Page #1
--------------------------------------------------------------------------
________________
// જયતુ વીતરામ | પ્રથમાનુયોગશાસ્ત્ર અને તેના પ્રણેતા
સ્થવિર આર્યકાલિક મુનિશ્રી પુણ્યવિજ્યજી
परिआओ पव्वज्जाभावाओ नत्थि वासुदेवाणं । होइ बलाणं सो पुण पढमणुओगाओ णायन्वो ॥
સાવર#િનિર્યુક્તિ માથા ૪૨૨. દીક્ષા લઈ ન શકવાને કારણે વાસુદેવોનો દીક્ષા પર્યાય નથી પણ બલદેવ દીક્ષા સ્વીકાર કરે છે માટે તેમનો દીક્ષા પર્યાય છે. તે અમે અહીં જણાવતા નથી એટલે જેઓ જાણવા ઈચ્છે તેમણે પ્રથમાનુયોગથી તે જાણી લેવો.
तत्थ ताव सुहम्मसामिणा जंबूनामस्स पढमाणुओगे तित्थयर-चक्कवट्टि-दसारवंसपरूवणागयं वसुदेवचरियं कहियं ति ।
वसुदेवहिंडी प्रथमखंड पत्र २ સુધર્માસ્વામિએ જંબૂ નામના પોતાના શિષ્ય સમક્ષ પ્રથમાનુયોગના વ્યાખ્યાન પ્રસંગે તીર્થંકર ચક્રવર્તી અને દશારોનું ચરિત્ર વર્ણવતાં વસુદેવનું ચરિત્ર કહ્યું હતું.
मेहावीसीसम्मि ओहामिए कालगज्जथेराणं ।
सज्झतिएण अह सो खिंसंतेणं इमं भणिओ॥ १५३८ ।। સ્થવિર આર્યકાલકનો બુદ્ધિમાન શિષ્ય દીક્ષા મૂકીને ઘરવાસમાં ચાલ્યો ગયો ત્યારે તેમના સહાધ્યાયીએ તેમને (કાલકાર્યને) ઉપહાસ કરતાં આ પ્રમાણે કહ્યું:
अतिबहुतं मेऽधीतं ण य णातो तारिसो महत्तो उ।
जत्थ थिरो होइ सेहो निक्खंतो अहो! हु बोद्धव्वं ॥ १५३९ ॥ આપ ઘણું ભણ્યા, પણ તેવું મુહૂર્ત નથી જાણી શક્યા કે જે મુહૂર્તમાં નિદ્ધાંત એટલે દીક્ષા લીધેલો શિષ્ય સ્થિર રહે. અહો ! હજુ આપને પણ કેટલું જાણવાનું છે ?
तो एव स ओमत्थं भणिओ अह गंतु सो पतिढाणं ।
आजीविसगासम्मी सिक्खति ताहे निमित्तं तु ॥ १५४० ॥ આ પ્રમાણે જ્યારે સહાધ્યાયીએ કાલકાર્યને તેમની ઊણપ જણાવી ત્યારે તેમણે પ્રતિષ્ઠાનપુરમાં જઈને આજીવકોની પાસે નિમિત્તવિઘાને અભ્યાસ કર્યો.
अह तम्मि अहीयम्मी वडहेढ निविद्व अन्नयकयाति । सालाहणो णरिंदो पुच्छतिमा तिण्णि पुच्छाओ ।। १५४१ ॥
Page #2
--------------------------------------------------------------------------
________________
આચાર્ય વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ
અષ્ટાંગનિમિત્તવિદ્યા ભણી ગયા બાદ કોઈક પ્રસંગે સ્થવિર આર્યકાલક વડના ઝાડ નીચે બેઠ છે, ત્યાં શાલિવાહન રાજા આવી ચઢે છે અને આચાર્યને આ પ્રમાણે ત્રણ પ્રશ્નો પૂછે છે : पसुलिंडि पढमयाए बितिय समुद्दे व केत्तियं उदयं ।
ततियाए पुच्छाए महुरा य पडेज व ण व १ त्ति ॥ १५४२ ॥
૫૦
પહેલો પ્રશ્ન : બકરી વગેરે પશુઓની લીંડીઓ કેમ થાય છે? બીજો પ્રશ્ન ઃ સમુદ્રમાં પાણી કેટલું ? ત્રીજો પ્રશ્ન ઃ મથુરાનું પતન થશે કે નહિ ?
पढमा वामकडगं देइ तहिं सयसहस्समुलं तु ।
बितियाए कुंडलं तू ततियाए वि कुंडलं बितियं ॥। १५४३ ॥
પહેલા પ્રશ્નના ઉત્તરથી પ્રસન્ન થઈ રાજા શાલિવાહને આચાર્યને લાખમૂલ્યનું ડાચું કહું ભેટ કર્યું. બીજા અને ત્રીજા પ્રશ્નના ઉત્તરથી રાજી થઈ રાજાએ એ કુંડલો ભેટ કર્યાં.
