Book Title: Parmatma Bhakti Prakash
Author(s): Khumchand Ratanchand Joraji
Publisher: Khumchand Ratanchand Joraji
View full book text
________________
શાસન પ્રભાવક બનનાર કાંતિભાઈએ મેવાડમાં માવડી સ્ટેશન પાસે ગોધૂમક્ષેત્રમાં પં. વિજ્ઞાનવિજયજી મ. ના વરદ હસ્તે ભાગવતી પ્રવજ્યા ગ્રહણ કરી તેઓશ્રીના શિષ્ય બન્યા. સંયમદાતા ગુરૂદેવે પિતાના અભિનવ શિષ્યને મુની શ્રી કસ્તુર વિજયજીના પુનિત નામે સ્થાપિત કર્યા.
સાધનામય જીવન : ૧૯ વર્ષની ભર યુવાનીમાં સંયમ ગ્રહણ કરી સંયમદાતા ગુરૂદેવની નિશ્રામાં ભક્તિ અને સ્વાધ્યાયની તમન્ના સાથે નિષ્ઠાપૂર્વકની ગુરૂચરણ સેવાનું મધુર ફલ પામી અને પિતાના ક્ષયોપશમના કારણે પ્રાકૃત વિજ્ઞાન પાઠમાલા પાઈઅવિનાણ કહા ભા. ૧-૨ સિરીચંદરાય ચરિયવિ જેવા ગ્રંથની રચના કરી શકથા. આવા પ્રકારના શિષ્યની પાત્રતા, ગંભીરતા, ભદ્રિકતા વિ. ગુણેનું દર્શન થતાં યુગ પ્રધાન કલ્પ શાસન સમ્રાટુ શ્રીએ આચાર્યપદ પર આરૂઢ કર્યા.
ગુરૂદેવે પાસેથી પ્રાપ્ત કરેલ ગુણને ભંડાર પિતાના શિષ્ય પ્રશિષ્યને કે જેઓ ગુરૂદેવના ચરણે સમર્પિત થયા છે. તેઓશ્રીને અર્પણ કરી તૈયાર કરેલ શાસનના રત્ન જિન શાસનને સમર્પિત કર્યા. વૃદ્ધાવસ્થાએ આવી પહોંચેલા હોવા છતાં યુવાનને શરમાવે તેવી પ્રવૃત્તિઓ હળુકમી આત્માને ઘાતક હતી પૂજ્યશ્રી આરાધકની સાથે પ્રભાવક બની અનેક ભવ્ય જીવોના તારક, પ્રવજયા દાતા, ઉપધાન તપ, અંજન શલાકા, પ્રતિષ્ઠા મહોત્સવ વિ. શાસનની પ્રભાવના કરતાં કરતાં પ્રાયઃ શાશ્વત શત્રુંજય ગિરિરાજ ઉપર પર પ્રતીમાઓની પ્રતીષ્ઠા કરાવી ચાતુમસાથે અમદાવાદ પાછા વળતા સ્થંભતીર્થ સંઘના અતિ આગ્રહને વશ થઈ ખંભાત, બોરસદ, પેટલાદ વિ. સ્થળે મહોત્સવ કરતાં સોજીત્રા મુકામે પધાર્યા. ઉ. વ. ૧૩ ના સાંજે એકાએક તબીયત બગડતાં ડેાકટરના ઉપચાર શરૂ થયા.

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 418