________________ ( 3 ). જણાવી છે. આ હકીકત પરથી આ વસ્તુની ગહનતા અને મહત્તા સમજાશે. તેઓશ્રી કહે છે કે वीतराग! सपर्यातस्तवाज्ञापालनं परम् / વાણssaહ્ના રિદ્ધા 2, શિવાય 2 મવાય જ અથ–હે વીતરાગ! આપની સેવા કરવા કરતાં આજ્ઞાનું પાલન કરવું તે ભાવસ્તવરૂપ હોવાથી ઉત્કૃષ્ટ ફળ આપનાર છે; કેમકે આજ્ઞાનું આરાધન મોક્ષને માટે થાય છે અને આપની આજ્ઞાની વિરાધના સંસાર–ભ્રમણને માટે થાય છે. - અંતમાં પૂ. ઉપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજના ટંકશાળી વચન ઉદ્ધરીને વિરમશકલહકારી કદાગ્રહભર્યા, થાપતાં આપણું બેલ રે; જિનવચન અન્યથા દાખવે. આજ તો વાજતે ઢેલ રે, - સ્વામી સીમંધરા વિનતિ ઉપસંહાર આ પર્વતિથિપ્રશ્નોત્તરવિચારની લઘુ પુસ્તિકામાં આપેલ સૂત્ર અને ગ્રંથના પ્રમાણોથી વાચકે સમજી શક્યા હશે કે આરાધ્ય તિથિઓની ક્ષય કે વૃદ્ધિ મનાતી નથી તેથી ચંડચંડુ પંચાંગમાં પર્વતિથિની ક્ષય કે વૃદ્ધિ હોય ત્યારે અપર્વતિથિની ક્ષય કે વૃદ્ધિ કરાય છે અને અમાવાસ્યા કે પૂર્ણિમાની ક્ષય કે વૃદ્ધિ હોય ત્યારે તેના બદલે તેરશની ક્ષયવૃદ્ધિ થાય છે, તેમજ ટિપ્પણમાં ભાદરવા સુદ પંચમી બે હોય ત્યારે કાલિકસૂરીશ્વરજી મહારાજની આચરણ મુજબ આરાધ્ય પંચમીથી એક દિવસ પહેલા એટલે બીજી એથે સાંવત્સરિક પર્વ થાય છે. સૂર્ય વિક્તા છે.