आजीविता उवति गुरुदक्खिण्णं तु एत अम्हं ति ।
तेहि तयं तू गहितं इयरोचितकालकज्जं तु ॥ १५४४ ॥
આ પ્રસંગે, આર્યકાલકને નિમિત્તવિદ્યા ભણાવનાર આવક સાધુઓ ત્યાં હાજર હતા, તેમણે · આ અમારી ગુરુદક્ષિણા છે' એમ કહી તે ત્રણેય ધરેણાં લઈ લીધાં. અને આર્યકાલક પોતાના સમયોચિત કાર્યમાં લાગી ગયા.
म उत्तम्मी अम्मि अणट्ठे ताहे सो कुणइ ।
जोगं च तहा पढमणुजोगं च दोऽवेए । १५४५ ॥
જેનો સૂત્રપાઠ ભુલાઈ ગયો છે, છતાં જેનો અર્થ એટલે કે ભાવ ભુલાયો નથી એવા લોકાનુયોગ અને પ્રથમાનુયોગ નામના બે ગ્રંથોની તેમણે પુનઃ રચના કરી.
बहु निमित्त तहियं पढमणुजोगे य होंति चरियाई । નિળ-વવિધ-સારા” પુ=મવારૂં નિદ્વાદ્ ॥ ૧૪૬ /
ઉપરોક્ત એ ગ્રંથો પૈકી પહેલામાં ઘણા પ્રકારની નિમિત્તવિદ્યા અને પ્રથમાનુયોગમાં જિનેશ્વર, ચક્રવર્તિ અને દશારોના પૂર્વભવાબ્દિને લગતું ચરિત્ર ગૂંથવામાં આવ્યાં છે.
ते काऊ तो सो पाडलिपुत्त उवहितो संघ ।
as तं मे किंची अणुग्गहहाय तं सुगह || १५४७ ।।
આ બન્નેય ગ્રંથોની રચના કરીને તેઓ પાટલીપુત્રમાં પહોંચ્યા અને ત્યાંના શ્રીસંઘને કહ્યું કે : મેં કાંઈક કર્યું છે તેને અનુગ્રહ કરીને તમે સાંભળો.
तो संघेण निसंतं सोऊणय से पडिच्छितं तं तु ।
तो तं पतिट्ठितं तू णयरम्मी कुसुमणामम्मि || १५४८ ।।
તે પછી પાટલીપુત્રમાં વસતા શ્રીસંઘે તે ધ્યાનમાં લીધું. અને ધ્યાનમાં લઇને તેમના ગ્રંથોને આદરપૂર્વક સ્વીકાર્યાં. આ રીતે કુસુમપુર-પાટલીપુત્રમાં તે ગ્રંથો માન્ય થયા.
मादीणं करणं गहणं णिज्जूहणा पकप्पो ऊ ।
संगहीण य करणं अप्पाहाराण तु पकप्पो || १५४९ ।।
पंचकल्प महाभाष्य
Page #3
--------------------------------------------------------------------------
________________
५
પ્રથમાનુયોગ અને તેના પ્રણેતા સ્થવિર આર્યકાલક ઇત્યાદિ નષ્ટ-ભ્રષ્ટ, શીર્ણ વિશીર્ણ અને વિસ્મૃત ગ્રંથોની નિય્હણા–ઉદ્ધાર કરવો તેનું નામ પ્રકટપક૯પ કહેવાય છે. તદુપરાંત અ૫ યાદશક્તિ ધરાવનાર માટે સંગ્રહણી ગ્રંથોની રચના કરવી તે પણ પ્રક૯પ૯૫ નામથી જ ઓળખાય છે.
पच्छा तेण सुत्ते णडे गंडियाणुयोगा कया। संगहणीओ वि कप्पट्ठियाण अप्पधारणाणं उवग्गहकराणि भवंति । पढमाणुओगमाई वि तेण कया ।
पंचकल्पभाष्य चूर्णी પછી ( અાંગડિસિન ભણી ગયા બાદ) તેમણે સત્ર નષ્ટ થઈ ગયેલ હોવાથી ગરિકાનયોગની પણ રચના કરી. સંગ્રહણીઓની પણ રચના કરી. અલ્પમરણશક્તિવાળા બાળજીવોને ઉપકારક થશે એમ માનીને પ્રથમાનુયોગ આદિની પણ રચના તેમણે કરી.
एतं सव्वं गाहाहिं जहा पढमाणुओगे तहेव इहई पि वन्निज्जति वित्थरतो।
आवश्यकचूर्णी भाग १ पत्र १६०. આ બધું ગાથાઓ દ્વારા જેમ પ્રથમાનુયોગમાં વર્ણન છે તે જ પ્રમાણે અહીં વિસ્તારથી – લંબાણથી વર્ણન કરવું.
पूर्वभवाः खल्वमीषां प्रथमानुयोगतोऽवसेयाः ।
आवश्यकहारिभद्री वृत्ति पत्र १११-२ આમના (કુલકરોના) પૂર્વભવોનું ચરિત્ર પ્રથમાનુયોગથી જાણી લેવું.
