રા, એર્નિયા અને સેલીબીસ મુખ્ય છે. ઈ. સ. ના ચેાથા સૈકામાં યુરાપવાસીઓની જાણમાં એ ફળદ્રુપ દ્વિપો હતા એમ ‘પેરીપ્લસ’ પોતાના એક લેખમાં જણાવી ગયે છે; પણ એ સમયના યુરીપવાસીએ હિંદી વહાણુવટા આગળ ઊતરતી પંક્તિના હાવાથી એ દ્વિપોમાં પ્રવેશી શકતા ન હતા. ‘ટાલેમી’ [Ptolemy] ‘સુમાત્રાને સંસ્કૃત શબ્દ ‘મલયુ’ તરીકે ઓળખાવે છે. આરબ ખગાળશાસ્ત્રી ‘એડ્રિસિ’ તેના લખાણમાં લખી ગયા છે કે-‘ઇ. સ. ૧૧૫૦માં અરબસ્તાન અને મલદ્રિા વચ્ચે તેજાનાને વેપાર ધમધેાકાર ચાલતા હતા. એ વેપારમાં મુખ્ય હાથ હિંદુસ્તાનના હિંદુલાકાનેા હતેા. આફ્રિકાના સૂર કે અરખસ્તાનના આરબ વ્યાપારીએ જાવા-સુમાત્રામાં આવી તેજાના મસાલાની પુષ્કળ ખરીદી કરી ઈરાન, ઇજીપ્ત અને ઠેઠ થ્રોસમાં વેચતા હતા. ગ્રીસ મારફતે એ માલ આખા યુરેાપમાં પ્રસરી જતા હતા.' પ્રસિદ્ધ ચીની બૌદ્ધ યાત્રાળુ ફાઢિયાન પેાતાના એક ગ્રંથમાં લખી ગયા છે કે હિંદુસ્તાનની પવિત્ર ભૂમિનું પર્યટન પૂરૂં કરીને હિંદુ-બ્રાહ્મણેાથી ભરેલા એક વહાણમાં બેસીને સીલાન [સિંહલદ્વીપ]થી સ્વદેશ જતાં ઈ. સ. ૪૧૨-૧૩માં જાવા-સુમાત્રાનાં બૌદ્ધ મંદિરા નીરખવા થાડા દિવસે ત્યાં રહ્યો હતા. એ વખતે નવા-સુમાત્રામાં હિંદુ તથા ઔદ્ધ ધર્મની સંસ્કૃતિના પાયા ઊંડા નંખાયા હતા. હિંદુરાજા સુખસંપથી રાજ્ય કરતા હતા. મૈદું તથા હિંદુ બન્ને ધર્મ પર કર્તાઓની અપાર મમતા હતી. બન્ને ધર્માં સુખસંપથી ચાલતા હતા. હિંદુ રાજાએ એ ઐાદ્ધ મંદિરો બંધાવીને જે માયા દાખવી હતી તે ઐાદ્ધધર્મના વડાધર્મગુરુએથી ભૂલી શકાય એવું નહેતું. અસંખ્ય પ્રમાણમાં હિંદુલાલ્કા હિંદમાંથી આંહી વસીને વ્યાપાર કરતા હતા.’ જાવાના રાજ્ય આજે જાવા-સુમાત્રામાંનાં બ્રાહ્મણ તથા બાહુ દેવળામાંનાં ઘણાંક ખંડિત હાલતમાં જોવામાં આવે છે, તેાપણુ પ્રાચીન અવશેષેા પરથી જાવા-સુમાત્રાનેા જૂના ઈતિહાસ શોધી કાઢવામાં તે ય તથા અન્ય યુરેાપીય લેખકાને બહુજ ઉપયાગી થયાં છે. જાવા દેશની ભૂંગાળવિદ્યા તથા ઈતિહાસને લગતાં સંખ્યાબંધ પુસ્તકે ડચ તેમજ અંગ્રેજી ભાષામાં પ્રગટ થયાં છે. એ પુસ્તકા આજે આપણને તે દેશના ઈતિહાસ, દંતકથા, લેાકસાહિત્ય, ધર્મસાહિત્ય, તયા બીજી રસમય હકીકતા પૂરી પાડે છે. જાવા-સુમાત્રામાં પ્રાચીન કાળમાં મંદિર કે દેવળને ‘ચંદી’ કહેતા હતા. એ ‘ચંદી’માં રામાયણુ તથા મહાભારતકાળનાં ચિત્રો દોરેલાં હતાં. જે આજે પણ જોનારની નજરે પડ્યા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56