Book Title: Suvas 1941 03 Pustak 03 Ank 10
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 24
________________ ૪૪૮ સુવાસ : માર્ચ ૧૯૪૧ પણ સેયના કમનશીબે ફાંસના મહામંત્રી તરીકે કાર્ડનલ રીહ્યું નીમાયો. તેણે પિતાની અજબ કુનેહ અને અજય લશ્કરી પ્રતિભાથી સેવોયને ફરી જીતી લીધું. એ આઘાતથી ચાર્લ્સ મેન્યુઅલ મૃત્યુ પામ્યો (૧૬૩૦). પરંતુ રીવ્યુના ઉત્તરાધિકારી મેરીને પોતાની ભત્રીજીને સેયના રાજવંશમાં પરણવવાને ટયુરીનમાંથી ફ્રેન્ચ સેનાને પાછી બોલાવી લીધી (૧૬૫૭). ને સેવાયને સિતારો ફરી ચમકવા લાગ્યા. ના અઢારમી સદીના અંતભાગમાં ઈટલીની સમરભૂમિ પર ઐસ્ટ્રિયા અને કાંસ વચ્ચે ભયંકર યુદ્ધો ખેલાયાં. ને અંતમાં સમસ્ત ઈટલી નેપલિયનની છત્રછાયા નીચે ચાલ્યું ગયું. નેલિયનના શાસને ઈટાલિયન પ્રજામાં એકતા અને સ્વતંત્રતાની તમન્ના જગવી. તે પ્રજા સજીવ પ્રજા તરીકે પ્રકાશવા લાગી. પણ નેપોલિયનનું પતન થતાં જ ઇટલી પુનઃ વિભક્ત થઈ ગયું. તેને ઘણેખર ભાગ ઑસ્ટ્રિયન શહેનશાહના કાબુ નીચે ચાલ્યો ગયો. બાકીનું ઇટલી પિપ, નાના નાના ઠાકરો અને અમીર-ઉમરાવો વચ્ચે વહેંચાઈ ગયું. આ સંગોમાં તરુણ ઇટાલિયન પ્રજા ઉદામ માર્ગે ચાલી ગઈ. તે હવે પરદેશીઓની ધૂસરીમાંથીજ નહિ, સ્વદેશી રાજાઓના પ્રભુત્વમાંથી પણ આઝાદી ઝંખવા લાગી. ઈટલીના જુદા જુદા પ્રાન્તોમાં બળવો થયો. પરન્તુ એમાંના ઘણાખરા બળવાઓને ઓસ્ટ્રિયન શહેનશાહની મદદથી દાબી દેવામાં આવ્યા. સેય-પીડમોરની પ્રજાએ પણ પ્રજાતત્ર મેળવવાને એવો બળ જગ ને બળવારેએ પાટનગર યુરીન પર પસાર કર્યો. તેમાં એ પ્રસંગે વીકટર ઇમેન્યુઅલ પહેલાનું શાસન ચાલતું હતું. તે ઠાકર મટીને રાજા બન્યું હતું. તેના હાથમાં લેવાય, પીડમેટ, સાડનિયા, છનો આ અને નાઈસ જેવા ઈટલીના મહત્ત્વના ખાતા હતા. એક કુશળ સેનાપતિ તરીકે તેની પાસે સુસજજ સેના હતી. તેણે ધાર્યું હોત તે ઐસ્ટ્રિયન શહેનશાહની મદદ વિના કેવળ પિતાનીજ સેનાથી તે બળવાખોરેને કચરી નાંખી શકત; પણ લશ્કરના એવા આગ્રહ છતાં તેણે પ્રજા પર ગોળી ચલાવવાની ના કહી. તેમજ બળવાખોરો આગળ નમતું મૂકવાનું પણ તેના રાજવંશી સ્વભાવને ન રુચ્યું. ને એ બંને મુશ્કેલીઓમાંથી બચી જવાને તેણે રાજકર્તા તરીકે રાજીનામું આપ્યું. તેના ગાદીત્યાગ પછી તેનો નાનો ભાઈ ચાકર્સ હેલીકસ સેયની ગાદીએ આવ્યો. તેણે બળવાખોરો સામે કડક લશ્કરી પગલાં લઈ તેમને કચરવા માંડ્યા. વીકટર ઇમેન્યુઅલ તિને પ્રજાના દરેક વર્ગ પ્રત્યે સહિષ્ણુ બનવાની ભલામણ કરતાં તેણે કહ્યું, “ભાઈ, જોઈએ તે આપને આપની ગાદી પાછી સોંપવાને તૈયાર છું. પણ જ્યાં સુધી હું રાજા છું ત્યાં સુધી રાજદ્રોહીઓને નહિ નભાવી લઉં.” ફેલીકસના મરણ પછી તેને પિત્રાઈ ચાર્લ્સ આબર્ટ સેવેયની ગાદીએ આવ્યો (૧૮૨૧). તે વીકટર મેન્યુઅલને પૂજક, પ્રશંસક ને સત્તાવાર વારસ હતો. તેમજ પ્રજાની લાગણીઓ પ્રત્યે માન ધરાવતે હેઈ તે પ્રજાપ્રિય પણ હતા. તે ગાદીએ આવતાં પ્રજામાં નવી આશા જન્મી. ઈટલીના રાષ્ટ્રવીર મેઝીનીએ તેને એક ખુલ્લે પત્ર લખી સમસ્ત ઈટાલિયન પ્રજાના સરદાર બનવાની અને ઇટલીને મુક્ત અને સજીવ બનાવવાની વિનંતિ કરી. • 1. ૨. આ બંને મહામંત્રીઓની વિરલ પ્રતિભા, તેમનું રોમાંચક જીવન અને તેમનાં કટિલ sipat alasta $12, Three Musketeers. Twenty years after 242 Vicomte de Bragelonne જેવી અમર નવલકથાઓ લખવાની પ્રેરણું બક્ષેલી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56