.. तत्र पुष्कलसंवतॊऽस्य भरतक्षेत्रस्य अशुभभावं पुष्कलं संवर्त्तयति नाशयतीत्यर्थः। एवं शेषनियोगोऽपि प्रथमानुयोगानुसारतो विज्ञेयः ।
अनुयोगद्वार हारिभद्री वृत्ति पत्र ८० . પુષ્કલસંવર્ત નામનો મેઘ ભરતક્ષેત્રની અશુભ પરિસ્થિતિનો નાશ કરે છે. આ જ પ્રમાણે બાકીના મેઘોની હકીકત વગેરે પ્રથમાનુયોગથી જાણી લેવું.
से किं तं अणुओगे ? अणुओगे दुविहे पणत्ते, तं जहा-मूलपढमाणुओगे य गंडियाणुओगे य । से किं तं मूलपढमाणुओगे? एत्थ गं अरहंताणं भगवंताणं पुत्रभवा देवलोगगमणाणि चवणाणि य जम्मणाणि य अभिसेया रायवरसिरीओ सीयाओ पबजाओ तवा य भत्ता केवलणाणुप्पाया य तित्थप्पवत्तगाणि य संघयणं संठाणं उच्चत्तं आउं वनविभागो सीसा गणा गणहरा य अजा पवत्तणीओ संघस्स चउम्विहस्स वा वि परिमाणं जिण-मणपज्जव-ओहिनाण-सम्मत्तसुयनाणिणो य वाई अणुत्तरगई य जत्तिया य सिद्धा पाओवगया य जे जहिं जत्तियाई भत्ताई छेयइत्ता अंतगडा मुणिवरुत्तमा तमरओघविप्पमुक्का सिद्धिपहमणुत्तरं च संपत्ता, एए
Page #4
--------------------------------------------------------------------------
________________
પર
આચાર્ય વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ
अन्ने य एवमाइया भावा मूलपढमाणुओगे कहिया आघविज्जंति पण्णविज्जंति परूविज्जंति, से त्तं मूलपढ़माणुओगे ।
से किं तं गंडियाणुओगे ? २ अणेगविहे पण्णत्ते, तं जहा -कुलगरगंडियाओ तित्थगरगंडियाओ चकरगंडिआओ दसारगंडियाओ वासुदेवगंडियाओ हरिवंसगंडियाओ भद्दवाहुगंडियाओ तवोकम्मगंडियाओ चित्तंतरगंडियाओ उस्सप्पिणीगंडियाओ ओसप्पिणीगंडियाओ अमर-नर- तिरिय निरयगइगमणविविहपरियडणाणुओगे, एवमाइयाओ गंडियाओ आघविज्जति पण्णविनंति परूविजंति, से त्तं गंडियाणुओगे । સમાવાયાંગસૂત્ર સૂત્ર ૧૪૭,
અનુયોગ શું છે ? અનુયોગ એ પ્રકારે છે : મૂલપ્રથમાનુયોગ અને ગંડિકાનુયોગ. મૂલપ્રથમાનુયોગ શું છે? મૂલપ્રથમાનુયોગમાં અરહંત ભગવંતોના પૂર્વભવો, દેવલોકમાં અવતાર, દેવલોકથી ગુજરવું, જન્મ, મેરુ ઉપર જન્માભિષેક, રાજ્યપ્રાપ્તિ, દીક્ષાની પાલખી, દીક્ષા, તપસ્યા, કૈવલજ્ઞાનપ્રાપ્તિ, ધર્મપ્રવર્તન, સંધયણુ, સંઠાણુ, ઊંચાઈ, આયુષ્ય, શરીરનો વર્ણવિભાગ, શિષ્યો, સમુદાયો, ગણધરો, સાધ્વીસંખ્યા, પ્રવર્તનીઓ——સમુદાયની આગેવાન સાધ્વીઓ, ચતુર્વિધ સંઘની જનસંખ્યા, કેવળજ્ઞાની મન:પર્યાયજ્ઞાની અવધિજ્ઞાની ચતુર્દશપૂર્વધરો વાદીઓ અનુત્તરવિમાનગામીઓની અને સિદ્ધોની સંખ્યા, જેટલા ઉપવાસ કરી સિદ્ધિમાં ગયા ઇત્યાદિ ભાવોનું વર્ણન પ્રથમાનુયોગમાં કરાયું છે.
ગંડિકાનુયોગ એટલે શું? ગંડિકાનુયોગ અનેક પ્રકારે છે—કુલકરગંડિકાઓ, તીર્થંકરગંડિકાઓ, ચક્રવર્તિગંડિકાઓ, દારચંડિકાઓ, વાસુદેવગંડિકાઓ, હરિવંશગંડ્રિકાઓ, ભદ્રબાહુગંડિકાઓ, તપઃકર્મગંડિકાઓ, ચિત્રાંતરગંડિકાઓ, ઉત્સર્પિણીગંડિકાઓ, અવસર્પિણીગંડિકાઓ, દેવ-મનુષ્યતિર્યંચ-નરકગતિ પરિભ્રમણ આદિને લગતી ગંડિકાઓ ઇત્યાદિ હકીકતો ગંડિકાનુયોગમાં કહેવાઈ છે.
૯
નિસૂત્રમાં સૂત્ર ૫૬માં સમવાયાંગ સૂત્રને મળતો જ પાડે છે;
*
*
*
ઉપર એકી સાથે જે અનેક ઊતારાઓ આપવામાં આવ્યા છે તે ‘પ્રથમાનુયોગ શું છે?’તે વિષે વિશિષ્ટ પ્રકાશ પાથરનારા ઉલ્લેખો છે. આજે કોઈક કોઈક વિરલ વ્યક્તિઓને બાદ કરતાં ભાગ્યે જ કોઈને ખબર હશે કે “ પ્રથમાનુયોગ એ ધર્મકથાનુયોગને લગતો વિસ્તૃત અને વિશિષ્ટ ગ્રંથ હતો.” એ ગ્રંથ આ યુગમાં જ અપ્રાપ્ય થઈ ગયો છે એમ નથી, પરંતુ સકાઓ પૂર્વે તે નષ્ટ થઈ ગયો છે-ખોવાઈ ગયો છે. આજે માત્ર એ ગ્રંથ વિશેની સ્થૂલ માહિતી પૂરી પાડતા કેટલાક વીખરાયલા ઉલ્લેખો જ આપણા સામે વર્તમાન છે, આમ છતાં આ વિરલ ઉલ્લેખો દ્વારા આપણને કેટલીક એ ગ્રંથ અંગેની અને તે સાથે કેટલીક બીજી પણ મહત્ત્વની હકીકતો જાણવા મળી શકે છે. આપણે અનુક્રમે તે જોઈ એ
:
*
૧. ઉપર આપેલાં પ્રાચીન અવતરણો પૈકી ત્રીજા અને ચોથા ઉલ્લેખથી એ વાત સ્પષ્ટ થાય છે કે પ્રાચીન કાળમાં એટલે સૂત્રકાળમાં પ્રથમાનુયોગ નામનો ગ્રંથ હતો જ, જેને નંદિસૂત્રકાર અને સમવાયાંગત્રકારે મૂલપ્રથમાનુયોગ નામથી ઓળખાવેલ છે. પરંતુ કાળબળે તે લુપ્ત થઈ જવાને લીધે તેમાંની જે અને જેટલી હકીકતો મળી આવે તે આધારે તેનો પુનરુદ્ધાર સ્થવિર આર્યકાલકે કર્યો હતો. વસુદેવહિંડી, આવશ્યકચૂÇ, આવશ્યક સૂત્ર અને અનુયોગદ્દારસૂત્રની હારિભદ્દી વૃત્તિ આદિમાં પ્રથમાનુયોગના નામનો જે ઉલ્લેખ છે તે આ પુનરુદ્ઘતિ પ્રથમાનુયોગને લક્ષીને છે. જ્યારે આવશ્યક સૂત્રની નિયુક્તિમાં ( અવતરણ ૧ ) આવતો પ્રથમાનુયોગ નામનો ઉલ્લેખ સંભવ છે કે મૂલપ્રથમાનુયોગને લક્ષીને પણ હોય !
Page #5
--------------------------------------------------------------------------
________________
પ્રથમાનુયોગ અને તેના પ્રણેતા સ્થવિર આર્યકાલક
૫૩
૨. આઠ અને નવ ઉલ્લેખને આધારે આપણને જાણવા મળે છે કે પ્રથમાનુયોગમાં માત્ર તીર્થકરોનાં જ જીવનચરિત્ર હતાં, પરંતુ ત્રીજા ઉલ્લેખને આધારે પ્રથમાનુયોગમાં તીર્થકરોનાં ચરિત્ર ઉપરાંત ચક્રવર્તી અને દશારોનાં પણ ચરિત્રો હતાં. મને લાગે છે કે સૂત્રકાળમાં પ્રથમાનુયોગનું ગમે તે સ્વરૂપ હો, પરંતુ સ્થવિર આર્યકાલકે પુનરુદ્ધાર કર્યો ત્યારે તેનું સ્વરૂપ આચાર્ય શ્રી ભદ્રેશ્વરકૃત કહાવલી, શ્રી શીલાંકાચાર્યકૃત ચઉપણણમહાપુરિ ચરિય અને આચાર્ય શ્રી હેમચંદ્રકૃત ત્રિષષ્ટિ શલાકાપુરુષચરિતને મળતું હોવું જોઈએ.
૩. પાંચમો ઉલેખ જોતાં સમજી શકાય છે કે – પ્રથમાનુયોગ ગ્રંથની રચના ગદ્યપદ્યરૂપે હતી પરંતુ પ્રસ્તુત ગ્રંથ આજે આપણા સામે નથી, એટલે તેની ભાષાશૈલી, વર્ણન પદ્ધતિ, છંદો વગેરે વિષે. આ ગ્રંથમાં શી શી વિશેષતા અને વિવિધતાઓ હશે, એ આપણે ખરા સ્વરૂપમાં સમજી શકીએ તેમ નથી. તે છતાં અનુયોગઠારસૂત્ર ઉપરની હરિભકી વૃત્તિ( ઉલ્લેખ ૭)માં પાંચ મહામેધોનું વર્ણન જેવાં માટે પ્રથમાનુયોગ જેવાની ભલામણ કરી છે. એ ઉપરથી પ્રથમાનુયોગમાં પ્રસંગે પ્રસંગે ઘણી ઘણી હકીકતોનો સમાવેશ હોવાનો સંભવ છે.
