Book Title: Paryushan Parv ane Teno Upayog
Author(s): Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Z_Paryushan_Parva_na_Vyakhyano_004696_HR.pdf
Catalog link: https://jainqq.org/explore/249637/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ પર્યુષણ પર્વ અને તેને ઉપયોગ. પવની ઉત્પત્તિ-તહેવારે અનેક કારણોથી ઉભા થાય છે. ઘણી વાર એવું પણ બને છે કે અમુક એક ખાસ કારણથી તહેવાર શરૂ થયેલ હોય છે અને પછી તેની પુષ્ટિ અને પ્રચાર વખતે બીજ કારણે પણ તેની સાથે આવી મળે છે. જુદા જુદા તહેવારના જુદાં જુદાં કારણે ગમે તે હો છતાં તે બધાની સામાન્ય બે કારણે તે હેય જ છે. એક ભક્તિ અને બીજું આનંદ. કોઈ પણ તહેવારની પાછળ અથવા તેની સાથે અંધ અગર દેખતી ભક્તિ હોય જ છે. ભક્તિ વિના તહેવાર નભી શકતો જ નથી, કારણ કે તેના નભાવ અને પ્રચારને આધાર જનસમુદાય હોય છે, એટલે જ્યાં સુધી તે તહેવાર પર તેની ભક્તિ હોય ત્યાં સુધી જ તે ચાલે. આનંદ વિના તે લેકે કઈ પણ તહેવારોમાં રસ લઈ જ ન શકે. ખાવું પીવું, હળવું મળવું, ગાવું બજાવવું, લેવું–દેવું, નાચવું કૂદવું, પહેરવું ઓઢવું, ઠાઠમાઠ અને ભપકા કરવા વગેરેની ઓછી વધતી ગોઠવણ વિનાને કોઈ પણ સાત્વિક કે તામસિક તહેવાર દુનિયાના પડ ઉપર નહિ જ મળે. - તહેવારના સ્વરૂપ અને તેની પાછળની ભાવના જોતાં આપણે ઉત્પત્તિના કારણું પરત્વે તહેવારને મુખ્યપણે બે ભાગમાં વહેંચી શકીએ છીએ. ૧ લૌકિક, ૨ લોકેત્તર. અથવા આસુરી અને દૈવી, જે તહેવારે ભય, લાલચ. અને વિસ્મય જેવા શુદ્ધ ભાવમાંથી જન્મેલા હોય છે તે સાધારણ ભૂમિકાના લેકને લાયક હોવાથી લૈકિક અગર આસુરી કહી શકાય. તેમાં જીવન શુદ્ધિનો કે જીવનની મહત્તાને ભાવ નથી હોતો, પણ પામર વૃત્તિઓ અને શુદ્ર ભાવનાઓ તેની પાછળ હોય છે. જે તહેવાર છવનશુદ્ધિની ભાવનામાંથી Page #2 -------------------------------------------------------------------------- ________________ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને જન્મેલા હોય અને જીવનશુદ્ધિ માટે જ પ્રચારમાં આવ્યા હોય તે તહેવારે ઉચ્ચ ભૂમિકાના લેકોને લાયક હોવાથી લોકોત્તર અગર દેવી કહી શકાય. પહાડો અને જંગલમાં વસતી ભીલ, સંથાલ, કાળી જેવી જાતોમાં અગર તો શહેર અને ગામડામાં વસતી છારા, વાઘરી જેવી જાતોમાં અને ઘણી વાર તો ઉચ્ચ વર્ણની મનાતી બીજી બધી જ જાતોમાં આપણે જઈને તેમના તહેવાર જોઈએ તો તરત જ જણાશે કે એમના તહેવારો