Book Title: Shramankriya Sutra Sandarbh Author(s): Prabhanjanashreeji Publisher: Shantilal Chunilal Shah View full book textPage 9
________________ ક્રિયાનું આવું (આટલું મહત્ત્વ હેવા છતાં એથી જ્ઞાનનું મહત્ત્વ અંશે ય ઓછું માનવાનું નથી. “જ્ઞાની એક શ્વાસોચ્છવાસમાં જે કર્મો ખપાવી શકે છે, તેટલાં કર્મો અજ્ઞાની કેડ પૂર્વ વર્ષો સુધી આકરી ક્રિયા કરવા છતાં ખપાવી શકતો નથી એમ જ્ઞાનીઓએ કહેલું છે તે તદ્દન સત્ય છે. છતાં એ સમજાવવું જરૂરી છે કે ક્રિયાનાં કષ્ટોથી ગભરાઈ ઉઠેલા જેઓ ક્રિયાની વજૂદ સ્વીકારતા નથી, કેવળજ્ઞાનની જ વાત કરી જેનશાસનના સ્યાદ્વાદને તેડી અજ્ઞાન ભેળા વર્ગને ક્રિયા પ્રત્યે અનાદરથાય તે એકાન્તિક–મિથ્યામાર્ગને આગ્રહ કરે છે, તેઓ સ્વ–પરને મે અન્યાય કરી રહ્યા છે. આ ગ્રન્થમાં શ્રમણકિયાનાં સૂત્રને સથ્રહ છે અને તે ક્રિયા સાધુ-સાધ્વીના અનુષ્ઠાન રૂપ છે. ઉપરની હકિકતથી વાચકે સમજશે કે અનુષ્ઠાન આત્મિક વિકાસ માટે એક આવશ્યક ર્તવ્ય છે, માટે તેના સૂત્રો, અર્થ, કે અનુષ્ઠાન સંબન્ધી વિશેષ માહિતી જેમાં છે તે આ પુસ્તક પણ સામાન્ય છતાં વિશેષ ઉપકારક છે. લૌકિક કે લકત્તરક્રિયા-અનુષ્ઠાને તો સુખને અર્થી જીવ એક યા બીજા રૂપમાં કરતે આવ્યા છે, કરે છે અને યથાર્થ સુખની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી કરશે પણ ખરે! એથી અહીં ક્રિયાના કર્તવ્યપણાને અન્ને બહુજણાવવા કરતાં ક્રિયાની સમજણ, વિધિ અને શ્રદ્ધાને અડગે જણાવવું વિશેષ જરૂરી લાગવાથી આ પુસ્તકમાં તેને અત્રે પ્રયત્ન કરવામાં આવ્યું છે અને અહીં પણ કંઈક જણાવવું ઉચિત લેખાશે. બહુધા અજ્ઞાની જીવને સ્વભાવ “ગાડરીયા પ્રવાહ”Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 372