૪. સમવાયાંગ સૂત્ર અને નંદિસૂત્ર( ઉલ્લેખ ૮-૮)માં પ્રથમાનુયોગને બદલે મૂલપ્રથમાનુયોગ નામ મળે છે, તેનું કારણ મને એ લાગે છે કે- જ્યાં સુધી સ્થવિર આર્યકાલકે પ્રથમાનુયોગનો પુનરુદ્ધાર નહોતો કર્યો ત્યાં સુધી સૂત્રકાલીન પ્રથમાનુયોગને પ્રથમાનુયોગ નામથી જ ઓળખવામાં આવતો હશે, પરંતુ સ્થવિર આર્યકાલકે એ ગ્રંથનો ઉદ્ધાર કર્યા બાદ સૂત્રકાલીન પ્રથમાનુયોગને મૂલપ્રથમાનુયોગ નામ આપ્યું હોવું જોઈએ. જો કે સમવાયાંગસૂત્રનદિસૂત્રના ચૂણ–વૃત્તિકારોએ વ્યુત્પન્યર્થસિદ્ધ કેટલાક વૈકલ્પિક લાક્ષણિક અર્થો આપ્યા છે, પણ મારી સમજ પ્રમાણે એ વાસ્તવિક અર્થને સ્પર્શ નથી કરતા. જે પ્રથમાનુયોગમાં માત્ર તીર્થકરોનાં જ ચરિત્રો હોત તો ચૂર્ણ વૃત્તિકારોના અર્થે લાક્ષણિક ન રહેતાં વાસ્તવિક બની જાત. પરંતુ આપણે સંભાવના કરી શકીએ છીએ ત્યાં સુધી પ્રથમાનુયોગમાં માત્ર તીર્થકરોનાં જ ચરિત્રો હોય અને તેમની સાથે અનિવાર્ય રીતે સંબંધ ધરાવતા ચક્રવર્તિ-વાસુદેવાદિનાં ચરિત્રો હોય જ નહિ, એ કદીયે બનાવાયોગ્ય નથી. એટલે પ્રથમાનુયોગમાં માત્ર તીર્થકરોનાં ચરિત્રો હોવાની વાત નંદિસૂત્ર-સમવાયાંગસૂત્રમાં મળતી હોય કે માત્ર તીર્થંકર-ચક્રવતિ–દશારોનાં ચરિત્રો હોવાની વાત પંચક૫ભાષ્યાદિમાં મળતી હોય તો પણ આપણે એ સમજી જ લેવું જોઈએ કે પ્રથમાનુયોગમાં ઉપર કહેવામાં આવ્યું તેમ ત્રેસઠ શલાકા પુરુષ અને તે સાથે સંબંધ ધરાવતી અનેક વ્યક્તિઓનાં ચરિત્રોનો સમાવેશ થવો જોઈએ. એટલે ચૂણ–વૃત્તિકારોની વ્યાખ્યાને આપણે અહીં લાક્ષણિક જ સમજવી જોઈએ.
દિગંબર આચાર્ય શ્રી શુભચંદ્ર પ્રણીત અંગપણરીમાં પ્રથમાનુયોગમાં શું છે તે વિષે આ હકીકત જણાવી છે
पढम मिच्छादिहिं अव्वदिकं आसिदूण पडिवज्ज । अणुयोगो अहियारो वुत्तो पढमाणुयोगो सो ॥ ३५ ॥ चउवीसं तित्थयरा पइणो बारह छखंडभरहस्स । णव बलदेवा किण्हा णव पडिसत्तू पुराणाई ।। ३६ ॥ तेसिं वणंति पिया माई जयराणि तिण्ह पुव्वभवे । पंचसहस्सपयाणि य जत्थ हु सो होदि अहियारो ॥ ३७॥
દ્વિતીય અધિકાર.
