Book Title: Rajya vatsalya
Author(s): Subodhchandra Nanalal Shah
Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_

View full book text
Previous | Next

Page 5
________________ શ્રી સુમેધચંદ્ર નાનાલાલ શાહ : રાજ્યવાત્સલ્ય ૨૨૯ છેવટે ઊઠતાં ઊઠતાં રાજવીએ આવતીકાલે રાજ્ય તરફથી સોંઘપતિ તથા સધના નગરપ્રવેશ મહેાત્સવની વાત મૂકી, અને ઝઝણકુમારે એના સહર્ષ સ્વીકાર કર્યાં. બીજા દિવસની સવાર થઈ અને આખુ· પાટનગર સંઘ અને સંઘપતિના સન્માનાથે નગર મહુાર ઠલવાયું. અઢી લાખ યાત્રાળુઓ, બીજે પણ માનવસમૂહ અને નગરની સમસ્ત વસતી ભેગી થતાં ત્યાં માનવાના હાલતાચાલતા મહેરામણ હિલેાળા લેતા દેખાતા હતા; તેનું વર્ણન કરવું શકય નથી. સંધપતિ ઝાંઝણકુમારને નાના પર્યંત સમા મહાકાય હાથી પર સેાનાની અંબાડીમાં બેસાડવામાં આવ્યા અને ગુજરેશ્વર તેમની સાથે બેઠા. એક વિજેતા સેનાપતિનું જેવું સન્માન થાય તેથીય અધિક સન્માન તેમનુ કરવામાં આવ્યું. સ'ધ અને સ ંઘપતિની સવારી રાજમહાલય આવી પહેાંચતાં ગુજરેશ્વર સંઘપતિના હાથ ઝાલીને તેમને રાજમહાલય તરફ દોરી ગયા. સૌના પિરચયવિવિધ થયા અને તામ્બૂલે અપાયાં. છેવટે રાજવીએ વિનંતી કરી : “ શ્રેષ્ઠી ઝઝણકુમાર, જો તમે સ્વીકારો તા મારી એક વિન'તી છે કે આવતીકાલે આપ આપના સંઘમાંથી સારા સારા ચૂંટી કાઢેલા પાંચેક હજાર માણસા સાથે રાજમહાલયમાં મારે આંગણે ભેાજન લેવા પધારો.” સૌને થયું કે હમણાં ઝઝણકુમાર હા પાડી દેશે. એક રાજા જેવે રાજા વગર માગ્યે, સામે ચાલીને આવું દુર્લભ બહુમાન કરતા હાય, તેા એના ઇન્કાર પણ કાણ કરી શકે? અને એવા ઇન્કાર કરવાની જરૂર પણ શી ? પણ આંઝણકુમાર કંઈ સામાન્ય માટીના માનવી ન હતા. એમના તે રામ રામમાં ધનુ તેજ અને ખળ વસેલુ' હતું. પેાતાના સન્માન અને ગૌરવ કરતાંય પેાતાના ધંનું અને પેાતાના સાધર્મિકેતુ ગૌરવ અને સન્માન એમના હૈયે વધારે વસેલું હતું. ઝાંઝણ કુમારે નમ્રતા અને વિવેકપૂર્વક છતાં મક્કમપણે કહ્યું': “ રાજન્! આપનું આમંત્રણ હું નહી સ્વીકારી શકું, મને ક્ષમા કરો!” “ કારણુ ?” રાજવીએ પૂછ્યું. ' કારણ એ કે મારા સંઘમાં જેમને હું ખીજા યાત્રિકાથી સારા તરીકે ચૂંટીને જુદા તારવી શકુ એવા કાઈ માણુસા જ નથી.’’ “ એટલે શું તમારા સંઘમાં સારા કહી શકાય એવા માણસા જ નથી ?” રાજવીએ સંઘપતિની વાતને સમજ્યા વગર જ પૂછ્યું. પેાતાની માગણીનો ઇન્કાર સાંભળીને એના અતરને એક પ્રકારના આધાત લાગ્યા હતા. * ના, મહારાજ, એવું નથી, આપ મારી વાત બરાબર સમજ્યા નહી', મે' આપને કહ્યું એના ભાવ તા એ છે કે મારા સંધમાં કોઈ પણ ખરાખ માણુસ નથી; બધા જ સારા છે. એમાં હું કેાની ખરામ તરીકે ખાદ્યબાકી કરીને સારાની પસંદગી કરું ? મારાથી એ ન થઈ શકે. આ સોંઘમાં બધા જ મારા સહુધમી ભાઈએ છે, બધા જ શ્રેષ્ઠ છે અને સૌ મારા આમંત્રણથી જ સંઘમાં પધાર્યાં છે. તેા પછી એમાં સારાખેાટાના વેરાવ’ચા કરીને એમનું માનભંગ કરનાર હું કાણુ ?'' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8