Book Title: Samavasaran
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 8
________________ ૧૭૮ . જિનતત્ત્વ પ્રથમ તીર્થંકર ભગવાન ઋષિદેવથી તે ચોવીસમા તીર્થકર ભગવાન મહાવીરસ્વામી સુધીના સર્વ તીર્થકરોએ જ્યારે જ્યારે દેશના આપી છે ત્યારે દેવોએ ત્યાં સમવસરણની રચના કરી છે. પરંતુ દરેક તીર્થકરના દેહમાન અનુસાર સમવસરણની રચના કરાય છે. ચરમ તીર્થકર ભગવાન મહાવીરસ્વામીના સમવસરણની રચના અનુસાર ઘણી વિગતો અને માપ અહીં દર્શાવ્યાં છે. સમવસરણની રચના જુદા જુદા દેવો મળીને કરે છે. પરંતુ કોઈ એક જ દેવ સમગ્ર સમવસરણની રચના કરવા પણ શક્તિમાન હોય છે. સમવસરણની રચના સામાન્ય રીતે વર્તુળાકાર હોય છે, પરંતુ ક્યારેક ચોરસ રચના પણ કરાય છે. સમવસરણની રચના જુદી જુદી ભૂમિકા અથવા કોઠામાં કરવામાં આવે છે. જે મિથ્યાષ્ટિ અભવ્ય જીવો હોય છે તેઓ સમવસરણની બાહ્ય કેટલીક રચનાઓ જોઈ શકે છે, તેનાથી તેઓ અંજાઈ જાય છે; પરંતુ તેઓ ભગવાનને સાક્ષાત્ જોઈ શકતા નથી. જે જીવો સંદેહ કે સંશયવાળા હોય, ધર્મવિમુખ હોય કે વિપરીત અધ્યવસાયવાળા હોય, ભગવાનનાં દર્શન કરવાને અપાત્ર હોય તેવા જીવો પણ સમવસરણમાં ભગવાનના દર્શન કરી શકતા નથી, કરવા જાય તો ભગવાનના અને સમવસરણના દેદીપ્યમાન સ્વરૂપના પ્રકાશથી એમનાં નેત્ર એવાં અંજાઈ જાય છે કે એમને કશું દેખાતું નથી. તેઓ અંધ જેવા થઈ જાય છે. સાચી જિજ્ઞાસા જેમના મનમાં હોય છે અથવા જેમના મનમાં જાણવાની ઇંતેજારીથી પ્રશ્નો ઊઠે છે એવા જીવોના મનનું સમાધાન સમવસરણમાં ભગવાનનાં માત્ર દર્શનથી કે દેશનાના શ્રવણથી પણ થઈ જાય છે. સમવસરણમાં તીર્થકર ભગવાનનાં ચાર દિશામાં ચાર સરખાં રૂપ હોય છે. દરેક જીવને પોતાની સન્મુખ એવું એક જ રૂ૫ દેખાય છે. પરંતુ સમવસરણનો આપણે વિચાર કરીએ છીએ ત્યારે ચારે દિશામાં રહેલા ભગવાનનાં ચારે રૂપનો તાદશ ચિતાર આપણા મનમાં આવે છે. પદસ્થ, પિંડસ્થ, રૂપસ્થ અને રૂપાતીત એવા ચાર પ્રકારના ધ્યાનમાંથી તીર્થકર ભગવાનનું રૂપસ્થ ધ્યાન ધરવું હય તો તેમાં સમવસરણમાં બિરાજમાન ભગવાનના ચતુર્મુખ સ્વરૂપનું ધ્યાન ધરવું વિશેષ લાભકારક છે. સમવસરણને વિષય બનાવીને આ રીતે જે ધ્યાન ધરાય છે તેને “સમવસરણ ધ્યાન' કહેવામાં આવે છે. હેમચન્દ્રાચાર્ય-કૃત “યોગશાસ્ત્ર', દેવભદ્રાચાર્ય-કુત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9