Book Title: Raja Shripal Sheth Jagdushah
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 31
________________ જગડુશાહ માથે બે સોનાનાં શીંગડાં મૂક્યાં. હવે મોટા સાથે વેર થયું, માટે ચેતતા રહેવું એમ વિચારી તે ગુજરાતના રાજા વિસલદેવને મળ્યા અને બધી હકીકત કહી. રાજા વિસલદેવે મોટું લશ્કર આપ્યું. મોટું લશ્કર લઈ ભદ્રેશ્વર આવ્યા. એ લશ્કરના સમાચાર સાંભળી પીઠદેવ ચૂપ થઈ ગયો. તેણે આવીને જગડુશાહ સાથે સુલેહ કરી. જગડુશાહ પાસે અપાર ધન હતું, છતાં અભિમાનનો અંશ નહિ. પ્રભુપૂજા ને ગુરુભક્તિમાં પણ તે એક્કા હતા. એક વખત સમયના જાણકાર, દયાના અવતાર ગુરુએ કહ્યું, ‘જગડુ ! ત્રણ ત્રણ વરસના ભયંકર દુકાળ પડવાના છે, માટે ધનનો થાય તેટલો સદુપયોગ કરજે.” જગડુશાહને આટલું કહેવું જ બસ હતું. તેમણે દેશોદેશના દરેક મોટા શહેરમાં અનાજના કોઠાર ભરી લીધા. અને તેમાં તકતીઓ મૂકી : “ગરીબગુરબાં કાજે !” બરાબર તેરસો ને તેની સાલ આવી. ભયંકર દુકાળ પડ્યો. ગાયો-મકોડા ચરે એવો વખત આવ્યો. મા પેટના દીકરા વેચે એવો કાળ આવ્યો ! લોકો ધાન્ય ધાન્ય કરતાં મરવા લાગ્યા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36