________________
( ૩ ) શ્રી આનંદઘનજી મહારાજ ફરમાવે છે કે–આ વિશ્વમાં સૂત્રોમાં ફરમાવ્યા પ્રમાણે ઉપદેશ કરવા સિવાય બીજે કઈ ઉત્તમ ધર્મ નથી. સૂત્ર એ દીવાદાંડી સદશ છે. જેમ દીવાદાંડી સમુદ્રમાં અટવાયેલા જહાજને કિનારા પર લાવવામાં સહાયક બને છે તેવી રીતે આગમશાસ્ત્રો જીવન–નૌકાને ભવ–સમુદ્રમાંથી તીરે ખેંચી લાવવા સમર્થ બને છે; એટલે કે જે ભવ્ય પ્રાણીઓ તીર્થકર ભગવંતોએ ઉપદેશેલ અને ગણધર મહારાએ ગૂંથેલા સૂત્રે પ્રમાણે ક્રિયા કરે છે અને ખરેખરું ચારિત્ર પાળે છે તે જ ખરેખરા સંયમવંત છે–તેને જ મેક્ષમાર્ગના સાચા પથિક જાણવા.
નાગપુરી તપાગચ્છીય શ્રી રત્નશેખરસૂરિજી “સંબોધસત્તરી ”ની પાંત્રીશમી ગાથામાં જણાવે છે કે
आगमं आयरंतेणं, अत्तणो हियकंखियो । तित्थनाहो गुरु धम्मा, सव्वे ते बहुमनिया ॥
આત્મ-કલ્યાણથી પુરુષે આગમના રહસ્યનું આચરણ કરવાપૂર્વક તીર્થકર શ્રી અરિહંત ભગવંત, સદ્દગુરુ અને કેવળી–ભાષિત ધર્મ એ સર્વનું અત્યંત આદરપૂર્વક બહુમાન કરવું, તેને અંગીકાર કર.
અત્યંત વિષમ એવા આ દુષમકાળમાં-કલિકાળમાં શ્રી જિનાગમે જ પરમાલંબનભૂત છે. જિનાગમ ન હતા તે અનાથ એવા આપણી શી દશા થાત? માટે પરમ પુણ્યદયે પ્રાપ્ત થયેલ પંચાંગીને માન્ય રાખી શાસ્ત્રવિહિત આચરણ કરવું એ જ ભવભીરુ પ્રાણી માટે ઉચિત છે.
આ જ હકીકત કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યે સ્વરચિત શ્રી વીતરાગ તેત્રના આગણુશમાં પ્રકાશમાં સ્પષ્ટરૂપે
કરવું અતિ પછી દિશા છે. જિનાએ કલિકાળા