Book Title: Raja Shripal Sheth Jagdushah
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 29
________________ . .ن.ت.ت. જયંતસિંહે ત્રણ લાખ દીનાર આપી પથ્થર લઈ લીધો. પછી તેને વહાણમાં નાખી ભદ્રેશ્વર લાવ્યો. કોઈકે જઈને જગડુશાહને આ સમાચાર કહ્યા કે તમારો ગુમાસ્તો બહુ ધન કમાઈ લાવ્યો. ત્રણ લાખ દીનાર દઈને એક પથ્થર લાવ્યો. જગડુશાહ કહે, “ધન્ય છે એને, કે મારી આબરૂ વધારી. દેશપરદેશમાં મારું નામ ઊજળું કર્યું, ગુમાસ્તા હો તો આવા હો.” પછી ધામધૂમથી જયંતસિંહને તથા તે પથ્થરને ઘેર લાવ્યા. જયંતસિંહે બધી વાત કરી અને કહ્યું: ‘આપની આબરૂ ખાતર મેં આટલા બધા પૈસા ખચ્યું છે. હવે આપને જે શિક્ષા કરવી ઘટે તે કરો.” જગડુશાહ કહે, ‘ગાંડો થયો કે શું ? તે તો મારી આબરૂ વધારી એટલે તને તો મારે સરપાવ આપવો જોઈએ.’ એમ કહી એક કસબી પાઘડી અને મોતીની કંઠીનો સરપાવ આપ્યો. શેઠ હો તો આવા હો. આ પથ્થર જગડુશાહે ઘરના આંગણામાં જડ્યો. એક વખત એક જોશી બાવા ભિક્ષા લેવા આવ્યા. તેમણે આ પથ્થર જોઈને જગડુશાહને કહ્યું : બચ્ચા ! આ પથ્થરમાં કીમતી રત્નો છે માટે એને તોડીને આત શાહનમાં કામ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36