Book Title: Paryushan Parv ane Teno Upayog Author(s): Sukhlal Sanghavi, Bechardas Doshi Publisher: Z_Paryushan_Parva_na_Vyakhyano_004696_HR.pdf View full book textPage 5
________________ પ ષણ પર્વ અને તેના ઉપયેાગ સંસ્કારાના બળથી નાના કે મેટા ભાઈ કે બહેન દરેક પશુસણ આવતાં જ પાત પેાતાની ત્યાગ તપ આદિની શક્તિ અજમાવે છે અને ચામેર જ્યાં રૃખા ત્યાં જૈન પર પરામાં એક ધાર્મિક વાતાવરણ આષાડ મહિનાના વાળાની પેઠે ધેરાઈ આવે છે. આવા વાતાવરણને લીધે અત્યારે પણ આ પર્વના દિવસેામાં નીચેની બાબતે સત્ર નજરે પડે છે. (૧) ધમાલ ઓછી કરીને અને તેટલી નિવૃત્તિ અને પુરસદ મેળવવાના પ્રયત્ન. (ર) ખાનપાન અને ખીજા કેટલાક ભાગા ઉપર આછા વધતા અંકુશ. (૩) શાસ્ત્રશ્રવણુ અને આત્મચિંતનનું વલ. (૪) તપસ્વી અને ત્યાગીઓની તેમ જ સાધર્મિકાની યેાગ્ય પ્રતિપત્તિ-ભક્તિ. (૫) જીવાને અભયદાન આપવાના પ્રયત્ન. (૬) વેર ઝેર વિસારી સહુ સાથે સાચી મૈત્રી સાધવાની ભાવના. એક બાજુ વારસામાં મળતા ઉપરની છ બાબતાના સારા અને બીજી બાજુ દુન્યવી ખટપટની પડેલી કુટેવા એ બે વચ્ચે અથડામણુ ઉભી થાય છે અને પરિણામે આપણે પશુસણુના કલ્યાણસાધક દિવસેામાં પણ ઇચ્છીએ તેવા અને કરી શકીએ તેટલા ઉપરના સુસકારાના ઉપયાગ કરી નથી શકતા અને ધાર્મિક બાબતે સાથે આપણા હંમેશના સમુચિત અને તકરારી કુસસ્કારીને સેળભેળ કરી છે દરેક બાબતમાં ખટપટ, પક્ષાપક્ષી, તાણખેંચ, હુંસાતુસી, અને વાંધા વચકાના પ્રસંગેા ઉભા કરીએ છીએ અને એકંદરે જીસણ પછી કાંઇક ઉન્નત જીવન બનાવવાને બદલે પાછા જ્યાં હતા ત્યાં જ આવીને ઉભા રહીએ છીએ અને ઘણી વાર તા હતા તે સ્થિતિ કરતાં પણ નીચે પડી કે ઉતરી જઈએ છીએ. એટલે પશુસણુ જેવા ધાર્મિક દિવસેાના ઉપયેામ આપણા આધ્યાત્મિક જીવનના વિકાસમાં તા થતા જ નથી પુણ્ સામાજિક અને રાષ્ટ્રીય જીવનમાં પણ આપણે તેના કશા જ ઉપયાગ કરી શકતા નથી. આપણી સર્વ સાધારણની ભૂમિકા વ્યાવહારિક છે. આપણે ગૃહસ્થ હાઈ બધું જ જીવન બહિર્મુખ ગાળીએ છીએ. એટલે આધ્યાત્મિક જીવનના તા સ્પર્શ કરવા લગભગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9