ભય, લાલચ અને અદ્દભુતતાની ભાવનામાંથી જન્મેલા છે. તે તહેવારે અર્થ અને કામપુરૂષાર્થની જ પુષ્ટિ માટે ચાલતા હોય છે. નાગપંચમી, શીતળાસાતમ, ગણેશચતુર્થી, દુર્ગા અને કાળીપૂજક એ મેલડી અને માતાની પૂજાની પેઠે ભયમુક્તિની ભાવનામાંથી જન્મેલા છે. મેળાકત, મંગળાગૌરી, જયેષ્ટાગૌરી, લક્ષ્મીપૂજા વગેરે તહેવારે લાલચ અને કામની ભાવનામાંથી જન્મેલા છે, અને એના ઉપર જ એ ચાલે છે. સૂર્યપૂજા, સમુદ્રપૂજા અને ચંદ્રપૂજા વગેરે સાથે સંબંધ ધરાવનારા તહેવારો વિસ્મયની ભાવનામાંથી જનમેલા છે. સૂર્યનું અપાર ઝળહળતું તેજ અને સમુદ્રનાં અપાર ઉછળતાં મોજાં જોઈ માણસ પહેલવહેલો તે આભો જ બની ગયો હશે અને એ વિસ્મયમાંથી એની પૂજાના ઉત્સવો શરૂ થયા હશે. આવા અર્થ અને કામના પોષક તહેવારે સર્વત્ર પ્રચલિત હોવા છતાં વેધક દષ્ટિવાળા ગણ્યા ગાંઠયા થોડાક માણસો દ્વારા બીજી જાતના પણ તહેવારો પ્રચલિત થએલા આપણે જોઈ શકીએ છીએ. યાહુદી, ક્રિશ્ચીયન અને જરથોસ્તી ધર્મની અંદર જીવનશુદ્ધિની ભાવનામાંથી જાએલા કેટલાક તહેવારે ચાલે છે. ઈસ્લામ ધર્મમાં ખાસ કરી રમઝાન મહિને આખો જીવનશુદ્ધિની દષ્ટિએ જ તહેવારરૂપે ગોઠવાએલો છે. એમાં મુસલમાનો માત્ર ઉપવાસ કરીને જ સંતોષ પકડે એટલું બસ નથી ગણાતું પણ તે ઉપરાંત સંયમ કેળવવા માટે બીજા Page #3 -------------------------------------------------------------------------- ________________ પર્યુષણ પર્વ અને તેને ઉપયોગ ઘણું પવિત્ર ફરમાન કરવામાં આવ્યાં છે. બ્રહ્મચર્ય પાળવું, સાચું લવું, ઉંચ નીચ કે નાના મોટાને ભેદ છેડી દે, આવકના ૨ ટકા સેવા કરનાર નીચલા વર્ગને અને ૧૦ ટકા સંસ્થાઓ તેમ જ ફકીરોના નભાવમાં ખરચવા, વગેરે જે વિધાને ઇસ્લામ ધર્મમાં છે તે રમઝાન મહિનાની પવિત્રતા સૂચવવા માટે બસ છે. બ્રાહ્મણ ધર્મના તહેવારો એમની વર્ણવ્યવસ્થા પ્રમાણે બહુવર્ણ છે એટલે તેમાં બધી જ ભાવનાઓવાળા બધી જ જાતના તહેવારનું લક્ષણ મિશ્રિત થયેલું નજરે પડે છે. બૈદ્ધ તહેવારે લેકકલ્યાણની અને -ત્યાગની ભાવનામાંથી જન્મેલા છે ખરા ? પણ જૈન તહેવાર સિાથી જુદા પડે છે અને તે જુદાઈ એ છે કે જેનોને એક પણ નાનો કે મોટો તહેવાર એવો નથી કે જે અર્થ અને કામની ભાવનામાંથી અથવા તો ભય, લાલચ, અને વિસ્મયની ભાવનામાંથી ઉત્પન્ન થયો હાય, અગર તે તેમાં પાછળથી સેળભેળ થયેલી એવી ભાવનાનું શાસ્ત્રથી સમર્થન કરવામાં આવતું હોય, નિમિત્ત તીર્થકરોના કોઈપણ કલ્યાણનું હોય અગર બીજું કાંઈ હોય પણ એ નિમિત્તે ચાલતા પર્વ કે તહેવારને ઉદ્દેશ માત્ર જ્ઞાન અને ચારિત્રની શુદ્ધિ તેમ જ પુષ્ટિ કરવાને જ રાખવામાં આવેલા છે. એક દિવસના કે એકથી વધારે દિવસના લાંબા એ બને તહેવારે પાછળ જેન પરંપરામાં માત્ર એ એક જ ઉદ્દેશ રાખવામાં આવ્યો છે. લાંબા તહેવારમાં ખાસ છ અઠ્ઠાઈઓ આવે છે, તેમાં પણ પર્યુષણની અઠ્ઠાઈ એ સિથી શ્રેષ્ઠ ગણાય છે. તેનું મુખ્ય કારણ તેમાં સાંવત્સરિક પર્વ આવે છે એ છે. સાંવત્સરિક એ જેનેનું વધારેમાં વધારે આદરણીય પર્વ છે. એનું કારણ એ છે કે જૈન ધર્મની મૂળ ભાવના જ એ પર્વમાં ઓતપ્રોત થયેલી છે. જેને એટલે જીવનશુદ્ધિનો ઉમેદવાર. સાંવત્સરિક પર્વને દિવસે જીવનમાં એકત્ર થયેલ મેલ બહાર કાઢવાનું અને ફરી તેવા મેલથી બચવાને નિર્ધાર કરવામાં આવે છે. એ પર્વને દિવસે બધા નાના મોટા સાથે તાદામ્ય Page #4 -------------------------------------------------------------------------- ________________ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને સાધવાનું અને જેના જેનાથી અંતર વિખૂટું પડયું હોય તેની તેની સાથે અંતર સાંધવાનું અર્થાત્ દીલ ચેખું કરવાનું ફરમાન છે. જીવનમાંથી મેલ કાઢવાની ઘડી એ જ તેની સર્વોત્તમ ધન્ય ઘડી છે અને એવી ઘડી મેળવવા જે દિવસ યોજાયો હોય તે દિવસ સૈથી વધારે શ્રદ્ધેય લેખાય તેમાં નવાઈ નથી. સાંવત્સરિક પર્વને કેંદ્રભૂત માની તેની સાથે બીજા સાત દિવસો ગોઠવવામાં આવ્યા છે. અને એ આઠે દિવસ આજે પજુસણ કહેવાય છે. શ્વેતાંબરના બન્ને ફિરકાઓમાં એ અઠવાડિયું પજુસણ તરીકે જ જાણીતું છે અને સામાન્ય રીતે બનેમાં એ અઠવાડિયું એક સાથે જ શરૂ થાય છે અને પુરું થાય છે. પણ દિગંબર સંપ્રદાયમાં આઠને બદલે દશા દિવસે માનવામાં આવે છે અને પજુસણને બદલે એને દક્ષલક્ષણ કહેવામાં આવે છે. તથા એનો સમય પણ વેતાંબર પરંપરા કરતાં જુદો છે. વેતાંબરોના પજુસણ પૂર્ણ થયાં કે બીજા દિવસથી જ દિગંબરની દશલક્ષણ શરૂ થાય છે. જૈન ધર્મના પાયામાં ત્યાગ અને તપની ભાવના મુખ્ય હોવાથી એમાં ત્યાગી સાધુઓનું પદ મુખ્ય છે. અને તેથી જ જૈન ધર્મના તમામ પર્વેમાં સાધુપદને સંબંધ મુખ્ય ભાગ ભજવે છે, સાંવત્સરિક પર્વ એટલે ત્યાગી સાધુઓને વર્ષાવાસ નક્કી કરવાનો દિવસ, અને અંતર્મુખ થઈ જીવનમાં ડોકિયું મારી તેમાંથી મેલ ફેંકી દેવાના અને તેની શુદ્ધિ સાચવવાના નિર્ધારનો દિવસ. આ દિવસનું મહત્વ જેઈ ઋતુની અનુકૂળતા પ્રમાણે તેની સાથે ગોઠવાએલા બીજા દિવસે પણ તેટલું જ મહત્ત્વ ભોગવે છે, અને આઠે દિવસ લેકે જેમ બને તેમ ધધધાપો ઓછો કરવાને, ત્યાગ તપ વધારવાને, જ્ઞાન ઉદારતા આદિ સદ્દગુણો પોષવાને અને ઐહિક, પારલૌકિક કલ્યાણ થાય એવાં જ કામ કરવાને પ્રયત્ન કરે છે. દરેક જેનને વારસામાંથી જ પર્યુષણના એવા સંસ્કાર મળે છે કે તે દિવસે મા પ્રપંચથી નિવૃત્તિ મેળવી બને તેટલું વધારે સારું કામ કરવું. આ Page #5 -------------------------------------------------------------------------- ________________ પ ષણ પર્વ અને તેના ઉપયેાગ સંસ્કારાના બળથી નાના કે મેટા ભાઈ કે બહેન દરેક પશુસણ આવતાં જ પાત પેાતાની ત્યાગ તપ આદિની શક્તિ અજમાવે છે અને ચામેર જ્યાં રૃખા ત્યાં જૈન પર પરામાં એક ધાર્મિક વાતાવરણ આષાડ મહિનાના વાળાની પેઠે ધેરાઈ આવે છે. આવા વાતાવરણને લીધે અત્યારે પણ આ પર્વના દિવસેામાં નીચેની બાબતે સત્ર નજરે પડે છે. (૧) ધમાલ ઓછી કરીને અને તેટલી નિવૃત્તિ અને પુરસદ મેળવવાના પ્રયત્ન. (ર) ખાનપાન અને ખીજા કેટલાક ભાગા ઉપર આછા વધતા અંકુશ. (૩) શાસ્ત્રશ્રવણુ અને આત્મચિંતનનું વલ. (૪) તપસ્વી અને ત્યાગીઓની તેમ જ સાધર્મિકાની યેાગ્ય પ્રતિપત્તિ-ભક્તિ. (૫) જીવાને અભયદાન આપવાના પ્રયત્ન. (૬) વેર ઝેર વિસારી સહુ સાથે સાચી મૈત્રી સાધવાની ભાવના. એક બાજુ વારસામાં મળતા ઉપરની છ બાબતાના સારા અને બીજી બાજુ દુન્યવી ખટપટની પડેલી કુટેવા એ બે વચ્ચે અથડામણુ ઉભી થાય છે અને પરિણામે આપણે પશુસણુના કલ્યાણસાધક દિવસેામાં પણ ઇચ્છીએ તેવા અને કરી શકીએ તેટલા ઉપરના સુસકારાના ઉપયાગ કરી નથી શકતા અને ધાર્મિક બાબતે સાથે આપણા હંમેશના સમુચિત અને તકરારી કુસસ્કારીને સેળભેળ કરી છે દરેક બાબતમાં ખટપટ, પક્ષાપક્ષી, તાણખેંચ, હુંસાતુસી, અને વાંધા વચકાના પ્રસંગેા ઉભા કરીએ છીએ અને એકંદરે જીસણ પછી કાંઇક ઉન્નત જીવન બનાવવાને બદલે પાછા જ્યાં હતા ત્યાં જ આવીને ઉભા રહીએ છીએ અને ઘણી વાર તા હતા તે સ્થિતિ કરતાં પણ નીચે પડી કે ઉતરી જઈએ છીએ. એટલે પશુસણુ જેવા ધાર્મિક દિવસેાના ઉપયેામ આપણા આધ્યાત્મિક જીવનના વિકાસમાં તા થતા જ નથી પુણ્ સામાજિક અને રાષ્ટ્રીય જીવનમાં પણ આપણે તેના કશા જ ઉપયાગ કરી શકતા નથી. આપણી સર્વ સાધારણની ભૂમિકા વ્યાવહારિક છે. આપણે ગૃહસ્થ હાઈ બધું જ જીવન બહિર્મુખ ગાળીએ છીએ. એટલે આધ્યાત્મિક જીવનના તા સ્પર્શ કરવા લગભગ Page #6 -------------------------------------------------------------------------- ________________ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો