Book Title: Samavasaran Author(s): Ramanlal C Shah Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf View full book textPage 9
________________ સમવસરણ 179 ‘િિરપાસનાદ રિવ' વગેરે ગ્રંથોમાં “સમવસરણ ધ્યાનની પ્રક્રિયા સમજાવવામાં આવી છે. સર્વ પ્રકારના કર્મક્ષયને માટે, વિશેષતઃ ભારે અંતરાય કર્મના ત્વરિત લય માટે “સમવસરણ ધ્યાન” ઘણું ઉપકારક છે. તીર્થંકર પરમાત્મા જ્યાં દેશના આપે છે એ સમવસરણનું સ્વરૂપ એવું દિવ્ય છે કે એની આરાધના માટે શાસ્ત્રકારોએ તપ-જપ-ધ્યાન ઇત્યાદિની ધર્મક્યા પણ દર્શાવેલી છે. શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષની ચૌદશના દિવસે, એવી રીતે બાર બાર મહિનામાં કુલ ચોવીસ દિવસ માટે, સમવસરણને નિમિત્તે ઉપવાસ કરવાના વ્રતને “સમવસરણ વ્રત' કહેવામાં આવે છે. સમવસરણ વ્રત દરમિયાન છે. ह्रीं जगदापद्विनाशाय सकलगुणकरण्डाय श्री सर्वज्ञाय अर्हत्परमेष्ठिने नमःनो ત્રિકાલ જાપ કરવામાં આવે છે. આમ, તીર્થકર ભગવાનના સમવસરણનો મહિમા જૈન ધર્મમાં અપાર છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9