________________
આવે નહિ ત્યાં સુધી સ્વેચ્છાચાર બન્ધ નહિ થાય અને ગુણવત્પારતન્ય કેળવાશે નહિ, જે ભાવશુદ્ધિ માટે પરમ આવશ્યક છે. ન્યાય્ય કોટિની જ ભાવશુદ્ધિ વૈરાગ્યને પણ સફળ બનાવે છે.... ઈત્યાદિ ભણાવનાર પાસેથી સ્પષ્ટ રીતે સમજી લેવું જોઈએ. ૬-૩૧॥
પ્રકરણાર્થનું સમાપન કરતાં સાધુસામર્થ્યના ફળને જણાવાય
છે -
॥૬-ફેરા
इत्थं विज्ञाय मतिमान् यतिर्गीतार्थसङ्गकृत् । त्रिधा शुद्ध्याचरन् धर्म परमानन्दमश्नुते ॥६- ३२ ॥ “ગુણોની સમગ્રતા ગુણવદ્ ગુરુજનોના પારતજ્ન્મથી જ થાય છે - એમ જાણીને બુદ્ધિમાન અને ગીતાર્થ ગુરુભગવન્તનો સફ્ળ કરનાર એવા પૂ.સાધુભગવન્ત જ્ઞાન, ભિક્ષા અને વૈરાગ્ય - આ ત્રણ પ્રકારે શુદ્ધિથી ધર્મને આચરતા પરમાનન્દને પ્રાપ્ત કરે છે.’’- આ પ્રમાણે છેલ્લા બત્રીશમા શ્લોકનો સામાન્ય અર્થ છે.
-
એનો આશય સ્પષ્ટ છે કે ગુણની સમગ્રતા, ગુણવત્પારતન્ત્યથી જ પ્રાપ્ત થાય છે – એ જાણીને બુદ્ધિમાન પૂ. સાધુમહાત્મા પોતાની બુદ્ધિનો ઉપયોગ ગુણવત્સારતત્ર્ય પ્રાપ્ત કરવામાં કરે છે. પોતાની બુદ્ધિથી રત્નત્રયીની સાધના નહિ કરતાં શ્રી ગીતાર્થ ગુરુભગવન્તની પરમતારક આજ્ઞાની આધીનતાથી જ તેઓ રત્નત્રયીની સાધના કરે છે. બુદ્ધિમાનની બુદ્ધિમત્તા ખરી રીતે એમાં જ સમાય છે. પોતે બુદ્ધિમાન હોવા છતાં ગુણવ-જ્ઞાનીઓને આધીન બની રહેવાથી પોતાની બુદ્ધિમત્તા જણાય છે. તેથી જ પૂ.ગીતાર્થ ગુરુભગવન્તનો તેઓ તે રીતે સડગ કરે છે.
DDIE DO ddddddddddddddg
appDDDD ૫૫ CUDDDDDD