Book Title: Shreechand Kumar yane Anand Mandir
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Varg

View full book text
Previous | Next

Page 13
________________ રાજકન્યાનું દર્શન. G પુષ્પના પુંજથી પુરપતિને વધાવવા આગળ આવતી હતી, તરૂણ પુરૂષો યાવનના બળથી જનસમૂહને પ્રસાર કરી અગ્રેસર થતા, અને પોતાના પુરપતિને પ્રેમથી પ્રણામ કરત! હતા, વૃદ્ધા સ્ત્રીએ આન ંદપૂર્વક અંતરથી આશીષ આપતી હતી, પ્રત્યેક સ્થળે નવરગિત દેખાવા થઇ રહ્યા હતા, સ્વારીના અગ્રભાગે ગાઢવેલી ચતુરગ સેના વાજિંત્રાથી અને જયધ્વનિથી ગગન મંડળને ગજાવતી હતી, પેાતાના મહારાજાને આજે રાજ્યાભિષેક દિવસ છે, એવું ધારી સર્વ પ્રજા વિશેષ આન ંદ દર્શાવતી હતી. આવા મહાત્સવથી વિરાજિત એવી દીપશિખાનગરી આજે અધિક શાભાથી વિરાજિત હતી.. તેની દિવ્ય શાભા જોઇ મહારાજા પ્રતાપસિહુને અપાર આનંદ થતા હતા. પ્રકરણ ૪ છુ. રાજકન્યાનું દર્શન. ફ સુંદર મહેલના ઝરૂખામાં જાણે દિવસે તારા ઉગ્યા હાય, તેવા એક તેજના પુંજ દેખાતા હતા, મનેાહુર સાંર્યનાં કિરાના દિવ્ય પ્રકાશ આસપાસના પ્રદેશને પ્રકાશિત કરી રહ્યા હતા, લાવણ્યના લાલિત્યથી લલિત એવી ખીજી લલનાઓના સમૂહ એ તેજને વિશેષ પુષ્ટિ આપતા હતા, આ તેજને પુંજ એક રાજકન્યાને હતા, દીપશિખાના દેદીપ્યમાન મહારાજા દીપચંદ્રના અંતઃ પુરના એ મહેલ હતો, મહારાજા પ્રતાપને સાથે લઇ આવતા દીપચદ્રની સુશાલિત સ્વારી જોવાને રાજકન્યા સખીના પરિવાર સાથે ઝરૂખાના અગ્રભાગે આવી હતી, પાતાના પિતાના અતિથીનુ અવલેાકન કરવા તેની વિશેષ ઉત્કંઠા થઇ હતી, પોતાની રાજધાનીમાં એક અભિનવ મહારાજા આવે છે, એવુ તેણીએ પૂર્વથી સાંભળ્યું હતું. પિતાના રાજ્યાભિષેકના દિવસ છે, એથી તે મુગ્ધાએ મનેાહર શાક ધારણ કર્યા હતા, નવરગિત વેશથી વિભૂષિત થયેલી રાજકન્યા રાજમાર્ગ તરફ એક દૃષ્ટિએ જોતી હતી. Jain Education International નગરીની વિવિધ રચના જોતા જોતા પ્રતાપસિહુ આ રાજમેહેલની નજીક આવ્યા પ્રત્યેક પ્રદેશનુ અવલાકન કરતાં મહારાજા પ્રતાપની દિવ્ય દ્રષ્ટિ રાજકન્યા ઉપર પડી. મુગ્ધાનું મનેાહર સાંદર્ય જોઇ, મહારાજા એકાએક ચમકી ગયા. તત્કાળ તેની મનોવૃત્તિમાં મદન પ્રગટ થઇ માવ્યો. તેને જોતાંજ મહારાજાએ ચિંતવ્યુ કે, શુ આ દેવકન્યા તે નહીં હાય ! ઉર્વશી કે રભા અહીં ક્યાંથી આવી હશે ? આવી દિવ્ય કન્યાનું દર્શન- મનુષ્યલોકમાં ક્યાંથી ? શું અનુપમ સાંદર્ય ? કેવુ મનેાહર લાલિત્ય ? કેવા વિલાસમય વેષ ? કેવું લાવણ્ય ? આ કાના મેહેલ હશે ? આ કન્યારત્ને કઈ પુણ્યવતી પ્રમદાના ઉડરને અલંકૃત કર્યું હશે ? માનુષલેકમાં આવાં રત્ના અવતરતાં હોય, તે પછી આ For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 438