Book Title: Parv Mahima
Author(s): Santbal
Publisher: Hemchandracharya Jain Gyanmandir Patan

View full book text
Previous | Next

Page 87
________________ વરાહ અવતારાની પાછળ એક ઊંડું રહસ્ય એ છે કે, એમાંથી પ્રાણીમાત્રના ક્રમિક વિકાસના સુરેખ ખ્યાલ આવી રહે છે. અને સાથેસાથે જુદાજુદા યુગોમાં સમગ્ર માનવજાતિને સ્પતી સાધના કેવી રીતે વિકાસ પામી તેને પણ ખ્યાલ આવી રહે છે. વરાહાવતારમાં ઈશ્વરને ભૂંડરૂપધારી કલ્પવામાં આવ્યા છે, એમ કહેવાતે બદલે ભૂડમાં રહેલે ઈશ્વર પૃથ્વી પર રહેલાં પાતાનાં ભાંડુને પ્રલયના સપાટામાંથી બચાવી લે છે, એ કલ્પના આત્માના ગુણાને ભૂયાનિ પણ અટકાવી શકતી નથી એની પ્રતીતિ આપે છે. જૈન ત્રામાં દેડકા જેવું પ્રાણી પણ સમકિતી (સમત્વ યુક્ત જ્ઞાની) હોય શકે છે. અને રામાયણમાં ગીધ જેવું પ્રાણી અન્યાયના સામને કરવા માટે રાવણ જેવા સમ રાક્ષસ સામે ઝઝૂમી શકે. આ બધુ વિકાસ પામેલા માનવ માટે આદશ રૂપ અને પ્રેરણારૂપ છે. ૬ શા વ તા ૨ વામન અલિરાજા પાસે વામન-માનવીરૂપે જઈ ત્રણ ડગલાં ધરતીમાં તે। આખું વિશ્વ માપી લેનાર એ અવતારી પુરુષ જગતને શું કહેવા ઈચ્છતા હતા ? પૃથ્વી નાની છે, અને પગ મોટા છે. અથવા વામન શરીરમાં પણ જે અનંત શક્તિ પ્રગટ થઈ શકે છે તે, અથવા શું ટેક એ માથા સાટે છે; એવું એવું ઘણું એમાંથી તારવી શકાય છે. Jain Educationa International દશ અવતારામાં ઉત્તરાત્તર ઘણાં રહસ્યા ભરેલાં જણાય છે. અવતારી પુરુષો યુગેયુગે પેદા થાય છે તેને બદલે ક્ષણે ક્ષણે પેદા થાય છે. પરંતુ જડતાના અંધારામાં અટવાતી માનવજાત યુગ પછી એને નિહાળી શકે છે, એમ માનવું વધારે ઉચિત છે. For Personal and Private Use Only. www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98