Page #6
--------------------------------------------------------------------------
________________
પ૪
આચાર્ય વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ દિગંબર આચાર્ય શ્રી બ્રહ્મહેમચંદ્ર વિરચિત શ્રતસ્કંધમાં આ પ્રમાણે નિર્દેશ છેઃ
तित्थयर चक्कवट्टी बलदेवा वासुदेव पडिसत्तू । पंचसहस्सपयाणं एस कहा पढमअणिओगो ॥ ३१ ॥
પ્રથમાનુયોગના પ્રણેતા પ્રથમાનુયોગના રવરૂપ વિશે ટૂંકમાં જણાવ્યા પછી તેના પ્રણેતા સ્થવિર આર્યકાલક વિષે ટૂંકમાં જણાવવામાં આવે છે :
૧. પંચકલ્પમહાભાષ્ય અને તેની ચૂર્ણ (ઉલ્લેખ ૩-૪)માં જણાવ્યા પ્રમાણે સ્થવિર આર્યકાલકે પ્રથમાનુયોગ ગ્રંથનો પુનરુદ્ધાર કર્યો હતો. તે જ રીતે તેમણે ગંડિકાનુયોગ નામના ગ્રંથનો પણ ઉદ્ધાર કર્યો હતો. લોકાનુયોગ અને જૈન આગમો ઉપરની સંગ્રહણીઓની રચના પણ તેમણે કરી હતી. ગંડિકાનુયોગમાં શું છે તે માટે આઠમો ઉલ્લેખ જોવા ભલામણ છે. ગણિતાનુયોગમાં અષ્ટાંગનિમિત્તવિદ્યા ગૂંથવામાં આવી છે. અને સંગ્રહણીઓ, એ જૈન આગમોની ગાથાબદ્ધ સંક્ષિપ્ત વિષયાનુક્રમણિકા છે. આજે આપણે સ્પષ્ટ રીતે જાણી શકતા નથી કે “અહીં જણાવેલી સંગ્રહણીઓ કઈ?” તે છતાં સંભવતઃ ભગવતીસૂત્ર, પન્નવણાસ્ત્ર, જીવાભિગમસૂત્ર, આવશ્યકસૂત્ર આદિમાં આવતી સંગ્રહણીગાથાઓ જ આ સંગ્રહણીઓ હોવી જોઈએ.
૨. સ્થવિર આર્યકાલકે અછાંગનિમિત્તવિદ્યાનું અધ્યયન આજીવાશ્રમ પાસે કર્યું હતું. એટલે કે નિમિત્તવિદ્યાના વિષયમાં સ્થવિર આર્યકાલક માટે આજીવકોનું ગુરુત્વ અને વારસો હતાં. શ્રમણ વીર વર્ધમાન ભગવાને અષ્ટાંગનિમિત્તવિદ્યાને સામાન્ય રીતે ભણવાનો નિષેધ કરેલ હોઈ જૈન શ્રમણોમાંથી એ વિદ્યા ભૂંસાઈ ગઈ હતી, પરંતુ સમયબળને કારણે એ જ વિદ્યા પુનઃ શીખવાની આવશ્યકતા જણાતાં આર્યકાલકને આજીવક નિગ્રંથોનું સાન્નિધ્ય સાધવું પડયું છે. પંચકલ્પ ભાષ્યમાં “રાજા શાલિવાહને આર્યકાલકને ઉપહત કરેલ કટક અને કુંડલોને આજીવકશ્રમણો પોતાની ગુરુદક્ષિણ તરીકે લઈ ગયા.” આ ઉલ્લેખથી “તે જમાનામાં આજીવનિગ્રંથોમાં પરિગ્રહધારી નિગ્રંથો પણ હતા” એ જાણવા મળે છે.
૩. પ્રથમાનુયોગાદિના પ્રણેતા સ્થવિર આર્યકાલક રાજા શાલિવાહનના સમકાલીન હતા. રાજા શાલિવાહને આર્યકાલકને પૂછયું હતું કે “મથુરાનું પતન થશે કે નહિ” તેનો ઉત્તર આર્યકાલકે શો આપ્યો હતો એ પંચક૯પમહાભાષ્યમાં જણાવ્યું નથી, તે છતાં રાજાએ પ્રસન્ન થઈ કુંડલ આપ્યાનો ઉલ્લેખ છે તે ઉપરથી રાજાને વિજય જણાવ્યો હશે. જે વિજયનો ઉલ્લેખ વ્યવહારભાષ્ય-ચૂર્ણ–ટીકામાં અને બહ૯૯૫ભાષ્ય – ચૂર્ણ—ટીકામાં આવે છે. એટલે પંચક૯૫ભાગ્યમાં જે પ્રશ્નોનો નિર્દેશ છે એ
१. महुराणत्ती दंडे णिग्गय सहसा अपुच्छियं कयरं ।
तस्प्त य तिक्खा आणा दुहा गया दो वि पाडेउं ॥१५२॥
गोयावरीए नईए तडे पइट्टाणं नयरं । तत्थ सालवाहणो राया। तस्स खरगो अमच्चो । अन्नया सो सालवाहणो राया दंडनायगं आणवेइ-महरं घेत्तूण सिग्घमागच्छ । सो य सहसा अपुच्छिऊण दंडेहिं सह णिग्गतो। ततो चिंता जाया-का महरा घेत्तव्वा ? दक्षिणमहरा उत्तरमहरा वा?। तस्स आणा तिक्खा, पुणो पुच्छिभं न तीरति। ततो दंडा दुहा काऊण दोसु वि पेसिया, गहियातो दो वि महुरातो। ततो वद्धावगो पेसिओ। तेणागंतूण राया વારિતો–દેવ! તો વિ મદુરાતો જરિયાતો છે.
