Book Title: Sarvsiddhantpraveshika
Author(s): Chirantanmuni, Jambuvijay
Publisher: Siddhi Bhuvan Manohar Jain Trust Ahmedabad

View full book text
Previous | Next

Page 13
________________ सर्वसिद्धान्तप्रवेशकस्य उपक्रमः [પ્રથમસંરVT{ ત] અહિંસા એ જૈનદર્શનનું પરમતત્ત્વ છે. જૈનદર્શનની પ્રત્યેક આચાર પ્રણાલિકા તથા પ્રત્યેક વિચારધારા આ તત્ત્વથી ઓતપ્રોત થઈ ગયેલી છે. શિવમસ્તુ સર્વગતિ: પરહિતનિરતા મવસ્તુ ભૂત TI: I રોણા પ્રથાનુ નાશ સર્વત્ર સુમવતુ નોવી: આ સર્વ જગતનું કલ્યાણ ઇચ્છનારી ભાવના એ અહિંસાદષ્ટિનો-જૈનદર્શનનો આદ્ય મુદ્રાલેખ છે. કોઈ પણ જીવનો પ્રાણથી વિયોગ ન કરવો' એવો પૂલદષ્ટિએ જોતાં અહિંસા શબ્દનો અર્થ લાગે છે, પણ આપણે જેમ જેમ ઊંડાણ અને સૂક્ષ્મતા પૂર્વક વિચાર કરીએ તેમ તેમ એનો અર્થ ઘણો જ વ્યાપક અને ઉત્તરોત્તર સૂક્ષ્મ સૂક્ષ્મ બનતો જાય છે. રાગ, દ્વેષ અને મોહ સિવાય હિંસાનું બીજું કારણ જ ક્યું છે ? રાગ, દ્વેષ, મોહ તથા હિંસાનો પરસ્પર કાર્યકારણભાવ સંબંધ છે. એટલે જેમ જેમ રાગ, દ્વેષ, મોહ રહિત સ્થિતિ પ્રાપ્ત થતી જાય તેમ તેમ અહિંસાની સાધનામાં પણ ઉત્તરોત્તર પ્રગતિ થતી જાય છે અને છેવટે તે પૂર્ણ બને છે. એક ચાર્વાક જેવા નાસ્તિકમતને બાદ કરતાં ભારતીય તમામ દર્શનોનો ઝોક હંમેશાં સત્યસાક્ષાત્કાર, આત્મસાક્ષાત્કાર યા મોક્ષ તરફ રહેલો છે, આથી જ ભારતીય તત્ત્વજ્ઞાનના વિચારોને વિવાદ કે તર્કનું નામ ન આપતાં તેને માટે ટ્રર્શન (સાક્ષાત્કાર) એવો ઉચ્ચકોટિનો યથાર્થ શબ્દ વાપરવામાં આવ્યો છે. ટુર્શન શબ્દનો અર્થ સાક્ષાત્કાર થાય છે. જે સત્યના સાક્ષાત્કારનો–આત્માના સાક્ષાત્કારનો–મોક્ષનો માર્ગ બતાવે તેનું નામ જ દર્શન. બાકીની ચર્ચાઓ વાણીવિલાસ માત્ર છે અને વિદ્વાનોના મનોરંજનનું (શોખનું) એ સાધન માત્ર છે. ભારતીય તત્ત્વજ્ઞાનનો આ આધ્યાત્મિક દૃષ્ટિકોણ હોવાને લીધે જ આપણે ત્યાં સા વિદ્યા યા વિમુwયે (તે જ વિદ્યા છે કે જે મુક્તિનું કારણ છે.) તથા જ્ઞાની હત્ન વિરતિઃ (પાપકાર્યથી અટકવું-નિવૃત્ત થવું એ જ્ઞાનનું ફલ છે.) વગેરે સૂત્રો પ્રચારમાં આવ્યાં છે. સત્યનો સાક્ષાત્કાર કહો, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46