Book Title: Mantrishwar Kalpak
Author(s): Kanakvijay
Publisher: Labdhisurishwar Jain Granthmala

View full book text
Previous | Next

Page 38
________________ જન વિદ્યાથી ગ્રંથમાળા ય છે.”બેલતા બોલતા મંત્રીશ્વરની પ્રૌઢકાયા કંપી ઉઠી. મહાલયની અભેદ્ય દિવાલે શૂન્ય બની આ બધું જાણે સાંભળતી હતી. ફરી મંત્રીશ્વરની વાણીને ગંગાપ્રવાહ વહેતા થયા. સેનાધિપતિ ! તમારા જેવા યુવાને ગણરાજના સાચા દીવાઓ છે. તમારી શક્તિઓ જગતના કલ્યાણમાગે પ્રકાશ પાથરવામાં રેજે ! હિંસા, ઈર્ષા, વર અને વૈમનસ્યનાં પાપના ભીષણ અંધકારને ઉલેચીનાંખી, અહિંસાના ધમ્ય માગે સંસારની પ્રજાને દોરવણ આપવી એમાં જ તમારી લેહીનાં ઉણુ બિન્દુઓથી થનગનતી યુવાનીનું સાર્થકય છે? વાવૃદ્ધ કપકનું જાદુઈ વ્યક્તિત્વ, સેનાધિપતિનાં આત્માની આરપાર અસર પાડી ગયું. મંત્રીશ્વરે ફરી કહ્યુંમારા હાલા ભદ્ર! તમારા માટે બે માર્ગો હાલ ઉભા છે. એક રક્તપાતને અને બીજે અહિંસાને પહેલા માર્ગને કાયરોએ-આમસામર્થ્યહીન નિર્બલ માન એ અજમાવી, સંસારના સ્વાર્થોને સળગાવી મૂકી, કાયમી શાન્તિના શ્વાસોશ્વાસ રૂંધી નાંખ્યા છે. અને જગતને કેવળ નિમય અને શસજીવી બનાવ્યું છે, પરિણામે નમેષને અત્યાચાર આ દ્વારા સરજાય છે. બીજે માગ નિર્ભયતાને છે. સરળતા પૂર્વક સત્તા કે સમૃદ્ધિના ત્યાગ દ્વારા જગતના માનની સુષુપ્ત માનવતા જગાડી એને શાતિનાં શાશ્વત પથ પર આ માગે ધીરે કદમે દેરે છે. વિશ્વાસ, આત્મસંતેષ અને શાનિના આત્મતેજને સાક્ષાત્કાર આ માગે સહજ પ્રાપ્તવ્ય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44