Book Title: Shekharchandra Jain Abhinandan Granth Smrutiyo ke Vatayan Se
Author(s): Shekharchandra Jain Abhinandan Samiti
Publisher: Shekharchandra Jain Abhinandan Samiti

Previous | Next

Page 573
________________ I528 [ અધ્યક્ષ તરીકે મેં તેનો યથાશક્તિ પ્રયત કર્યો છે. હું માનું છું કે આ એકતા માટેની પહેલ આ રીતે કરી શકાય : : (૧) સહુએ પર્યુષણ-દશલક્ષણ હળીમળીને સાથે ૧૮ દિવસ ઉજવવા. | (૨) બધા જૈન તહેવારો જેવા કે મહાવીર જન્મ જયંતી, દિવાળી (મહાવીર નિર્વાણદિન) વગેરે સાથે જ ઉજવવા. (૩) કોઈ મોટા આચાર્ય પધારે તો સહુએ તેમના સ્વાગતમાં ઉપસ્થિત રહેવું. (૪) ક્યારેય કોઈપણ સમ્પ્રદાયના દેવસ્થાન કે અન્ય સ્થળો પર દબાણ કે હુમલા થાય ત્યારે સંગઠિત પ્રતિકાર કરવો. . (૫) આપણે આપણી શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓને સંસ્કારી બનાવવા માટે કોમન કોર્સ દાખલ કરી અભ્યાસ કરાવવો. (૬) તીર્થો વગેરેના સંઘર્ષ બેસીને પ્રેમથી સન્માન પૂર્વ ઉકેલવા. (૭) આપણે જૈન છીએ આ ભાવનાનો વિકાસ કરાવવો. આજે જેમનું સન્માન સમસ્ત જૈન સમાજ દ્વારા થઈ રહ્યું છે અને જેઓને આ અભિનંદન ગ્રંથ અર્પણ થઈ રહ્યો છે તેઓ આવી જૈન એકતા અને સમન્વયના પ્રખર હિમાયતી જ નહીં પણ પુરુષાર્થકર્તા રહ્યા છે. ! દેશ-વિદેશમાં તેઓએ આ એકતાનો શંખનાદ પ્રવચન અને “તીર્થકરવાણી' દ્વારા કરીને મોટી સેવા કરી છે. ! આપણે આવી જ રીતે પરસ્પર પ્રેમ-સહકારથી આગળ વધીએ તે જ મારી ભાવના છે.

Loading...

Page Navigation
1 ... 571 572 573 574 575 576 577 578 579 580