Book Title: Samarth Samadhan Part 2 Author(s): Samarthmal Maharaj Publisher: Sthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot View full book textPage 5
________________ અવતરણ કરી સુરતમાં આ સુંદર પુસ્તક પ્રગટ કરવા આ સંસ્થા ભાગ્યશાળી બને છે. આ પુસ્તક અરધી કિંમતે સંસ્થાની પ્રથા મુજબ વેચવામાં આવશે. પૂછેલા પ્રશ્નોના જવાબ બે, ત્રણે નીચે લખી જણાવવા રજા લઈએ છીએ કે જેથી વાંચક વર્ગને જાણ થાય કે આ પુરતક ખરેખર જ્ઞાન પ્રદાન સુંદર અને સરળ રીતે આપે છે. આ પ્રશ્ન –સુખ શું છે ? ભૌતિક સમૃદ્ધિને સુખ માનવું ? જવાબ:–સાચું સુખ તે જ કે જે કદી નાશ ન પામતાં શાશ્વત રહે. ભૌતિક સુખ અંતે દુઃખદાયક હોય છે અને નાશવંત હોય છે. તેથી તે વાસ્તવિક રીતે સાચું સુખ નથી, સાચું સુખ આધ્યાત્મિક સુખમાં જ છે. આ પુસ્તકમાં પ્રશ્નો અને જવાબો વાંચનાર સમાજને ધ્યાનમાં આવે કે આ પુસ્તકમાં ધાર્મિકજ્ઞાન સરળ રીતે આપી, વાંચક વર્ગને સમજાતાં અપાર આનંદ થશે અને પ્રભુની આગમ વાણીની કાવ્ય પ્રસાદી મળશે. આ પુસ્તકમાં છાપતા રહી ગએલી ભુલ તથા અન્ય ક્ષતિઓ હોય તે અમારા ધ્યાન ઉપર મુકવા અમારી નમ્ર વિનંતી છે. આ પુસ્તકની ગુજરાતી અનુવાદ કરેલી ફાઈલે આ જ સંસ્થાના માનદ સભ્ય, ધાર્મિક અભ્યાસી ભાઈ શ્રી પ્રેમચંદભાઈ વનેચંદભાઈ પારેખે પિતાના અમૂલ્ય સમયને ભેગ આપીને તપાસી આપી છે, જે બદલ સંસ્થા તેમની અણી છે. તેમ જ હિન્દી ભાષામાં પ્રથમ આવૃત્તિ ત્રણ ભાગમાં જેમણે બહાર પાડેલ છે, તેઓ ખરેખર ધન્યવાદને પાત્ર છે. અમદાવાદમાં આ પુસ્તક છપાવી આપવાના મંગલકાર્યમાં શ્રી સ્થા. જૈન પત્રના તંત્રી શ્રી જીવણભાઈ તથા નગરશેઠના વંડામાં સ્થા. જૈન સંઘના આગેવાનેએ સક્રિય સહકાર આપેલ છે, તે બદલ તેમના પણ અમે આભારી છીએ. ..રાજકોટ તા. ૧-૬-૧૯૭૯ લી. સંચાલકે શ્રી મગનલાલ તારાચંદ શાહ ) શ્રી નગીનદાસ રામજીભાઈ વીરાણી-પ્રમુખ શ્રી ભુપતલાલ વૃજલાલ શાહ } શ્રી મેહનલાલ કસ્તુરચંદ શાહ-ઉપપ્રમુખ શ્રી કાન્તિલાલ ખીમચંદ શાહ ) શ્રી નરભેરામ પાનાચંદ મહેતા-ઉપપ્રમુખ માનદ્મંત્રીઓ શ્રી શા. ૩. વિરાણું સ્થા. જૈન ધાર્મિક શિક્ષણ સંઘ-રાજકેટ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 258