________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Lyric
૧૧૧
Lyric
રાગ કવિતાની સહાયતા માગે છે, અર્થાત્ ગાયન- ! કવિતા (Lyrical poetry) ઉત્પન્ન થાય છે, ! એમાં પ્રાધાન્ય રાગનું જ હોય છે. આપણે પછાડી કહ્યું છે કે જ્યારે ભોકતાપણાનું ભાન થવા માંડે છે ત્યારે તે વિષય અને થતી અસર સંબંધી | વિચાર ટુકા વાક્ય રૂપે મનમાં પ્રગટ થાય છે. એવા વાકય તે ગાયનની કવિતા.
૪. સંગીતકાવ્ય નિ ભો.] (૧)કુ. મા. પ્રસ્તાવના, ૧૦: “મહટે અશે આ બધા સંગીતકાવ્ય (સંગીતકાવ્ય=L.) છે. ગોઠવણને કમ-ધ્યાનાત્મકસંગીત (= Meditative I.), રસાત્મક સંગીત (=Pathetic J.), વર્ણનાત્મક કાવ્ય (=Descriptive poem),-એમ કાંઈક છે. (૨) ક. ૧, ૧, ૩૩: હાલમાં થોડા સમય ઉપર . શબ્દ માટે એક નવી સંજ્ઞા રા. બ. ક. ઠાકોરની ટંકશાળમાં ઘડાઈને બહાર પડી છે. “મિંગીત” આ નામ
હને પ્રથમદર્શને આકર્ષક લાગ્યું છે. શબ્દમાં રહેલો અર્થ આ સંજ્ઞામાં સુશ્લિષ્ટરૂપે સમાય છે ! એમ લાગ્યું. પરંતુ વિચાર કરતાં એક બે ઊનતાએ અને ક્ષતિઓ પ્રગટ થઈ; “મિગીત” એ નામમાં “ગીતપણું ગણ રહે છે; બધાં છે. તે ગીત હેાય એમ અવરય નિયમ નથી; વસ્તુતઃ | ગીત (song) અને ]. એ વચ્ચે ભેદ પણ સંભવે છે. વળી, આપણે ]. શબ્દનું લક્ષણ હમણાં થોડીવાર પછી જોઈશું તે પ્રમાણે ઊર્મિ (લાગણી) એ . નું અગ્યભિચારી અંગ નથી. આ કારણથી હું આ નવા શબ્દના આભાસ- | શૈદર્યના મેહમાંથી છૂટીને “સંગીતકાવ્ય' એ શબ્દને જ વળગી રહું છું.
૫. રાગદેવનિકાવ્ય [૨. મ.] ક. સા. ૨૧: રા. નરસિંહરાવે પોતાનાં કાવ્યને “સંગીતકાવ્યો’ એ નામ આપ્યું છે. સંગીતકાગ્ય’ એ એમણે અંગ્રેજી મ. નો અર્થ કર્યો છે, Tyre એટલે વણપરથી થયાથી Lyric શબ્દ સંગીત પરત્વે વપરાય છે ખરો, પણ કવિતાના સંબંધમાં જે અર્થમાં એ શબ્દ વિશેષે વપરાય છે, અને પાચેવની “ગોલ્ડન ટ્રેઝરીમાં અને ૨. નરસિંહરાવની કુસુમમાળામાં એ શબ્દથી જે વિશેષાધાન, જે વિશેષ લક્ષણનું સૂચન થાય છે, તે એકલા સંગીતકાગ્ય’ શબ્દથી બરાબર નથી થઈ રહેતું.
હદયપરની અસરથી પ્રેરાયલી, અંતર્ભાવદર્શક એ અર્થ આ ગ્રંથના લક્ષણમાં વિશેષ ઇચછેલો છે. અસલના વખતમાં કવિઓ પોતાના ભાવ સંગીતમાં કહાડતા, અને ગાયનની પેઠે કવિતા હૃદયમાંથી નિકળી આવે છે એને આભાસ સંગીત શબ્દથી થાય છે તેની અમે ના નથી પાડતા. પણ એ આભાસ ઝાંખે અને તે એ સૂમદષ્ટિએ વિચારવાથી જ થાય છે. “સંગીત” કરતાં આ અર્થ માટે વધારે યોગ્ય શબદ “રાગ’ છે. સંગીતના અર્થની સાથે આ શબ્દ “હૃદયના ભાવ” એ અર્થને પણ વાચક છે. Lyricની માફક કાંઇક અલેષથી અને કાંઇક સ્વભાવથી, વસ્તુસ્થિતિથી “રાગ’ શબ્દમાં “હૃદય પર અસર આટલું ગર્ભિત છે માટે જ તેના બે અર્થ થાય છે. તેથી Lyric શબ્દનો અર્થ “રાગઇવનિકાવ્ય” આ શબ્દથી ઘણી સારી રીતે સમજાશે; રાગનું કે હૃદયભાવનું જ આવિષ્કરણ “રાગ વનિ નામના કાગ્યમાં આવે એ વાત સ્પષ્ટ થશે. વૈયાકરણ પરથી અલંકારિકાએ “વનિ' શબ્દ લીધો છે તેમ એ શબ્દ લેવાથી–અવાઓ રાગ રૂપી સ્ફોટને કંઇક અંશે વિનિ–આ અર્થ યથાયોગ્ય જ થશે . વળી, સંસ્કૃત સાહિત્યમાં ઉત્તમ કાવ્યને “વનિ' નામ આપ્યું છે તેની સાથે વિરોધ ન આવતાં પyricતે પણ ઉત્તમ કાવ્ય કે દવનિકાવ્ય છે એ બતાવવું સહેલું પડશે. આ કારણો માટે “સંગીતકાવ્ય” કરતાં “ગવનિકાવ્ય એ વધારે યોગ્ય પદ છે એમ અમારૂં ધારવું છે.
૬. સંગીતકકાવ્ય [હિ. ગ.]. સંગીતમંજરી, પ્રસ્તાવના, ૬: “સંગીતકલ્પ કાવ્ય-લિરિક-(Lyrics) અને સંગીત(Songs) વિષે ચર્ચા પગભર કરવાના હેતુથી પ્રારંભમાં તે વિષે પ્રદેશદક લખાણ કર્યું છે.
૭. ભાવપ્રધાનકાવ્ય નિહા. દ.] છે. કુ. પ્રસ્તાવનાઃ નાટકો યે જૂદી જુદી જાતનાં છે, ને આ નાટકને પણ અનેક દષ્ઠિ. બિન્દુથી જોઈ શકાય. એક દષ્ટિબિન્દુથી નિરખતાં આ ભાવપ્રધાન નાટક-Lyrical Drama છે. ભાવપ્રધાનકા- lyrics ટૂંકો જ હોય એવું નથી. મેઘદૂત, ગીતગોવિન્દ અને શ્રીમદ્ ભાગવત એ આપણાં મનગમ ને વિશાળ ભાવપ્રધાન કાવ્યો છે. અંગ્રેજોનું લાંબામાં લાંબુ ભાવપ્રધાન કાવ્ય કવિ શેલીનું સુવિખ્યાત
For Private and Personal Use Only