Book Title: Sambodhi 1978 Vol 07
Author(s): Dalsukh Malvania, H C Bhayani, Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 353
________________ ૨૮ . તરંગલીલા તેના આધાર તરીકે સંભવતઃ પાલિતાણાવાળી પ્રત (કે તેના પરથી થયેલી નકલ) હતી. પ્રત અત્યંત ભ્રષ્ટ હોઈને અનુવાદમ લેમાનને અનેક સ્થાને માથાનો ભાવાર્થ આપીને ચલાવવું પડયું છે. સદગત મુનિ જિનવિજયજીને ૧૯૨૧ અને ૧૯૨૨માં લખેલા પત્રમાં લોમાને તરાહોકાની પતે વાપરેલી પ્રતોમાં હજારો ભૂલ હોવાનો નિર્દેશ કરીને બીજી પરંપરાની કેઈક હસ્તપ્રત ભંડારોમાંથી શોધી કાઢી મોકલાવવા માટે વારંવાર અનુરોધ કર્યો છે. તેમનો વિચાર આ અત્યંત મહત્વની કૃતિને મૂળ પ્રાકૃત પાઠ પણ પ્રકાશિત કરવાનો હતો. પૂરતો સંભવ હતો કે જે તેમને ડહેલાના ઉપાશ્રય વાળી પ્રત ઉપલબ્ધ થઈ હત તેમ તેમ મૂળ પાઠ પણ પ્રકાશિત કર્યો હેત. ૨. શેઠ આણંદજી કલ્યાણજી પેઢી (પાલિતાણ) પાસેના શેઠ અંબાલાલ ચૂનીલાલ ભંડારની પ્રા. આ પ્રતની લા. દ. ભારતીય વિદ્યા સંસ્કૃતિમંદિરના સંગ્રહની (સૂચિ ક્રમાંક ૭૩૩૬/૨) કાટોસ્ટેટ ઉપયોગમાં લીધી છે. મૂળ પ્રતમાં ૫૩ પત્રો છે. પત્રદીઠ લગભગ ૧૩ પતિ અને પંક્તિદીઠ આશરે ૪૦ અક્ષર છે. અંતે ૨૦૦૦ ગ્રંથાચ હોવાને નિર્દેશ છે. હાંસિયામાં “તરંગલેલા' નામ ઘણા પત્રા પર લખેલું છે. ઘણીખરી લેખનની લાક્ષણિકતાઓ પ્રત નં. ૧ પ્રમાણે છે. પરંતુ પ્રતને લહિયો વધુ બેદરકાર અને કાચા ભણતરવાળો હોવાનું જણાય છે, કેમ કે અમદાવાદવાળી પ્રતની તુલનામાં અક્ષરસંશ્રમ, ભુલાયેલા અક્ષરો ને શબ્દો વગેરે ભૂલોનું પ્રમાણ વધારે છે. આ બે પ્રતે ઉપરાંત દાવહીમાં મળતા સંક્ષેપની સમાન ગાથાઓને પણ કેટલાંક સ્થાનના પાઠ નિર્ણય માટે ધ્યાનમાં લીધી છે. ભદ્રેશ્વરના સંક્ષેપને અહીં પરિશિષ્ટમાં આપેલા પાઠ માટે આધાર નીચે દર્શાવ્યું છે. ૩, ભદ્રેશ્વરકૃત રહૃાવટીમાંથી ઉદ્ભૂત તાવ સંક્ષેપ #ાત્રીમાં પ્રદ્યોત, શિ, સૂજેઠા, ચેલણા અને મહેશ્વરની કથાઓ પછી, “ચેલણાની જેમા તર ગતીને ચોરીછુપીથી નસાડી લઈ જઈને પરણવામાં આવેલી. તેથી તરંગવતીની કથા કહેવામાં આવે છે, તે હવે સાંભળે', એવી પ્રસ્તાવના સાથે તરંજને સંક્ષેપ આપેલો છે. કથાની સમાપ્તિ પછી આ પ્રમાણે કુણિક અને ઉદયનના રાજ્યકાળમાં ઉદ્દભવેલી તરંગવતીની મ્ય અને ભદ્ર કથા કે જે ભદ્રશ્વરસૂરીએ રચેલી છે તે સમાપ્ત થાય છે' એવો નિર્દેશ છે.. ભ.ત.ને પાઠ અહીં પરિશિષ્ટમાં (પુ. ૨૩૧-૨૫૮) આપેલે છે. આશરે ૪૨૫ માથાઓ જેટલું પ્રમાણ છે, ૨૪મી ગાથા પછી, ૩૩૮મી ગાથા પછી અને વિશેષ તે ૩૬૮મી ગાથા પછી પાઠનો થોડો થોડો અંશ ત્રુટિત છે. પાઠ માટે આધાર તરીકે વડોદરાના પ્રવર્તક કાંતિવિજયજીના ભંડારની ૧૯૮૦ ક્રમાંક વાળી દાવડીની પ્રતનો આધાર લીધે છે. આ પ્રત પાટણ વાળી તાડપત્રીય પ્રતની જ નકલ ૯. આ ઉપરાંત આ પ્રતિ ઉપરથી અર્વાચીન સમયમાં તૈયાર કરેલી કેટલીક નકલે છે—જેમ કે સૂરતના જેનાનંદ પુસ્તકાલયની તથા લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરના જ્ઞાનભંડારની પુણ્યવિજયાદિ સંગ્રહની કમાંક ૭૦૬ અને ૧૦૦૩૦ વાળી પ્રતે. પણ પાઠ નિર્ણય માટે તેમની કશી ઉપયુક્તતા નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 351 352 353 354 355 356 357 358