અશક્ત નીવડીએ છીએ. પણ જે જાતના જીવનને વિકાસ આપણે ઇચ્છીએ છીએ અને આપણાથી સાધવો શક્ય છે તે જાતના એટલે સામાજિક અને રાષ્ટ્રીય જીવનને આપણે તુચ્છ અને ઓછી કીમતનું માની લીધું છે અને આપણે એમ લાયકાત વિના જ મહેડ કહ્યા કરીએ છીએ કે જીવન તો આધ્યાત્મિક જ ખરું છે. આવી લાયકાત વિનાની સમજથી આપણુમાં નથી થતું આધ્યાત્મિક જીવનને વિકાસ અને નથી સુધરતું સામાજિક કે રાષ્ટ્રીય જીવન. તેથી આપણે આપણા ધાર્મિક સુંદર વારસાનો ઉપયોગ એવી રીતે કરવું જોઈએ કે જેથી આપણું સામાજિક અને રાષ્ટ્રીય જીવન સુધરે અને આંતરિક લાયકાત હોય તો આધ્યાત્મિક જીવન ઉપર પણ તેની સારી અસર થાય. આ જાતને પજુસણના દિવસેને ઉપયોગ કરવા માટે બે વસ્તુની મુખ્ય જરૂર છે. (૧) એક તે એ કે જેન ધર્મે પોતાનાં વિશિષ્ટ વારસા તરીકે કયાં કયાં તો આપણને આપ્યાં છે અને તેને સામાજિક તેમ જ રાષ્ટ્રીય કલ્યાણની દૃષ્ટિએ ઉપયોગ કેવી રીતે કરી શકાય એ જ્ઞાન મેળવવું અને (૨) બીજું એ કે આપણે પજુસણની નિવૃત્તિનો ઉપયોગ એવી દિશામાં કરવો કે જેથી આપણું ઉપરાંત આપણું પડેશી ભાઈઓને અને દેશવાસીઓને ફાયદો થાય અને આપણું સામાજિક જીવનની લંકામાં તથા રાજ્યમાં પ્રતિષ્ઠા બંધાય. આપણે હસતે મોડે સૌની મોખરે ઉભા રહી શકીએ અને આપણુ ઘર્મની સરસાઈ માટે અભિમાન લઈ શકીએ. આ કારણથી અમે પજુસણને ઉપયોગ કરવાની રીત બદલી છે. આપણુમાં મુખ્ય બે વર્ગો છે. એક વર્ગ એવો છે કે તેને નવું શું, જૂનું શું, મૂળ તત્ત્વ શું વગેરેને કશે જ વિચાર નથી તેને જે ચીલે મળ્યો છે તે જ તેનું સર્વસ્વ છે. એ ચીલા બહાર નજર કરવા અને પોતાની રીત કરતાં બીજી રીત જોવામાં પણ તેને બહુ દુઃખ થાય છે. જગત તરફ આંખ ઉઘાડવામાં પણ તેને ગુન્હો થતો હોય તેમ લાગે છે. તેને પોતાના સિવાયની બીજી કોઈ પણ ઢબ, બીજી Page #7 -------------------------------------------------------------------------- ________________ પર્યુષણ પર્વ અને તેને ઉપયોગ કોઈ પણ ભાષા, અને બીજે કઈ પણ વિચાર અસહ્ય લાગે છે. અને બીજો વર્ગ એવો છે કે તેને જે સામે આવે તે જ સારું લાગે છે. પિતાનું નવું સર્જન કાંઈ હોતું નથી, પિતાનો વિચાર હતો નથી, તેને પિતાનાં સ્થિર થે પણ કાંઈ હોતાં નથી માત્ર જે તરફ લકે ઝુકતા હોય તે તરફ તે વર્ગ ઝુકે છે. પરિણામે સમાજના અને વર્ગોથી આપણું ધર્મના વિશિષ્ટ તને વ્યાપક અને સારો ઉપયોગ થઈ શકતો જ નથી. તેથી જરૂરનું