________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-::
-
નવકારના અનાદિ અનંત પ્રભુ (ભગવાન પાંચ પરમેષ્ટિઓ) છે, તેઓ મને લોકમાં (૧) ભાવથી પ્રાપ્ત થાઓ. નવકાર સર્વજિનામોનો સાર છે, સિદ્ધિ બારણું નવકાર લીલાથી ઉઘાડે છે. ૨૬ नवकार लक्खु जो नर गुणइ, नियिसत्तिए पच्छा उज्जमेइ । नवकारपभाविहि सुयपवित्तु, नर बंधइ सिरितित्थयरगोत्तु ।। २७ ।।
લાખ નવકાર જે માણસ ગણે અને પાછળથી તેમાં શક્તિ મુજબ ઉદ્યમ કરે (શક્તિ મુજબ ઉજમણું કરે) છે. નવકારના પ્રભાવે શુચિ પવિત્ર થયેલ તે તીર્થકર નામકર્મ બાંધે. ૨૭ नवकार गुणइ जो अटअट्ठ, पइ दियह तस्स कमट्ठ नट्ठ । नवकार गुण जो अट्ठकोडि, सो दुक्खह जाइ तोडि ।। २८ ।।
જે રોજ આઠ આઠ નવકાર ગણે છે તેનાં આઠ કર્મ નાશ પામે છે. જે આઠ કરોડ નવકાર ગણે છે તે સર્વ દુઃખોને ઓળંગી જાય છે. ૨૮
૧૪
For Private And Personal Use Only