व्यवहारभाष्य-टीका-भाग ४ पत्र ३६
Page #7
--------------------------------------------------------------------------
________________
પ્રથમાનુયોગ અને તેના પ્રણેતા સ્થવિર આર્યાલક
૫૫
સંભવિત જ છે. અને આ જ કારણસર રાજા શાલિવાહનનો કાલકાર્ય સાથેનો સંબંધ ધર્મભાવનામાં પરિણમ્યો હશે એમ લાગે છે. અને આ જ ધર્મસંબંધને કારણે કાલકા રાજા શાલિવાહનની ખાતર ભાદ્રપદ શુકલ પંચમીને બદલે ભાદ્રપદ શુકલ ચતુર્થીને દિવસે સંવત્સરી પર્વની આરાધના કરી હતી. આ ઉપરથી આપણે એટલું નિશ્ચિત કરી શકીએ છીએ કે અષ્ટાંગનિમિત્તવિદ્યાપારંગત, પ્રથમાનુયોગગંડિકાનયોગ-લોકાનયોગ–અને જૈન આગમોની સંગ્રહણીઓના પ્રણેતા, તેમ જ પંચમીને બદલે ચતુથીને દિવસે સંવત્સરી કરનાર સ્થવિર આર્યકાલ એક જ છે અને તે રાજા શાલિવાહનના સમકાલીન હતા. આ યુગમાં રાજા શાલિવાહન સાથે સંબંધ ધરાવનાર બીજા કોઈ કાલકાર્ય હોવાનો ઉલ્લેખ મળતો નથી. પ્રજ્ઞાપના સૂત્રના પ્રણેતા શ્યામાર્ય-કાલકાર્ય આ કાલકાર્ય કરતાં જુદા જ છે.
પ્રથમાનુયોગનું ગુપ્ત સ્થાનમાં અસ્તિત્વ પ્રથમાનુયોગ ગ્રંથ ઘણું ચિરકાળથી નષ્ટ થઈ જવા છતાં પણ એ ગ્રંથ ગુપ્ત સ્થાનમાં હોવાનો અને ત્યાંથી લાવી દેવતાએ કોઈ કોઈ આચાર્યને વાંચવા માટે આપ્યાની કેટલીક કિંવદંતીઓ આપણે ત્યાં ચાલતી હતી અને તેવા બે ઉલ્લેખો મારા જોવામાં આવ્યા છે. જે પૈકીનો એક ઉલ્લેખ જયસાગરકત ગુરુ પાતંત્ર્યસ્તવવૃત્તિની પ્રારંભિક પ્રસ્તાવનામાં છે અને બીજો ઉલ્લેખ હર્ષભૂષણકૃત શ્રાદ્ધવિધિવિનિશ્ચયમાં છે. પહેલા ઉલ્લેખમાં પ્રથમાનુયોગગ્રંથની હાથપોથી શાસનદેવતાએ ખરતર આચાર્ય શ્રી જિનદત્તસૂરિને આપ્યાનો, અને વાંચ્યાનો ઉલ્લેખ છે. અને બીજામાં ગુર્જરેશ્વરમહારાજા શ્રી કુમારપાલદેવપ્રતિબોધક આચાર્ય શ્રી હેમચંદ્રને આપ્યાનો, એક રાત્રિમાં વાંચી લીધા અને તદનુસાર ત્રિષષ્ટિશલાકાપુરષચરિત્ર રચ્યાનો ઉલ્લેખ છે, જે વિશેનો જરા સરખો ય નિર્દેશ આચાર્ય શ્રી હેમચંદ્ર પોતાના શલાકાપુરષચરિત્રમહાકાવ્યમાં કર્યો નથી. આ દેવતાઈવાતોને આપણે કેટલે અંશે માનવી એ એક ગંભીર કોયડો જ છે. આવી રચનાઓની નકલ કરવા દેવામાં કે કરી લેવામાં ન આવે, એ એક નવાઈની જ વાત છે ને ? અસ્તુ, એ બેય ઉલ્લેખો આ નીચે નોંધવામાં આવે છે –
१. "ज्ञानदर्शनचारित्रागण्यपुण्यातिशयसत्त्वरञ्जितश्रीशासनदेवतावितीर्णोज्जयिनीस्थितमहाकालप्रासादमध्यवर्तिशैलमयभारपट्टबीटकान्तःसंगोपितपुरासिद्धसेनदिवाकरवाचितदशपूर्वधरश्रीकालिकसूरिविरचितानेकाद्भुतश्रीप्रथमानुयोगसिद्धान्तपुस्तकरत्नार्थसम्यक्परिज्ञानजगद्विदितप्रभावाः निजप्रतिभावैभवविस्मापितदेवसूरयः श्रीजिनदत्तसूरयः"
गुरुपारतन्त्र्यस्तववृत्तिः ___२. " श्री हेमाचार्याः प्रथमानुयोगं देवताप्रसादालब्ध्वैकरात्राववधार्य च तदनुसारेण त्रिषष्टिचरित्राणि जग्रन्थुरिति ।" श्राद्धविधिविनिश्चय.
