Book Title: Sadhak Bhavna
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 12
________________ મેરી ભાવના ભૂમિકા આત્મવિકાસને અર્થે વારંવાર ભાવવાથી, જે કોઈ પણ સાધકને ખૂબ ખૂબ ઉપયોગી છે એવા, અગિયાર કડીઓમાં રચાયેલા આ કાવ્યની રચના સમીપવર્તી વિદ્વદ્ વર્ય શ્રદ્ધેય શ્રી જુગલકિશોર મુખ્તારે લગભગ પચાસ વર્ષ પહેલાં કરી હતી. ભારતની અને વિદેશની વિવિધ ભાષાઓમાં મળીને તેની પચાસ લાખ પ્રતો છપાઈ છે અને આ રીતે અનેક મુમુક્ષુ-સાધકોને તેનો લાભ મળેલ છે. આ પદને અધિકારી સંગીતજ્ઞો અને સાધકો દ્વારા ટેપ-રેકોર્ડમાં પણ ઉતારવામાં આવ્યું છે જેથી સામાન્ય જનતા અને યુવકોમાં પણ તે લોકપ્રિય બન્યું છે. આપણે પણ આ પદના શબ્દોના અર્થ સારી રીતે સમજી, તેમાં કહેલા ભાવોને વારંવાર વિચાર-મનન દ્વારા અને શ્રદ્ધા દ્વારા દૃઢ કરીને આપણા જીવનમાં ઊતરે એ આશયથી તેના વિશેષાર્થોનો સ્વાધ્યાય કરીશું. પ્રથમ કડી આ પ્રમાણે છે : જિસને રાગદ્વેષ કામાદિક જીતે, સબ જગ જાન લિયા સબ જીવોંકો મોક્ષમાર્ગકા નિસ્પૃહ હો ઉપદેશ દિયા; બુદ્ધ વીર જિન હરિ હર બ્રહ્મા યા ઉસકો સ્વાધીન કહો, ભક્તિભાવસે પ્રેરિત હો યહ ચિત્ત ઉસમેં લીન રહો. ૧ અહીં, પ્રથમ જ સાધકને પ્રયોજનભૂત અવલંબન બને એવાં ત્રણ તત્ત્વો (શુદ્ધ દેવ-ગુરુ-ધર્મ) મળે, પ્રથમ એવા દેવતત્ત્વનું સ્વરૂપ કહે છે. જેઓએ આત્મજાગૃતિ, આત્મજ્ઞાન અને આત્મસંયમરૂપ વિધેયાત્મક ભાવોથી તથા વિરક્તિ, ત્યાગભાવ અને તપસ્યારૂપ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 134