એ છે કે કેમાં જ્ઞાન અને ઉદારતા ઉતરે એવી કેળવણું આપવી. આ કારણથી પરંપરામાં ચાલ્યું આવતું કલ્પસૂત્રનું વાચન ન રાખતાં અમે કેટલાક ખાસ વિષય ઉપર ચર્ચા કરવાનું ગ્ય ધાર્યું છે. એ વિષય એવા છે કે જે જેનધર્મના કહે કે ( સર્વ ધર્મના ) પ્રાણભૂત છે. અને એની ચર્ચા એવી દષ્ટિએ કરવા ધારી છે કે જેથી એ તોનો ઉપયોગ બધી દિશામાં બધા અધિકારીઓ કરી શકે. જેને જેમાં રસ હોય છે, તેમાં તત્વથી ફાયદો ઉઠાવી શકે. આધ્યાત્મિકપણું કાયમ રાખી સામાજિક અને રાષ્ટ્રીય કલ્યાણ સાધી શકાય. ' નવી પરંપરાથી ડરવાને કશું જ કારણ નથી. અત્યારની ચાલુ પરંપરાઓ પણ કાંઈ શાશ્વત નથી. જે રીતે અને જે જાતનું કલ્પસૂત્ર અત્યારે વંચાય છે તે પણ અમુક વખતે અને અમુક સંયોગમાં જ શરૂ થયેલું. લગભગ દોઢ હજાર વર્ષ પહેલાં તો આવી જાહેર સભામાં અને જાહેર રીતે કલ્પસૂત્ર વંચાતુ જ નહતું. એ ફક્ત સાધુસભામાં જ અને તે પણ ફક્ત અમુક કેટિના સાધુને મોઢેથી જ વંચાતું. પહેલાં તો તે રાતે જ વંચાતુ અને દિવસે વંચાય ત્યારે અમુક સંગોમાં સાધુ સાધ્વીઓ ભાગ લઈ શકતા. વળી આનંદપુર નગરમાં ધ્રુવસેન રાજાના સમયમાં કલ્પસૂત્રને ચતુર્વિધ સંઘ સમક્ષ વાંચવાની તક ઉભી થઈ. એમ થવાનું પ્રાસંગિક કારણ એ રાજાના પુત્ર-શોકના નિવારણનું હતું પણ ખરું કારણ તો એ હતું કે તે વખતે Page #8 -------------------------------------------------------------------------- ________________ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને જ્યાં ત્યાં ચેમાસામાં બ્રાહ્મણ સંપ્રદાયમાં મહાભારત, રામાયણુ અને ભાગવત જેવાં શાસ્ત્રો વાંચવાની ભારે પ્રથા હતી. લેાકા એ તરફ્ ખુબ ઝુકતા. બૌદ્ધ સંપ્રદાયમાં પણ જિનચરિત અને વિનયના ગ્રંથા વંચાતા જેમાં બુદ્ધ ભગવાનનું જીવન અને ભિ′એના આચાર આવતા. આ કારણથી લેાકવર્ગીમાં મહાન પુરુષોનાં જીવન ચરિત્ર સાંભળવાની અને ત્યાગીઓના આચાર જાણવાની ઉત્કટ રુચિ જાગી હતી. એ રુચિને તૃપ્ત કરવા ખાતર યુદ્ધિશાળી જૈન આચાર્યાએ ધ્રુવસેન જેવા રાજાની તક લઈ કલ્પસૂત્રને જાહેર વાચન તરીકે પસદ કર્યું. એમાં જે પહેલું જીવન ચરિત્ર ન હતું તે ઉમેર્યું અને માત્ર સામાચારીનેા ભાંગ જે સાધુ સમક્ષ જ વંચાતા હતા તે ભાગને ગાણુ કરી શરૂઆતમાં ભગવાન મહાવીરનું ચરિત દાખલ કર્યું; અને સર્વ સાધારણને તે વખતની રુચિ પ્રમાણે પસંદ આવે એ ઢમે અને એવી ભાષામાં તે ગાડયું. વળી જ્યારે લેાકેામાં વધારે વિસ્તાર પૂર્ણાંક સાંભળવાની રુચિ જન્મી, કલ્પસૂત્રની લેાકેામાં ભારે પ્રતિષ્ઠા જામી, અને પશુસણુમાં તેનું જાહેર વાચન નિયમિત થઇ ગયું ત્યારે વખતના વ્હેણુ સાથે સયેાગા પ્રમાણે આચાર્યોંએ ટીકાઓ રચી. એ પ્રાકૃત અને સંસ્કૃત ટીકા પણ વંચાવા લાગી. ૧૭ મા સૈકા સુધીમાં રચાયેલી અને તે વખતના વિચારાના પડધા પાડતી ટીકા પ્ એક અતિ જૂના ગ્રંચ તરીકે વંચાવા અને સભળાવા લાગી. છેવટે ગૂજરાતી અને હિન્દી ભાષામાં પણ એ બધું ઉતર્યું અને આજે જ્યાં ત્યાં વંચાય છે. આ બધું જ સારૂં છે અને તે એટલા કારણસર કે તે લેાકેાની ભાવના પ્રમાણે ખાતું રહ્યું છે. કલ્પસૂત્ર અક્ષરશઃ ભગવાન મહાવીરથી જ ચાલ્યું આવે છે. અને એમના વખતની જ રીતે આજે પણ વંચાય છે એમ માની લેવાની કાઈ ભુલ ન કરે, લેશ્રદ્ધા, લેાકરુચિ અને ઉપયેાગિતાની દૃષ્ટિએ જે ફેરફારા થાય છે તે જો બુદ્ધિપૂર્વક કરવામાં આવે તેા લાભદાયક જ નીવડે છે. Page #9 -------------------------------------------------------------------------- ________________ પર્યુષણ પર્વ અને તેને ઉપયોગ કલ્પસૂત્ર અને તેના વાચનની જે રીતે અત્યારે ચાલે છે તેમાં બધા જ કે રસ લઈ શકે તેમ નથી, તેનાં કારણે આ પ્રમાણે છે:-(૧) વાચન અને શ્રવણમાં એટલે બધે વખત આપવો પડે છે કે માણસ કંટાળી જાય અને શ્રદ્ધાને લીધે બેસી રહે તે પણ વિચાર માટે તો લગભગ અશક્ત બની જાય. (2) નક્કી થયેલ ઢબ પ્રમાણે શબ્દો અને અર્થો ઉચ્ચારાતા અને કરાતા હોવાથી તેમજ ઠરાવેલ વખતમાં ઠરાવેલ ભાગ પુરો કરવાનું હોવાથી બેલનાર કે સાંભળનાર માટે બીજી ચર્ચા અને બીજી દષ્ટિના અવકાશનો અભાવ. (3) એ વાચન વખતે વર્તમાન સમાજની અને દેશની દશા તરફ ઉદાર દૃષ્ટિએ જોવાના વલણનો અભાવ અને તેથી સમાજ અને રાષ્ટ્રમાં ઉપયોગી થઈ શકે એવી કલ્પસૂત્રમાંથી હકીકત તારવી લેવાની ખટ. (4) શ્રદ્ધા, ભક્તિ અને ચાલુ રૂઢિ ઉપર એટલું બધું દબાણ થાય છે કે જેને લીધે બુદ્ધિ, તક અને સ્વતંત્ર જિજ્ઞાસા તદ્દન બુઠાં જ થઈ જાય. (5) ચાલુ પરિસ્થિતિ વિશેનું છેક જ અજ્ઞાન અથવા તેની ગેરસમજ અને તે તરફ આંખમીંચામણુ અને ભૂતકાળની એકમાત્ર મૃત હકીકતને સજીવન કરવાને એક તરફી પ્રયત્ન. - આ અને આના જેવા બીજા કારણોને લીધે આપણું પજુસણનું કલ્પસૂત્રવાચન નીસ જેવું થઈ ગયું છે, તેને ઉદ્ધાર કરવાની જરૂર છે. તે બહુ સારી રીતે થઈ શકે એવાં તો આપણી પાસે છે એ જ વસ્તુ ધ્યાનમાં રાખી આ વખતે અમે અમારી દૃષ્ટિ પ્રમાણે ફેરફાર જાહેર રીતે શરૂ કર્યો છે. તા. 20-8-30 સુખલાલ