ગુરુપારર્તવ્યસ્તવવૃત્તિના ઉલ્લેખમાં સિદ્ધસેનવિરિવારિત એમ ઉલ્લેખ કર્યો છે તે માત્ર કલ્પિત અને અપ્રામાણિક છે. કારણ કે આવશ્યકચૂર્ણિકાર જિનદાસગણિ અને આવશ્યક તથા અનુયોગદ્વારવૃત્તિકાર યાકિનીમહત્તરાસનું આચાર્ય શ્રી હરિભદ્દે ચૂણિ અને વૃત્તિમાં અનેક ઠેકાણે અને અનેક વિષયમાં પ્રથમાનયોગની સાક્ષી આપી છે, જેમાંના થોડા ઉપયોગી ઉલ્લેખો મેં આ લેખના પ્રારંભમાં આપ્યા છે; એટલે પ્રથમાનયોગની પ્રતિ મેળવવા માટે કે વાંચવા માટે આચાર્ય શ્રી સિદ્ધસેન દિવાકરને દેવતાની જરૂરત જરાય ન હતી, ભલે શ્રી જિનદત્તસૂરિ મહારાજને હો. શ્રી હર્ષભૂષણે કરેલો ઉલ્લેખ પણ કલ્પિત જ છે. સંભવ છે ગુરુ પાતંત્ર્યસ્તવવૃત્તિકારની સ્પર્ધામાં હર્ષભૂષણે પણ એક તુક્કો ઉભો કર્યો હોય. તુક્કો પણ જેવોતેવો નહિ, એક રાત્રિમાં જ આચાર્યશ્રી હેમચંદ્ર પ્રથમાનુયોગ વાંચી લીધો. મને તો લાગે છે કે બન્નેય મહાનુભાવોએ તુક્કા જ ઉડાવ્યા છે.
Page #8
--------------------------------------------------------------------------
________________ આચાર્ય વિજ્યવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ આવા દેવતાઈ તુક્કાઓ આપણે ત્યાં ઘણા ચાલ્યા છે. પ્રભાવચરિત્રકાર આચાર્ય પણ એક આવી જ કથા રજૂ કરી છે– એવામાં બુદ્ધાનંદ મરણ પામી વ્યંતર થયો અને પૂર્વના વૈરભાવથી તેણે મલ્લવાદિત નયચક અને પદ્મચરિત્ર એ બન્નેય ગ્રંથો પોતાને તાબે કર્યા અને તે કોઈને વાંચવા દેતો ન હતો.” પ્રભાવક ચરિત્ર ભાષાંતર પૃષ્ઠ 123. ખરેખર આવી કથાઓ અર્થ વિનાની જ છે. મલવાદી પ્રાચીન નયચક ગ્રંથને વાંચે છે ત્યારે તેમના હાથમાંથી દેવતા તે ગ્રંથને પડાવી લઈ જાય છે, અને એની જ ભલામણથી નિર્માણ થયેલા નયચક ગ્રંથની રક્ષા કરવાની એ દેવતાને પરવા નથી, ત્યારે તો આવી કથાઓ ઉપહાસજનક જ લાગે ને ? અંતમાં પ્રાસંગિક ન હોવા છતાં ય મેં આ લેખમાં પંચક૯૫મહાભાષ્ય અને તેની ચૂર્ણના ઉલેખોની નોંધ કરી છે એટલે મારે કહેવાની વસ્તુ અનુપ્રસન્ત તો છે જ, અને તે એ કે પંચક૯૫મહાભાષ્ય નામ સાંભળી ઘણા વિદ્વાનો એમ ધારી લે છે કે વંદ૫ નામનું સૂત્ર હોવું જોઈએ પરન્તુ ખરું જોતાં તેમ છે જ નહિ. પંચકલ્પમહાભાષ્ય એ કલ્પભાષ્યમાંથી છૂટો પાડેલો એક ભાષ્યવિભાગ હોઈ તેનું મૂળ સૂત્ર જે કહી શકાય તો તે કલ્પસૂત્ર (બૃહત્કલ્પસૂત્ર)જ કહી શકાય-જેમ આવશ્યક નિર્યુક્તિમાંથી ઓધનિયંતિને જુદી પાડવામાં આવી છે-દશવૈકાલિક નિર્યુક્તિમાંથી પિંડનિર્યુક્તિને જુદી કરી છે તે જ રીતે ક૫ભાષ્યમાંથી પંચક૯૫ભાષ્યને પણ અલગ કરવામાં આવ્યું છે. બહ૭૯૫સૂત્રની કેટલીક જૂની સૂત્રપ્રતિઓના અંતમાં પિંપુરૂવં સમાતમૂ આવો ઉલેખ જોઈ કેટલાક ભ્રમમાં પડી જાય છે પરંતુ ખરી રીતે ભ્રમમાં પડવું જોઈએ નહિ. એવા નામોલેખવાળી પ્રતિ બધી બહ૯૯૫સૂત્રની જ પ્રતિઓ છે. ? સદી