________________
[૪]
મુંબઈ
લેખકે પુસ્તક તૈયાર કરવામાં લીધેલો શ્રમ અને નવાં વિધાને બાંધવા માટેની તેમની પર્યેષક વૃત્તિ , પાને પાને જણાઈ આવે છે.....હિંદની કોઈએ ભાષામાં તે શું પણ અંગ્રેજીમાં પણ જેની તેલ આવે એવાં ગણતર પુસ્તક જ હશે; એ બધી વસ્તુઓ ખ્યાલમાં લેતા, અને ઇતિહાસના અભ્યાસીઓ માટે જે સાધનસંગ્રહ આમાં મૂકાયેલ છે તે જોતાં ડો. ત્રિભુવનદાસની શ્રમશીલતા, ઇતિહાસ સંશોધનના ક્ષેત્રમાં કદર કરવા જેવી છે. આ ગ્રન્થમાંનાં સંશોધન અને વિધાન એક યા બીજી રીતે માર્ગદર્શક, દિશાદર્શક કે પ્રકાશ પહોંચાડનારાં થઈ પડશે એમ માનવું વધારે પડતું નથી. અમદાવાદ
પ્રજાબંધુ (૨૩). ખરેખર એક ગુજરાતી વિદ્વાનને હાથે લખાયેલો સાધાર ઐતિહાસિક શોધખોળને આ એક અદભુત ગ્રન્થ છે......ડો. શાહ ટીકાઓથી ન ડરતાં તેમને પ્રયાસ અપૂર્ણ ન મૂકે એમ આપણે ઈચ્છીશું, આના સારરૂપ જો એક અંગ્રેજી ગ્રન્થ તૈયાર કરાવાય છે તેની ચર્ચા આખા ભરતખંડમાં થવા પામે.
ગુજરાતી ( ૨૪ ) આ સંશોધન ઈતિહાસ-સંશોધકને જેમ ઉપકારક છે તેમજ ખાસ કરીને જૈન સમાજ માટે મહા ઉપકારક છે. સૈકાઓ જાને અપ્રગટ, ઐતિહાસિક સાહિત્ય શ્રમ અને સંકલનાપૂર્વક આ ગ્રન્થ દ્વારા બહાર મૂકવા માટે ડો. ત્રિભુવનદાસને અભિનંદન ઘટે છે. દરેક જૈન લાઈબ્રેરીઓ, સાહિત્ય સંસ્થાઓ, જ્ઞાનભંડારોમાં આ સેટને સ્થાને મળે એમ ઈચ્છીએ છીએ. ભાવનગર
જૈન . ( ૨૫ ) આખું પુસ્તક હિંદના પ્રાચીન ઇતિહાસ ઉપર તદ્દન નવો જ પ્રકાશ પાડે છે. જ્યાં જ્યાં લેખક પિતે પુરોગામી લેખકોના મતથી વિરૂદ્ધ જાય છે ત્યાં ત્યાં બધે તેઓ મજબૂત પુરાવાઓ આપે છે. આખું પુસ્તક વાંચવા જેવું છે, અને અભ્યાસીઓને મનન કરવા યોગ્ય છે. ભાષા સરળ અને વિષયની વસ્તુની ગહનતાને એકદમ સ્પષ્ટ કરે તેવી છે. લેખક ધંધે ડોકટર હાઈ, પુરાતત્ત્વના વિષયને આટલો બધો પરિચય ધરાવે છે તે ખરેખર ધન્યવાદને પાત્ર તથા શોભાસ્પદ છે. તેમની કૃતિ દરેક વાંચનાલયમાં જવી જોઈ એ. વડોદરા
સાહિત્યકાર
ગુજરાતી પ્રકાશનના ઈતિહાસમાં આ પુસ્તકનું સાહસ અજોડ ગણાય તેવું છે. ખાસ કરીને વિદ્વત્તા, બહોળી સામગ્રી ને હાંશ પ્રશંસનીય છે. લેખકે બહુ પ્રમાણમાં શ્રમ લીધું છે. અને પિતે માની લીધેલ મતાંતરનું સમર્થન જારીવારી જાણનારા વકીલની માફક બહુ જ ઊલટથી કર્યું છે. આ પ્રકારનો ગ્રન્ય સ્વભાષામાં લખીને ડો. શાહે ગુજરાતીની મેટી સેવા કરી બતાવી છે અને ગુજરાતની વિદ્વત્તાને જગતમાં ઉચ્ચ સ્થાને સ્થાપી છે. એ માટે અમે એઓ મહાશયને ધન્યવાદ આપીએ છીએ. કરાંચી
ઊર્મિ ( ૨૭ ) પ્રાચીન શેવાળની દષ્ટિએ આ ગ્રન્ય મહત્વને છે.પ્રાચીન શોધખોળ માટેનો લેખકનો અનુભવ અને પ્રયાસ પ્રશંસાને પાત્ર છે. મુંબઈ
જૈને પ્રકાશ ( ૧૮ ) માહિતી રસપૂર્ણ છે ગુજરાતી ભાષામાં આવું સુંદર ઉપગી પુસ્તક તૈયાર કરવા માટે લેખકને ધન્યવાદ ઘટે છે, વડોદરા
નવ ગુજરાત
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com