Book Title: Mahendra Jain Panchang 1963 1964 1965
Author(s): Vikasvijay
Publisher: Amrutlal Kevaldas Mehta

View full book text
Previous | Next

Page 87
________________ સાધન અને ટેકનીશીઅોની વચન બદ્ધ મદદ ઉપર બહુ મદાર નહિ બાંધતાં સ્વાવલંબી થવાને માટે કટીબદ્ધ થવું જ જોઈએ. સૌથી અગત્યનું ભારત માટે અન્નાદિક ખાધા ખોરાકીની ચીજ વસ્તુઓનો સંગ્રહ કરવા તરફ, ખનીજ દ્રવ્ય, લોખંડ, સ્ટીલ, તાંબુ, ટીન, કલાઈ કલસે, પિત્તળ, પારે --આ વસ્તુઓને જ જેમ બને તેમ વરસની શરૂઆતથી એકત્રીત કરવાને માટે ખાનગી ઉદ્યોગને સ્વતંત્ર બનાવી દેવાં જોઈએ. મંગળ-શનિ બારમે અને રાહુ ચતુર્થ સ્થાનમાં વાયુ તત્વની રાશિએમાં રહેલ હોવાથી, વાવાળ, ધૂળની ડમરીઓના કાન ઝડપી ગતિના - વાયુથી સ્થાવર જંગમ મીકત, સંદેશ વ્યવહાર, વાહન-વ્યવહારનાં સાધને, વિજળી પુરવઠા પર ઘણી જ ગંભીર અસર થશે. અકાશ કાળાં ભમ્મર વાદળાંથી ઘેરાએલ રહેવા છતાં વરસાદની આશા વ્યર્થ નીવડશે, પછાતર વરસાદ સારો થશે. મેષ પ્રવેશ લગ્ન. તા. ૧૩-૪-૬૪ (૧૧-૫૩) સોમવાર. મેષ રાશિમાં સૂર્ય પ્રવેશ કાળે કર્ક લગ્ન ૩ અંશનું વર્ગોત્તમી પૂર્વ દિશામાં ઉદય થાય છે, તેનો સ્વામી ચંદ્ર, દશમ ભાવમાં સૂર્ય, ગુરૂ, બુધ સાથે રહેલ છે. લગ્ન પર કોઈ પાપ ગ્રહની દ્રષ્ટિ નથી. ભારતની રાજધાનીની રાશિ લગ્ન ઉદય થાય છે. દશમ ભાવમાં રહેલ સૂર્ય, ચંદ્ર, ગુરૂ, બુધ, પર શનિની ૮ મા ભુવનમાંથી પૂર્ણ દ્રષ્ટિ છે. શનિ સ્વગૃહી છે. ગુરૂ અને મંગળ એક બીજાની રાત્રિામાં બેઠેલ છે, શુક્ર સ્વગૃહી છે. વર્ષ પ્રવેશ લગ્નની કુંડળી કરતાં આ કુંડળી કાંઈક વધુ બળવાન છે. આ કુંડળીમાં કાળ સપ યેાગ ૬ થી ૧૨ મા ભાવ વચ્ચે થાય છે. ૭ માથી લગ્ન ભૂવન સુધીના સ્થાને બાય કારગાના ઘોતક છે. છ મા ભૂવનને સ્વામિ શનિ, ચાર મુખ્ય ગ્રહને દ્રષ્ટિમાં લે છે, તેથી તેમની છ રાશિઓ અને શનિની બે રાશિઓ મળી આઠ રાશિ-ભૂવને પર તેનો પ્રભાવ પાડે છે. વાયુતત્વની રાશિ ૮ મા ભૂવનમાં હોવાથી ધામક ભાવનાનું આ સૌર વરસ દરમીયાન પુન નિર્માણ થશે. જુની રૂઢિગત ધર્મભાવના અંધશ્રદ્ધા ગણાશે, અને હાસ્યજનક પરિસ્થિતિમાં મુકાશે. યાત્રાના ધામો, દેવ મંદિરમાં તામસીક અને રાજસીક તત્વે વધુ પ્રમાણમાં અવરજવર કરવાથી ભ્રષ્ટાચાર, નૈતિક અધઃપતન, ચેરી અને ૪૨૦ ના ગુન્હાનું પ્રમાણ વધી