Book Title: Saptabhangi
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Jaindharma_no_Pran_002157.pdf

View full book text
Previous | Next

Page 6
________________ સપ્તભંગી ૨૨૭ . ઉપનિષદમાં “પતો વારો નિવન્ત મારા મનમાં લ” ૧ એ ઉકિત દ્વારા બ્રહ્મના સ્વરૂપને અનિર્વચનીય અથવા વચનાગોચર કહ્યું છે, એ જ પ્રમાણે આચારાંગમાં પણ સાથે સા નિરૃતિ, તરય કુળી ન વિગ વગેરે દ્વારા આત્માના સ્વરૂપને વચનાગેચર કહ્યું છે. બુદ્ધ પણ અનેક વસ્તુઓને “અવ્યાકૃત ” શબ્દ દ્વારા વચનાગેચર કહી છે. જૈન પરંપરામાં “અભિલાય* ભાવ પ્રસિદ્ધ છે, જે ક્યારેય વચનગેચર નથી થતા. હું માનું છું કે સપ્તભંગીમાં “અવક્તવ્યથી જે અર્થ લેવામાં આવે છે, તે જૂની વ્યાખ્યાનું વાદાશ્રિત અને તર્કગમ્ય બીજું રૂપ છે. સપ્તમી સંશયાત્મક જ્ઞાન નથી સપ્તભંગીની વિચારણા પ્રસંગે એક વાતને નિર્દેશ કરે જરૂરી છે. શ્રી શંકરાચાર્યું “બ્રહ્મસૂત્ર” ૨-૨-૩૩ના ભાષ્યમાં સપ્તભંગીને સંશયાત્મક જ્ઞાન” તરીકે નિર્દેશ કર્યો છે. શ્રી રામાનુજાચાર્યું પણ એમનું જ અનુસરણ કર્યું છે. એ તો થઈ પ્રાચીન ખંડનમંડનપ્રધાન સાંપ્રદાયિક યુગની વાત; પણ જેમાં તુલનાત્મક અને વ્યાપક અધ્યયન કરવામાં આવે છે એવા નવા યુગના વિદ્વાનના આ સંબંધી વિચારો જાણવા જોઈએ. ડૉ. એ. બી. ધ્રુવ, જેઓ ભારતીય તેમ જ પાશ્ચાત્ય તત્વજ્ઞાનની બધી શાખાઓના પારદર્શી વિદ્વાન હતા—ખાસ કરીને શાંકર વેદાંતના વિશેષ પક્ષપાતી હતા–તેઓએ પિતાના “જૈન અને બ્રાહ્મણ, ભાષણમાં સ્પષ્ટ કહ્યું છે કે સપ્તભંગી એ કંઈ સંશયજ્ઞાન નથી; એ તે સત્યનાં જુદા જુદા પ્રકારનાં સ્વરૂપનું નિદર્શન ૧. તૈત્તિરીચ ઉપનિષદ -૪. ૨. આચારાંગ સૂત્ર ૧૭૦. ૩. મઝિમનિકાય સુર ૬૩. ૪. વિશેષાવશ્યકભાખ્યા ૧૪૧, ૪૮૮. ૫. આપણે ધર્મ પૃ૦ ૬૭૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7