Book Title: Research of Dining Table
Author(s): Hemratnasuri
Publisher: Arhad Dharm Prabhavak Trust

View full book text
Previous | Next

Page 160
________________ -- 159) 13. મોસંબી, સંતરા, પાકી કેરી, પપૈયું, શક્કરટેટી બરાબર ચડ્યાં વગરનાં આવાં કાચાં શાક સચિત્તઆદિ એકદમ પાકાં ફળો સમાર્યા બાદ બે-ઘડીએ ત્યાગીને કહ્યું નહિ. અચિત્ત ગણાય છે. એકદમ પાકું કેળું લૂમથી છૂટું 15. આયુર્વેદના નિયમ પ્રમાણે હોજરીના ચાર ભાગ પડતાં તરત જ અચિત્ત ગણાય છે. પાકાં ફળોના રસો પાડવા જોઈએ. એક ભાગમાં હવાની જગ્યા રાખવી, પણ બે ઘડી (૪૮ મિનિટ) બાદ અચિત્ત થાય છે. બીજા ભાગમાં પાણીની જગ્યા રાખવી, બાકીના બે 14. આજકાલ કાકડી, ટીંડોળા આદિ શાકોને વઘાર ભાગમાં ભોજનની જગ્યા રાખવી. ચારે ભાગ કયારેય કરીને તરત જ ચૂલેથી નીચે ઉતારી દેવાય છે. તેથી માત્ર ભોજનથી ભરી દેવા નહિ. લગભગ તે કાચાં અને સચિત્ત રહી જતાં હોય છે. હોમ ટુ હૉટલ ! હૉટલ ટુ હૉસ્પિટલ છે આજે સ્વાદ માટે જાતજાતના અખતરાઓ થાય છે. સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવાની રીત શીખવવા માટે મેગેઝીનો છપાય છે : કૂકીંગ કલાસીઝ ચાલે છે. નવરી બેઠેલી બહેનો એ કલાસ એટેન્ડ કરે છે. જુદા જુદા અખતરાઓ કરીને રસનાને ખુશ કરે છે. આજની હૉટલો, રેસ્ટોરન્ટો અને ફાસ્ટ ફૂડ સેન્ટરોએ માણસની રસનેન્દ્રિયને બહેકાવી મૂકી છે. અનેક પ્રકારની અવનવી અભક્ષ્ય-આરોગ્યનાશક વાનગી આજે બનવા લાગી છે અને માણસ બે હાથે આરોગવા માંડયો છે. હૉસ્પિટલો દરદીઓથી ઉભરાવા માંડી છે. આજે દેશનેતાઓના વરદ હસ્તે હૉસ્પિટલોના શિલારોપણ અને દ્વારોઘાટનના પ્રસંગો થયા કરે છે, ત્યારે આટઆટલી હૉસ્પિટલોનું કારણ હૉટલો છે. ડૉકટરોનું કહેવું છે કે, “અમારા ધંધાનો આધાર હૉટલોવાળા પર છે’ એમનો ધંધો ધમધોકાર ચાલે એટલે અમારી હૉસ્પિટલ ધમધોકાર ચાલતી રહેવાની. હોમ ટુ હૉટલ, હૉટલ ટુ હૉસ્પિટલ સ્વાદલપટ બનેલા માણસોને કયાં ભાન છે કે, આ બધા સ્વાદ સોંસરા નીકળી જવાના છે ! કઢેલાં દૂધ, વસાણા, મલાઈ, લસ્સી, રબડી અને ઉધીયા ખાવાના કોઠા હવે આજે કયાં રહ્યા છે? હોજરી ગુમાવી બેઠેલા માણસે સ્વાદલંપટતાને સલામત રાખી છે અને તેથી છાશવારે ને છાશવારે મલાઈકોફતા, પનીર પકોડા, પાણીપુરી, છોલેપુરી, છોલેભથુરે, હૉટ ડોગ, પીઝા, ઉત્તપ્પા, સેન્ડવીચ, ચીઝ, આદિના ચટાકા ઉડાવતો રહે છે. ૬ જઠરાગ્નિ એટલે ? આજે માણસ અનાજ વિગેરે બીજી વસ્તુના મિશ્રણ વગર ભાગ્યે જ ખાય છે. અસલના કાળમાં ભગવાન શ્રી ઋષભદેવના સમયમાં માણસો સીધેસીધું અન્ન આરોગતા હતા. સમય જતાં તે અન્નનું ડાયજેશન થવામાં તકલીફો પડવા લાગી. ત્યારે અગ્નિ ઉપર પકાવીને પછી ખાવાનો પ્રયોગ થયો અને લોકો અન્ન સેકીને અથવા બાફીને ખાવા લાગ્યા. ત્યાર બાદ મીઠું, મરચું આદિ મસાલાઓ નાંખીને ખાવા લાગ્યા અને હવે તો ભૂખ-ભોજન-અન્ન બધું જ ગૌણ બની ગયું છે. માત્ર મસાલા જ પ્રધાન બની ગયા છે. આજનો સમાજ જેટલા મસાલા ખાય છે તેટલા ભૂતકાળમાં કયારેય કોઈએ ખાધા નથી. એને કારણે કીડની અને હોજરીના રોગ થાય છે. શરીરમાં અગ્નિની અનેક ભઠ્ઠીઓ છે, સાતધાતુઓની સાત ભઠ્ઠીઓ છે. આ બધી ભઠ્ઠીઓને સતત પ્રજ્જવલિત રાખવાનું કામ જઠરાગ્નિ કરે છે. આજે માણસે ફીજના ઠંડા પાણી, પીણાં, આઈસ્ક્રીમ અને એરકન્ડિશનોથી જઠરાગ્નિને બુઝાવી નાખ્યો છે. જેનો જઠરાગ્નિ મંદ પડી જાય તેના શરીરની બાકીની ભઠ્ઠીઓ ઓટોમેટિક બંધ પડી જાય છે. જ્યારે ફેકટરીમાં વિજળીનો પુરવઠો કપાઈ જાય ત્યારે જેવી હાલત થાય તેવી હાલત જઠરાગ્નિ વિના શરીરની થાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 158 159 160 161 162 163 164 165 166 167 168