________________ અતુલન [ 105 આચાર સામે ઉદ્ભવી શક્યો નથી. તત્વજ્ઞાન આગળ વધતું ગયું, પણ વૈયક્તિક કર્મવાદ અને આચારવાદ એની સાથે મારી મચડીને બેસાડવામાં આબે અથવા તેને તે જ કાયમ રહેશે. અત્યારે એ આગળ વધેલ તત્ત્વજ્ઞાન પ્રમાણે જ ધર્મ ઘડા જોઈએ. આમાં તત્વજ્ઞાન અને ધર્મ બંનેને તદ્દન મુક્તદ્વારા કરવામાં આવ્યા છે જેથી તે જે જે સમ્પ્રદાયને આશ્રયે ઉદ્દભવ્યા હોય અગર પાછળથી વિકાસ પામ્યા હોય અને તેમાં જ રૂધાઈ ગયા હોય તે બધા સમ્પ્રદાયથી મુક્તિ મેળવી એકબીજાને આલિગે, ભેટે અને સમૂહવત્ વ્યાપક બને. વળી એમાં એ પણ ઉદિષ્ટ છે કે તત્ત્વજ્ઞાનનું પર્યવસાને ધમચારમાં જ થવું જોઈએ. જે તત્ત્વજ્ઞાન ધર્માચારમાં ન પરિણમે તેને તત્ત્વજ્ઞાન કહેવાને શો અર્થ? અને ધર્માચાર પણ તે જ મુખ્ય હેઈ શકે જેમાં પ્રથમ માનવતાની શુદ્ધિવૃદ્ધિ અભિપ્રેત હોય ત્યાર બાદ જ તેનાથી સંબદ્ધ જ સર્વભૂતાહિતને વિચારય ગણાય. માનવતાનું પૂરેપૂરું પિષણ ન થતું હોય ત્યારે સર્વ. ભૂતહિતગામી ધર્માચારે પણ શુષ્ક થઈ જાય છે.* * શ્રી કિશોરલાલ મશરૂવાળા કૂત “સંસાર અને ધર્મ " ગ્રંથનું પંડિતજીએ કરેલ અનુશીલન, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org