Book Title: Suvas 1941 03 Pustak 03 Ank 10
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 26
________________ ૪૫૦ - સુવાસ : માર્ચ ૧૯૪૧ .. મહત્ત્વાકાંક્ષા જારી રાખી. ઇટલીનાં જુદાં જુદાં રાજ્યાની પ્રજામાં તેણે ક્રાન્તિની ભાવનાને ઉત્તેજી, અને આસ્ટ્રિયા સાથેના વિગ્રહ આડકતરી રીતે ચાલુ રાખ્યા. દરેક સ્થળે બળવાખાર પ્રજાને મદદ આપવાને દેાડી જતા ગેરીખાડીને તેણે અંદરખાનેથી પેાતાનેા મિત્ર લેખ્યું!. ગેરીખાડી જુદા જુદા પ્રાન્તા જીતતા ગયા અને ત્યાંની પ્રજાના મત લઈ તે તે તે પ્રાન્તાને વીક્ટર ઈમેન્યુઅલના સુશાસન નીચે મૂકવા લાગ્યા. દરેક પ્રાન્તની પ્રજાએ વીકટર ઈમેન્યુઅલનું આધિપત્ય હર્ષપૂર્વક સ્વીકારી લીધું. ફ્રેન્ચ સમ્રાટે ઇટલીમાં ચાલી રહેલી આ ક્રાન્તિ પ્રત્યે આંખ આડા કાન કર્યો. પરિણામે જુદા જુદા આધિપત્ય નીચેતેા અને આસ્ટ્રિયન શહેનશાહની એડીથી કચરાતે ઇટલીનેા મેોટા ભાગ વીક્ટર ઈમેન્યુઅલના કાબૂમાં આવ્યેા અને ટયુરીનમાં મળેલી ઇટાલીયન પાર્લામેન્ટ ૧૮૬૧ના ફેબ્રુઆરીની ૧૮મીએ વીક્ટર ઈમેન્યુઅલને સંયુક્ત ઇટલીના મહારાજા તરીકે જાહેર કર્યા. ૧૯૬૫માં પાટનગર તરીકે ફ્લોરેન્સને પસંદગી આપવામાં આવી. ઇટાલિયન મહારાજ્યને અખંડ બનાવવામાં હવે એજ પ્રદેશા બાકી રહ્યા. એક રામ, ખીજું વેનીસ, શ્વેતીસ હજી આસ્ટ્રિયાના કબજામાં હતું; અને રામમાં ફ્રેન્ચ લશ્કરની મદદથી વડા ખ્રિસ્તી ધર્મગુરુ પાપનું શાસન ચાલતું હતું. સમય જતાં વીક્ટર ઈમેન્યુઅલે, આસ્ટ્રિયા અને પ્રશિયા વચ્ચેના યુદ્ધના પ્રસંગ સાધી, ગેરીખાડીની મદદથી વેનીસ પર હુમલા કર્યો ને ૧૮૬૬માં તેણે તે નગરને કબજો લીધા. થાડાક સમય પછી ફ્રેન્ચ શહેનશાહને ગાદી તજવી પડી અને ફ્રાંસમાં નવેસરથી પ્રજાસત્તાકની સ્થાપના થઈ. તે પ્રસંગે ફ્રેન્ચ લશ્કર રામ છેાડી ચાલ્યું ગયું. ઇટાલિયન પ્રજાએ આ તકને। લાભ લેવાના વૌકટર ઈમેન્યુઅલને આગ્રહ કર્યો તે રાજાએ પ્રજાના આગ્રહને વશ બની રામ પર આક્રમણ કર્યું. પાપ તેની સામે ટકી ન શક્યે તે વીકેટર ઇમેન્યુઅલે ૧૮૭૧માં રેશમ જીતી લઈ તેને સંયુક્ત ઇટલીનું પાટનગર બનાવ્યું. તે દિવસથી પાપની રાજકીય સત્તાના અંત આવ્યેા. વીટર મેન્યુઅલ ખીજે દેખાવે કંઈક કદરૂપા છતાં રસિક પુરુષ અને પ્રજાપ્રિય નૃપતિ હતા. તેણે ઇંગ્લાંડ-ફ્રાંસની મુલાકાત લીધેલી ને લુઇ નેપેલિયન તેમજ મહારાણી વિકટારિયાને તે મહેમાન બનેલા. ઇટલીને ઇંગ્લાંડ અને ફ્રાંસે કરેલી સીધી કે આડકતરી મદદ તે કદી વીસરેલા નહિ. બળવાખેારાના મિત્ર અને પ્રજાની ભાવનાને ઝીલી લેનાર નૃપતિ તરીકે જગતભરના ઈતિહાસમાં તે અજોડ રહે છે. મેઝીનીને તેના પિતાએ કરેલી સજા તેણે માફ કરેલી, કાવુરની પ્રતિભાની તેણે સાચી કિંમત આંકેલી. ગેરીખાડીને તે પેાતાના ભાઈ જેટલું માન આપતે. વીકટર પ્રુમેન્યુઅલની પછી તેને પુત્ર હંબર્ટ ઈટલીની ગાદીએ આવ્યા ( ૧૮૭૯). પેાતાની ખાનગી આવકને મેટા ભાગ પણ તે પ્રજાનાં હિતની પાછળ ખર્ચી નાંખો. પિતાએ બક્ષેલા રાજ્યને તેણે સુદૃઢ અને વ્યવસ્થિત બનાવ્યું. પશુ ઈ. સ. ૧૯૦૦માં એક ક્રાન્તિકારીએ તેનું ખૂન કરતાં યુવરાજ લીફટર ઈમેન્યુઅલ ત્રીજો ઇટલીની ગાદીએ આભ્યા (ઓગસ્ટ-૧૯૦૦). ઈટલીનેા તાજ આજે તેના મસ્તકે મુકાય છે. તેને જન્મ તેપલ્સમાં ૧૮૬૯ના નવેમ્બરની અગ્યારમીએ થયેલેા. તેના જન્મ સમયે વીકટર ઈમેન્યુઅલ ખીજાએ વેનીસ જીતી લીધું હતું અને રામ જીતાવાની તૈયારીમાં હતું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56