Book Title: Sutra Samvedana Part 04
Author(s): Prashamitashreeji
Publisher: Sanmarg Prakashan

Previous | Next

Page 6
________________ સૂત્રસંવેદના-૧ સંબંધિ ગચ્છાધિપતિ પૂ. આ. ભ. વિજય હેમભૂષણસૂરીશ્વરજી મ. સા. નો અભિપ્રાય - નારાયણધામ, વિ. સં. ૨૦૫૭, પો. વ. ૪ - વિનયાદિગુણોપેતા સા. શ્રી પ્રશમિતાશ્રીજી યોગ - જિજ્ઞાએ પૂર્વે રૂબરૂ વાત કરેલ, તે પછી “સૂત્ર સંવેદના' લખાણ વાંચવા મોકલેલ. તે વિહાર દરમ્યાન આખું વાંચી લીધું. ખરેખર કહું - વાંચવાથી મારા આત્માને તો જરૂર ખૂબ આનંદ આવ્યો. એવો આનંદ અને તે વખતે પેદા થયેલી સંવેદનાઓ જો કાયમી બને, ક્રિયા વખતે સતત હાજર રહે તો જરૂર ક્રિયા-અનુષ્ઠાન ભાવાનુષ્ઠાન બન્યા વિના ન રહે. ખૂબ સારી મહેનત કરી છે. આવી સંવેદના પાંચ પ્રતિક્રમણમાં ઉપયોગી બધા જ સૂત્રોની તૈયાર થાય તો યોગ્ય જીવો માટે જરૂર ખૂબ લાભદાયી બને. મેં જિલ્લાને પ્રેરણા કરી છે. આમાં મૂળ તમે છો - તો તમને પણ જણાવું છું. મારી દૃષ્ટિએ આ સૂત્ર સંવેદના દરેક સાધુ/ સાધ્વીઓ – ખાસ કરીને નવાએ ખાસ વાંચવી જોઈએ . - રત્નત્રયીની આરાધનામાં અવિરત ઉજમાળ બનો એ જ એક શુભાભિલાષા. લિ. હેમભૂષણ રૂ. ની અનુવંદનાદિ

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 280