Book Title: Prathamanuyog Shastra ane tena Praneta Sthavir Aryakalaka Author(s): Punyavijay Publisher: Z_Vijay_Vallabh_suri_Smarak_Granth_012060.pdf View full book textPage 7
________________ પ્રથમાનુયોગ અને તેના પ્રણેતા સ્થવિર આર્યાલક ૫૫ સંભવિત જ છે. અને આ જ કારણસર રાજા શાલિવાહનનો કાલકાર્ય સાથેનો સંબંધ ધર્મભાવનામાં પરિણમ્યો હશે એમ લાગે છે. અને આ જ ધર્મસંબંધને કારણે કાલકા રાજા શાલિવાહનની ખાતર ભાદ્રપદ શુકલ પંચમીને બદલે ભાદ્રપદ શુકલ ચતુર્થીને દિવસે સંવત્સરી પર્વની આરાધના કરી હતી. આ ઉપરથી આપણે એટલું નિશ્ચિત કરી શકીએ છીએ કે અષ્ટાંગનિમિત્તવિદ્યાપારંગત, પ્રથમાનુયોગગંડિકાનયોગ-લોકાનયોગ–અને જૈન આગમોની સંગ્રહણીઓના પ્રણેતા, તેમ જ પંચમીને બદલે ચતુથીને દિવસે સંવત્સરી કરનાર સ્થવિર આર્યકાલ એક જ છે અને તે રાજા શાલિવાહનના સમકાલીન હતા. આ યુગમાં રાજા શાલિવાહન સાથે સંબંધ ધરાવનાર બીજા કોઈ કાલકાર્ય હોવાનો ઉલ્લેખ મળતો નથી. પ્રજ્ઞાપના સૂત્રના પ્રણેતા શ્યામાર્ય-કાલકાર્ય આ કાલકાર્ય કરતાં જુદા જ છે. પ્રથમાનુયોગનું ગુપ્ત સ્થાનમાં અસ્તિત્વ પ્રથમાનુયોગ ગ્રંથ ઘણું ચિરકાળથી નષ્ટ થઈ જવા છતાં પણ એ ગ્રંથ ગુપ્ત સ્થાનમાં હોવાનો અને ત્યાંથી લાવી દેવતાએ કોઈ કોઈ આચાર્યને વાંચવા માટે આપ્યાની કેટલીક કિંવદંતીઓ આપણે ત્યાં ચાલતી હતી અને તેવા બે ઉલ્લેખો મારા જોવામાં આવ્યા છે. જે પૈકીનો એક ઉલ્લેખ જયસાગરકત ગુરુ પાતંત્ર્યસ્તવવૃત્તિની પ્રારંભિક પ્રસ્તાવનામાં છે અને બીજો ઉલ્લેખ હર્ષભૂષણકૃત શ્રાદ્ધવિધિવિનિશ્ચયમાં છે. પહેલા ઉલ્લેખમાં પ્રથમાનુયોગગ્રંથની હાથપોથી શાસનદેવતાએ ખરતર આચાર્ય શ્રી જિનદત્તસૂરિને આપ્યાનો, અને વાંચ્યાનો ઉલ્લેખ છે. અને બીજામાં ગુર્જરેશ્વરમહારાજા શ્રી કુમારપાલદેવપ્રતિબોધક આચાર્ય શ્રી હેમચંદ્રને આપ્યાનો, એક રાત્રિમાં વાંચી લીધા અને તદનુસાર ત્રિષષ્ટિશલાકાપુરષચરિત્ર રચ્યાનો ઉલ્લેખ છે, જે વિશેનો જરા સરખો ય નિર્દેશ આચાર્ય શ્રી હેમચંદ્ર પોતાના શલાકાપુરષચરિત્રમહાકાવ્યમાં કર્યો નથી. આ દેવતાઈવાતોને આપણે કેટલે અંશે માનવી એ એક ગંભીર કોયડો જ છે. આવી રચનાઓની નકલ કરવા દેવામાં કે કરી લેવામાં ન આવે, એ એક નવાઈની જ વાત છે ને ? અસ્તુ, એ બેય ઉલ્લેખો આ નીચે નોંધવામાં આવે છે – १. "ज्ञानदर्शनचारित्रागण्यपुण्यातिशयसत्त्वरञ्जितश्रीशासनदेवतावितीर्णोज्जयिनीस्थितमहाकालप्रासादमध्यवर्तिशैलमयभारपट्टबीटकान्तःसंगोपितपुरासिद्धसेनदिवाकरवाचितदशपूर्वधरश्रीकालिकसूरिविरचितानेकाद्भुतश्रीप्रथमानुयोगसिद्धान्तपुस्तकरत्नार्थसम्यक्परिज्ञानजगद्विदितप्रभावाः निजप्रतिभावैभवविस्मापितदेवसूरयः श्रीजिनदत्तसूरयः" गुरुपारतन्त्र्यस्तववृत्तिः ___२. " श्री हेमाचार्याः प्रथमानुयोगं देवताप्रसादालब्ध्वैकरात्राववधार्य च तदनुसारेण त्रिषष्टिचरित्राणि जग्रन्थुरिति ।" श्राद्धविधिविनिश्चय. ગુરુપારર્તવ્યસ્તવવૃત્તિના ઉલ્લેખમાં સિદ્ધસેનવિરિવારિત એમ ઉલ્લેખ કર્યો છે તે માત્ર કલ્પિત અને અપ્રામાણિક છે. કારણ કે આવશ્યકચૂર્ણિકાર જિનદાસગણિ અને આવશ્યક તથા અનુયોગદ્વારવૃત્તિકાર યાકિનીમહત્તરાસનું આચાર્ય શ્રી હરિભદ્દે ચૂણિ અને વૃત્તિમાં અનેક ઠેકાણે અને અનેક વિષયમાં પ્રથમાનયોગની સાક્ષી આપી છે, જેમાંના થોડા ઉપયોગી ઉલ્લેખો મેં આ લેખના પ્રારંભમાં આપ્યા છે; એટલે પ્રથમાનયોગની પ્રતિ મેળવવા માટે કે વાંચવા માટે આચાર્ય શ્રી સિદ્ધસેન દિવાકરને દેવતાની જરૂરત જરાય ન હતી, ભલે શ્રી જિનદત્તસૂરિ મહારાજને હો. શ્રી હર્ષભૂષણે કરેલો ઉલ્લેખ પણ કલ્પિત જ છે. સંભવ છે ગુરુ પાતંત્ર્યસ્તવવૃત્તિકારની સ્પર્ધામાં હર્ષભૂષણે પણ એક તુક્કો ઉભો કર્યો હોય. તુક્કો પણ જેવોતેવો નહિ, એક રાત્રિમાં જ આચાર્યશ્રી હેમચંદ્ર પ્રથમાનુયોગ વાંચી લીધો. મને તો લાગે છે કે બન્નેય મહાનુભાવોએ તુક્કા જ ઉડાવ્યા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8