જતો, બૌદ્ધ ધર્મને પ્રચાર અને તેમાં માનનારની સંખ્યા વધશે. ૬૮ થી ૭૨ વરસની વય [ ૮૫ મર્યાદામાં પસાર થનાર વ્યક્તિઓનું મૃત્યુ પ્રમાણ વધશે. વાત વ્યાધિ, સંધીવા, હીસ્ટીરીયાના વ્યાધિ વધશે, લગ્નેશ, ભાગ્યશ, ધનેશ, ત્રીતીયેશ પર અષ્ટમેશની દ્રષ્ટિ પરરાષ્ટ્ર તરફથી આક્રમણને યોગ બતાવે છે. કર્મેશ અને પંચમેશ સ્વતંત્ર છતાં ગુરૂ-મંગળ વચ્ચે રાશિ પરિવર્તન યોગ બનત હેવાથી ભારત થનાર આક્રમણને સારી રીતે સામને કરી શકશે. ચતુર્થેશ સ્વગૃહી અને લાભ સ્થાનમાં હોવાથી ભારતીય ધ્વજ ઉંચે હેરાશે. છતાં બારમા ભૂવનમાં રહેલ રાહુ અને તેનાથી સંપન્ન થતા કાળ સપાગ, ભારતીય જનતાને તેના વર્તનની શુદ્ધિ કરણ માટે ખાસ ચેતવણી આપે છે. સ્વાથી વૃત્તિ ત્યજવા માટે અને બીજા તરફ સામાજીક તેમજ રાષ્ટ્રીય ભાવનાની એકતા માટે નેકદિલી બતાવવા પ્રેરણા કરે છે. ભારત અવકાશમાંના સંશોધન વિભાગમાં આગળ પડશે. રાજકારણમાં ભાગ લેતી આગેવાન ઉમ્મર લાયક વ્યક્તિઓમાંથી સંખ્યાબંધ કાળ ધર્મ પામશે. નેતૃત્વ યુવક વર્ગને શોધતું આવશે. શુદ્ધ કેરોસી રાજતંત્ર મટીને, મિશ્ર રાજતંત્ર જમા લેશે. પત્રકારત્વ, વાણી સ્વાતંત્ર્ય પર અંકુશ આવશે. વિકાશ વ્યાપાર વૃદ્ધિ પામશે, પણ ભાવનું ધોરણું નીચું રહેશે. પરરાષ્ટ્રના જકાતી દરે બહુ અવરોધક બનશે. ભારતના છ મા ભૂવન આસપાસ પાપ ગ્રહની પ્રવૃત્તિ ભારતને સાચા મિત્રોને સહકાર સમજવામાં બાધા રૂપ નીવડશે. તેથી ભારતે પરદેશી મદદ લેતાં પહેલાં કોઈ પણ રાજકીય બંધને અંગીકાર કરવા, તે ખતરનાક નીવડશે. ભારતમાં એકંદરે કન્યા સંતતિને જન્મ વધુ પ્રમાણમાં થશે. હવામાન અને આથક બાબતે પર આગળ કહેવાઈ ગએલ હોઈ તેનું પુનરાવર્તન અહીં નથી કરવામાં આવતું. સુય આદ્ધ મહાનક્ષત્ર પ્રવેશ. યેષ્ટ સુદી ૧૨, રવિવાર, વિશાખા નક્ષત્ર, સિદ્ધિ યોગ, તુલા ચંદ્ર, બાલવ કરેણુ. તા. ૨૧-૬-૬૪ (બપોરને ૩-૧ વાગે. હીં, ટ) વાયુ તત્વની રાશિમાં ચંદ્ર ગુથી દ્રષ્ટ, સૂર્ય આદ્રા પ્રવેશ સમયે રહેલ છે. તેને સ્વામિ શુક્ર વક્ર ગતિવાન ઉદય થવાની તૈયારીમાં છે. વક્ર ગતિવાન શનિ સાથે વક્રી શુક્ર, રાહુ, સૂર્ય ત્રિકોણ યોગ કરે છે. વળી શનિ ચતુર્થેશ થઈને ગુરૂ પર દ્રષ્ટિ કરે છે. વાયુ અને પૃથ્વી તત્વપ્રધાને રાશિ

Loading...

Page Navigation
1 ... 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130