Book Title: Muni Harikesh Acharya Sthulibhadra
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust
View full book text
________________
જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૧-૭
..هههههههه
દેશકાળ ઘણો ફરી ગયો. નંદરાજાનું જડાબીટ નીકળી ગયું. રાજા ચંદ્રગુપ્ત ગાદીએ આવ્યો.
એ વેળા બાર દુકાળી પડી. સાધુઓને ભિક્ષા મળવી મુશ્કેલ થઈ. તેઓ દૂર દૂર દરિયાકિનારે ચાલ્યા ગયા.
લાંબે ગાળે પાછા ફર્યા, ત્યારે ઘણા જ્ઞાની સાધુઓ ગુજરી ગયા હતા. ઘણા જ્ઞાન ભૂલી ગયા હતા. આ માટે શ્રી સંઘે વિચાર કર્યો,
આચાર્ય શ્રી સ્થૂલિભદ્રસૂરિજીએ બધા સાધુઓને પાટલીપુત્રમાં એકઠા કર્યા. જૈન ધર્મશાસ્ત્રના મૂળભૂત ૧૧ અંગોનો ઉદ્ધાર કર્યો.
પણ હવે બારમું અંગ, જેનાં ચૌદ પૂર્વ હતાં, તેનું જ્ઞાન બાકી રહ્યું. એ વખતે આચાર્યશ્રી ભદ્રબાહુસ્વામી જ તે જ્ઞાનના જાણકાર હતા, અને તેઓ નેપાળમાં ધ્યાન કરી રહ્યા હતા. - શ્રી સંઘના આગ્રહથી શ્રી ચૂલિભદ્રજી પાંચસો સાધુઓ સાથે નેપાળ ગયા, પણ કઠિન એવી નેપાળયાત્રા ને એથી કઠિન બારમા અંગનો અભ્યાસ.
આચાર્ય સ્થૂલિભદ્રસૂરિજી સિવાય ૪૯૯ સાધુ થાકી થાકીને ચાલ્યા ગયા. દસ પૂર્વ નેપાળમાં ભણી, શ્રી ભદ્રબાહુસ્વામી સાથે આચાર્ય સ્થૂલિભદ્રજી પાટલીપુત્ર આવ્યા. સંઘે જ્ઞાનીઓને ભારે આદરમાન આપ્યાં.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36