________________
૧૧
પ્રભાવસંપન્ન પરમવિદુષી સાધ્વીજી શ્રી પ્રભાશ્રીજી
મહારાજના જીવનની ટૂંકી હકીકત.
અનેક જૈન મંદિરથી વિભૂષિત સ્થંભનપુર નગરમાં બોળ પીંપળા વિભાગમાં. વિશાશ્રીમાળી જ્ઞાતિય સંસ્કાર સંપન્ન શ્રી નાથાભાઈ અમીચંદ તથા તેમનાં ગુણસંપન્ન પત્ની ડાહીબેન રહેતાં હતાં. તેમને ત્યાં વિ. સં. ૧૯૪પના ફાગણ સુદી અષ્ટમીના દિવસે એક તેજસ્વી બાલિકાનો જન્મ થાય છે, તેનું નામ ભૂરીબેન પાડવામાં આવ્યું. બાલ્યકાળથી જ દેવદર્શન, પૂજા-ગુરૂવંદન, વ્યાખ્યાનશ્રવણ, વડિલોની સેવા વિગેરે સંસ્કાર દિનપ્રતિદિન વૃદ્ધિ પામતા હતા. *
દિવસો વીતતાં બાર વર્ષની વયે-અતિ ખાનદાન, ધર્મપરાયણ, અને ખંભાતના ગૌરવરૂપ શેઠશ્રી કસ્તુરભાઈ અમરચંદના સુપુત્ર શ્રી વજેચંદસાથે તેમનું લગ્ન થયું, પેઢીયો ગત અને વર્તમાનકાળે પણ જે કુટુંબમાં દેવગુરૂભકિત, સાધર્મિકભકિત, ક્રિયારૂચિ, અને ઉદારશીલતા આદિ ગુણો શોભી રહયા હોય એવા કુટુંબમાં સંબંધ જોડાવો તે પણ ખરેખર મહા પુન્યાઈના યોગે જ બને છે.
શ્રી વજેચંદભાઈમાં પણ કુટુંબના જ ઉત્તમ ગુણોનો વારસો હતો. એટલે આ યુગલ–ધર્મ અને વ્યવહારથી ઘણું જ સુખી હતું. પરંતુ કાળની પાસે કેઈનું યે ચાલતું નથી. માત્ર એક જ વર્ષની અંદર શ્રી વજેચંદભાઈ આ ફાની દુનિયા છોડીને ચાલ્યા જાય છે. '
આ શોકમય પ્રસંગથી ભૂરીબેનને ઘણું જ આઘાત લાગે છે. પરંતુ તેઓ કર્મની વિટંબનાને સારી રીતે સમજતાં હતાં, એટલે આવા ઘેરા વાતાવરણમાં પણ ધાર્મિક અભ્યાસ ચાલુ કરે છે. અને ગૃહસ્થપણામાં જ-સંસ્કૃત, પ્રાકૃત, ન્યાય અને દ્રવ્યાનુયોગના ગ્રંથ વગેરેનું સુંદર અધ્યયન કરી લે છે. આ અભ્યાસ માત્ર સંયમ ગ્રહણના